Wednesday, December 24, 2008

કન્‍યા કેળવણી અને ઇસ્‍લામ

કન્‍યા કેળવણી  અને ઇસ્‍લામ

        ઇસ્‍લામ ધર્મનો આધાર જ ઇલમ અને અમલ પર છે, અર્થાત ઇલ્‍મ પ્રાપ્‍ત કરો અને તે પ્રમાણે અમલ કરો. ઇસ્‍લામી માન્‍યતા અનુસાર અલ્‍લાહ તઆલાએ જયારે માનવ વિશ્વ સર્જવાનો નિર્ણય કર્યો તો પ્રથમ માનવી આદમ  અલૈ..નું સર્જન કર્યુ પછી અલલાહ તઆલાએ ફરિશ્‍તાઓ ઉપર માનવીની શ્રેષ્‍ઠતા બતાવવા માટે આદમ અલૈ.ને ઇલ્‍મ અને જ્ઞાન આપ્‍યુ.

આમ ઇલમથી સફર શરુ કરવાની માન્યતા ધરાવનાર ધર્મ કે એના અનુયાયીઓ ઇલમના વિરોધી હોય, અથવા સંકુચિત માનસ ધરાવતા હોય શકય નથી. ઇસ્‍લામી ઇતિહાસ જોતાં સ્‍પષ્‍ થાય છે કે. મુસલમાનોએ યથાશકિત ઇલ્‍ અને જ્ઞાનની સેવામાં કદી પાછું વળીને નથી જોયુ, કમનસીબે દુનિયા ઉપર બ્રિટન, ફ્રાન્‍ અને અન્‍ યુરોપીય સત્તાઓએ જયારે કબજો જમાવ્યો તો તેમણે તાબા હેઠળના દરેક દેશના જ્ઞાનના ગળે ટૂપો દઇ દીધો.

આજે જયારે કે ઇસ્લામી વિશ્વ આર્થિક રીતે કઇક સધ્ધર થયું છે, તો આપણે  જોઇએ છીએ કે જ્ઞાન અને ઇલ્મની સેવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહયા છે, ભારતની વાત કરીએ તો આઝાદી વખતે ભાગલાના ભાર વેઠીને બેવડ વળી ગયેલા અને એકલા પડી ગયેલા મુસલમાનોને જો ૫૦ વરસ સીધા થતાં લાગ્યા હોય એન આજે તેઓ જાગૃત થયા છે તો ઘણું વહેલું કહેવાય , આવી રીતે તુટયા પછી, અને હરિફાઇ નહી, અદેખાઇનો સામનો કરીને આટલા વહેલા ટટ્ટાર  થવા માટે મુસલમાનોનો હોસલો દાદ માંગી લે છે,

આપણે હવે કન્‍યા કેળવણીની વાત કરીએ.

શિક્ષણ અને ફેળવણી બાબત ઇસ્લામમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઇ ભેદભાવ રાખવામાં આવ્યો નથી.

કુર્આન અને હદીષમાં અલ્‍લાહ અને તેના રસુલ પયગમ્‍બર સાહેબના અદેશોમાં આવા તફાવતને કોઇ સ્‍થાન નથી.

ઉલટાનું સ્‍ત્રીઓને શિક્ષણ અને કેળવણી આપવા ઉપર ભાર મુકવામાં આવ્‍યો છે. એટલે જ ઇતિહાસ દ્વારા આપણને જાણવા મળે છે, કે મુસ્લિમ સ્‍ત્રીઓએ ઇલ્‍મ પ્રાપ્તિમાં કોઇ પાછીપાની નથી કરી.

પયગમ્‍બર સાહેબ અલૈ.નું ફરમાન છે કે જે કોઇ માણસની ત્રણ કે બે પુત્રી  હોય અને તે તેણીઓનું સારું ઘડતર કરે  અને તેઓના બાબત અલ્લાહ  તઆલાથી ડરતો રહે તો તેના માટે જન્નત છે.

         અન્‍ય એક કથનમાં પયગમ્‍બર સલ. ફરમાવે છે, કે જે કોઇ માણસની એક પુત્રી હોય, અને તે તેણીનું યોગ્‍ય ઘડતર કરે, સારા સંસ્‍કારો શીખવાડે, સારું શિક્ષણ આપે, અલ્‍લાહ તઆલાએ આપેલ  નેઅમતોથી એની પરવરિશ કરે, તો આ બેટી તેને જહન્‍નમ–નર્કથી બચવા માટે આડ બની જશે. 

            બુખારી શરીફમાં પયગમ્‍બર સલ.ના એક કથન- હદીષ નો ઉલ્‍લેખ છે તેમા તો માણસને તેની ગુલામડીઓ અને નોકરાણીઓને પણ શિક્ષણ આપ્‍વાનુ પરોત્‍સાહન  પવામા આવ્‍યુ છે.

        પયગમ્‍બર સલ. ના પવિત્ર  પત્નિ હઝરત આઇશા રદી. મદીનાની સ્‍ત્રીઓના વખાણ કરતા હતા, એટલા માટે કે મદીનાની સ્‍ત્રીઓ દીન શીખવા સદા તત્‍પર  રહેતી હતી, અને શર્મના કારણે પુરુષોથી પાછળ ન રહેતી હતી.

        પયગમ્‍બર સલ્‍લલ્‍લાહુ અલૈહિ વ સલ્‍લમ પણ સ્‍ત્રીઓના શિક્ષણ બાબત સદા તત્‍પર અને ઉત્‍સાહી રહેતા. સામાન્‍ય સજોગોમા અને અવસરો ઉપરાત એક નકકી દિવસ‍ વિશેષ રૂપે સ્‍ત્રીઓ માટે નકકી કર્યો હતો, જેમા તેણીઓને પયગમ્‍બર સાહેબ સલ. શિક્ષણ આપતા  અને ધર્મની વાતો શીખવાડતા.

        એટલે જ આપણે જોઇએ છીએ કે પયગમ્‍બર સાહેબ સલ.ના સમયકાળથી જ સ્‍ત્રીઓ ઇલ્‍મની દુનિયામાં તેમનું સ્‍થાન પાકું કરી લીધું હતું. આસલ્‍લલ્‍લાહુ અલૈહિ વ સલ્‍લમ ના સમયે મકકામા લખતા વાચનાર માણસોની સખ્‍યા ગણીને ૧૩ અથવા ૩૦ હતી, પરતુ આસલ્‍લલ્‍લાહુ અલૈહિ વ સલ્‍લમના પોત્‍સાહન અને તાકીદના કારણે થોડા જ સમયમા એટલા બધા મુસલમાનો લખતા વાચતા શીખી ગયા કે. અલ્‍લાહના અદેશો એટલે કે કુર્આન અને પયગમ્‍બર સાહેબના કથનો એટલે હદીષો તેઓ કાગળ, ચામડા કે અન્‍ય વસ્‍તુઓ ઉપર લખી લેતા હતા.

        પયગમ્‍બર સાહેબના પત્નિ હઝરત હફસા રદી. એ અન્‍ય એક સ્‍ત્રી પાસેથી લખતા વાંચતા શીખ્‍યું હતું, અન્‍ય એક પત્નિ હઝરત સફિય્‍યહ પકવાનમાં બે મિસાલ હતાં, ઇબ્‍ને મસ્‍ઉદના પત્નિ તેમની કારીગીરીથી પોતાનું અને ફુલ ટાઇમ શિક્ષણમાં વ્‍યસ્‍ત એમના પતિનુ પણ ભરણપોષણ કમાઇ લેતા. હઝરત આઇશા રદી. સારવાર અને ઇલાજમાં નિપુણ હતા, તેઓ પોતે કહે છે કે પયગમ્‍બર સાહેબ બિમાર પડતા તો અરબસ્‍તાનના મોટા મોટા તબીબો સારવાર માટે આવતા, અને તેણી તેઓના બતાવેલ નુસ્‍ખા યાદ કરી લેતાં. ઉમ્‍મે વરકહ અને અન્‍ય સ્‍ત્રીઓએ આખુ કુર્આન હિફઝ કરી લીધુ હતુ.

         બાદના સમયમા આ સિલસિલો ચાલુ જ રહયો, એક હઝાર વરસોની યાદી હમણા આપવી શકય પણ નથી, થોડા વરસો પૂર્વે મુંબઇમાં જેમનુ અવસાન થયુ એ જનાબ કાઝી  અત્‍હર મુબારકપુરી સાહેબે એક પુસ્તક લખ્‍યુ છે, ખવાતીને ઇસ્‍લામકી દીની ઇલ્‍મી ખીદમાત  તેમાં એમણે જ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં નામના પેદા કરનાર હઝારો સ્‍ત્રીઓનો ઉલ્‍લેખ કર્યો છે, શકય હોય તો  દરેકે આ પુસ્‍તકનો અભ્‍યાસ  કરવો જોઇએ.

        આમ ઇસ્‍લામી તાલીમ અને આદર્શો અનુસાર સ્‍ત્રી  કેળવણી અને શિક્ષણ બાબતે કોઇ બાંધ નથી એટલુ જ નહિ , એ ધાર્મિક રીતે આવશ્‍યક , આવકાર્ય અને સરાહનીય કાર્ય છે એ સ્‍પષ્‍ટ છે.

        આનુ એક સ્‍પષ્‍ટ ઉદાહરણ આ પણ છે કે આજકાલ મુસલમાનો દ્વારા બાળકો માટેના મદરેસાઓ ચલાવવામાં આવે છે એ જ પમાણે  બાળકીઓ માટેના પણ  વિશેષ મદરસાઓ ચલાવવામા આવી રહયા છે. આ જ પરિસ્થિતિ  સ્‍કૂલો  અને અન્‍ય તાલીમી સસ્‍થાઓની છે.

         ત્રે  હું બે  ત્રણ સ્‍પષ્‍ટતાઓ કરવાનો મોહ પણ રોકી શકતો નથી.

(૧) જ્ઞાન-ઇલ્મનો  મુળ ઉદેશ  ઇસ્લામની નજરે જોબ, સર્વિસ, નોકરી ચાકરી નથી. તો જ્ઞાનનો અાશય પૈસા કમાવો કે રોજગાર મેળવવાનો છે, ઇલ્ અને જ્ઞાનની મહામૂલી દોલતને આવા નાનકડા મકસદ માટે પ્રાપ્ કરવું પુરુષ માટે પણ શોભનીય નથી, તો સ્ત્રી માટે તો કેમ કરી હોય શકે ? સ્ત્રીની આવી દરેક જરૂરતોનો ભાર ઇસ્લામ દ્વારા તેના પિતા ઉપર નાખ્યો છે માટે સર્વિસ, જોબ કે રોજગારની નિય્યતે ઇલ્ શીખવું કોઇ સરાહનીય કાર્ય કહેવાય.

 એટલે જ આ બાબતને ઇસ્‍લામની વિશિષ્‍ટતા કહી શકાય કે એણે સ્‍પષ્‍ટ રૂપે કહયું છે કે સ્‍ત્રીનું અસલ કાર્યક્ષેત્ર ઘર છે, તે ચિરાગે ખાના છે, શમ્‍એ મહેફિલ  નથી, જરુરત પમાણે ઘર બહાર નીકળવા, કમાવા અને કર્તવ્‍ય નિભાવ્‍વાની પણ છુટ  છે.

 બીજી વાત એ છે કે ફકત જોહેર જીવનમાં કાર્યરત સ્‍ત્રીઓને જોઇને પણ મુસ્લિમ સ્‍ત્રીના શિક્ષણ કે અભણતા  વિશે કોઇ મંતવ્‍ય બાંધવુ ખોટો આધાર કહેવાશે.

        અમને તો સમગ્મુસ્લિમ વસતી બાબતે શિક્ષ્‍િાત કે અશિક્ષ્‍િાત હોવાની જે ઓછી ટકાવારી દર્શાવવામા આવે છે એ બાબતે વાંધો છે એટલે કે શિક્ષ્‍િાત કે અશિક્ષ્‍િાત હોવાની ગણતરી માટેનો કોઇ નકકી માપદંડ  રાષ્‍ટીય સ્‍ત્‍રે જ નકકી નથી.

        આ એક બીજો વિષય છે હમણા એની ચર્ચા અસ્‍થાને છે

Tuesday, December 16, 2008

ઇસ્‍લામ અને નારી સન્‍માન

        ઇસ્‍લામ અને નારી સન્‍માન

સ્‍ત્રી અને પુરુષ  માનવીય સમાજના બે સરખા ભાગો છે, સમાજ માટે બન્‍નેવનું સમતોલ સ્‍થાન બતાવતાં અલ્‍લાહ તઆલા ફરમાવે છે ,

હે લોકો અમે તમને એક પુરુષ અને એક સ્‍ત્રીથી પેદા કર્યા છે.( કુર્આન ૪૯- ૧૩)

ઈસ્‍લામના આગમન પૂર્વે દરેક સમાજ અને કોમમાં સ્‍ત્રીના અસ્તિત્‍વને પાપ અને પતીતની માન્‍યતા આધારિત અપશુકન સમજવામાં આવતું હતું, ઘણા સમાજોમાં તો સ્‍ત્રીનું સ્‍થાન એવું હતું કે તેઓ સ્‍ત્રીને માનવી પણ સમજતા હતાં, કે કેમ એમાં પણ શંકા થઇ આવે છે.  તે એક જાનવરની જેમ પુરુષના ઘરમાં રાખવામાં આવતી, મુહમ્‍મદ પયગમ્‍બર સાહેબે સંદેશો સંભળાવ્‍યો કે

આસમાન અને જમીન બધું અલ્‍લાહનું જ છે, તે જે ઇચ્‍છે છે તે પેદા કરે છે, જેને ઇચ્‍છે છે તેને માદા (છોકરી) અને જેને ઇચ્‍છે છે તેને નર (છોકરો) આપે છે. (કુર્આન ૪૨-૪૯)

સ્‍ત્રી અને પુરુષના સમતોલ અસ્તિત્‍વના કારણે જ અલ્‍લાહ તઆલાએ એના આદેશોમાં બન્‍નેને સમાન અને સરખી હેસિયત આપી છે, કુર્આનમાં એક જગાએ છે

‘ હે નબી મુસલમાન પુરુષોને કહી દો કે, નજરો નીચી રાખે, અને. શર્મગાહ (શરીરના ગૃપ્‍ત ભાગો)ની રક્ષા કરે અને હે નબી મુસલમાન સ્‍ત્રીઓને પણ કહી દો કે નજરો નીચી રાખે અને શર્મગાહો(શરીરના ગૃપ્‍ત ભાગો)ની રક્ષા કરે.‘ (કુર્આનઃ ૩૦-૩૧)

કોઇ પણ સમાજની સુખાકારી અને પ્રગતિ માટે આવશ્‍યક હોય છે કે તેના દરેક અંગોને, વ્‍યકિતને સમતોલ અને યોગ્‍ય સ્‍થાન મળે. માટે આવશ્‍યક છે કે સ્‍ત્રીને પણ ઘરમાં સમાજમાં, ગામમાં અને દેશમાં યોગ્‍ય સ્‍થાન આપવામાં આવે, આ જ બાબત ઇસ્‍લામ અને કુર્આનની નજરે પણ આવશ્‍યક અને અનિવાર્ય છે.

કુર્આન શરીફમાં એટલે જ ‍સ્‍ત્રીઓ સાથે સદવર્તન કરવાની વિશેષ તાકીદ કરવામાં આવી છે (કુર્આનઃ૪-૧૮)

મકકાની ફતેહ વખતે નબીએ કરીમ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ દ્વારા કરવામાં આવેલ મહત્‍વના નિવેદન –પ્રવચનમાં પણ લોકોને સ્‍ત્રીઓના અધિકાર અને સન્‍માન બાબત વિશેષ ધ્‍યાન રાખવાની તાકીદ કરવામાં આવી હતી

        નમુના રુપે અત્રે અમુક બાબતો રજૂ કરુ છુ, જેનાથી સ્‍પષ્‍ટ થાય છે કે ઇસ્‍લામમાં સ્‍ત્રીને એક નોખી, સ્‍વતંત્ર અને વિશેષ હેસિયત આપવામાં આવી છે.

        સ્‍વતંત્ર વ્‍યક્તિત્‍વ

ઇસ્‍લામે સ્‍ત્રીને એક નોખું અસ્તિત્‍વ અને તેના પતિથી અલગ મહત્‍વ આપ્‍યું છે, તેને માત્ર પતિની પૂંછડી નથી બનાવી કે પતિના અસ્તિત્‍વમાં તેનુ અસ્તિત્‍વ ખોવાય જાય. આ માટે તેણીને પણ તેના ધન-દોલતની માલિક સમજી તેમાં વહીવટ કરવાનો પૂરે પૂરો કાનૂની અને  ઇસ્‍લામી હક આપવામાં આવ્‍યો. (કુર્આનઃ નિશાઅ ૯૭)

        માનવીય સમાનતાઃ

માનવીય સમાનતાની દષ્ટિએ પણ પુરુષ અને સ્‍ત્રીમાં કોઇ ફરક નથી. અને આખિરતમાં પણ સવાબ - પુણ્‍યની દષ્ટિએ બેઉ સરખાં છે (નહલઃ ૯૭)

પતિની પસંદગીનો હકક

પુરુષની જેમ ‍સ્‍ત્રીને પણ તેના જીવનસાથીની પસંદગી બાબત સંપૂર્ણ અધિકાર આપીને એ માટે સ્‍ત્રીની મંજૂરીને આવશ્‍યક ઠરાવવામાં આવી છે, તેની મરજી વિરુદ્ધ કોઇને અધિકાર નથી કે તેના વૈવાહિક જીવન બાબત કોઇ પણ જાતનો ફેંસલો કરે.

વારસાઇ હક

એ જ પ્રમાણે પુરુષોની જેમ સ્‍ત્રીઓને પણ સગાઓ, એટલે કે માતા- પિતા અને ઔલાદ તરફથી વારસાઇમાં ભાગીદાર બનાવવામાં આવી છે.(સુરએ નિસાઅઃ ૭)

         આ અમુક તે બાબતો ગણાવી છે, જેના વિશે મુસલમાનો અને ગેરમુસ્લિમોમાં પણ ખોટી ગેરસમજ ફેલાયેલી છે, બાકી ઇસ્‍લામની દષ્ટિએ માનવસમાજના આ બન્‍ને પૈડાઓ વચ્‍ચે કોઇ ભેદભાવ નથી, હા જેમ બે પુરુષ વચ્‍ચે કે કોઇ સંઘ અથવા સંગઠનની જવાબદારીઓ બાબતે, તેના જિમ્‍મેદારોના અધિકારો અને જવાબદારીઓની વહેંચણી હોય છે, એ જ પ્રમાણે સંસાર, ઘરેલુ જીવન, બાળકોની કેળવણી, અને અન્‍ય બાબતો વિશે ઇસ્‍લામ દ્વારા પુરૂષ અને સ્‍ત્રી વચ્‍ચે સ્‍પષ્‍ટ જવાબદારીઓ અને અધિકારોની વહેંચણી કરી દેવામાં આવી છે. જેમ કે શારિરીક રીતે ગર્ભ ધારણ કરવાથી લઇને બાળકને જન્‍મ આપવાની  જવાબદારી કુદરતી રીતે જ સ્‍ત્રીને આપવામાં આવી છે.

આ જ પરિપેક્ષ્‍યમા જોઇએ તો સ્‍ત્રીને અનેક બાબતોમાં પુરુષથી ચઢિયાતા અધિકારો ઇસ્‍લામ  દ્વારા આપવામાં આવ્‍યા છે. જેમ કે

૦ પત્નિ અને ઔલાદની ભરણપોષણની સંપૂર્ણ જવાબદારી ફરજિયાત રૂપે પતિ ઉપર નાંખવામાં આવી છે .(સુરએ  બકરહ  ૩૨)

૦ શાદી માટે સ્‍ત્રીને મહેરની હકદાર બનાવ્‍વામાં આવી છે, અર્થાત સ્‍ત્રી તેના અને તેના ખાનદાનના મોભા અને સ્‍થાન અનુસાર યોગ્‍ય રકમ શાદીના બદલા રૂપે શોહર પાસેથી લેવાની હકદાર છે. આ એવો હક  છે કે જો સ્‍ત્રી - પુરુષ તેમની સંમંતિથી છોડી દેવા માંગે તો પણ ચાલશે નહી, અફસોસ લોકોએ આજે અવળી રસમ અપનાવી છે, અને ઉલટાના છોકરા પક્ષવાળાઓ સ્‍ત્રીપક્ષ પાસેથી દહેજની માંગણી કરે છે.

સ્‍ત્રી અધિકારો માટે લખતા વિચારતા કે કાર્ય કરતા માણસો માટે આ મહત્‍વનો પોઇન્‍ટ છે, ઇસ્‍લામ શાદીના અવેજમાં સ્‍ત્રીને માલની અધિકારી અને હકદાર ગણે છે, નહિં કે પતિને.

૦ કુદરતી વ્‍યવસ્‍થાને આધિન અમુક કમઝોરીઓ કે પરિસ્થિતિઓના કારણે સ્‍ત્રી માટે ઇઝઝત અને આબરૂ એટલે કે શીયળતા મોટી પૂંજી ગણવામાં આવી છે આ બાબતે પુરુષોની મેલી મથરાવટીને સામે રાખીને સ્‍ત્રીને કલંકિત કરવાની કોશિશ અને તેના પર ખોટા આક્ષેપો મુકનાર માણસ માટે કુર્આનમાં સ્‍પષ્‍ટ સઝાઓ નકકી કરવામાં આવી છે.

આખા કુર્આનમાં ફકત ચાર સઝાઓ સ્‍પષ્‍ટ રૂપે નકકી દર્શાવવામાં આવી છે, એક ચોરીની, એક હત્‍યાની , એક વ્‍યાભિચારની અને એક સ્‍ત્રી ઉપર વ્‍યાભિચારના ખોટા આરોપની.

Saturday, December 13, 2008

Sunday, November 23, 2008

ઇસ્‍લામ, ભારત, મુસલમાનો અને આંતકવાદ

યહીં પ્‍ો શકિત ભી શાંતિ ભી

યહીં પે અહિંસા કી રોશની ભી

ઇસી લીયે તો બુલંદતર હે

જહાં મેં હિંદુસ્‍તાન વાલે

ઇસ્‍લામ અને  ભારત 

મુસલમાનોની માન્‍યતા પ્રમાણે સૌપ્રથમ માનવી આદમને સ્‍વર્ગમાથી સીધા ભારતની ધરતી પર અલલાહ તઆલાએ ઉતાર્યા, કેટલાયે આરબ લેખકો ભારતને માનવીનુ પૈતૃક ઘર ગણાવે છે, મુસ્લિમ સંશોધકોએ આ વાત પણ લખી છે કે પ્રથમ માનવી આદમ અલૈ. કેટલાક ફૂલ અને છોડ પણ સ્‍વર્ગમાથી સાથે લઇ ભારતમાં ઉતર્યા હતા, જેના કારણે ભારતની જમીન ફળદ્રુપ છે.

        ઇસ્‍લામી માન્‍યતા અનુસાર સ્‍વર્ગની ચાર નદીઓ ધરતી પર વહેતી મૂકવામા આવી છે, જેમાંથી એક ભારતમાં વહે છે.          

        મુસ્લિમ ઇતિહાસકારોએ અન્‍ય્‍ા એક બાબત પણ વિષેશ  રૂપે લખે છે કે અરબસ્‍તાનમાં પેગમ્‍બર મુહમ્‍મદ સાહેબ (સલ)ના નબી હોવાના દાવાને સાભળી પુર્વ ભારતના એક અગ્રણી રાજાએ તેના તરફથી શુભેચ્‍છા મંડળ અરબસ્‍તાન મોકલ્‍યું  હતું અને પયગમ્‍બર સાહેબે એમને આવકારતાં કહયું કે મને ભારતની દિશામાથી ખુશ્‍બૂ આવે છે.

         પયગમ્‍બર સાહેબનું કથન છે કે હઝરત આદમ અલૈ. સૌથી પહેલા માનવી છે અને માણસોમા સૌથી પહેલા હાજી છે,

        અમુક લેખકોના મતે હઝરત આદમ અલૈહીમુસ્‍સલામે હિન્‍દુસ્તાનથ પગપાળા ૪૦ હજ કર્યા છે.

        મકકા શરીફની મુખ્‍ય  ઇમારત એટલે કે ખાનઅે કાબાથી ભારત પૂર્વ દિશાએ છે, અને મકકાની દરેક મહત્‍વની અને પવિત્ર  વસ્‍તુઓ , જેમ કે હજરે અસવદ, મુલ્‍તજમ  કાબાનો દરવાજો , મકામે ઇબ્રાહીમ , સફા અને મરવહની પહાડીઓ, મિના, મુઝદલિફહ, અરફાત અને ભારત  આ બધુ જ પૂર્વ દિશામા છે ભારતીય મુસલમાનો આને પોતાનું સદભાગ્‍ય સમજે છે.

        ભારતની મહાનતા માટે આથી વિશેષ કઇ કહેવાનું નથી . સ્‍વયં ભારતની વિશાળતા, સમૃધ્‍ધતા , વિવિધતા અને ભવ્‍ય  સંસ્‍કૃતિ નો ઇતિહાસ એ ભારતની એવી મહામૂલી દોલત છે કે‍ વિશ્વમા એનો પર્યાય ઉપ્‍લબ્‍ધ  નથી.

         ભારતની આ મહાનતા અને  વિવિધતાનુ મૂળ શું છે ?

         આ મહાનતાનુ મૂળ તેમા વસ્‍તી  વિવિધ લઘુ‍મતિઓ છે, એક જ વાકયમાં  કહીએ તો ભારત લઘુમતિઓનો દેશ છે, તેમા કોઇ પ્રજા કે ધર્મના લોકો બહુમતિમાં હોવાના બદલે વિવિધ  લઘુમતિઓની બહુમતિ છે, અને આ સઘળી લઘુતિઓએ સહઅસ્તિત્‍વ માટે પરસ્‍પરના ભાઇચારની વિકસાવેલ  સંસ્‍કૃતિ  એ જ તેની મહાનતાનું મુળ છે.  એને જ અહિંસા અને બંધુત્‍વનુ મથાળું આપીને ગાંધીજીએ તેમની ચળવળ ચલાવી હતી  અને દેશને એક સુત્રે  બાંધી દીધો હતો, આજે એ સુત્રો અને સંસ્‍કારોનો  અવકાશ સર્જાયો છે, એ જ સઘળી સમસ્‍યાઓનું મુળ છે, આ જ ભારતમા પ્રસરી  રહેલા પરસ્‍પરના આંતકવાદની જડ છે અને એ જ કોમી  વિભાજન  અને રાજકીય પડતીનું  અસલી કારણ છે.

          આપણે જાણીએ છીએ કે આઝાદી પછી આપણા નેતાઓએ વિશેષ કરી નહેરુજી, સરદાર પટેલ, મવલાના આઝાદ વગેરેએ બિન જોડાણવાદી દેશોના સગઠનમાં રહેવાને પ્રાથમિકતા આપી હતી, બલકે ભારત એનો અગેસર દેશ હતો અને દાયકાઓ સુધી આપણે એને અનુસરતા હતા, પરંતુ છેલ્‍લા કેટલાક વર્ષોથી ન્‍યુ વર્લ્‍ડ ઓર્ડરના તાબે થઇ આપણી વિદેશનીતિ‍માં અમુક આકમાણકારી સત્‍તાઓ  તરફે જુકાવ આવ્‍યો છે, હું માનું છું કે આ બાબત જ આ ફસાદ અને ભેદભાવનુ મુળ છે.

         જરા વિચારીએ, ભારતની આઝાદીની સાથે જ ભારતની વિવિધ દિશાઓમાં તેના દુશ્‍મનો  ઉભા થઇ ગયા હતા, પરંતુ કાશ્‍મીર અને પંજાબ સિવાય કોઇ પણ ‍બીજા રાજયના લોકોએ બગાવત નથી કરી. મુસલમાનો બાબત વિચારીએ તો કાશ્‍મીર સિવાય કોઇ પણ રાજયમાં ભારતવિરોધી વિચારધારાને આધાર મળ્યો નથી. શુ આ કોઇ નાની સુની વાત છે?

         દેશ બધુઓએ આ બાબતે ગહનતાથી વિચારવાનુ હુ આહવાન કરુ છુ..........

 

Monday, November 10, 2008

જેહાદની નવી વ્યાખ્યા બનાવો : મુસ્લિમ બૌધ્ધિકો

જેહાદની નવી વ્યાખ્યા બનાવો : મુસ્લિમ બૌધ્ધિકો

ભારતમાં મુસ્લિમ બૌધ્ધિકોની સૌથી મોટી સંસ્થા જમિયત ઉલેમા-એ-હિંદે આતંકવાદ સાથે ખરાબ રીતે વપરાતા શબ્દ જેહાદની નવેસરથી વ્યાખ્યા કરવાની જરૂરીયાત છે તેમ જણાવ્યુ હતુ.

જ્યારે આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિ શંકરે મુસ્લિમ અને આતંકવાદને અલગ પાડવા પર ભાર મૂક્યો હતો.

જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા આતંકવાદને વખોડી કાઢવા આયોજીત એક સંમેલનમાં બોલતા ધ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રીએ જણાવ્યુ હતુ કે મુસ્લિમો અને આતંકવાદને અલગ રાખવા જોઈએ. જો આપણા જ પરિવારનો કોઈ સભ્ય આતંકવાદમાં સામેલ હોય તો તેને અલગ પાડી દેવો જોઈએ અને તેને હાંકી કાઢવો જોઈએ.

જેહાદ શાંતિ સ્થાપવા અને માનવીના પ્રાથમિક અધિકારોની જાળવણી માટે જ છે. આતંકવાદ ગુન્હો છે અને કુરાન તથા ઈસ્લામિક મૂલ્યોમાં તે સૌથી મોટો ગુન્હો છે.

આતંકવાદ સતામણી, ભય અને એક બીજાને મારી નાખવાનુ અને સમાજમાં કાયદા અને કાનૂનને ભંગ કરવાનુ તથા સમાજિક અને રાજકિય નિયમોનો ભંગ કરવાનુ કામ કરે છે. તેથી જેહાદની નવેસરથી વ્યાખ્યા કરવાની જરૂર છે.

જમિયતે આના ઉકેલ માટે 21 મુદ્દાઓની ચર્ચા કરી હતી. જેમાં મુસ્લિમોના શિક્ષણને પણ સામેલ કરવામાં આવ્યુ હતુ. મુસ્લિમ બૌધ્ધિકોએ સૂચવ્યુ હતુ કે મુસ્લિમોએ સ્કૂલો અને કોલેજો ખોલવી જોઈએ જેમાં આધુનિક શિક્ષણ સાથે ખાસ પ્રકારના ધાર્મિક શિક્ષણની વ્યવસ્થા હોવી જોઈએ

Saturday, November 08, 2008

મુસલમાન ઓર હિંદુ કી જાન મેરા હિંદુસ્‍તાન, એક સરસ મજાની ગઝલ વીડીયો.

મુસલમાન ઓર હિંદુ કી જાન મેરા હિંદુસ્‍તાન, એક સરસ મજાની ગઝલ વીડીયો.
અજમલ સુલતાન પૂરી, ર૦૦૪.

Wednesday, November 05, 2008

લઘુમતીઓ ઘૃણા કરવા માટેની ચીજ નથી

લઘુમતીઓ ઘૃણા કરવા માટેની ચીજ નથી
થોડા વખત પહેલાં મધર ટેરેસાના જન્મદિવસે સંજોગોવશાત્ બે બાળકો અને તેની માતાને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઓરિસ્સાના કંધમાલ જિલ્લામાં સળગાવી દેવામાં આવ્યાં. મધર ટેરેસાને ભારતીય બાળકો પ્રત્યે ખૂબ જ પ્યાર હતો. નક્સલવાદીઓએ કબૂલ્યું છે કે, તેઓએ એક હિન્દુ સંત સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતીની હત્યા કરી હતી, કારણ કે તેઓ ખ્રિસ્તીવિરોધી ગુનાઓમાં સામેલ હતા, પરંતુ આ હકીકત નથી. હકીકતમાં હિન્દુ કટ્ટરવાદીઓ જ આમાં સામેલ હતા.

થોડાં વર્ષ પહેલાં ખ્રિસ્તી મિશનરીગ્રેહામ સ્ટેન્સ અને તેના બે પુત્રોને ઓરિસ્સામાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. તેની પત્ની આજે પણ ગરીબોના ઉત્થાનનું કામ કરી રહી છે. નવીન પટનાયક તે સમયે પણ મુખ્યમંત્રી હતા તેમ છતાં પણ તેઓ કટ્ટરવાદીઓ પર ઉચિત પગલાં લેવામાં નિષ્ફળ નીવડયા હતા. ખ્રિસ્તી મિશનરીઓ મફત શિક્ષણ અને દર્દીઓની સેવા આ વિસ્તારમાં કરી રહી છે. આમ છતાં પણ કટ્ટરવાદીઓ સહિષ્ણુ બન્યા નથી. તેઓ ખ્રિસ્તીઓ પર કેટલાક દાયકાથી હુમલાઓ કરી રહ્યા છે. ખ્રિસ્તીઓના બંધારણીય હક્કો માટે કેન્દ્ર સરકારે જવાબદારી સ્વીકારી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ઓરિસ્સાની સરકાર ફરી એક વાર પગલાં લેવા નિષ્ફળ ગઈ છે. આ પ્રકારનું નિવેદન રાજ્ય સરકારને સજા કરવા માટે પૂરતું નથી. કારણ કે સરકાર બંધારણીય રીતે ખ્રિસ્તીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડી છે.

છેલ્લાં પાંચ વર્ષમાં ઓરિસ્સા સરકાર જાગી નથી. વિશ્વ હિન્દુ પરિષદે ખોરાપુર અને અન્ય વિસ્તારોમાં તેનું કાર્યક્ષેત્ર વધાર્યું છે. તેઓએ ઘરોનો નાશ કર્યો છે અને તેને બાળી નાંખ્યા છે. ખ્રિસ્તી નિરાશ્રિતો જંગલમાં આશરો લઈ રહ્યા છે. સરકારી આંકડાઓ અનુસાર ૧૬ વ્યક્તિઓની હત્યા થઈ છે તેમ જ ૫૫૮ મકાનો અને ૧૭ ચર્ચો બાળી નાખવામાં આવ્યાં છે. મુખ્યમંત્રીએ આ મામલે સીબીઆઈ તપાસ કરાવવાની માગણીને નકારી કાઢેલ છે.

ગુજરાતમાં આરએસએસના દબાણ હેઠળ વાજપેયી કોઈ પગલાં લઈ શક્યા નહોતા. મનમોહનસિંહની સરકાર પટનાયક સરકારને શા માટે બરતરફ કરતી નથી. રાજ્યમાં બીજુ જનતાદળને ભાજપે ટેકો આપેલ છે તેથી નવી દિલ્હી તેનાથી ગભરાય છે. લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વિહિપ જેવાં સંગઠનો સામે પગલાં લેવા હિન્દુઓ પર તેની અવળી અસર પડવાની શક્યતાને લીધે કાઁગ્રેસ તેનાથી ડરે છે. આ પ્રકારનો ડર નમાલાપણું બતાવે છે. જો રાજ્ય સરકારને બરતરફ કરવામાં આવે તો બધાને થાય કે, કાઁગ્રેસ કાયદાનું રક્ષણ કરવા માગે છે. આ જ બાબત લઘુમતીઓમાં એવું પ્રસ્થાપિત કરશે કે, કાઁગ્રેસ બિનસાંપ્રદાયિક મૂલ્યોનું જતન કરી રહી છે. આજે તે મુશ્કેલીઓથી ઘેરાઈ ગયેલ છે.

આજે ભારતીય સમાજમાં સહિષ્ણુતા અને સાથે રહેવાની ભાવના પાતળી થતી જાય છે. આ પ્રકારની ભાવના ઊભી કરવા માટે અનેક સદીઓ વીતી ગઈ છે. આ પ્રકારની ભાવના લુપ્ત ન થવી જોઈએ. આ બાબત જ દેશને જોડી રાખે છે. આજે દુર્ભાગ્યની બાબત છે કે, કોઈ પણ રાજકીય પક્ષ આજે ચૂંટણીથી આગળ કશું વિચારતો નથી. દેશમાં આવી જૂની ભાવનાઓને જોડી રાખવા માટે કાર્ય કરનાર એવા બહુ ઓછા વ્યક્તિઓ જોવા મળે છે. રાજકીય પક્ષો જે સમજતા નથી કે, દેશમાં ૧૭- કિલોમીટરે પરિસ્થિતિ બદલાય છે અને વસ્તી વચ્ચેના સંબંધોના તાણાવાણા પણ બદલાય છે. પ્રજા એકસાથે રહે તે દેશ માટે જરૃરી છે. રાજકીય પક્ષોને તો કોઈ પણ રીતે સત્તા મેળવવી છે. ગાંધીજીની ફિલોસોફી અને પવિત્રતા હવે રહી નથી. કેન્દ્ર સરકાર અમેરિકા સાથે છેલ્લા બે વર્ષથી પરમાણુ કરાર મામલા પર ધ્યાન આપી રહી છે. નવી દિલ્હીને અન્ય બાબતો પર ધ્યાન આપવાનો સમય જ નથી.

જો સમાજમાં લોકશાહીના પાયાના મૂલ્યોને બચાવવા હોય તો જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ હોય કે સામાન્ય નાગરિક, તેણે સાચું શું છે અને ખોટું શું છે તે સમજવા જાગૃતિ કેળવવાની જરૃર છે અને તેણે સાચું સમજીને તે મુજબ કાર્ય કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. ઘણાં વર્ષોથી સરકારી કર્મચારીઓ સાચું શું છે અને ખોટું શું છે તેની ભેદરેખા જ ભૂલી ગયા છે. નૈતિકતા અને અનૈતિકતા જેવું કશું રહ્યું નથી. તેઓ માત્ર સંપત્તિ બનાવવામાં પડયા જેનાથી કરવાના કામો જરાય થતાં નથી. મંત્રીઓ પણ ભ્રષ્ટાચાર કરવામાં જરાય પાછળ નથી.

આ પરિસ્થિતિનો ઉકેલ લાવવો હોય તો ઉકેલ લાવનારે આર્િથક સુધારણાથી શરૃ કરી જમીન કબજે લેવા સુધીની પ્રક્રિયાનો વિચાર કરવો પડે. સરકારનો એક માત્ર ઉદ્દેશ્ય હોય છે કે, વિકાસદર ૩ થી ૯ સુધી પહોંચે અને જેથી જે તાકાતવરો છે તે ટકી શકે. જ્યારે ગરીબ અને નબળા વર્ગ માટે કોઈ અવકાશ નથી. સરકાર હજુ પણ એવી થિયરીમાં માની રહી છે કે, જેટલો વધુ વિકાસદર તેટલા વધુ નીચલા સ્તરના લોકો સુધી વિકાસ. આ ખોટી થિયરી કોઈ પણ રીતે ચાલી શકે તેમ નથી.

વિશ્વ બઁક જે સરકારની આર્િથક મામલામાં માર્ગદર્શક છે તેણે તેના તાજેતરના એક વિશ્લેષણમાં જણાવ્યું છે કે, વિશ્વના કુલ ગરીબ લોકોના ત્રીજા ભાગના લોકો ભારતમાં વસે છે. વિશ્વ બઁકે સૌથી વધુ ગરીબ ગણાતા પૂર્વ આફ્રિકાના દેશો કરતાં પણ ભારતમાં વધુ ગરીબો દર્શાવ્યા છે. જેમાં તે ગરીબ દિવસના ૨ ડોલર કરતાં પણ ઓછું કમાય છે. ભારતના સ્વાતંત્ર્યના ૬૧ વર્ષમાં ગરીબોની સ્થિતિમાં જે સુધારા દર છે તે ૧.૨૫ ડોલર પ્રતિદિન છે. પહેલાં તે ૫૯.૩ ટકા હતો તે હવે ૫૧.૩ ટકા પર આવ્યો છે. આનો અર્થ એ થયો કે, આજે પણ દેશમાં આશરે ૫૦ કરોડ લોકો દિવસમાં રૃ. ૪૦ થી ૫૦ કમાય છે. જો ભારત તેના નાગરિકોનું ભલું કરવા ઈચ્છતું હોય તો તેણે રાજ્યના કલ્યાણકારી મૂળ વિચાર પર પાછું ફરવું પડશે. ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા બાદ જવાહરલાલ નહેરુએ રાજ્યના મુખ્યમંત્રીઓને પત્રો લખ્યા હતા. તેમાં જણાવ્યું હતું કે, “સામાન્ય માણસની જરૃરિયાતોને નજીકના ભવિષ્યમાં જ પોષવી એ સરકારની પોલિસી હોવી જોઈએ.”

એ જ રીતે બિનસાંપ્રદાયિકતાને વેગ મળવો જોઈએ અને તે માટે જરૃરી પગલાં લેવા જોઈએ. બિનસાંપ્રદાયિકતાનો અર્થ હિન્દુ, શીખ, મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મ એવો થતો નથી. એનો અર્થ એવો થાય છે કે, જાહેર વહીવટની વાત આવે ત્યારે તેમાં ધર્મ આવવો જોઈએ નહીં. જાહેર હિતને ધ્યાનમાં રાખતા ઘૃણા કરનારાઓને કોઈ ટેકો ન મળવો જોઈએ. લઘુમતીઓ રાષ્ટ્ર માટે વિશ્વાસરૃપ છે. તેઓ કોઈ ઘૃણા કરવા માટેની ચીજ નથી

Wednesday, July 30, 2008

Britain's first sharia-compliant insurance firm launched


Britain's first sharia-compliant insurance firm launched
LONDON (AFP) — Britain's first sharia-compliant insurance company was launched Monday, offering motoring policies in line with the Islamic legal code.
Salaam Halal insurance uses Takaful principles, whereby the risk is spread between all policy holders. In contrast, conventional insurance policies shift the risk from the policy holder to the insurance firm.
People taking out a policy with Salaam Halal pay contributions into a pool, with that money then put into sharia-compliant investments -- avoiding companies that are involved in alcohol or pay interest.
The central pool of funds is used to pay any claims that arise, and at the end of the year, if the pool is over-funded, the excess will be distributed back to policyholders through a discount on their next premium.
The policies are aimed at Britain's 1.6 million Muslims, who constitute 2.7 percent of the total population, according to the 2001 census.
"The launch of Salaam insurance -- the first independent, fully sharia-compliant Takaful operator available in this country -- is a significant step for the growth of Islamic finance in the UK," said Abdulaziz Hamad Aljomaih, the chairman of Salaam insurance.
The group, authorised and regulated by the Financial Services Authority, an independent watchdog, hopes to launch home insurance policies later this year.
Their call centres in Britain can take calls in English, Arabic, Bengali, Gujarati or Urdu.
In 2004, Britain authorised a 100 percent Islamic bank, the Islamic Bank of Britain. And the traditional bank Lloyds TSB last year launched Islamic finance products targeted at businesses, and offered sharia-compliant bank accounts.

VIDEO : ISLAM DENOUNCES TERRORISM




This film, produced by the Science Research Foundation, a Harun Yahya institution, presents the Muslim response to and denunciation of terrorism. Beginning with the event of September 11, the film explains that all kinds of violence against civilians are crimes against humanity and grave sins in religious terms. It is also stressed that terrorism is an inherent feature of secular ideologies like communism, fascism and racism. In contrast, all theistic religions - Islam, Christianity and Judaism - are opposed to terrorism and their ultimate goal is to bring peace and brotherhood to mankind.

Wednesday, June 18, 2008

To learn the non provincial and others languages In islam

To learn the non provincial and others languages Islam
In Islam, the languages are not unrelated and non provincial. All of languages have been created by Almighty Allah. As the Holy Quran States:
And of His signs are the creation of the heavens and the earth, and the difference of your languages and colors.

The different types of languages are spoken in the different provinces and countries. Like Arabic, Persian, Turkey, Hindi, Gujarati etc. It is not only but the style and the method of speaking languages are also different. These all are the signs of Allah Almighty's strength.
(Maariful Quran written by Mufti Shafi Sa. (R.A.)
Part: 6 Page: 46, Chapter: 21)
(Maariful Quran written by Maulana Idris Kandhalvi Sa. (R.A.) Part: 6 Page : 144)

Mufakkir-e-Islam Hazrat Maulana Abul Hasan Nadvi (R.A.) has stated in his own speech that no languages are considered non-provincial and unrelated Islam. All languages are created by Allah. The prejudice against the language is ignorance. No language is able to worship and disgusted. Indeed! If any language is the greatest and has high rank, it is only Arabic. All other languages are generally equal.

The holy prophet (S.A.W.) ordered hazarat Ziad bin Sabit (R.A.) to learn the Hebrew language which was only Jews' language. If we don't care about the languages and its literature, The non-islamic countries will engage his monopoly and than we will have to suffer great loss.
(Khutbat-e- Ali miyan Part: 6 Page: 109)
read more :

Friday, June 06, 2008

Muslim leaders condemn Jaipur bombings

Muslim leaders condemn Jaipur bombings
Submitted by Tarique
Indian Muslim By TwoCircles.net staff reporter,
New Delhi: Standing united against terrorism, Muslim organizations and leaders have strongly condemned the Jaipur bombings and demanded severe punishment to the real culprits of the crime against humanity.

Maulana Syed Mahmood Madani of Jamiat Ulama-i-Hind (JUH) said the serial blasts in the Pink City point out that by destroying secular and democratic forces of the country, the miscreants and terrorist elements want to create the atmosphere of fear and terror and communal tension.

Former JUH president Maulana Arshad Madani demanded the government to get these blasts investigated by CBI, instead of state agencies so that the real hands behind these explosions could be exposed. Secretary General of Jamaat-e-Islami Hind Nusrat Ali demanded the government to get this tragedy investigated without any delay and punish the culprits.

Other prominent persons who condemned Jaipur blasts were Union Minister Prof. Saifuddin Soz, General Secretary of All India Milli Council Dr. Mohammad Manzoor Alam, General Secretary of Markazi Jamiat-e-Ahl-e-Hadees Hind Maulana Asghar Ali Imam Mehdi Salafi and General Secretary of All India Tanzeem Ulama Haq Maulana Mohammad Ejaz Urfi Qasmi.
  • MASSAGE OF QURAN FOR ALL DAUGHTERS AND SONS
  • Thursday, April 03, 2008

    Fitna the Movie: Geert Wilders' film about the Quran

    Fitna the Movie: Geert Wilders' film about the Quran
    ડેન્‍માર્ક ના એક યહૂદી સાંસદે હાલમાં જ ‘ફિત્‍ના‘ નામી ફિલ્‍મ બહાર પાડી છે.
    તેના કહેવા પ્રમાણે કુર્આન આંતકવાદ અને લડાઇની તાલીમ આપી છે,
    ફિલ્‍મ બનાવનારે લડાઇ – જેહાદ વિશે કુર્આનની અમુક આયતો ટાંકીને કુર્આનને આંતકની જનેતા અને મુળ દર્શાવવાનો ભુંડો પ્રયાસ કર્યો છે.
    કુર્આનનો મુળ પયગામ શાંતિ છે, સલામતી છે.
    માનવઅધિકાર અને માનવીય સન્‍માન એનું કેન્‍દ્રબિંદુ છે.
    માનવીને તેના પરવરદિગાર-પાલનહાર, સર્જક અને અન્‍નદાતા એટલે કે અલ્‍લાહ તઆલાથી જોડી એને ખુદાના રસ્‍તે ચલાવવો કુર્આનનો મુખ્‍ય ઉદ્દેશ છે.
    રહી વાત એમાં શત્રુઓને મારવાની,
    તો શત્રુઓને નહિ મારવા અને એમને પાળીને વધુ ખુંખાર બનાવવાની કોણ મુરખ તાલીમ આપે છે ?
    વિશ્વના સઘળા દેશો શા માટે સૈન્‍ય અને શસ્‍ત્ર સંરજામ રાખે છે ?
    આજની તારીખે કોઇ પુછે કે શત્રુઓ સાથે સૌથી વધુ ક્રુર વર્તાવ કોણ કરે છે ? તો જવાબ મળશે યહૂદીઓ !
    કેમ ?

    પેલેસ્‍ટાઇન વાસીઓ તેમની ભુમિ માટે, તેમના અધિકારો માટે આક્રમણકારી, અને ઝમીન પચાવી પાડનાર યહૂદીઓ સામે વિરોધ કરે છે તો એમને અત્‍યંત ક્રુર રીતે રહેંસી નાખવામાં આવે છે.
    તેઓ પેલેસ્‍ટાઇનના મઝલૂમો સાથે જે અમાનવયી વર્તન કરે છે તેનો કોઇ પણ રીતે યોગ્‍ય ન કહી શકાય, એ સરાસર અન્‍યાય અને સિતમ છે.
    તાજુબની વાત એ છે કે આ જ ઈઝરાયેલના યહૂદીઓ આજે મુસલમાનોને આંતકવાદી કહે છે .
    જયારે કે વાસ્‍તવિકતા એ છે કે દુનિયામાં સૌથી વધુ મઝલૂમ કોમ આજે મુસલમાનો છે.

    દિલોમાં કાળાશ ભરીને જીવતા લોકો
    ચોક વચાળે ચીતરીને રંગોળી બેઠા
    આવા જ એક યહૂદીએ ફિત્‍ના નામી ફિલમ બનાવી છે.
    અમને ઘણી જ ખુશી છે કે આજના સંદેશમાં , અર્ધસા૫તાહિક પૂર્તિ માં રાજીવ પટેલ દ્વારા આ હિચકારા અને ભુંડા પ્રયત્‍નનો ઘણી જ સુંદર,હકારાત્‍મક રીતે જવાબ આપવામાં આવ્‍યો છે.
    આજના સુવાસમાં આ લેખ આપની સામે પ્રસ્‍તૃત છે.

    સંદેશ, તા. ૨ – ૪ – ર૦૦૮
    અર્ધ સા૫તાહિક પૂર્ત‍િ

    રાજીવ પટેલ - ‘તાજા કલમ’
    ગીતા - હિંદુસ્તાનનું કુરાન
    કુરાન - અરબસ્તાનની ગીતાહમણાં મોડાસા જવાનું થયું. સાબરકાંઠા જિલ્લાની લઘુમતી શાળાઓનું સંમેલન હતું. લઘુમતી એટલે મુસ્લિમ. મુસ્લિમ શાળાઓમાં શિક્ષણની સુવિધા વધે તો સમગ્ર મુસ્લિમ સમાજની સ્થિતિ સુધરે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થી, વાલી ભાઈ-બહેનો મખદૂમ એજ્યુકેશન સોસાયટીના સંકુલમાં હાજર. કાર્યક્રમ પૂર્વે અમારાથી શિક્ષણ સંકુલના સંચાલકોને પુછાઈ ગયું : ‘મખદૂમ (મખ્દૂમ) એટલે ?’ કેટલાકે કાને હાથ દીધા. કોઈકે કહ્યું મખદૂમ બાબાના નામ પરથી સંસ્થાનું નામ પડયું. બાત કુછ હજમ નહીં હુઈ. ઘરે જઈ ઉર્દૂ સાહિત્ય અકાદમીની ડિક્શનરીમાંથી અર્થ જાણી લેવાનું વિચાર્યું ત્યાં એક ઉત્સાહી જણે એ શોધી કાઢી મખ્દૂમનો અર્થ લખીને લાવ્યા. “સ્વામી, પ્રતિષ્ઠિત વ્યક્તિ, માન્ય, પૂજ્ય, જેની સેવા કરી શકાય. કાર્યક્રમમાં પવિત્ર કુરાનની આયતોનું પઠન થયું. વિધિવત્ શ્રદ્ધાભાવથી અદબ જાળવી. સમજાયું કશું જ નહીં. જો કે પ્રમુખ આફતાબ દુર્રાની અને મંત્રી રહીમભાઈ થકી એનો અર્થ સમજવાનું શક્ય બન્યુ ક્યારેક વેદોનો મંત્રોચ્ચાર થતો હોય તો પણ અર્થ સમજવાનું સામાન્ય માનવી માટે સરળ હોતું નથી, એવું જ કાંઈક પવિત્ર કુરાનની અરબી ભાષામાં પ્રગટતી આયતોનું લાગે છે. વિચારપ્રક્રિયા ચાલતી રહી. સમસ્યા બધાની છે. સંસ્કૃતના શ્લોક કે મંત્રો સમજ્યા વિના જ માત્ર શ્રદ્ધાભાવથી કાને પડતા રહે અને સારું લાગે એવું જ કાંઈક કુરાનની આયતો કાને પડે અને સારું અનુભવાય. સ્થાનિક ભાષામાં એનો તરજૂમો થાય અને રજૂ થાય તો પ્રત્યેક વ્યક્તિને એ સરળતાથી સમજાય. થોડા વખત પહેલાં જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના મુહમ્મદ જમાલ પટીવાલા ‘દિવ્ય કુઆર્ન’નો મૌલાના સૈયદ અબુલઆ’લા મૌહૂદીનો ગુજરાતી અનુવાદ આપવા આવ્યા ત્યારે સાથે ‘પવિત્ર કુઆર્ન સૌના માટે’ નામક શીર્ષકવાળી પુસ્તિકા પણ આપી ગયા હતા. અરબી-ફારસીનો અભ્યાસ નહીં ધરાવતા સામાન્ય ગુજરાતી મુસ્લિમ પરિવારની પ્રત્યેક વ્યક્તિને સરળ ભાષામાં પોતાના ધર્મગ્રંથનો બોધ મળી રહે એ સારું લાગે. બિન-મુસ્લિમોને પણ પવિત્ર કુરાનનો ઉપદેશ શું છે એ સરળ ભાષામાં સમજાય તો ઘણી ગેરસમજો દૂર થાય.
    આચાર્ય વિનોબા લિખિત ‘કુરાનસાર’ પર આછેરી નજર કરનારને પંડિત સુંદરલાલના ‘ગીતા અને કુરાન’ પુસ્તકને માથે ખૂબુલ્લાહ શાહ કલંદરની પંક્તિઓ હૃદયસ્પર્શી લાગ્યા વિના રહે નહીં. એના શબ્દો કાંઈક આવા છે : “સત્ય આ છે કે એક જ બ્રહ્મનાદ સકળ બ્રહ્માંડમાં ગુંજી રહ્યો છે. ગીતા હિંદુસ્તાનનું કુરાન છે અને કુરાન અરબસ્તાનની ગીતા છે.” સમજણના સેતુ રચાય નહીં ત્યાં જ સંઘર્ષ અને ગેરસમજના ટકરાવ સર્જાય છે. પવિત્ર ભગવદ્ગીતાના સંસ્કૃતના શ્લોકોનો ઉપદેશ સરળ કરીને સમજાવાય, ગુજરાતીમાં ઉતારાય તો એને કર્મકાંડની જેમ ગોખીને પાઠ કરવાને બદલે સમજદારીથી એની ફિલસૂફીનો અનુભવ કરાય. ગાંધીજીના સહ કાર્યકર કિશોરલાલ મશરૃવાળાએ તો ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ ગુજરાતીમાં કર્યો અને એ પ્રકાશિત પણ થયો છે. ગીતાના શ્લોકને જે રીતે સંસ્કૃતના ગેય-ઢાળમાં ગાઈ શકીએ એ જ રીતે ગુજરાતીમાં ગાઈને રજૂ કરીએ ત્યારે એ સૌ કોઈને સમજાય છે. સમશ્લોકી ગીતાની જેમ કુરાનનો પણ સમશ્લોકી કે સમઆયતી અનુવાદ ગુજરાતીમાં થયો છે કે કેમ એની અમે પૃચ્છા કરવા માંડી. મોટા ભાગનાએ નન્નો ભણ્યો. પવિત્ર કુઆર્નની ગુજરાતી ભાષામાં સમજણ આપવાનો ઉપક્રમ જમાઅતે ઇસ્લામી હિંદ થકી હાથ ધરાયો છે. એ આવકાર્ય જ નહીં, એની ભાષા પણ સરળ ગુજરાતી છે. પ્રત્યેક ગુજરાતીને એ સરળતાથી સમજાય એવી છે. ગોધરાના દારુલ કલૂમ જામિઅહ રહાનિય્યહ અરબિય્યહ ઇસ્લામિય્યહના ઇકબાલ હુસૈન બોકડાએ ‘ભારતીય મુસલમાન : એક ઐતિહાસિક અભ્યાસ’ના મૂળ લેખક હઝરત મૌલાના અબુલ હસન અલીમિયાં નદવી (રહ.)નો સુંદર અનુવાદ ગુજરાતીમાં આપ્યો છે. ઇકબાલ હુસૈનને અમે કુઆર્નના સમશ્લોકી ગુજરાતી અનુવાદની પૃચ્છા કરી. એ કહે : ‘ગુજરાતી ભાષામાં પવિત્ર કુરાનના અનુવાદ થયા છે, પણ સમશ્લોકી ગુજરાતી અનુવાદ થયાનું જાણમાં નથી.’ મુસ્લિમ વિદ્વાનોની બેઠકમાં આ વિચાર મૂકવાની એમણે ઉત્સાહભેર તૈયારી દર્શાવી. કામ ખાસ્સું વિકટ હોવા છતાં રાજ્યના લાખ્ખો ગુજરાતી મુસ્લિમો ઉપરાંત બિનમુસ્લિમ ગુજરાતીઓને માટે કુરાનને સમજવા માટેનો એ સારો માર્ગ છે.
    ફરી વિનોબાનું સ્મરણ થવું સહજ છે. એમના શબ્દો ‘કુરાનસાર’ના પુનર્મુદ્રણ વખતે ટાંકવામાં આવ્યા છે : “લોકોનાં દિલ નથી બગડયાં, દિમાગમાં થોડી ખરાબી આવી છે. એકમેકના ધર્મગ્રંથો વાંચવાથી, એકબીજાના ધર્મનો સાર જાણવાથી દિમાગ સુધરશે. ‘કુરાનસાર’ હિંદુઓ પાસે પહોંચવું જોઈએ અને ‘ગીતા પ્રવચનો’ મુસ્લિમો પાસે. એનાથી દિલ સંધાશે.” કોમી રમખાણો વિશે ચિંતિત સમાજના લોકો માટે વિનોબાએ નક્કર જડીબુટ્ટી સૂચવી છે. હિંદુ હોય કે મુસ્લિમ, ખ્રિસ્તી હોય કે શીખ, બૌદ્ધ હોય કે જૈન, વિનોબાએ ડંકાની ચોટ પર કહ્યું છે કે, ઝઘડો બે ધર્મો વચ્ચે નથી થતો, ઝઘડો બે અધર્મો વચ્ચે જ થાય છે અને એટલે જ વિનોબા કહે છે : “ગર્વથી કહું છું, હું હિંદુ છું, મુસલમાન છું, ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ, જૈન છું.” મુંબઈના ડો. ઝાકીર નાઈક થકી ઇસ્લામ અને હિંદુત્વના ધર્મગ્રંથોનો તુલનાત્મક અભ્યાસ રજૂ થતો સાંભળીને હરખ થાય છે.
    પંડિત સુખલાલજી લિખિત ‘ગીતા અને કુરાન’ના ગોકુળભાઈ ભટ્ટે કરેલા અનુવાદમાં ‘દુનિયાના સર્વધર્મો એક છે’ એ દર્શાવવાનો પ્રયાસ કરતાં ગીતા અને કુરાનનો તુલનાત્મક અભ્યાસ પણ રજૂ કરાયો છે.
    જે રીતે ગીતામાં અર્જુનનું હૃદય પોતાના સંબંધીઓને યુદ્ધમાં ઊભેલા જોઈને દ્રવી ગયું હતું અને અર્જુને એક વાર લડવાની ના પાડી હતી એ જ પ્રમાણે કુરાનમાં લડાઈની સંમતિ મળી ગયા પછી પણ કેટલાક મુસલમાનો લડાઈથી અલગ રહેવા ઇચ્છતા હતા. ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ દીધો હતો : “તારા હૃદયની આ દુર્બળતા છોડીને ઊભો થા તથા યુદ્ધ કર. આ દુર્બળતા તને શોભતી નથી.” (૨-૩). ઉપર પ્રમાણે જ કુરાનમાં મુસલમાનોની કમજોરી તથા સંકોચને જોઈને આદેશ આપવામાં આવ્યો હતો. જેમ શ્રીકૃષ્ણે અર્જુનને સમજાવ્યા હતા : ‘જો તું લડાઈમાં માર્યો જઈશ તો સ્વર્ગને પામશે ને જો તું યુદ્ધ જીતશે તો પૃથ્વીનું રાજ ભોગવશે.’ (૨-૩૭). તે જ પ્રમાણે મુસલમાનોને કુરાનમાં કહેવામાં આવ્યું : “જે ઈશ્વરને રસ્તે લડતાં લડતાં મરી જાય તે જીતે, તેને અલ્લાહ બહુ મોટો બદલો આપશે.” (નેસાય, ૭૪). ગીતામાં ધર્મ અને ન્યાય માટે લડાઈને ‘ધર્મયુદ્ધ’ કહેવામાં આવ્યું છે. કુરાનમાં ધર્મરક્ષણાર્થે અને ન્યાય માટેના યુદ્ધને ‘કે’તાલ ફી સબીલલ્લાહ’ અથવા ‘અલ્લાહને રસ્તે લડવું’ એમ કહેવાયું છે.
    ગીતામાં પોતાની ઇન્દ્રિયોને વશ કરવા માટે ઠેરઠેર ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. ગીતા કહે છે : ‘તેની મતિ શુદ્ધ અથવા સ્થિર રહી શકે છે જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવ્યો છે.’ (૨, ૬૧). કુરાનમાં કહેવાયું છે : ‘અલ્લાહ ઇચ્છે છે કે, તમારા ઉપર દયા કરે, પરંતુ જેઓ વાસનાઓની પાછળ પડયા છે તેઓ ઇચ્છે છે કે, તમે પ્રભુમાર્ગથી ઊલટે રસ્તે ભમતા થાઓ.’ (નસાય-૨૭).
    ‘જે વાસનામાં રચ્યોપચ્યો રહેતો હોય તેના કરતાં વધારે ભૂલેલો ભટકેલો માણસ બીજો કોણ હોઈ શકે ?’ (કેસસ-૫૦)
    ગીતામાં લખવામાં આવ્યું છે કે :
    ‘નરકનાં ત્રણ દ્વાર છે- કામ, ક્રોધ અને લોભ. આ ત્રણેથી બચવું જોઈએ. આ ત્રણે આત્માનો નાશ કરનારા છે.’ (૧૬-૨૧). કુરાનમાં ઇચ્છા અથવા વાસના માટે કેટલેક ઠેકાણે ‘હવા’ શબ્દ વપરાયો છે અને તેથી બચવાનું વારંવાર કહેવાયું છે. કુરાનમાં ‘હાવિયા’ એ એક નરકનું નામ છે (અલકારિયા-૯). ‘આ તે માણસોનું ઠેકાણું જણાય છે જેનું ભલાઈનું પલ્લું હલકું અને બૂરાઈનું ભારે હોય છે.’ (અલકારિયા).
    પવિત્ર ગીતા અને પવિત્ર કુરાનનો તુલનાત્મક અભ્યાસ કરનારને બંને ધર્મગ્રંથોમાં ઘણું બધું સામ્ય વર્તાશે. વિરોધાભાસો તો માત્ર અણસમજને પ્રતાપે કે પછી રાજકીય લાભ ખાટવાના બદઇરાદાથી પ્રેરાઈને પેદા કરવામાં આવે છે. એટલે જ સમજદારીના સેતુ મજબૂત કરવાની અનિવાર્યતા છે

    Sunday, February 24, 2008

    આદિવાસી બાળા પર બળાત્‍કાર અને મોદીની નો કોમેન્‍ટ

    તા. ર૩ ફેબ્રુઆરી ર૦૦૮ ના ગુજરાત સમાચારમાં તંત્રીપેજ પર આવકાર્ય તંત્રીલેખ ઉપરાંત યાસીન દલાલનો એક મનનીય લેખ પણ છે, અમે તેના એક બે અંશ અત્રે રજૂ કરીએ છીએ.
    યાસીન દલાલ લખે છે

    આ પ્રકરણ ( પાટણની ઘટના - વિધાર્થીની ઉપર શિક્ષકોનો અનેકવારનો બળાત્‍કાર) ની વધુ એક શરમજનક આબાત એ છે કે પકડાયેલાઓમાંથી મોટા ભાગના ગાંધીનગરના પ્રધાનોના નિકટના સ્‍વજનો છે. એક આરોપી શિક્ષણમંત્રી આનંદી બેન પટેલનો માનીતો છે. અને બે આરોપી શિક્ષણ મંત્રીના સ્‍વજનો છે.... એવો આરોપ થાય છે કે ગાંધીનગરથી આરોપીઓને છાવરવાના પ્રયાસો થાય છે.
    રાજકોટમાં મુખ્‍યમંત્રીને આ સવાય પૂછાયો ત્‍યારે એમણે નો કોમેન્‍ટ કહીને જવાબ ટાળ્યો હતો.
    http://www.gujaratsamachar.com/gsa/20080223/guj/supplement/vichar.html
    પ્રશ્ન એ છે કે આવું કેમ ? પાંચ કરોડ ગુજરાતીઓની વાત કરનારા મુખ્‍યમંત્રી કોનાથી બીએ છે ?
    અથવા મૂક સંમંતિ આપી રહ્યા છે ?
    શા માટે ચૂપ છે ?
    કદાચ એટલા માટે કે પિડિત વિધાર્થીની આદિવાસી છે, પછાત છે, ઉચ્‍ચવણર્ની નથી, અને શિક્ષકો ......વર્ગના છે.
    કે પછી એટલા માટે કે શિક્ષકો રાજકીય પીઠબળ ધરાવે છે. જે તરફ યાસીન દલાલે નિર્દેષ કર્યો છે.

    ત્રાસવાદ અને ઇસ્‍લામ

    તા. ર૩ ફેબ્રુઆરીના રોજ ગુજરાતસમાચારમાં છપાયેલ તંત્રી લેખ આજે પ્રસ્‍તુત છે.

    આ સાથે એટલું યાદ રાખવા વિનંતી કે નિર્દોષોને મારવું બિન ઈસ્‍લામી હોવાનું મુસલમાનો પહેલેથી જ કહેતા રહયા છે. દારૂલ ઉલૂમ દેવબંદ, અને અન્‍ય સંસ્‍થાઓ વારંવાર કહી ચૂકી છે, પણ આપણા પીળા પત્રકારત્‍વને લાગણીઓ ભડકાવાવમાંથી જ ફુરસદ નથી. જે એની નોંધ લે. મોડે મોડે પણ આજે નોંધ લીધી એ બદલ આભાર... દેર આયદ દુરૂસ્‍ત આયદ... જાગ્‍યા ત્‍યાથી સવાર...
    હવેથી પેલા નેટવર્ક વાળા ‘શાહ‘ ભાંગફોડિયા પ્રવર્તિઓને ઈસ્‍લામી જિહાદ નામ નહી આપે. એવી આશા...
    આસામ, ઓરિસ્‍સા, નાગાલેન્‍ડ, આંધ્ર પ્રદેશ અને અન્‍ય રાજયોમાં ફેલાયેલ નકસલ આંતકને તો ત્રાસવાદ કહેતા પણ ખચકાટ છે ! ભલેને હિંદુ ત્રાસવાદ ન કહો, ત્રાસવાદ તો કહો.

    Sunday, September 09, 2007

    ઈજિપ્‍તના રાજાઓ

    અગાઉની પોસ્‍ટમાં ગુજરાત સમાચારની કોલમ નેટવર્કના જુઠાણા વિશે વાત લખી હતી,
    અમે નીચે એક લિંક આપીએ છીએ જેમાં ઈજિપ્‍તના રાજાઓની યાદી સત્તાકાળ સહિત દર્શાવવામાં આવી છે. એમાં કોઇ રાજા નેટવર્કમાં જણાવવા પ્રમાણે નામ ઠામ ધરાવતો નથી.
    આશા છે વાંચકો સત્‍યથી વાકેફ થશે
    અને યોગ્‍ય પ્રતિભાવ આપશે.
    http://www.touregypt.net/kings.htm

    Thursday, September 06, 2007

    ગુજરાત સમાચાર- નેટવર્ક નું જુઠાણું . . .

    ગુજરાત સમાચારની નેટવર્ક કોલમ એના લેખકની ધારદાર કલમને કાણે જાણીતી છે, હમણા જ એમાં ક્ષત્રિયોની ગાથા ગાવામાં આવી હતી, તા. ૪ સપ્‍ટેમ્‍બરના રોજ લેખાંક બીજો છપાયો છે, પણ માણસ બડાઇ હાંકવામાં સત્‍યનો ખુરદો બોલાવી દે છે, કલમ લપસી જાય છે, જુઠ અને સત્‍યનો ભેદ ઉડી જાય છે,
    અમે લેખને અત્રે બોકસમાં આપ્‍યો છે, એના છેલ્‍લા બે ફકરામાં પાયા વગરની બે બુનિયાદ વાતો લખવામાંઆવી છે,




    તેમના કહેવા પ્રમાણે ઈજિપ્‍તમાં વિ.સ. ૬ર૮ થી ૬૮૩ સુધી યદુવંશી રાજા દેવેન્‍દ્રનું રાજ હતું,
    આ સમયે નબી મુહંમદ જુલમથી ઈસ્‍લામનો ફેલાવો કરતા હતા,
    દેવેન્‍દ્રના મોટા પુત્ર અસપતે નબી અહમદ સાથે સંધિ કરી
    નબીએ બહેન ફરીદાબાનુના લગન અસપત સાથે કરાવ્‍યા.
    એટલે અસપતે ઈસ્‍લામ અંગીકાર કર્યો.
    દેવેન્‍દ્રના બીજા ત્રણ પુત્રો વેરાવળ આવી ગયા.
    અત્રે ઇજિપ્‍તના ઇતિહાસની ચર્ચા ન કરીએ કે કયારે ત્‍યાં કોણ રાજ કરતું હતું , સમય મળ્યે એ શોધીશું
    પણ ફકત રાજા દેવેન્‍દ્રના રાજની સંવંત જોઇએ,
    ૬ર૮ થી ૬૮૩ ,
    ત્‍યાર પછી અસપત આવ્‍યો.
    અને મુહંમદ પયગંબર સાહેબનું અવસાન થયું છે વિ.સં ૬૮૪ લગભગ.
    હવે સવાલ એ છે કે અવસાન પછી નબી સાહેબ તેમની બહેનના લગન અસપત સાથે કેવી રીતે કરાવ્‍યા ?
    ઈતિહાસમાં આજ સુધી કોઇએ આ વાત કહી નથી, અને કહેવાય પણ કેવી રીતે ?
    મુહંમદ પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમને કોઇ ભાઇ કે બહેન હતાં જ નહીં
    અને ‘ ફરીદા ‘ નામ સ્‍ત્રીનું તે સમયના અરબસ્‍તાનનના ઇ‍તિહાસમાં છે જ નહી, આ નામ તે સમયે પ્રચલિત હતું જ નહી,
    અનેક જુઠાણા ભરી આ વાત સામે અમે વિરોધ નોંધાવી અનુરોધ કરીએ છીએ કે આવા જુઠાણા પછા લેવામાં આવે. અને તંત્રી શ્રી એ આવા લેખોને ચકાસીને છાપવા જોઇએ.

    શું હિંદુત્‍વનો ભવ્‍ય ઈતિહાસ જુઠાણા પર આધારિત છે ?

    શું હિંદુત્‍વને ભવ્‍ય ચીતરવા માટે મુસલમાનો કે ઇસ્‍લામને ભુંડો ચીતરવો આવશ્‍યક છે ?

    શીદને આ જુઠાણાનો પાપ માથે લેવામાં આવે છે ?

    Tuesday, August 21, 2007

    પ્રાણીઓની બલિ

    માંસાહાર અને પશુબલિના નામે વારેઘડીએ મુસલમાનો પર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. માનવી માટે શું યોગ્‍ય અને શું અયોગ્‍ય, એ ચર્ચા અત્રે કરવી નથી, ફકત એક સમાચાર પુરાવા રૂપે અત્રે મૂકીએ છીએ.



    ધર્મ ઔર હમ...http://divyabhaskar.co.in/ તા. ર૧ ઓગસ્‍ટ, ર૦૦૭




    ગુવાહાટીના કામખ્યા મંદિરમાં ચાલી રહેલા ત્રીદિવસીય તહેવાર દેવધાની માટે એક ભકત પોતાના ખભા પર બલી ચડાવાયેલી બકરીઓ લઇને જઇ રહ્યો છે. દેવધાની તહેવારમાં માતાજીના ભકતો બકરી કબૂતર જેવા પશુ-પક્ષીઓની બલી ચઢાવે છે અને થોડા શ્રઘ્ધાળુઓ તો કબૂતરનું લોહી પીવે પણ છે.

    Wednesday, August 15, 2007

    આઝાદી


    Wednesday, August 08, 2007

    ગુજરાતી ભાષામાં કુરઆનના ૮૦૦ શબ્‍દો

    બરોડાના જનાબ મોહમંદ યાસીન એ શેખ. દ્વારા એક પુસ્તિકા બહાર પાડવામાં આવી છે, નામ છે ( ગુજરાતી ભાષામાં એકરૂપ થયેલા અરબી શબ્‍દો, કુરઆન શરીફના આધારે ) સંપાદક યાસીન ભાઇએ એમાં લગભગ ૮૦૦ એવા શબ્‍દો આપ્‍યા છે, જે અરબીના છે, એટલું જ નહી, બલકે પવિત્ર કુરઆન શરીફમાં પણ ઉપયોગાયા છે, અને ગુજરાતીમાં પણ વપરાય છે.
    એમ તો ગુજરાતીમાં વપરાતા શબ્‍દો એનાથી પણ ઘણા વધારે છે, પણ યાસીન ભાઇએ ફકત અરબીના હોવા સાથે કુરઆનમાં વપરાયા હોય એવા શબ્‍દો જ આ પુસ્તિકામાં ભેગા કર્યા છે. પુસ્તિકાની આ બીજી આવૃતિ છે, અને એના આરંભે જે નિવેદન છે, એને અત્રે પ્રસ્‍તૃત કરીએ છીએ,
    ફ‍રી કોઇ વાર યોગ્‍ય સમયે એ શબ્‍દોને પણ સુવાસ પર પ્રગટ કરીશું, ઇન્‍શાઅલ્‍લાહ


    આજની ગુજરાતી ભાષા વિશે એટલું તો સ્‍‍વીકારવું વ રહ્યું કે તેમાં એનેક ભાષાઓના સારા સારા શબ્‍દો ખુલ્‍લા દિલે સમાવી લેવામાં આવ્‍યા છે,

    યે હી તો ઇસકી ખૂબસૂરતી કા રાઝ હે

    આઝાદી પૂર્વે ભારતમાં લગભગ ૧પ૦ વરસ અંગ્રેજોનું શાસન રહ્યું, જે દરમ્‍યાન અંગ્રેજી ભાષાના પ્રભુત્‍વને કારણે ગુજરાતી ભાષામાં સેંકડો અંગ્રેજી શબ્‍દો હવે કદાચ કાયમનું સ્‍થાન જમાવી ચૂકયા છે, દા.ત. પ્રોફેસર, ડોકટર, નર્સ, કંપાઉન્‍ડર, હોસ્પ્‍િાટલ, સ્‍ટેશન, પ્‍લેટફોર્મ, ટ્રેન, ટીકીટ, બસ, મોટર, કંડકટર, ટેક્ષી, પોસ્‍ટઓફિસ, મનીઓર્ડર, પોસ્‍ટકાર્ડ, પાસપોર્ટ, લાયસન્‍સ, એરોડ્રામ, પેન, પેન્સિલ, પેપર, નોટબુક, રબર, ઇન્‍સ્‍પેકટર, પોલીસ, સ્‍કૂલ, યુનિફોર્મ, મેચ, બોલ, બેટ, અમ્‍પાયર, વન ડે, સિનેમા, ટાઉનહોલ, શર્ટ, પેન્‍ટ, સુટ, ડાઇનીંગ ટેબલ, પાર્ટી, રેડીયો, ટી.વી, કેલ્‍કયુલેટર, કોમ્‍પ્‍યુટર, ટેલીફોન, ફેકસ. વગેરે.

    અંગ્રેજો પહેલાં ગુજરાતમાં ઇ.સ. ૧ર૯૭ થી લગભગ ૬૦૦ વરસ મુસ્લિમ શાસન રહ્યું, જે દરમ્‍યાન ફારસી ભાષા દરબારી એટલે કે રાજભાષા રહી, તે પહેલાં ઇ.સ. ૭૧૬ માં પારસી લોકો ગુજરાતને કિનારે આવીને વસ્‍યા, જેમની માતૃભાષા ફારસી હતી, આ બધા કારણે ગુજરાતી ભાષામાં અનેક ફારસી શબ્‍દો પણ સ્‍વીકૃતી પામી ચૂકયા છે, દા.ત. આબોહવા, ગરમ, નરમ, રૂમાલ, રૂબરૂ, ખૂબસૂરત, બેવફા, બેખબર, બેમિસાલ, બેવકૂફ, બદી, બાગ-બગીચા, ઝમીનદાર, ઇમાનદાર, ફોજદાર, હવાલદાર, બારીક, બીમાર, હરકત, દરકાર, દરવાઝા, ગુમાન, દુશ્‍મન, અફસોસ, આફત, ફરીયાદ, ફાનસ, પુરશિસ, અંદાઝ, હાલત, ઇનામ, જવાબ, સફેદ, શહેર, વિ. વિ. આવી જ રીતે તે ,પહેલાં ગુજરાતી ભાષા પર અરબી ભાષાનો પણ ઘેરો પ્રભાવ પડેલો જણાય છે.
    વડોદરા યુનિવર્સિટીના વિદ્વાન પ્રોફસર મર્હૂમ ડો. એમ.અે. કુરેશી સાહેબે એમના સંશોધનપૂર્ણ પુસ્‍તક Muslim Education and Learning in Gujarat માં જણાવ્‍યું છે કે ઇસ્‍વીસનના પ્રારંભના સૈકાઓમાં મુખ્‍યતવે આરબ લોકોએ જ ભારત અને યુરોપના દેશો સાથે દરિયાઇ સંબંધો જાળવી રાખ્‍યા હતા, અને સૂકો મેવો ગરમ મસાલા, કિંમતી પથ્‍થરો અને હાથી દાંત, વિગેરનો મોટો વેપાર સ્‍થાપ્‍યો હતો,
    ઇસ્‍લામ ધર્મના ઉદય પહેલાં પણ અારબ નાવિકો ગુજરાતના કિનારાઓ પર લંગર નાખતા, ખંભાત એ જમાનામાં ભારતનું સૌથી મોટું બંદર અને પ્રવેશદ્વાર ગણાતું, અને ઘોઘા, ગંધાર, ભરૂચ, ભાડભૂત, સંજાણ, થાણા, દીવ, વિગેરે પણ અગત્‍યના નાના મોટા બંદરો હતા.
    ઇ.સ. ૬૧૦માં અરબસ્‍તાનમાં ઇસ્‍લામના ઉદય થયા બાદ પણ મુસ્લિમ આરબોએ તેમના બિનમુસ્લિમ પૂર્વજો માફક ભારત સાથે વેપારી સંબંધો ચાલુ જ રાખ્‍યા, જેથી બન્‍ને દેશના લોકો એક બીજાની સંસ્‍કૃતી અને સંસ્‍કારથી ખૂબ પરિચિત થયા, એટલું જ નહી, પરંતુ ઘણા અગત્‍યના બંદરો જેવા કે ખંભાત, ભરૂચ, સજાણ, ચેમ્‍બૂર, અને મલ્‍બારના દરિયા કિનારે અને ગુજરાતના પાટણ, અમદાવાદ, વડોદરા જેવા અન્‍ય શહેરોમાં આરબોએ કાયમી વસવાટ કરવા પોતાની વસાહતો (Colonies ) ઉભી કરી હતી, આરબોની માતૃભાષા અરબી હતી, જેની આ લાંબા સહવાસને કારણે ગુજરાતના લોકો પર ખૂબ અસર પડી.
    ત્‍યાર બાદ સૂફી સંતોના આગમન તેમજ મુસ્લિમ શાસન સાથે કુરઆન શરીફને પઢનારા સમજનારા અને સમજાવનારાના વધતા જતા વ્‍યાપને લીધે અરબીભાષાનો ગુજરાતી ભાષા પર ઘેરો પ્રભાવ પડયો.
    આ સંદર્ભમાં એક સત્‍ય હકીકત સદા ધ્‍યાનમાં રાખવા જેવી છે કે કુરઆન મજીદ આજથી લગભગ ૧૪૦૦ વરસ પહેલાં નાઝિલ થયેલું આકાશી પુસ્‍તક છે, જેમાં આજ સુધી એક ટપકાં જેટલો પણ ફેરફાર થયો નથી, આ પુસ્તિકામાં આવરી લેવાયેલ તમામ શબ્‍દો તેથી ૧૪૦૦ વરસ પહેલાંના તો છે જ.
    આ પુસ્તિકા માટે કુરઆન શરીફના માત્ર તે જ શબ્‍દો પસંદ કર્યા છે, જે લગભગ તેમના મૂળ સ્‍વરૂપે અથવા સાધારણ ફેરફાર સાથે ગુજરાતી ભાષામાં વપરાય છે, થોડાક શબ્‍દો નજર બહાર રહી ગયા હોવાની શકયતા છે.

    Tuesday, July 10, 2007

    પાકિસ્‍તાનની લાલ મસ્જિદ અને મદરેસો

    પાકિસ્‍તાનની લાલ મસ્જિદ અને તેનાથી સંલગ્‍ન મદરેસો આજકાલ ચર્ચામાં છે, અમે પણ સમાચારો પર છ માસથી નજર રાખી રહ્યા છીએ,
    ‍વૈશ્વિક મીડીયા આ બાબતને કટ્ટર ઇસ્‍લામ અને મદરેસાઓના કટ્ટરપંથી વલણ અથવા ત્રાસવાદના અડ્ડા હોવાનો પુરાવા રૂપે જુવે છે, તે સ્‍પષ્‍ટ છે, પણ સમાચારો ઉપર ઊંડી અને લાંબી નજર રાખનારાઓ સામે પરિસ્થિ‍તિ સ્‍પષ્‍ટ છે.
    યાદ રાખજો કે આ મદરેસો અને લાલ મસ્જિદ પાકિસ્‍તાનના કેપીટલ ઇસ્‍લામાબાદમાં છે.
    જરા આરંભથી જોઇએ તો લગભગ છ માસ પહેલાંથી આ મદરેસાએ તેની ગતિવિધિઓ આરંભી હતી, મદરેસાના વિધાર્થીઓએ પોલીસ કે સેના કે અમુક પાશ્ચાતશિક્ષણ સ્‍કૂલોના ટીચરોને બંદી બનાવ્‍યા શરૂ કર્યા, મદરેસાની વિધાર્થીનીઓ દ્વારા એક લાયબ્રેરી પર કબ્‍જો કરવામાં આવ્‍યો, કુટણખાનુ ચલાવતી એક મહિલાને બાન પકડવામાં આવી, વગેરે..
    સરકારે કોઇ પગલાં ન લીધાં, કહો કે આમ જાણી બુજીને થવા દીધું, વાત આગળ ચાલી અને મદરેસાવાળાઓએ જાહેર રીતે સરકાર અને તંત્રને ધમકીઓ અને ચેતવણી આપવાની શરૂ કરી, અમે ઇસ્‍લામી સત્તા સ્‍થાપીશુ, આ ગેર ઇસ્‍લામી અમેરિકા વિરોધી સરકારને ઉઠલાવી દેશું ! ! ! વગેરે....
    આ દરરિમયાન પાકિસ્‍તાનના સઘળા મદરેસાઓના સંયુકત પ્‍લેટફોર્મ રૂપે કામ કરતી છ યુનિયનોએ એ સંયકુત રીતે દ્વારા આ મદરેસાના સંચાલકોથી મુલાકાત કરી એમને સમજાવ્યા કે તમારી આ રીત બરાબર નથી, ઇસ્‍લામની ‍હિમાયત અને સરકારના વિરોધની આ રીત આત્‍મઘાતી છે, પરંતુ આ સંચાલકો માન્‍યા નહી, તેમને તેમની વાત રજૂ કરવાની તક આપવામાં આવી, આ સંચાલકોના ઉસ્‍તાદો અને ગુરૂઓ સ્‍વંય તેમને સમજાવ્‍યા, તેમની એક એક વાત અને દલીલનો જવાબ આપી તેમની પ્રણાલીને ખોટી બતાવી છતાં તેઓ માન્‍યા નહી, બલકે ઉલટાનું આ યુનિયન અને તેમને સમજાવનારા દરેક ઉલેમા અને મોલવીઓને ભાંડયા, આખા પાકિસ્‍તાનના મદરેસાઓને પત્રો લખ્‍યા કે તમે સરકાર વિરુદ્ધ લડવા ઇસ્‍લામાબાદ અમારી પાસે આવી જાઓ વગેરે... અંતે તેઓએ પોતે જ આ યુનિયનથી અલગ થવાનું એલાન કર્યું, ઉલેમાઓ અને ‘વિફાક‘ના યુનિયન દ્વારા લાયબ્રેરીનો કબ્‍જો છોડવાનું કહેવામાં આવ્‍યું, તેમના મહત્‍વનો પ્રશ્નો એટલે કે કરાચી અને દેશની અન્‍ય મસ્જિદો તોડવાના સરકારી ‍આદેશને પાછો લેવડાવવામાં આવ્‍યો, ઉલેમાઓ આધારિત એક કમીટી ધાર્મિક બાબતોના મંત્રાલય દ્વારા ગઠન કરવામાં આવી, વગેરે.. પણ તેઓ માન્‍યા નહિ, અને તેમના અતાર્કિક મંતવ્‍ય પર અડી રહ્યા..
    અંતે આ યુનિયન દ્વારા મદરેસાને જ તેમની સંસ્‍થાથી છુટો કરી દીધો, એટલે કે પાકિસ્‍તાનના સઘળા મદરેસાઓ અને તેના સંચાલકોએ લાલ મસ્જિદ, મદરેસા અને તેના સંચાલકોનો વિરોધ કર્યો,
    બીજા શબ્‍દોમાં કહીએ તો એમણે મદરેસાની આ રીતને બિનઇસ્‍લામી ગણાવી.
    જુઓ આ માટે યુનિયનનું નિવેદન (ઉર્દૂમાં)
    http://www.deeneislam.com/ur/main.php?CID=92
    (મદરેસાઓનું આ યુનિયન પાકિસ્‍તાન ખાતે અત્‍યંત મજબૂત ગણાય છે, આ યુનિયનના મદરેસાઓ સરકારથી સ્‍વતંત્ર છે, સરકારી પગાર કે સહાય લેતા નથી, લોકોના ફંડફાળા પર ચાલે છે, તેના દ્વારા આખા પાકિસ્‍તાનમાં સરકારની જેમ મદરેસાઓની બોર્ડ આધારિત પરીક્ષા લેવાય છે, પરિણામો દૈનિક પેપરોમાં પ્રકાશિત કરાય છે, અને પરિણામો આધારિત મદરેસામાં વિધાર્થીઓ તાલીમ લેવા આવે છે, તો એ જ આધારે લોકોનો ફંડફાળો તેમને મળે છે, તેના વિવિધ શૈક્ષણિક અને વ્‍યવસ્‍થાકીય નિયમો છે, તેના આધારે જ કોઇ પણ મદરેસાને તેનું પ્રમાણપત્ર મળે છે અને યુનિયનમાં શામેલ કરવામાં આવે છે.)
    લાલ મસ્જિદ અને તેનાથી સંલગ્‍ન મદરેસાના સંચાલકોએ એમની કાર્યવાહી ચાલુ રાખી, ઉશ્‍કેરણીજનક પ્રવચનો, સરકારવિરુદ્ધ પ્રવૃતિઓ છતાં એમને કંઇ કરવામાં –કહેવામાં આવ્‍યું નહી, જયારે તેઓ લાઠીઓથી પ્રદર્શન કરતા હતા ત્‍યારે એમને કંઇ કહેવામા આવ્‍યું નહી,
    આજના બી.બી.સીના એક રેડિયો પ્રોગામમાં એક પત્રકારે સાચું જ કહયું કે
    ‘‘ એક મસ્જિદમાં પાંચ સમયે નમાઝ થાય છે, દરેક માણસને ત્‍યાં આવવા જવાની ખુલી છુટ છે, ફોન થાય છે, સંપર્કો કરવામાં આવે છે, મસ્જિદ અને તેનાથી સંલગ્‍ન મદરેસામાં સરકાર વિરોધી ઉશ્‍કેરણીજનક ભાષણો થાય છે, અને ઈન્‍ટલીજન્‍સ એજન્‍સીઓ સુચના મેળવવામાં કે પરિસ્થિતિનો તાગ મેળવવામાં નિષ્‍ફળ જાય એ લોકોના મનમાં શંકા ઉપજાવનારી બાબત છે. ‘‘
    આ જ ઇનટરવ્‍યુમાં જયારે પ્રશ્ન પૂછવામાં આવ્‍યો કે,
    ‘‘ હવે લોકો તેમની અવલાદને મદરેસાઓમાં મોકલતા પહેલાં વિચાર કરશે ‘‘
    તો એક પત્રકારનો જવાબ હતો,
    ‘‘એક ‍મંતવ્‍ય તો આ જ છે, પણ બીજી રીતે જોઇએ તો સ્‍પષ્‍ટ થાય છે કે આખા પાકિસ્‍તાનના દરેક મદરેસાએ લાલ મસ્જિદની ચળવળની તરફેણ ન કરતાં ઉલટાનો વિરોધ કર્યો, જે બતાવે છે કે મદરેસાઓ વિશે એમ કહેવું કે મદરેસાઓ થકી ધર્મ અને સત્‍તા ભેગી કરી સરકાર પર કે દેશ પર કબ્‍જો મેળવવાના પ્રયત્‍ન કરવામાં આવે છે તે ખોટું છે, ‘‘

    હવે અમારી વાત .....
    છેલ્‍લા બે વરસથી લગભગ જનરલ પરવેઝ મુશર્રફની પરિસ્થિ‍તિ પાકિસ્‍તાનમાં અને મુશર્રફના સત્તાસમર્થક અમેરિકાની નજરમાં કમઝોર પડી રહી છે, સત્તાનું લોહી ચાખી ગયેલા આ વરૂને આવી પરિસ્થિતિમાં એવું કંઇક કરી બતાવવું જરૂરી હતું કે અમેરિકાને ભાન થાય કે મારા જાતભાઇયોને મારવા તમને હજુ મારી જરૂરત છે, એટલે મુશરર્ફ સાહેબ કોઇ બહાનાની શોધમાં હતા, પાકિસ્‍તાન અને અફઘાનિસ્‍તાનની સરહદે કબાઇલીયો અને વિદેશી જેહાદીઓ વિરુદ્ધ ઓપરેશન અને અન્‍ય બાબતો આ સિલસિલાની કડી છે, એમરિકાએ જયાં લાલ આંખ બતાવી છે, એ કાશ્‍મીર બાબતે તેઓ અને તેમની આઇ.એસ.આઇ ધીરે ધીરે શાંત પડી રહ્યા છે, એવા સમાચાર આપણે વાંચીએ જ છીએ, પણ આ તો તેમના અસ્તિત્‍વની લડાઇ છે ને ! એટલે અમારા મતે પાકિસ્‍તાની સરકાર દ્વારા જાણી જોઇને આ મદરેસા અને તેના સંચાલકોને ખુલી છુટ આપવામાં આવી કે જે ચાહે તે કરે, પાટનગરમાં કોઇ જગ્‍યાએ એક માસ સુધી મુકાબલો કરી શકાય એટલા નાના – મોટા હથિયારોનો જથ્‍થો ભેગો કરવામાં આવે એ કંઇ ભેગો કરનારની કમાલ નથી, બલકે સરકારી તંત્ર અને જાસુસી એજન્‍સીઓનું પીઠબળ કહેવાય.. જયારે મુશર્રફ સાહેબને જશ મળે એટલી તૈયારી થઇ ગઇ તો હવે સરકારી એકશન લેવાનો નિર્ણય કરવામાં આવ્‍યો અને પછીની ઘટનાઓ છેલ્‍લા બે ત્રણ ચાર દિવસથી સમાચારોમાં છે......

    Monday, July 09, 2007

    બીમારની ઇયાદત કરવા (ખબર અંતર પૂછવા) જાય ત્‍યારે પઢવાની દુઆ
    જયારે કોઇ બીમારની ઇયાદત કરવા જાય ત્‍યારે પ્રથમ ત્રણવાર દુરૂદ શરીફ પઢે, ત્‍યાર પછી નીચેની દુઆ સાત વાર પઢે, અને દુઆ પછી ત્રણવાર દુરૂદ શરીફ પઢે અને બીમારના પૂરા બદન પર દમ કરવામાં આવે.
    أَذْهِبْ البَاسَ رَبَّ النَّاسِ، واشفِ أنتَ الشَّافي
    لا شفاءَ إلاّ شفاؤكَ شفاءً لا يُغادِرُ سقمَاً
    અઝહિબિ લ બઅસ, રબ્‍બન્‍નાસિ. વશ્‍ફિ અન્‍ત શ્‍શાફી,
    લા શિફાઅ ઇલ્‍લા શિફાઉક, શિફાઅન લા યુગાદિરુ સક્મા.

    Friday, July 06, 2007

    કાયદો અને કુર્આન

    કુર્આન શરીફ ઇસ્‍લામ અને ઇસ્‍લામી શરીઅતનું મૂળ અને પાયો છે, ઇસ્‍લામી આદેશો અને અને નિષેધોના આધારો અને દલીલોમાં તેનું સ્‍થાન પ્રથમ છે, એટલે ઇસ્‍લામી કાયદાઓમાં કુર્આને દર્શાવેલ નિયમ, આદેશ કે નિષેધના ઉલ્‍લંઘન કેમેય માફ નથી, અને કુર્આનનું સ્‍થાન અટલ, અફર, અચલ એટલે કે ફેરફારપાત્ર ન હોવાથી એના આદેશોની પણ એ જ હેસિયત છે. જેમ કે દારૂ પીવા વિષે કુર્આનમાં સાફ શબ્‍દોમાં નિષેધાત્‍મક આદેશ ઉપરાંત તેની ખરાબીઓનું વર્ણન છે, માટે મઘપાન સદાને માટે હરામ છે. કોઇનું ખૂન કરવા, જુગાર સટ્ટો, જુગાર ખેલવા અને પાંસા ફેકી પૈસાની શરત મારવા કે શુભ – અશુભના શુકન લેવા વિશે પણ સ્‍પષ્‍ટ મનાઇ કુર્આનમાં છે. કોઇનો માલ ખોટી રીતે હડપ કરવા, વ્‍યાજ ખાવા વિષે પણ કુર્આનમાં મનાઇ છે.
    આ જ પ્રમાણે અનેક સદકાર્યો, ઇબાદતો, ફરજોના અમલ કરવાનો સ્‍પષ્‍ટ આદેશ કુર્આનમાં છે, જે સદાને માટે કરવા જ રહ્યા, કદી એને નકારી ન શકાય, જેમ કે નમાઝ પઢવી, રોઝા રાખવા, એક નક્કી માત્રામાં માલ હોય તો ચાલીસમો ભાગ ઝકાત રૂપે ગરીબોને આપવો, સગાઓ ને હકદારોને અને પાડોશીઓને એમનો હક આપવો, યતીમો, નિરાધારો અને માંગનારાઓને મદદ આપવી, બાળકો અને પત્નિ સાથે સદવર્તન કરવું અને તેમનું ભરણ પોષણ કરવું, વગેરે કુર્આનના સ્‍પષ્‍ટ આદેશો છે.
    પવિત્ર, પાક ઇશ્વરીય આદેશોનો આ ગ્રંથ અલ્‍લાહ તઆલાએ લોકોને સીધી રીતે નથી આપ્‍યો, કે લ્‍યો વાંચો, સમજો અને સમજીને અમલ કરો, બલકે પ્રથમ એક માનવ સંસ્‍કારોથી સંપૂર્ણ, સદાચારી, સજ્જન અને નિર્મળ માણસને અલ્‍લાહના નબી તરીકે સ્‍થાપવામાં આવે છે, લોકો સમક્ષ એને અલ્‍લાહના નબી, પયગંબર અને અલ્‍લાહના આદેશો, કુર્આનના સાચા અર્થ અને આદેશોના અમલીકરણનો નમૂનો હોવાનું લોકોને મનાવવામાં આવે છે. પછી આ નબી-રસૂલ અલ્‍લાહના કે કુર્આનના આદેશો અલ્‍લાહના હુકમ અનુસાર લોકોને સંભળાવે છે, સમજાવે છે, અને નમૂનો પૂરો પાડે છે, આમ થવાથી લોકોને એ પણ સમજમાં આવે છે કે અલ્‍લાહના આદેશો પર અમલ કરવો માનવીઓ માટે શકય છે.
    વર્તમાન સમયની બલિહારી આ છે કે કાનૂન બનાવનાર મંડળો, પાર્લામેન્‍ટો, ગૃહો, બેન્‍ચો, અને અન્‍ય બધા.... કાનૂન બનાવી પોતે તેનો અમલી નમૂનો રજૂ નથી કરી શકતા, માટે લોકોના મનમાં એ કાનૂનનું મહત્‍વ બેસતું નથી, તેઓ જુએ છે કે કાનૂન બનાવાના સ્‍વંય એના ઉપર અમલ નથી કરતો એનો મતલબ એ છે કે આ કાયદો કંઇ અમારા ભલા માટે નહી, બલકે કાયદો બનાવનારે એના સ્‍વાર્થ માટે જ બનાવ્‍યો છે.

    Monday, June 18, 2007

    સદગુણોનો રોકડો નફો

    એક માણસ પયગંબર હઝરત મુહંમદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમની સેવામાં હાજર થયો અને કહેવા લાગ્‍યો કે હે અલ્‍લાહના રસૂલ ! સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ, મારામાં ચાર કુટેવો છે,
    (૧) પાપાચાર,
    (ર) ચોરી
    (૩) નશાનું સેવન
    (૪) અસત્‍યોચ્‍ચાર-જુઠ બોલવું
    તમારી નસીહતને અનુસરીને હું કોઇ એક છોડી શકું છું, બાકી કટેવો માટે હું લાચાર છું,
    પયગંબર સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમે એને કહ્યું કે તમે જુઠ બોલવાની છોડી દયો.
    તે માણસે વચન આપ્‍યું કે હવેથી હું કદાપિ જુઠ બોલીશ નહી,
    રાત પડી તો તેને દારૂ પીવા અને પાપાચાર (આજના પરિભાષામાં કહીએ તો સેક્સ માણવાનો ) શોખ થયો,પણ સાથે જ તેને વિચાર આવ્‍યો કે સવારે જો પયગંબર સાહેબે મને રાત વિશે પૃચ્‍છા ફરમાવી તો હું શું જવાબ આપીશ ? સત્‍ય બોલીશ તો દારૂ પીવા અને બળાત્‍કારની સજા મળશે, અને જુઠ બોલીશ તો વચનભંગ થશે, આમ સત્‍યના બંધને તે માણસ આ બન્‍નેવ મહાપાપોથી બચી ગયો.
    મોડી રાત્રે અંધકાર જોઇને એને ચોરી કરવાનું મન થઇ આવ્‍યું, પણ સાથે જ વિચાર આવ્‍યો કે સવારે જો પયગંબર સાહેબ મને પૂછશે તો હું જવાબ આપીશ ? સાચું બોલીશ તો ચોરીની સજામાં હાથ કાપવામાં આવશે, અને જુઠ બોલીશ તો વચનભંગ થશે ! આમ સત્‍યના બંધનથી તે ચોરીના મહાપાપ્‍થી બચી ગયો.
    જે કુટેવો છોડવી તે અશક્ય સમજતો હતો, તે ચારેવ મહાપાપોથી આટલી સરળતાથી બચી જવા પર સવાર પડ્યે તે ઘણો જ પ્રસન્‍ન હતો, દોડતો દોડતો પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ પાસે આવ્‍યો અને આભાર વ્‍યકત કરી કહેવા લાગ્‍યો કે હે અલ્‍લાહના રસૂલ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ, જુઠ ન બોલવાના વચનથી હું ચારેવ મહાપાપોથી બધી ગયો.

    Friday, May 18, 2007

    એમ. એફ. હુસેનના ચિત્રો અને મુસલમાનો

    આજકાલ વડોદરાની મ.સ. યુનિવર્સિટીના ફાઇન આર્ટસ વિભાગના કલાકારો દ્વારા હિંદુઓના ધાર્મિક ચિહ્નો, ભગવાન - માતા અને મૂર્તિઓને વિકૃત રીતે ચીતરીને તેને કલામાં ખપાવવના હીન કૃત્‍ય બાબતે હોબાળો મચી રહયો છે, એક ચંદ્રમોહન નામના વિર્ધાથી દ્વારા આ કૃતિઓ રચવામાં આવી હતી, અને પછી વિહીપ, ભાજપ્‍, તેમજ અન્‍ય સંસ્‍થાઓ દ્વારા એનો વિરોધ કરવામાં આવી રહયો છે. સત્‍ય આ બાબતે એ છે કે અભિવ્‍યકિતની સ્‍વતંત્રતાના નામે કે કલાના નામે આવી વિકૃત માનસિકતાને છાવરી ન શકાય, એનું સમર્થન ન કરી શકાય...
    ચિત્રો બાબતે આવા જ વિવાદો બલકે વિરોધના શિકાર ચિત્રકાર એમ.એફ. હુસેન પણ છે, અને એમના આવા ચિત્રોને પણ આપણે વખોડવા જ રહયા....
    પરંતુ અમુક લોકો આ બાબતને ચિત્રકાર એમ.એફ.હુસેનના વિવાદિત ચિત્રો સાથે જોડી આખી ઘટનાને અત્‍યંત ભૂંડી દષ્ટિએ મુલવવાની કોશિશ કરે છે, એટલે કે એમ.એફ. હુસેનના ચિત્રોને બહાનું બનાવી ઈસ્‍લામ કે મુસલમાનો સાથે આ વિકૃતી જોડી એમના ધા‍ર્મિક ચિહ્નો કે પયગંબર કે અન્‍ય બાબતે આવા ચિત્રો બનાવવાની માંગણી કરે છે, હમણાં જ વડોદરાની ઉપરોકત ઘટના પછી કોઇકે પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમના નગ્‍ન ચિત્ર બનાવાનારને એક લાખ ઇનામ આપવાની જાહેરાત કરી......
    જયાં સુધી ઇસ્‍લામ કે મુસલમાનોને લાગે વળગે છે, તો પ્રાણીઓ (ચાહે તે માનવી હોય કે જનાવર ) ના ચિત્રો બનાવવા ઇસ્‍લામમાં પ્રતિબંધિત છે, એ ગુનાહિત કૃત્‍ય છે, એટલે કોઇની પણ ચિત્રકળાને ઈસ્‍લામ કે મુસલમાનોથી જોડીને જોવું ખોટું છે. માટે જ એમ. એફ. હુસેન ના કૃત્‍યો અને ચિત્રોને ઇસ્‍લામ કે મુસલમાનોથી કોઇ સંબંધ નથી એ નક્કી વાત છે. આજના ગુજરાત સમાચાર દૈનિકના તંત્રીલેખમાં વિશુદ્ધ કલાના નામે કેટલે છૂટ લઇ શકાય ? ના મથાળા હેઠળ આ જ બાબતે ચર્ચા છે,
    ઉપરોક ચર્ચા વાંચીને અમને અત્‍યંત ખેદ, આઘાત ઉપરાંત અચંબો પણ થયો, કે આવડા મોટા સમાચાર પત્રનો તંત્રી લેખ આવો ઉતરતી કક્ષાનો, અને અતા‍ર્કિક અને દ્રેષભર્યો હોય શકે ! ! !
    તંત્રી શ્રીના કહેવા પ્રમાણે હુસેને આવા ચિત્રો ઈસ્‍લામની ઐતિહાસિક ઘટનાઓ સંબંધે કેમ નથી બનાવ્‍યા ? વગેરે....
    આમાં કોઇના સહિષ્‍ણુ કે અસહિષ્‍ણુ હોવાની કોઇ બાબત નથી. કોણ કેટલું સહિષ્‍ણુ છે એ રોજ રોજની ઘટનાઓથી સ્‍પષ્‍ટ જ છે.
    પયગંબર સાહેબ કે ઇસ્‍લામને વિકૃત રીતે રજૂ કરતા અનેક ચિત્રો-કાર્ટૂનો-લેખો ગુજરાતમાં પણ છાસવારે છપાતા જ રહે છે, પરંતુ મુસલમાનો પાસે એવી સત્તા કે સમય છે જ નહી આવા ઝઘડાઓમાં પડી પોતે જ નુકસાન ઉઠાવે !
    પોલીસ કે સરકાર અંતે તો મુસલમાનોનો જ વાંક શોધી એમને દંડશે એ નક્કી છે.
    મુળ વાત એ છે કે ઇસ્‍લામમાં તસવીર સમુળગી જ નાજાયેઝ અને અપરાધ છે. એટલે મુસલમાનોના ધાર્મિક ચિહ્નો, પયગંબરો કે અન્‍ય બાબતોની તસવીર પહેલી થી જ નથી, અને ધામિર્ક રીતે વર્જિત હોવાથી સામાન્‍ય મુસલમાનને એનાથી કોઇ દિલચસ્‍પી પણ નથી, એટલે આવી તસવીરોથી એમ. એફ હુસેન કે કોઇને કંઇ મળવાનું નથી એ નકકી છે. આ બાબતને ઇસ્‍લામ ધર્મની પૂર્ણતા અને સલામતીની દલીલ ગણવી જોઇએ કે તસવીર પર પાબંદી હોવાથી આવી વિકૃતિઓ દરવાજો પહેલેથી જ બંધ થઇ ગયો છે, આ બધી બલા શ્રદ્ધા અને સન્‍માનના નામે તસવીર કે મૂરત બનાવવાની પ્રથા ચાલી ત્‍યારે ઉભી થઇને ! ! ! અને ઇશ્વર નિરાકાર છે એમ હિંદુઓ પણ કહે છે.

    Saturday, May 12, 2007

    લોકોથી પ્રેમ અને મહોબ્‍બત કરો

    હઝરત અબૂ હુરૈરહ (રદિ.) ફરમાવે છે કે નબીએ કરીમ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમે ફરમાવ્‍યું ,
    તમે જયાં સુધી ઇમાનવાળા (મોમિન) ન બની જાઓ, જન્‍નતમાં પ્રવેશી શકતા નથી, અને જયાં સુધી તમે પરસ્‍પર મહોબ્‍બત ન રાખો તમે ઇમાનવાળા (મોમિન) નથી બની શકતા.
    શું હું તમને એક એવી વાત ન બતાવું જેના પર કાર્યબદ્ધ થવાથી તમે પરસ્‍પર મહોબ્‍બત કરનાર અને હિતેચ્‍છુ બની જશો ? તે વાત આ છે કે પરસ્‍પર સલામ કરવાની પ્રથાને લોકો માંહે પ્રચલિત કરો.

    હઝરત મઆઝ બિન જબલ (રદિ.) ફરમાવે છે કે,
    મેં નબીએ કરીમ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમને સૌથી શ્રેષ્‍ઠ ઇમાન વિશે પૃચ્‍છા કરી ( કે એવા કાર્યો અને સંસ્‍કારો કયા છે જેના પર કાર્યબદ્ધ થવાથી પાકા મોમિન બની શકાય ?) તો નબીએ કરીમ સલ્‍લલ્‍‍લાહુ અલયહિ વ સલ્‍લમે ફરમાવ્‍યું કે
    (૧) તમે ફકત અલ્‍લાહ ખાતર મહોબ્‍બત કરો, (જેનાથી પણ કરો ) અને ફકત અલ્‍લાહ ખાતર
    અદાવત રાખો (જેનાથી પણ રાખો ).
    (ર) તમારી જીભ અલ્‍લાહની યાદ અને સ્‍તૃતિમાં તલ્‍લીન રહે.
    (૩) તમે અન્‍યો માટે પણ તે વાત પસંદ કરો જે તમારા માટે પસંદ કરો છો અને જે બાબત તમે તમારા વિશે નથી ઇચ્‍છતા તે અન્‍યો માટે પણ ન ઇચ્‍છો.

    Wednesday, May 09, 2007

    મુસલમાનોની વસતી વધારાનો હાઉ

    આવો જ બીજો હાઉ વસતી વધારા અંગે ઉભો કરવામાં આવે છે, મુસ્લિમોની ચાર પત્નિની અને એમના પાંચના પચ્‍ચીસની વાતને બહુ ચગાછી ચગાવીને કહેવામાં આવે છે, પરંતુ આ પણ જુઠાણું છે, ચોકકસ આંકડા આનાથી સાવ જુદું કહી જાય છે, મુસ્લિમ બહુજનસમાજ જયાં ગરીબીમાં સબડે છે ત્‍યાં ચાર ચાર પત્નિ કરવાની ત્રેવડ કોને છે ? અને આંકડા તો એમ કહી જાય છે કે બહુપત્નિત્‍વનું પ્રમાણ મુસ્લિમોમાં વધારે નહી, બલકે એકાદ આંકડો ઓછું છે, હિંદુઓમાં તે પ .૮૦ ટકા છે, જયારે મુસ્લિમોમાં તે પ . ૭૦ ટકા છે. પ્રજનનદરની ટકાવારી સવર્ણ હિંદુઓ કરતાં મુસ્લિમોમાં એક ટકો વધારે છે, પણ હિંદુ સમાજના દલિતો અને આદિવાસી જેવા ગરીબ નબળા વર્ગોની સરખામણીમાં મુસ્લિમોમાં એકાદ આંકડો ઓછી પણ છે. એટલે કે આમાં ધાર્મિક નહી, પણ આર્થિક શૈક્ષણિક સ્થિતિનું કારણ મુખ્‍ય છે. અને કુલ વસતીનું પ્રમાણ જોઇએ તો ૧૯૭૧ માં હિંદુઓ ૮ર . ૭ર ટકા અને મુસ્લિમો ૧૧ . ર૦ ટકા હતા. તે ૧૯૯૧ માં ૮ર . ૬૪ અને ૧૧ . ૩પ થયા. એટલે કે મુસ્લિમોની વસતી એકદમ વધતી જાય છે વધતી જાય છે અરે જતે દહાડે હિંદુઓ લધુમતિમાં મુકાય જશે એવો ગોકીરો કરી મુકવો તે બિલકુલ વાજબી વાત નથી. કુટુંબનિયોજનની જરૂરિયાત ભારપૂર્વક સમજાવવી એક વાત છે, પરંતુ આવી રીતે એક કોમને કસૂરવાર ઠેરવી દઇને તેના વિશે નફરત ને દુર્ભાવ પેદા કરવાનો શો અર્થ છે ? એક ધરતીના બાશિન્‍દાની ભાવનામાં આનાથી ભારે મોટો અંતરાય ઉભો થાય છે.

    ( કાન્‍તિ શાહ , હિંદુત્‍વ એક અધ્‍યયન, પૃષ્‍ઠ ૯૪ )

    Monday, April 16, 2007

    નમાઝ પૂર્વે વુઝૂ કરવું

    હે ઇમાન વાળાઓ ! જયારે તમે નમાઝ પઢવા ઇચ્‍છો ત્‍યારે
    તમારું મોઢું
    અને હાથ કોણીઓ સુધી ધોઇ લો.
    અને માથા પર મસહ કરો, (ભીનો હાથ ફેરવો)
    અને પગ ઘુટીઓ સુધી ધોઇ લો.
    જો તમે નાપાક હોવ (૧) તો સારી રીતે પાક થઇ જાઓ ( નાહી ધોઇ લો )
    જો તમે બીમાર હોવ અથવા મુસાફરીમાં હોવ અથવા તમારામાંથી કોઇ મળ-મુત્ર કરીને આવ્‍યું કે સ્‍ત્રીસંગ (સંભોગ) કર્યો, અને (નમાઝ માટે આવશ્‍યક પાક થવા - નાહવા ધોવા) માટે પાણી ન મળે તો પાક માટીથી તયમ્‍મુમ કરો. એટલે (માટી પર હાથ મારી) હાથ તમારા ચહેરાઓ અને હાથો પર ફેરવો .
    (સૂરએ માઈદહ , ૬ )

    (૧) સ્‍ત્રીસંગ (સંભોગ) કરવાથી અથવા સ્‍વપ્‍નદોષ થવાથી પછી માણસે ગુસલ કરવું એટલે નહાવું આવશ્‍યક છે. આવી પરિસ્થિતિને નાપાક હોવું કહેવાય છે.
    કુર્આનના ઉપરોકત આદેશમાં પ્રથમ વુઝૂનો આદેશ છે. વુઝૂ સામાન્‍ય પરિસ્થિતિમાં એટલે કે માણસને ઉપર પ્રમાણે ગુસલ કરવા (નહાવા)ની આવશ્‍યકતા ન હોય ત્‍યારે કરવાનું હોય છે. અને જો માણસને નહાવાની આવશ્‍યકતા હોય તો પછી આગળ નહાવાનો આદેશ છે.