Wednesday, December 24, 2008

કન્‍યા કેળવણી અને ઇસ્‍લામ

કન્‍યા કેળવણી  અને ઇસ્‍લામ

        ઇસ્‍લામ ધર્મનો આધાર જ ઇલમ અને અમલ પર છે, અર્થાત ઇલ્‍મ પ્રાપ્‍ત કરો અને તે પ્રમાણે અમલ કરો. ઇસ્‍લામી માન્‍યતા અનુસાર અલ્‍લાહ તઆલાએ જયારે માનવ વિશ્વ સર્જવાનો નિર્ણય કર્યો તો પ્રથમ માનવી આદમ  અલૈ..નું સર્જન કર્યુ પછી અલલાહ તઆલાએ ફરિશ્‍તાઓ ઉપર માનવીની શ્રેષ્‍ઠતા બતાવવા માટે આદમ અલૈ.ને ઇલ્‍મ અને જ્ઞાન આપ્‍યુ.

આમ ઇલમથી સફર શરુ કરવાની માન્યતા ધરાવનાર ધર્મ કે એના અનુયાયીઓ ઇલમના વિરોધી હોય, અથવા સંકુચિત માનસ ધરાવતા હોય શકય નથી. ઇસ્‍લામી ઇતિહાસ જોતાં સ્‍પષ્‍ થાય છે કે. મુસલમાનોએ યથાશકિત ઇલ્‍ અને જ્ઞાનની સેવામાં કદી પાછું વળીને નથી જોયુ, કમનસીબે દુનિયા ઉપર બ્રિટન, ફ્રાન્‍ અને અન્‍ યુરોપીય સત્તાઓએ જયારે કબજો જમાવ્યો તો તેમણે તાબા હેઠળના દરેક દેશના જ્ઞાનના ગળે ટૂપો દઇ દીધો.

આજે જયારે કે ઇસ્લામી વિશ્વ આર્થિક રીતે કઇક સધ્ધર થયું છે, તો આપણે  જોઇએ છીએ કે જ્ઞાન અને ઇલ્મની સેવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહયા છે, ભારતની વાત કરીએ તો આઝાદી વખતે ભાગલાના ભાર વેઠીને બેવડ વળી ગયેલા અને એકલા પડી ગયેલા મુસલમાનોને જો ૫૦ વરસ સીધા થતાં લાગ્યા હોય એન આજે તેઓ જાગૃત થયા છે તો ઘણું વહેલું કહેવાય , આવી રીતે તુટયા પછી, અને હરિફાઇ નહી, અદેખાઇનો સામનો કરીને આટલા વહેલા ટટ્ટાર  થવા માટે મુસલમાનોનો હોસલો દાદ માંગી લે છે,

આપણે હવે કન્‍યા કેળવણીની વાત કરીએ.

શિક્ષણ અને ફેળવણી બાબત ઇસ્લામમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઇ ભેદભાવ રાખવામાં આવ્યો નથી.

કુર્આન અને હદીષમાં અલ્‍લાહ અને તેના રસુલ પયગમ્‍બર સાહેબના અદેશોમાં આવા તફાવતને કોઇ સ્‍થાન નથી.

ઉલટાનું સ્‍ત્રીઓને શિક્ષણ અને કેળવણી આપવા ઉપર ભાર મુકવામાં આવ્‍યો છે. એટલે જ ઇતિહાસ દ્વારા આપણને જાણવા મળે છે, કે મુસ્લિમ સ્‍ત્રીઓએ ઇલ્‍મ પ્રાપ્તિમાં કોઇ પાછીપાની નથી કરી.

પયગમ્‍બર સાહેબ અલૈ.નું ફરમાન છે કે જે કોઇ માણસની ત્રણ કે બે પુત્રી  હોય અને તે તેણીઓનું સારું ઘડતર કરે  અને તેઓના બાબત અલ્લાહ  તઆલાથી ડરતો રહે તો તેના માટે જન્નત છે.

         અન્‍ય એક કથનમાં પયગમ્‍બર સલ. ફરમાવે છે, કે જે કોઇ માણસની એક પુત્રી હોય, અને તે તેણીનું યોગ્‍ય ઘડતર કરે, સારા સંસ્‍કારો શીખવાડે, સારું શિક્ષણ આપે, અલ્‍લાહ તઆલાએ આપેલ  નેઅમતોથી એની પરવરિશ કરે, તો આ બેટી તેને જહન્‍નમ–નર્કથી બચવા માટે આડ બની જશે. 

            બુખારી શરીફમાં પયગમ્‍બર સલ.ના એક કથન- હદીષ નો ઉલ્‍લેખ છે તેમા તો માણસને તેની ગુલામડીઓ અને નોકરાણીઓને પણ શિક્ષણ આપ્‍વાનુ પરોત્‍સાહન  પવામા આવ્‍યુ છે.

        પયગમ્‍બર સલ. ના પવિત્ર  પત્નિ હઝરત આઇશા રદી. મદીનાની સ્‍ત્રીઓના વખાણ કરતા હતા, એટલા માટે કે મદીનાની સ્‍ત્રીઓ દીન શીખવા સદા તત્‍પર  રહેતી હતી, અને શર્મના કારણે પુરુષોથી પાછળ ન રહેતી હતી.

        પયગમ્‍બર સલ્‍લલ્‍લાહુ અલૈહિ વ સલ્‍લમ પણ સ્‍ત્રીઓના શિક્ષણ બાબત સદા તત્‍પર અને ઉત્‍સાહી રહેતા. સામાન્‍ય સજોગોમા અને અવસરો ઉપરાત એક નકકી દિવસ‍ વિશેષ રૂપે સ્‍ત્રીઓ માટે નકકી કર્યો હતો, જેમા તેણીઓને પયગમ્‍બર સાહેબ સલ. શિક્ષણ આપતા  અને ધર્મની વાતો શીખવાડતા.

        એટલે જ આપણે જોઇએ છીએ કે પયગમ્‍બર સાહેબ સલ.ના સમયકાળથી જ સ્‍ત્રીઓ ઇલ્‍મની દુનિયામાં તેમનું સ્‍થાન પાકું કરી લીધું હતું. આસલ્‍લલ્‍લાહુ અલૈહિ વ સલ્‍લમ ના સમયે મકકામા લખતા વાચનાર માણસોની સખ્‍યા ગણીને ૧૩ અથવા ૩૦ હતી, પરતુ આસલ્‍લલ્‍લાહુ અલૈહિ વ સલ્‍લમના પોત્‍સાહન અને તાકીદના કારણે થોડા જ સમયમા એટલા બધા મુસલમાનો લખતા વાચતા શીખી ગયા કે. અલ્‍લાહના અદેશો એટલે કે કુર્આન અને પયગમ્‍બર સાહેબના કથનો એટલે હદીષો તેઓ કાગળ, ચામડા કે અન્‍ય વસ્‍તુઓ ઉપર લખી લેતા હતા.

        પયગમ્‍બર સાહેબના પત્નિ હઝરત હફસા રદી. એ અન્‍ય એક સ્‍ત્રી પાસેથી લખતા વાંચતા શીખ્‍યું હતું, અન્‍ય એક પત્નિ હઝરત સફિય્‍યહ પકવાનમાં બે મિસાલ હતાં, ઇબ્‍ને મસ્‍ઉદના પત્નિ તેમની કારીગીરીથી પોતાનું અને ફુલ ટાઇમ શિક્ષણમાં વ્‍યસ્‍ત એમના પતિનુ પણ ભરણપોષણ કમાઇ લેતા. હઝરત આઇશા રદી. સારવાર અને ઇલાજમાં નિપુણ હતા, તેઓ પોતે કહે છે કે પયગમ્‍બર સાહેબ બિમાર પડતા તો અરબસ્‍તાનના મોટા મોટા તબીબો સારવાર માટે આવતા, અને તેણી તેઓના બતાવેલ નુસ્‍ખા યાદ કરી લેતાં. ઉમ્‍મે વરકહ અને અન્‍ય સ્‍ત્રીઓએ આખુ કુર્આન હિફઝ કરી લીધુ હતુ.

         બાદના સમયમા આ સિલસિલો ચાલુ જ રહયો, એક હઝાર વરસોની યાદી હમણા આપવી શકય પણ નથી, થોડા વરસો પૂર્વે મુંબઇમાં જેમનુ અવસાન થયુ એ જનાબ કાઝી  અત્‍હર મુબારકપુરી સાહેબે એક પુસ્તક લખ્‍યુ છે, ખવાતીને ઇસ્‍લામકી દીની ઇલ્‍મી ખીદમાત  તેમાં એમણે જ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં નામના પેદા કરનાર હઝારો સ્‍ત્રીઓનો ઉલ્‍લેખ કર્યો છે, શકય હોય તો  દરેકે આ પુસ્‍તકનો અભ્‍યાસ  કરવો જોઇએ.

        આમ ઇસ્‍લામી તાલીમ અને આદર્શો અનુસાર સ્‍ત્રી  કેળવણી અને શિક્ષણ બાબતે કોઇ બાંધ નથી એટલુ જ નહિ , એ ધાર્મિક રીતે આવશ્‍યક , આવકાર્ય અને સરાહનીય કાર્ય છે એ સ્‍પષ્‍ટ છે.

        આનુ એક સ્‍પષ્‍ટ ઉદાહરણ આ પણ છે કે આજકાલ મુસલમાનો દ્વારા બાળકો માટેના મદરેસાઓ ચલાવવામાં આવે છે એ જ પમાણે  બાળકીઓ માટેના પણ  વિશેષ મદરસાઓ ચલાવવામા આવી રહયા છે. આ જ પરિસ્થિતિ  સ્‍કૂલો  અને અન્‍ય તાલીમી સસ્‍થાઓની છે.

         ત્રે  હું બે  ત્રણ સ્‍પષ્‍ટતાઓ કરવાનો મોહ પણ રોકી શકતો નથી.

(૧) જ્ઞાન-ઇલ્મનો  મુળ ઉદેશ  ઇસ્લામની નજરે જોબ, સર્વિસ, નોકરી ચાકરી નથી. તો જ્ઞાનનો અાશય પૈસા કમાવો કે રોજગાર મેળવવાનો છે, ઇલ્ અને જ્ઞાનની મહામૂલી દોલતને આવા નાનકડા મકસદ માટે પ્રાપ્ કરવું પુરુષ માટે પણ શોભનીય નથી, તો સ્ત્રી માટે તો કેમ કરી હોય શકે ? સ્ત્રીની આવી દરેક જરૂરતોનો ભાર ઇસ્લામ દ્વારા તેના પિતા ઉપર નાખ્યો છે માટે સર્વિસ, જોબ કે રોજગારની નિય્યતે ઇલ્ શીખવું કોઇ સરાહનીય કાર્ય કહેવાય.

 એટલે જ આ બાબતને ઇસ્‍લામની વિશિષ્‍ટતા કહી શકાય કે એણે સ્‍પષ્‍ટ રૂપે કહયું છે કે સ્‍ત્રીનું અસલ કાર્યક્ષેત્ર ઘર છે, તે ચિરાગે ખાના છે, શમ્‍એ મહેફિલ  નથી, જરુરત પમાણે ઘર બહાર નીકળવા, કમાવા અને કર્તવ્‍ય નિભાવ્‍વાની પણ છુટ  છે.

 બીજી વાત એ છે કે ફકત જોહેર જીવનમાં કાર્યરત સ્‍ત્રીઓને જોઇને પણ મુસ્લિમ સ્‍ત્રીના શિક્ષણ કે અભણતા  વિશે કોઇ મંતવ્‍ય બાંધવુ ખોટો આધાર કહેવાશે.

        અમને તો સમગ્મુસ્લિમ વસતી બાબતે શિક્ષ્‍િાત કે અશિક્ષ્‍િાત હોવાની જે ઓછી ટકાવારી દર્શાવવામા આવે છે એ બાબતે વાંધો છે એટલે કે શિક્ષ્‍િાત કે અશિક્ષ્‍િાત હોવાની ગણતરી માટેનો કોઇ નકકી માપદંડ  રાષ્‍ટીય સ્‍ત્‍રે જ નકકી નથી.

        આ એક બીજો વિષય છે હમણા એની ચર્ચા અસ્‍થાને છે

1 comment:

  1. Anonymous8:34 PM

    VERY GOOD LESSONS PLEASE CARY ON
    BUT ALSO TRY TO TRANSLATE IN ENGLISH ALSO SO YOUNG GENERATION CAN UNDERSTAND.

    ReplyDelete