Sunday, May 31, 2009

આતંકવાદથી તાલિબાન પોપેગંડાની સફર

આતંકવાદથી તાલિબાન પોપેગંડાની સફર

ફરીદ અહમદ

પહેલા ન્‍યુ વલ્‍ડ ઓડર્ર પછી વોન ઓન ટેરર
લાગે છે કે ન્‍યુ વલ્‍ડ ઓડર્રના નકકી કરવામાં આવેલ પરિણામો અમેરિકાને સમય પમાણે નથી મળયા એને એમ હતુ કે, રશિયા સાથેના શીત યુધ્‍ધ ખતમ થવાથી આખી દુનિયાની ઇકોનોમી પર મડિવાદના સહારે એ પભાવી થઇ જશે. પણ અમુક કારણોસર મૂડિવાદનો લાભ એકલા અ‍મેરિકાને ફળયો નહી, ઉલટાનું રશિયા સાથેની લડાઇના લાભે પાકિસ્‍તાન અણુશકિત બની ગયુ તો નિરંકુશ મૂડિવાદના પતાપે તેલના માલિક આરબો માલદાર થઇ ઇકોનોમી પર કંટોલ મેળવવા માંડયા, આમ પોતાની નિષ્‍ફળતા જોઇ અમેરિકાએ ટેરરિઝમ નામનો નવો શત્રુ શોધી કાઢયો અને ઉંટવૈદુ કરીને અમુક દશો, લોકો સંસ્‍થાઓને કહયું કે તમને આ રોગ છે, માટે તમાર ગળા પર શસ્‍ત્ર ‍કિયા કરવી પડશે, આમ ન્‍યુ વલ્રર્ડ ઓર્ડરમાં રહી ગયેલી કચાશ (પરાયાઓએ મેળવેલ અણુ શકિત અને આ‍‍ર્થિકશકિત) બન્‍નેવ હવે ખતમ કરવામાં આવી રહી છે,વોર ઓન ટેરર અને વર્તમાન આર્થિક મંદીના બહાને તેલીયા રાજાઓ પર કંટોલ કરી લેવામાં આવ્‍યો છે. એટલે હવે બાકી રહેલા લક્ષને સાધવા વર્તૂળ નાનું પડે એમ હતું, અને આ લક્ષને મેળવવા એક નવું જ લેબલ તાલિબાન અથવા તાલિબાનાઇઝેશન શોધી કાઢવામાં આવ્‍યુ, આ લેબલ સીધુ લક્ષને ‍વીંધનારુ છે.
બયતુલ્‍લાહ મહેસુદ અને અન્‍યોને પણ થોડી થોડી છૂટછાટ આપીને શકિતશાળી બનાવી દેવામાં આવ્‍યા, બુગ્‍તી અને બલૂચ નેતાઓને ખતમ કરીને સઘળી લડાઇને ૫દેશવાદના બદલે તાલિબાની કરણ તરફ વાળવામાં આવી, હવે મોલાના સૂફી મુહંમદને છોડવામાં આવ્‍યા, અત્‍યાર સુધી મળેલ સ્‍વતંત્રતા અને નિરંકુશ છૂટથી પ‍ાકિસ્‍તાની તાલિબાનો કહેવાત લોકો વધુ ખુશ થઇ ગયા, અને એમણે એમના પભાવ વાળા જિલ્‍લામાં ઇસ્‍લામી કાયદાઓ લાગુ કરવાની માંગ કરી.
( એમ તો એમણે માગેલી ઘણી વસ્‍તુઓ પેહલેથી જ સરકારી કાનૂન પમાણે તે પદેશમાં થવી જોઇતી હતી, પણ સરકાર તેનો અમલ કરતી હતી નહી)
હવે શરુ થયો અસલી ખેલ પ્રચાર - પ્રસાર માધ્‍યમોએ આખી દુનિયામાં શોર મચાવી દીધો કે, તાલિબાન આવી રહયા છે. ખબરદાર .
દુનિયાના અનેક દેશોમાં એવા સંગઠનો છે જે એ દેશના અમુક ભાગો પર એક સ્‍વતંત્ર સરકાર જેટલો અંકુશ ધરાવે છે, શ્રીલંકામાક્ષ્‍ તામિલો (જેમનો હવે ખાતમો થઇ રહયો છે) અને નેપાળમાં માઓવાદીઓ સ્‍વતંત્ર પ્રદેશો પર અંકૂશ ધરાવતા હતા, આફિકાના અનેક દેશોમાં આ પરિસ્થિતિ છે, ભારતમાં પૂર્વોત્‍તર રાજયોમાં રાજયા સરકારોએ અલગતાવાદી સંગઠનો સંર્ઘષ વિરામનો કરાર કરવો પડે છે, આમ આ કોઇ નવાઇની ઘટના ન હતી પાકિસ્‍તાનમાં પણ આવું વધુ અલગ બલૂચ દેશ માટે, અલગ સિંધ માટે પણ થઇ ચુકયું હતુ, પણ ઉપર જણાવ્‍વામાં આવ્‍યુ એમ અહિંયા એક નવા ધ્‍યેય પ્રાપ્‍િત સામે હતી, એટલે પ્રોપેગન્‍ડો શરુ કરવામાં આવ્‍યો કે, તાલિબાન આવી રહયા છે, ખબરદાર. ઇસ્‍લામાબાદથી ૧૦૦ કિ. મી. દૂર ભારતથી ર૦ કિ. મી દૂર કરાંચી પર તાલિબાનો કંટોલ કરી શકે છે, તાલિબાનો ભારતની સરહદમાં ઘુસવા તૈયાર... વગેરે
દાઢી ,પાઘડી અને કફની લેંગાવાળા લોકો, બંદૂરો રાઇફલો લઇને ફરતા હોય અને મીડીયા વાળાઓ એની સાથે અત્‍યંત બિહામણા વાકયો બોલતા હોય, એક એવું વાતાવરણ ઉભું કરવામાં આવ્‍યું છે કે, સામાન્‍ય માણસને જાપાન પર પડી રહેલા અમેરિકાના અણુબોમ્‍બ, પાકિસ્‍તાનમાં હજુ પણ ચાલુ અમેરિકાના મિસાઇલ આકમણો, ઇરાક અફગાનિસ્‍તાન અને પેલેસ્‍ટાઇનમાં અમેરિકા અને ઇસરાયેલના રોકેટમારા, ટેન્‍કોની વિનાશકતા કૂચ અને સૈનિકોના બેફામ ગોળીબારથી એટલો ખોફ અને ડર નહી ઉત્‍પન્‍ન થાય,જેટલો દાઢી, પાઘડી, કફની લેંગાવાળા લોકોના હાથમાં એક રાયફલ અને બંદૂકવાળા દશ્‍યોથી થાય છે.
હવે મહત્‍વનો પ્ર..ન એ છે કે,આ સિવાય પણ અમેરિકાનું બીજુ કોઇ લક્ષ્‍ય છે? જેને પ્રાપ્‍ત કરવા તે કોઇ બીજુ બહાનું શોધે? અથવા બસ અમેરિકા શાંત થઇ બેસી જશે ? જાણકારો કહે છે કે અમેરિકાની લગામ આજકાલ ઇસ્‍લામ વિરોધી યહૂદી લોબી પાસે છે, અને આ લોબીનું મુખ્‍ય ધ્‍યેય જગતમાંથી ઇસ્‍લામ અને મુસલમાનોને નષ્‍ટ કરવા છે, આતંકવાદનો શબ્‍દ કોઇ ધર્મ વિષેશનો અર્થ ન રાખવા છતાંતેને મુસલમાનનો પર્યાય બને એમ પ્રચલિત કરવામાં આવ્‍યો છતાં તેમાં અમુક અન્‍ય શકિતઓ અને પ્રવૃ‍ત્તિઓ આવી જતી હતી, જે અમેરિકાને સ્‍વીકાર્ય હતુ નહીં માટે હવે તેને સિમિત કરીતે તાલિબાનાઇઝેશન નામની નવી પરિભાષા બનાવવામાં આવી છે, જે સીધી રીતે જ મુસલમાનોને બદનામ કરે છે, હમણાં જ સંપન્‍ન થયેલ ચૂંટણીમાં ભારતીય મીડીયાએ પણ આ જ વલણ અપનાવ્‍યું હતું, આ દરમિયાના સામે આવેલ અન્‍ય શબ્‍દ પ્રયોગો અને જગતમાં ચાલી રહેલ પ્રવૃત્તિઓ જોતાં કહી શકાય કે આ પરિભાષાને હજુ વધારે સિમિત કરીને કઇ રીતે મુસલમાનોને બદનામ કરવામાં આવશે.
મુસલમાનોને ઇસ્‍લામના પ્રત‍િ લગાવ અને અન્‍યોના આકર્ષણ અને ઇસ્‍લામ સ્‍વીકાર જોતાં અમેરિકા અને યહૂદીઓ ઇસ્‍લામને જ ટાર્ગેટ બનાવવાનું ધ્‍યેય રાખે છે, એ સ્‍પષ્‍ટ છે.
આવી પરિસ્થિતિમાં મુસલમાનો માટે આવશ્‍યક થઇ પડે છે કે, ઇસ્‍લામ અને શરીઅતના આદેશોને જીવનમાં અપનાવવાની સાથે તેને સમાજ અને સામુહિક જીવનમાં પ્રચલિત અને સામાન્‍ય કરી દેવામાં આવે, લોકો માટે તે કોઇ નવી કે અણગમાની વાત ન રહે, ઉપરાંત ઇસ્‍લામી ઓદેશોની સાર્થકતા અને ઉપયોગિતા પૂરવાર કરવામાં આવે, વર્તમાન વૈસ્વિક નિયમોનો અભ્‍યાસ કરીને ઇસ્‍લામી કાયદા - કાનૂન શ્રેષ્‍ઠતા અને સર્વોપરિતા દર્શાવવામાં આવે.

Monday, May 25, 2009

देवबंद

http://www.bbc.co.uk/blogs/hindi/2009/05/devband-wusat-blog.html

मैंने पिछले हफ़्ते दो दिन उत्तर प्रदेश के क़स्बे देवबंद में गुज़ारे. वही देवबंद जिसने पिछले डेढ़ सौ वर्षों में हज़ारों बड़े-बड़े सुन्नी उलेमा पैदा किए और जिनके लाखों शागिर्द भारतीय उप-महाद्वीप और दुनिया ऐ कोने-कोने में फैले हुए हैं. आज भी दारुल-उलूम देवबंद से हर साल लगभग चौदह सौ छात्र आलिम बन कर निकलते हैं.

देवबंद, जिसकी एक लाख से ज़्यादा जनसंख्या में मुसलमान 60 प्रतिशत हैं. वहाँ पहुँचने से पहले मेरी ये परिकल्पना थी कि ये बड़ा सूखा सा क़स्बा होगा, जहाँ उलेमा की तानाशाही होगी और उनकी ज़ुबान से निकला हुआ एक-एक शब्द इस इलाक़े की मुस्लिम आबादी के लिए अंतिम आदेश का दर्जा रखता होगा, जहाँ संगीत के बारे में गुफ़्तगू तक हराम होगी, हिंदू और मुसलमान एक दूसरे को दूर-दूर से हाथ जोड़ कर गुज़र जाते होंगे, वहाँ किसी की हिम्मत नहीं होगी कि बग़ैर किसी डाँट-फटकार के बिना दाढ़ी या टख़नों से ऊँचे पाजामे के बिना वहाँ बसे रह सकें. देवबंद में मुसलमान मुहल्लों में अज़ान की आवाज़ सुनते ही दुकानों के शटर गिर जाते होंगे और सफ़ेद टोपी, कुर्ता-पाजामा पहने दाढ़ी वाले नौजवान डंडा घुमाते हुए ये सुनिश्चित कर रहे होंगे कि कौन मस्जिद की ओर नहीं जा रहा है.


इसीलिए जब मैंने सफ़ेद कपड़ों में दाढ़ी वाले कुछ नौजवानों को देवबंद के मदरसे के पास एक नाई की दुकान पर शांति से अख़बार पढ़ते देखा तो फ़्लैशबैक मुझे उस मलबे के ढेर की ओर ले गया जो कभी हज्जाम की दुकान हुआ करता था.


जब मैंने टोपी बेचने वाले एक दुकानदार के बराबर एक म्यूज़िक शॉप को देखा जिसमें बॉलीवुड मसाला और उलेमा के भाषण और उपदेश पर आधारित सीडी और कैसेट साथ साथ बिक रहे थे तो मेरा दिमाग़ उस दृश्य में अटक गया जिसमें सीडीज़ और कैसेटों के ढेर पर पेट्रोल छिड़का जा रहा है. जब मैंने बच्चियों को टेढ़ी-मेढ़ी गलियों और बाज़ार से होकर स्कूल की ओर जाते देखा तो दिल ने पूछा यहां की लड़कियों के साथ स्कूलों में किसी को बम लगाने का विचार अब तक क्यों नहीं आया.


जब मैंने बुर्क़ा पहने महिलाओं को साइकिल रिक्शे में जाते देखा तो मन ही मन पूछने लगा यहां मुहर्रम के बग़ैर महिलाएं आख़िर बाज़ार में कैसे घूम फिर सकती हैं. क्या कोई उन्हें सोटा मारने वाला नहीं.


जब मैंने बैंड बाजे वाली एक बारात को गुज़रते देखा तो इंतज़ार करता रहा कि देखें कुछ नौजवान बैंड बाजे वालों को इन ख़ुराफ़ात से मना करने के लिए कब आँखें लाल करते हुए आते हैं.


जब मुझे एक स्कूल में लंच का निमंत्रण मिला और मेज़बान ने खाने की मेज़ पर परिचय करवाते हुए कहा कि ये फ़लाँ-फ़लाँ मौलाना हैं, ये हैं क़ारी साहब, ये हैं जगदीश भाई और उनके बराबर में हैं मुफ़्ती साहब और वो जो सामने बैठे मुस्कुरा रहे हैं, हम सबके प्यारे लाल मोहन जी हैं..... तो मैंने अपने ही बाज़ू पर चिकोटी काटी कि क्या मैं देवबंद में ही हूँ?


अब मैं वापस दिल्ली पहुँच चुका हूँ और मेरे सामने हिंदुस्तान और पाकिस्तान का एक बड़ा सा नक़्शा फैला हुआ है, मैं पिछले एक घंटे से इस नक़्शे में वो वाला देवबंद तलाश करने की कोशिश कर रहा हूँ जो तालेबान, सिपाहे-सहाबा और लश्करे-झंगवी जैसे संगठनों का देवबंद है.

Friday, May 15, 2009

अपना तो खून पानी ! जीना मरना बे मानी !

http://www.divyabhaskar.co.in/gujarat/rajkot/
Jagdish Acharya, Rajkot
Friday, May 15, 2009
સોમવારે વાંકાનેર પંથકમાં એક ધૃણાસ્પદ બનાવ બન્યો। વડોદરાના આદિવાસી વિસ્તારમાંથી પેટિયું રળવા માટે કામની શોધમાં આવી રહેલી પંદર-પંદર વર્ષની બે આદિવાસી બાળાઓ ઉપર બે શખ્સોએ બબ્બે વખત બળાત્કાર કર્યા। એ સમાચાર અખબારોમાં છપાયા। લોકોએ રસભર વાચી લીધા અને એ પછી મોટાભાગના લોકો ભૂલી પણ ગયા।

આ સમાચાર વાચીને સમાજમાં ખળભળાટ ન થયો. કોઈનું હૈયું રડયું નહીં. કોઈએ પોતાના હૃદયમાં પીડા ન અનુભવી. પંદર વર્ષની ગરીબ બાળાઓના શિયળ લૂંટાય એ ઘટના કદાચ શરમજનક નહીં ગણાતી હોય. એવું લાગે છે કે, આપણે સાવ લાગણીહિન, જડ, સંવેદનો વગરના અને આત્મા વગરની હાલતી ચાલતી લાશો જેવા બની ગયા છીએ.
જરા કલ્પના કરો. બન્નો બાળાઓની ઉમર માત્ર પંદર વર્ષની હતી. આપણી પંદર વર્ષની પુત્રી કે નાની બહેન હોય એવી જ એ નિર્દોષ હતી. આપણે આપણી પુત્રીઓને કરતા હોઈએ એટલું જ વહાલ એ બન્નો બાળાઓને પણ એમના મા-બાપ કરતા હશે. એ બાળાઓની ઉમર પણ હતી માતા-પિતા અને પરિવારના હેતભર્યા માળામાં પુષ્પની માફક ઉછરવાની. એ બાળાઓની ઉમર પણ હતી મમ્મી-પપ્પા પાસે લાડકોડ કરવાની, બાર્બીડોલની માગણી કરવાની.
એ બાળાઓની ઉમર પણ હતી લાડકા ભાઈઓ સાથે ધીંગામસ્તી કરવાની. એ બાળાઓની ઉમર પણ હતી સારું શિક્ષણ મેળવીને પોતાના ભવિષ્યને ઉજજવળ બનાવવાની, મુગ્ધ આંખો વડે સુખમય ભાવિના સ્વપ્નો નિહાળવાની. આપણી પુત્રીઓ જેવી જ એ બાળાઓ પણ માસૂમ હતી, નિર્દોષ હતી, ગભરુ હતી.
પણ, કમનસીબી એ હતી કે, એમના જન્મ ગરીબ પરિવારોમાં થયા હતા. એવા પરિવારોમાં જયાં પેટનો ખાડો કેમ પૂરવો એની દરરોજ સમસ્યા સર્જાતી. એ એવા પરિવારોમાં જન્મી હતી જેના નસીબમાં વિધાતાએ સમાજના શોષણનું ભોગ બનવાના લેખ લખ્યા હતા.
આ પરિવારોની ગરીબીનો કોઈને અંદાજ નથી. આદિવાસી વિસ્તારોમાં કાચા ઝૂંપડા બાંધીને જિંદગી ગબડાવ્યે જતાં આ લોકોની દરિદ્રતા, લાચારી અને મજબૂરીના એક અંશની કલ્પના પણ આંખો ભીની કરી જાય એવી છે અને આ મજબૂરી એ પરિવારના અબાલ-વૃઘ્ધો સહુને મજૂરી કરવા મજબૂર કરે છે.
આવી જ મજબૂરીને વશ થઈને આ બે આદિવાસી બાળાઓ આપણા સૌરાષ્ટ્રમાં કામની શોધમાં આવી રહી હતી. પેટનો ખાડો પૂરાય એટલું બે ટંકનું ભોજન મેળવવા એ પોતાના પરિવારજનોને છોડીને જામનગર જઈ રહી હતી ત્યારે ટ્રેનમાં બે હરામખોર વાસનાંધો એમને મળી ગયા. કૂદરતને ખોળે ઉછરેલી અને દુનિયાદારીથી અજાણ એવી આ નિર્દોષ બાળાઓ એ પાપીઓની આંખોમાં ઉછળતા વાસનાના સાપોલિયાઓને પીછાણી ન શકી. ભોળવાઈ ગઈ. ‘‘જામનગર આવી ગયું..’’ એમ જણાવી બન્નો નરાધમોએ એ બાળાઓને વાંકાનેર ઊતારી દીધી. બાળાઓ સાથે એમનો ૧૫ વર્ષનો ભાઈ પણ હતો.
એ પછીનો ઘટનાક્રમ સમગ્ર માનવજાતિ માટે કલંક સમાન ગણાય એવો છે. બન્નો નરાધમો રાત્રિના ગાઢ અંધકારમાં બન્નો અબૂધ બાળાઓ અને એના ભાઈને સીમમાં લઈ ગયા.
ત્યાં જઈ બાળાઓના ભાઈને માર મારીને ભગાડી દીધો. એ ક્ષણની કલ્પના કરો. એ તરુણની સ્થિતિ કેવી થઈ હશે ? પોતાની બહેનોના વાસનાંધ પિશાચો શું હાલ કરશે એ વિચાર સાથે એ કેવો કંપ્યો હશે ? એણે કેટલી વેદના અનુભવી હશે ? એને કેટલીચિંતા થઈ હશે ? અજાણી સીમના કાજળધેરા અંધકારમાં અથડાતાં, કૂટાતા એણે ‘‘બચાવો... મારી બહેનોને કોઈ બચાવો, ભગવાનને ખાતર કો’ક મદદ કરો...’’ એવા પોકાર પાડયા હશે અને જયારે કયાંયથી કોઈ જવાબ નહીં મળ્યો હોય ત્યારે થાકીને, હારીને એણે કેવા આંસું સાર્યા હશે ?
નરાધમોના હાથમાં સપડાયેલી બાળાઓની હાલત કેવી હશે ? જેને મદદગાર માન્યા હતા એ રાક્ષસોનું સ્વરૂપ અને મલિન ઈરાદો, પારખ્યા પછી બન્નો બાળાઓ કબૂતરની જેમ ફફડી હશે કે નહીં ? વાસનાંધ હરામખોરોએ સીમમાં બન્નોને પછાડીને બળાત્કાર ગુજાર્યો હશે ત્યારે પંદર-પંદર વર્ષની આ બન્નો બાળાઓએ કેવી પીડા અનુભવી હશે ? કેવું દર્દ થયું હશે ? બન્નોએ સહાય માટે ઈશ્વરને પ્રાર્થના કરી હશે. ‘જો મા, તારી ફૂલ સમી લાડલીઓને આ પિશાચો કચડી રહ્યા છે...’ એવો મૂક આર્તનાદ કર્યોહશે.
પંદર વર્ષની બાળાઓના શરીર ચૂંથનારાઓની કેવી વિકતિ હશે ? કઈ હદે એમણે વિકત્તિ ઠાલવી હશે એની આછેરી કલ્પના પણ હૈયું કંપાવી દે તેવી છે. વાત માત્ર આટલેથી જ નથી અટકતી. આ નરાધમોએ બાળાઓને બે દિવસ સધી પોતાના કબજામાં રાખી. બે દિવસમાં ૧૨૫ કિ.મી. ચલાવી. ભૂખી, તરસી, પાશવી અત્યાચારનો ભોગ બનેલી બાળાઓના શરીર કામ નહોતા કરતા.
દર્દ અને પીડા સહન નહોતી થતી. પગ લથડિયા ખાતા હતા. ચાલતા ચાલતા પણ આંખોના પોંપચા ઢળી જતા હતા. પણ આ રાક્ષસોમાં દયાનો છાંટો પણ નહોતો. ઘોદા મારી મારીને બાળાઓને ચલાવ્યે રાખી અને ત્યારબાદ થાકીને ઢળી પડેલી, લાચાર, ભયથી ધ્રુજતી બાળાઓ પર બન્નોએ બીજી વખત બળાત્કાર ગુજાર્યો.
આ બાળાઓ ઉપર કેવી વીતિ હશે ? એ બાળાઓના માતા-પિતા અને પરિવારજનો ઉપર કેવી વીતિ હશે ? આપણા સંતાનોને શાળા-કોલેજેથી ઘરે આવતા પંદર મિનિટ પણ મોડું થાય તો આપણા હૈયા થડકવા લાગે છે. ત્યારે, બે ઘડી આ બાળાઓના વાલીની જગ્યાએ દરેક મનુષ્ય પોતાને મૂકી જૂએ તો એ ગરીબોની વેદના સમજાશે.
તો આંખમાં ખુન્નાસ ઊતરી આવશે. તો નરાધમોને જીવતા સળગાવી દેવાનું ખુન્નાસ ઊભરાઈ આવશે.
વાત માત્ર આ એક કિસ્સાની નથી. ભરૂચ, ડાંગ, આહવા અને વડોદરાના આદિવાસી વિસ્તારોમાંથી ખેતમજૂરી તથા રસ્તાનો કામો કરવા મોટીસંખ્યામાં દિવાસી પરિવારો આવે છે. બે કોળિયા ભોજન માટે અહીં આશરો શોધનારા આ ગરીબ પરિવારોની તરુણીઓ અને યુવતીઓના અહીં આપણા સૌરાષ્ટ્રમાં શિયળો લૂંટાય છે.
અમરેલી જિલ્લાના એક ગામડામાં વાડીએકામ કરતી એવી જ એક યુવતી ઉપર થોડા સમય પહેલાં પાંચ-પાંચ લંપટોએ સામૂહિક બળાત્કાર કર્યોહતો. રાજકોટની હોસ્પિટલમાં એ યુવતીને લાવવામાં આવી ત્યારે એ બાપડી ઊભી પણ નહોતી રહી શકતી. અંતે એ યુવતી અગાસી ઉપરથી પડી ગઈ છે એવી નોંધ સાથે મામલો સમેટી લેવાયો.
આવા કિસ્સાઓ તો હિમશીલાના ટોચ સમાન છે. આદિવાસી યુવતીઓના શરીરો બળજબરીથી ચૂંથવા માટે જ સર્જાયેલા હોય એ હદે એમનું શારીરિક શોષણ થાય છે. આ આદિવાસી કન્યાઓ ખડતલ હોય છે. શારીરિક શ્રમને કારણે એમના દેહો ચૂસ્ત અને સ્નાયૂબઘ્ધ હોય છે. પણ, કઠણાઈ એ છે કે, એમની આખી છાતી ઢાંકી શકે એટલા વસ્ત્રો એમની પાસે નથી હોતા. એમની પાસેથી પસાર થતો દરેક પુરુષ એ ગરીબ શરીરો ઉપર વાસનાના લોલુપ તીરો ફેંકતો જાય છે.
શું આ આપણી સંસ્કતિ છે ? આપણે ધાર્મિક હોવાનો દંભ તો આબેહુબ કરતા રહીએ છીએ. જગતજનની અને મા ભગવતી જેવા શબ્દો ઊચ્ચારતા રહીએ છીએ. સ્ત્રી સન્માનની શાણી શાણી વાતો કરતા રહીએ છીએ. નારી ઉત્થાન માટેના સંમેલનો ભરતા રહીએ છીએ. બેટીઓને બચાવવા માટે રેલીઓ કાઢતા રહીએ છીએ અને બીજી તરફ, જેને પૂરતું ખાવાનું પણ નથી મળતું એવા લાચાર-ગરીબ મા-બાપોની લાડકવાયી બેટીઓના શિયળોને ભૂખ્યા વરુઓ ચૂંથતા રહે છે.
આ કઈ જાતની સભ્યતા છે ? આ કઈ જાતની સંસ્કતિ છે ? આ કઈ જાતનું પૌરુષત્ત્વ છે ? સાચું પૌરુષત્ત્વ તો અબળઆઓના શિયળોનું રક્ષણ કરવામાં છે. અનેક નરબંકાઓએ અબળાઓના શિયળો બચાવવા માટે મહામૂલા બલિદાનો આપ્યા છે. પણ, અફસોસ, સંત અને શૂરાની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રને આવા નપાવટો અભડાવી રહ્યા છે. આવા કત્યો નિહાળીને કદાચ ઈશ્વર પણ આંસું સારતા હશે. આ નરાધમોને ઈશ્વરના સંતાન કહેવાય ? ના, આ તો અધમમાં અધમ પાપની પેદાશો હશે. આ નરાધમોને પશુ કહેવાય ? ના, પશુઓ પણકદી બળાત્કાર નથી કરતા.
સૌરાષ્ટ્રમાં છાશવારે બનતી આવી ઘટનાઓ સમાજ માટે શરમજનક છે. બળાત્કારો કરનારા જાણે છે કે, આ આદિવાસીઓ ગરીબ છે. એમની કોઈ વગ નથી, એમનુ કોઈ મદદ કરવાનું નથી. જરૂર પડશે તો પાંચ-દસ હજાર રૂપિયા દઈને, શામ, દામ, દંડ, ભેદ અપનાવીને મામલો શાંત કરી દેશું. ગરીબોની હેસયિત શું ? ગરીબોને ન્યાય અને અન્યાય શું ?
આદિવાસી યુવતીઓ ઉપર બળાત્કારો ગુજારનારા કોઈને ઉદાહરણરૂપ સજા થઈ હોય એવું આજ સુધી સાંભળ્યું નથી. આ ગરીબોના નિ:સાસા કોઈને સંભળાતા નથી. સમાજમાં કોઈના પેટનું પાણી હલતું નથી. સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર આવા જઘન્ય કત્ય ન થવા જોઈએ. જે ભૂમિ ઉપર આવા ઘોર પાપકર્મ થાય એ ભૂમિનું સત હણાય જાય.
એવા બળાત્કારીઓને તો તાલિબાની પઘ્ધતિથી સદા માટે શાંત કરી દેવા જોઈએ. ન રહે બાંસ ન બજે બાસંૂરી. આવા બનાવોને જે સમાજ હળવાશથી જોયે રાખે એને માનવસમાજ ન કહેવાય, એને નપૂંસકોનો મેળો કહેવાય. એવા સમાજને મા ભગવતીના આરાધક ન કહેવાય, એને તો માતાજીના ‘ભગત’ કહેવાય.
>>>>
ગોવાના દરિયાકિનારે નશીલા દ્રવ્યો સુંઘી સુંઘીને મદહોશ બનેલી કોઈ વિદેશી મહિલા પયર્ટક ઉપર બળાત્કાર થાય છે ત્યારે ટીવી ઉપર ન્યૂઝ ચેનલો કાગારોળ કરી મૂકે છે. કણાર્ટકમાં દારૂના એક પબમાં નાચતી આધુનિક યુવતીઓને ‘રામસેના’ના કાર્યકરોએ ઢીકાપાટુ માર્યા ત્યારે આખો સમાજ ખળભળી ઊઠયો હતો. કેન્દ્રીય મંત્રી રેણુકા ચૌધરી કણાર્ટક દોડી ગયા હતા.શાળાની કોઈ વિધાર્થિની સાથે કોઈ લંપટ શિક્ષક અડપલાં કરે ત્યારે વિધાર્થી સંગઠનો શાળામાં જઈને તોડફોડ કરે છે.
પણ, બે કોળિયા ભોજન માટે આવતી ગરીબ આદિવાસી બાળાઓના શિયળો છાશવારે લૂંટાતા રહે છે એમાં કોઈનો આત્મા ઊકળતો નથી. એ બનાવોમાં નારી સંસ્થાઓને આંદોલન કરવા જેવું જણાતું નથી. એ બાળાઓની મદદે કોઈ દોડી જતું નથી. એ બાળાઓ અને એમના પરિવારજનોના મૂંગા હિબકાં, લાચારી, હાયકારા અને એમની આંખોના ખૂણે ઊભરાતાં આંસુઓનું દર્દ સમજી ન શકે એ સમાજને માનવસમાજ ન કહેવાય, એને નપુસંકોનો મેળો કહેવાય.
ગરીબોના શિયળ લૂંટાય એને કદાચ બળાત્કાર નહીં ગણવામાં આવતો હોય. સમાજના આ બેવડા ધોરણ, આપણે કેટલા દંભી, પાખંડી, સ્વાર્થી અને સંવેદનહિન છીએ એનું પ્રતિબિંબ પાડે છે.