Monday, June 23, 2014

તકદીર - નસીબ - ભાગ્ય, ઈસ્લામી માન્યતા અને અકીદો.

તકદીર - નસીબ

ઇસ્લામનો એક બુનિયાદી અકીદો અને ઈમાનનો મહત્વનો ભાગ 'તકદીર' ઉપર ઈમાન રાખવું છે.
તકદીર ઉપર ઇમાન ધરાવવાનો મતલબ શું છે ? 
અલ્લાહ તઆલાની કુદરત અને શકિત અપાર છે. આપણને દેખાતી આ દુનિયા અને નથી દેખાતી એવી અનેક દુનિયાઓ, ઉપરાંત ભૂતકાળ અને ભવિષ્યની અનેક વસ્તુઓ અલ્લાહ તઆલાએ એની શકિતથી પેદા કરી છે અને નષ્ટ કરી છે. પેદા કરશે અને નષ્ટ કરશે. આવી અપાર શકિતઓના માલિક અલ્લાહ તઆલાનું ઇલ્મ અને જ્ઞાન પણ અપાર છે. એટલે કે પહેલેથી જ આગળ પાછળનું બધું જ, સંપૂર્ણ, રજે રજ અલ્લાહ તઆલાની જાણકારી અને ઇલ્મમાં છે. ઝાડના પાંદડાના હલવું અને જમીનનો ધરતીકંપ, દુનિયાની ઉત્પત્તિ અને વિનાશ - કયામત... એ પહેલાં અને પછીની દરેક વસ્તુ અલ્લાહ તઆલાને ખબર છે.
સમય મુજબ અલ્લાહ તઆલાની જાણકારી પ્રમાણે જ અલ્લાહ તઆલા એની કુદરત અને શકિતથી દરેક વસ્તુનું સર્જન કરે છે, નષ્ટ કરે છે, સંજોગો સજર્ે છે અને પરિણામ આપે છે, પરિવર્તન કરે છે નવીનતા પેદા કરે છે. આમ બધું જ અલ્લાહ તઆલાના જ્ઞાન મુજબ એની જ શકિત અને કુદરતથી થવાને 'તકદીરે ઇલાહી' કહેવાય છે. કોઈનું નેકી કરવું અને કોઈનું બદી આચરવું પણ આ જ અકીદાને આધીન છે. દરેક મુસલમાને આ અકીદો રાખવો જરૂરી છે કે જે કંઈ થાય છે, ચાહે તે બંદાની દષ્િટએ સારી વાત હોય કે બુરી, લાભદાયી હોય કે નુકસાનકારક, નેકી હોય કે ગુનો.. બધું જ અલ્લાહ તઆલાના કરવાથી થાય છે.

આ અકીદાનો જાહેરી મતલબ આ છે કે, 
જો બંદાની નેકી અને ગુનાહ પણ અલ્લાહની તકદીર મુજબ જ થાય છે, અને માણસને એની મહેનતનાં ફળ પણ એની તકદીર મુજબ જ મળે છે, તો પછી કોઈ પણ કામ કે નેકી - બદી બાબતે બંદાને ગુનેગાર ઠેરવવો અને કામ્યાબ ઠેરવવો ખોટું છે. ગુના ઉપર અઝાબ અને નેકીનો સવાબ પણ બંદાને શા માટે મળે ? કારણ કે બધું જ તકદીર મુજબ છે. પરંતુ... તકદીરના અકીદાનો મતલબ આવો હરગિઝ નથી...

અલ્લાહ તઆલાનું ઇલ્મ અને તકદીર અલ્લાહ તઆલા સાથે છે. બંદાને એ વિશે કોઈ ખબર નથી. અને અલ્લાહ તઆલાએ માણસનું સર્જન કરીને એને પોતાના જ્ઞાન અને તકદીર મુજબ સારા - નરસાની સમજ અને કામ કરવા કે ન કરવાની સમજ, ઇરાદો અને શકિત પણ આપી છે. અને એ મુજબ કામ કરવાને માણસ ઉપર ફરજ ઠેરવ્યું છે. માણસ એ સમજ અને શકિત મુજબ દરેક કામ એને આપવામાં આવેલ ઇરાદા- અધિકાર, અને આવડત મુજબ કરે છે. અલ્લાહ તઆલાની તકદીરથી નાવાકેફ બંદો આ બધું પોતાની રીતે જ કરે છે અને પોતાના થકી જ થાય છે એમ સમજે છે. જયારે કે વાસ્તવિકતામાં આ બધું અલ્લાહ તઆલાના ઇલ્મ અને તકદીર મુજબ થતું હોય છે અને એ મુજબ જ પરિણામ આવતું હોય છે. માણસ આ આધારે જ પોતાના ઇરાદા અને શકિત મુજબ શરીઅત ઉપર અમલ કરવાને તાબેદાર છે અને નેકી - બદી કરીને સવાબ કે અઝાબનો હકદાર બને છે.
અલબત્ત એક મહત્વની વાત આ છે કે,
અલ્લાહ તઆલાના ઇલ્મ અને તકદીરથી નાવાકેફ બંદો એની સમજ મુબજ પોતાની રીતે જ બધું કરે છે અને એના આધારે જ પરિણામ ભોગવે છે તો પછી તકદીર ઉપર ઈમાન લાવવું શા માટે જરૂરી ઠેરવવામાં આવ્યું ? એ સમજવું જરૂરી છે.
મવ. તકી ઉસ્માની સાહેબ દા.બ. ફરમાવે છે કે આ માટે બે વસ્તુઓ સમજવી જરૂરી છે. એક આ કે, કોઈ કાર્ય કરવા પહેલાં જ તકદીરના અકીદાનું બહાનું બનાવીને અથવા એમ વિચારીને કે તકદીર મુજબ જે થવાનું હશે તે થશે, માણસ કામ કરવાથી અટકી ન જાય. બલકે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે બંદાએ એના પ્રયત્નો કરવાના જ છે. તકદીરમાં શું છે એની એને ખબર નથી. અને પરિણામથી આવી અજાણતા માણસને કામ કરવાથી અટકાવવા માટે કાફી નથી.
બીજી વાત આ કે, તકદીરના અકીદા મુજબ માણસના અમલ અને વર્તનની શરૂઆત કોઈ કામ થયા પછી કે ઘટના બની ગયા પછી શરૂ થાય છે. કોઈ ઘટના થઈ ગયા પછી મુસલમાન બંદો વિચારે કે મારે જે અસબાબ અપનાવવાના હતા, જે પ્રયત્નો કરવાના હતા, તે બધું કરી લીધું. હવે પરિણામ મારા પ્રયાસો અને તદબીરથી વિપરિત આવ્યું છે તો ભલે, એ અલ્લાહનો ફેસલો અને તકદીર છે, અમે એના ઉપર રાજી છીએ. 
તકદીરનો ફેસલો આપણી સામે નથી આવી જતો, ત્યાં સુધી મહેનત કરવી અને તદબીર કરવી, અસબાબ અપનાવવા, સાવચેતી રાખવી, રક્ષાણ કરવું આપણી ફરજ છે. કારણ કે શકિત મુજબ પ્રયાસો કરવા આપણી ફરજ છે અને આપણને ખબર નથી કે તકદીરમાં શું થવાનું છે. આમ વિચારવાથી ફાયદો આ થશે કે નાકામી અને અસફળતા ઉપર માણસની માયૂસી અને તકલીફ ઓછી થાય છે. તેમજ માણસને આગળનું વિચારવાની અને બીજું કામ કરવાની હિમ્મત મળે છે. (તકદીર પર રાજી રહેના ચાહિયે)
અને જો માણસ એની મહેનતમાં સફળ થાય તો તકદીર ઉપરનું ઈમાન એને માર્ગદર્શન આપે છે કે આ સફળતામાં મારો કોઈ ફાળો નથી. એમાં મારી કોઈ ખૂબી નથી. એ તો અલ્લાહ તઆલાએ લખેલું જ હતું અને આમ થવાનું જ હતું, મેં જે મહેનત કરી એ અલ્લાહ તઆલાએ કબૂલ કરી એ એની મહેરબાની છે. આમ વિચારવાથી ફાયદો આ થશે કે માણસમાં અભિમાન, ઘમંડ, તકબ્બુર અને મોટાઈ નહી આવે. સફળતાથી અભિમાની બની જનારા માણસો વાસ્તવમાં તકદીરથી બેખબર હોય છે. તકદીર ઉપર એમનું ઈમાન કાચું હોય છે.

-------------

Friday, June 13, 2014

કુરઆન. સર્જનહારનો સાચો સંદેશ, સૌને માટે..

અરબી ભાષા મુજબ 'કુરઆન'નો અર્થ થાય છે, વારંવાર વંચાતી અને પઠન કરવામાં આવતી વાત. કુરઆનનું આ નામ એટલા માટે છે કે કુરઆનની વાતો એને સમજનારા માટે એટલી આકર્ષક અને અર્થસભર છે કે અન્ય પુસ્તકોથી વિપરીત એને વારંવાર વાંચવા છતાં માણસનો વાંચન શોખ અધૂરો રહે છે, અને કુરઆનના અર્થ અને મર્મ પણ ખૂટતા નથી.
કુરઆનનું બીજું નામ કુરઆનમાં જ દર્શાવ્યા મુજબ કિતાબ છે.
'કિતાબ' એટલે શું ? 
ટુંકમાં આપણે એટલું કહી શકીએ કે એકની વાત બીજા સુધી, બલકે આવતી પેઢીઓ સુધી, એવી રીતે પહોંચાડવી કે કહેનારનો આશય અને હેતુ સંપૂર્ણ રીતે બાકી રહેવાની સાથે વાત અન્યો સુધી પહોંચે, એવા ચુનંદા શબ્દો અને વાક્તયોને ભેગા કરીને એમાં રજૂ કરવામાં આવે અને વાંચનાર એના મતલબ અને મર્મ ઉપરાંત ફક્તત શબ્દો અને વાક્તયોમાં પણ કહેનારનું પ્રતિબિંબ જોઈ શકે, એવા શબ્દોના સંગ્રહનું નામ 'કિતાબ'. આ રીતે જોઈએ તો 'કિતાબ' કહેવાને લાયક 'ઇશવાણી' એટલે કે અલ્લાહ તઆલાની વાતો જ હોય શકે. આ આધારે જ આપણે કહી શકીએ કે વિશ્વામાં પ્રચલિત 'કિતાબ' અને પુસ્તકની પરંપરાનો મુળ સ્ત્રોત આ ખુદાઈ તરીકો જ છે.
કુરઆનમાં દર્શાવ્યા મુજબ જ કુરઆનના અન્ય નામો અને ઉપનામો પણ છે. અને લગભગ બધા જ નામોમાં બોધ, નસીહત, શિખામણ અને શિક્ષાણ - તાલીમનો અર્થ ભારોભાર ભરેલો છે. આ બાબત પૂરવાર કરે છે કે 'કુરઆન' એક અભ્યાસ કરવાને લાયક, વાંચન અને મનન કરવાને પાત્ર, અને અનુસરણ કરવાને યોગ્ય 'કિતાબ' છે.
કુરઆન વિશે બીજી બુનિયાદી વાત આ છે કે, તે ફક્તત મુસલમાનોનું ધર્મપુસ્તક નથી, જેમ કે સમજવામાં આવે છે. કુરઆન સ્વંય અને એના સર્જક અલ્લાહ તઆલા કુરઆનમાં જ કહે છે કે આ 'કિતાબ'નાં સંબોધનો દરેક તે માણસ માટે છે, જે એને સમજવાનો પ્રયત્ન કરે, ચાહે તે મુસલમાન હોય કે ન હોય. એટલે જ કુરઆનમાં અનેક સ્થળોએ ''હે લોકો ''નું સંબોધન છે. ઘણી જગ્યાએ કોઈ વિચારવાની વાત રજૂ કરીને પછી કહેવામાં આવે છે :
આ વાતમાં સમજદારો માટે શિખામણ છે.
તમે સમજતા કેમ નથી ? વગેરે..
કુરઆનની સઘળી વાતો અથવા બુનિયાદી વાતો અને સિદ્ઘાંતોને સ્વીકારીને અને અનુસરીને મુસલમાન કે મોમિન કહેવાતા લોકો માટે આગળના વિશેષ આદેશો અને આદર્શાે  પણ એમાં છે, અને તે વેળા કુરઆનમાં ''હે ઈમાનવાળાઓ ''નું સંબોધન પણ આવ્યું છે. પણ.. મુળભુત રીતે કુરઆનનું સંબોધન દરેક માણસ માટે છે.
ત્રીજી બુનિયાદી બાબત આ છે કે, કુરઆનના પઠન, વાંચન અને અભ્યાસ માટે બે વસ્તુઓ અતિઆવશ્યક છે :
(૧) તર્ક - બુદ્ઘિ અને
(ર) આસ્થા - શ્રદ્ઘા.
કુરઆનમાં જ્યાં જ્યાં કોઈ પાયાની વાત સમજાવવામાં આવી છે, ત્યાં વાતના અંતે તર્ક - બુદ્ઘિને અપીલ કરીને અથવા આસ્થા - શ્રદ્ઘાને જગાડીને વાત સમજવાની તાકીદ કરવામાં આવી છે. સામાન્ય પણે નાસ્તિકતાના બદલે આસ્તિકતા અથવા એકશ્વરવાદ (તવહીદ)ની વાત સમજાવીને તર્ક - બુદ્ઘિને અપીલ કરવામાં આવી છે. અને આસ્તિકતા (ધર્મ)ની આગળની વાતો એટલે કે જન્નત, જહન્નમ, પાપ, પુણ્ય, કર્મ, ફળ, ભાગ્ય, પરલોક વગેરેની વાતો દર્શાવ્યા પછી તર્ક અને બુદ્ઘિની સાથે આસ્થા તેમજ શ્રદ્ઘાને જગાડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો કુરઆનનું સંબોધન બે પ્રકારના લોકો માટે છે.
(૧) કોઈ પણ ધર્મને ન માનનાર એટલે કે નાસ્તિક લોકો. અને
(ર) કુરઆન અને ઇસ્લામ, બલકે કમથી કમ કોઈ પણ આસમાની ધર્મ (ઈસાઈ, યહૂદી વગેરે)ને માનનાર લોકો.
પ્રથમ પંકિતના લોકોને તાર્કિક અને બુદ્ઘિગમ્ય દલીલો દ્વારા અને બીજા પ્રકારના લોકોને માટે તર્ક સાથે આસ્થા મારફતે પણ વાત સમજાવવામાં આવી છે.
ઉપરોક્તત ત્રણ બાબતોનો નિષ્કષ્ર્ા આ છે કે, કુરઆન એક વાંચવા અને સમજવાને પાત્ર 'કિતાબ' છે. એનું સંબોધન દરેક માણસ માટે છે અને ખુદા તઆલાએ પોતાની વાત એમાં તાર્કિક રીતે પણ દર્શાવી છે. આ જ બાબતને ટુંકમાં આમ કહી શકાય કે, '' કુરઆનનું પઠન ધર્મપરિવર્તન માટે નહી, બલકે ધર્મપરિચયના હેતુએ કરવામાં આવે તો એ પણ ઇચ્છનીય છે. ''
કુરઆનના એક સામાન્ય અભ્યાસુ હોવાથી આ બુનિયાદી વાતો હું જાણું અને સમજું છું. અને કુરઆનના અનેક વિવરણકારો (તફસીર કર્તાઓ) આ વાતોને સવિસ્તાર લખતા અને પૂરવાર કરતા આવ્યા છે.
દરેક માટે સંબોધન ધરાવતી, બુદ્ઘિગમ્ય અને તાર્કિક તેમજ આસ્થા અને શ્રદ્ઘાપૂર્ણ વાતો - દલીલો ધરાવતી, સમજવા અને વાંચવા પાત્ર 'કિતાબ'ને અને એની વાતોને અન્યો સુધી પહોંચાડવી દરેક તે માણસની ફરજ છે, જે પોતે કુરઆનથી પરિચિત હોય. વિશેષ કરીને મુસલમાનોની આ પ્રથમ ફરજ છે. કારણ કે પહેલા દિવસથી જ કુરઆન તેમની પાસે છે, અને એમના પૂર્વજો પરંપરાગત રીતે કુરઆનનું અનુસરણ કરવા ઉપરાંત એના સંદેશને અન્યો સુધી યોગ્ય રીતે પહોંચાડવાની પવિત્ર ફરજ બજાવતા આવ્યા છે. પરંતુ આજે સ્િથતિ આ છે કે, પોતાના વિશે કુરઆનના એકમાત્ર અનુયાયી અને રખેવાળ હોવા દાવો કરતા મુસલમાનો, અન્યોને કુરઆનનો પરિચય કરાવતા કે એની વાતો અન્યોને સમજાવતા નજરે પડતા નથી.
મુસલમાનો સિવાયના લોકો સામાન્ય પણે કુરઆનને ફક્તત ઇસ્લામના એક એવા ધર્મપુસ્તક તરીકે જાણે છે, જેમાં ફક્તત મુસલમાનોને જ સંબોધન કરવામાં આવ્યું હોય. જયારે કે વાસ્તવિકતા આ છે કે આખા કુરઆનમાં મુસલમાનોને સીધી રીતે શિખવાડવામાં આવેલ ઇસ્લામી આદેશો કરતાં મુસલમાન ન હોય એવા લોકોને ઇસ્લામની સમજણ માટે દર્શાવવામાં આવેલ નસીહતો, દલીલો, કિસ્સાઓ, અને ઉદાહરણો વધારે છે.
ખરી રીતે જોઈએ તો આ એક અંધકારમય માહોલ ગણાય. કારણ કે પરિચય ન હોવાનું મોટું નુકસાન આ થાય છે કે લોકો માંહે ગેરસમજ પ્રસરે છે. સમાનતા અને એકતાના વિવિધ મુદ્દાઓ ભુલાય જાય છે અને વિવાદ - વિરોધની વાતો એના સ્થાને લોકોમાં પ્રચલિત થઈ જાય છે. વર્તમાન માહોલમાં ભારતમાં હિંદુ - મુસ્લિમ વચ્ચે અને વિશ્વભરમાં અન્ય ધર્મીઓ અને મુસલમાનો વચ્ચે વધી રહેલા અંતર અને અવિશ્વાસનું બુનિયાદી કારણ આ જ છે.
સૃષ્ટિનો સર્જનહાર એક છે.
મૃત્યુ પછી પરલોક - આખિરતમાં પાપ અને પુણ્યનો હિસાબ થશે અને જન્નત - જહન્નમનો ફેસલો થશે.
ભાગ્ય (નસીબ, તકદીર) કર્મનાં ફળ, વગેરે ઘણી માન્યતાઓ, વિશ્વના અનેક ધર્મોમાં સમાન રીતે બુનિયાદી સ્થાન ધરાવે છે.
ઉપરાંત માનવીય સંસ્કારો અને અખ્લાક પણ બધા ધર્મોમાં એક સમાન જેવા હોય છે. આવી બાબતો એકતા અને સમાનતાના મુદ્દાઓ છે. આવી બાબતો વિવિધ ધર્મો અને સમાજો વચ્ચે પરસ્પરના સંબંધોની બુનિયાદ છે અને વિશ્વની સલામતી અને શાંતિનો આધાર પણ એકતા અને સહમતીના આ મુદ્દાઓ જ છે.
-------------
-------------------------------

Sunday, April 27, 2014

કુરઆને કરીમ અને આસમાની કિતાબો, ઇસ્લામી અકીદા અને સામાન્ય જાણકારી

વિવિધ કાળે અલ્લાહ તઆલા તરફથી મોકલવામાં આવેલ નબીઓને અલ્લાહ તઆલા તરફથી કિતાબો આપવામાં હતી. સામાન્ય પણે એને 'આસમાની કિતાબો' કહેવામાં આવે છે. આ કિતાબો એટલે કે લોકો માટે અલ્લાહ તઆલાના આદેશો, હુકમો, માર્ગદર્શનો વગેરેનો સંગ્રહ. આવી કિતાબો કોઈ નબીને એક સામટી આદેશોના સંગ્રહ સ્વરૂપે આપવામાં આવી તો કોઈ નબીને જરૂરત મુજબ સમયાંતરે કિતાબના આદેશોથી વાકેફ કરવામાં આવ્યા. અને એ બધા આદેશોને 'કિતાબ' સ્વરૂપે રક્ષિાત રાખવાનો આદેશ આપવામાં આવ્યો. અલબત્ત અલ્લાહ તઆલાના દરબારમાં એ બધી જ કિતાબો પહેલેથી જ પૂર્ણ સ્વરૂપે મોજૂદ હતી અને છે.
આવી કેટલી કિતાબો, કયા કયા નબીઓને આપવામાં આવી, એની પૂર્ણ વિગત કોઈને ખબર નથી. પણ ચાર કિતાબો મશ્હૂર છે. જે અલગ અલગ નબીઓને આપવામાં આવી હતી. 
(૧) તવરાત. હઝરત મૂસા અલૈ. ઉપર નાઝિલ થઈ હતી. એની ભાષા ઇબરાની હતી. 
(ર) ઝબૂર. હઝરત દાઉદ અલૈ. ઉપર નાઝિલ થઈ હતી. ભાષા સુરયાની હતી. 
(૩) ઇન્જીલ હઝરત ઈસા અલૈ. ઉપર નાઝિલ થઈ હતી. ભાષા ઇબરાની હતી. 
(૪) કુરઆન મજીદ. સય્યિદના નબીએ કરીમ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર અરબી ભાષામાં ઉતારવામાં આવ્યું. 
આ કિતાબો ઉપરાંત અન્ય અમુક નબીઓને નાના મોટી કિતાબો આપવામાં આવી. જેનું વર્ણન કુરઆનમાં છે. હઝરત ઇબ્રાહીમ અલૈ. અને હઝરત મૂસા અલૈ.ને 'સહીફહ'  આપવામાં આવ્યા હોવાનું વર્ણન કુરઆનમાં છે. પણ આ બધાની વધુ વિગત કુર્આન - હદીસમાં દશર્ાવવામાં આવી નથી. કુરઆનથી જ આ પણ પુરવાર છે કે યહૂદીઓ અને ઈસાઈઓ પાસે મોજૂદ વર્તમાન તવરાત, ઇન્Òલ અને ઝબૂર (જેને આજકાલ તેઓ બાઇબલ Old testament & New testament કહે છે, તે અસલી સ્વરૂપમાં નથી. એમાં લોકોએ ફેરફાર કરી દીધો છે.
આજના યહૂદીઓ અને ઈસાઈઓ પણ આ વાત સ્વીકારે છે કે વર્તમાન બાઇબલમાં વાસ્તવમાં હઝરત મૂસા અલૈ. અને હઝરત ઈસા અલૈ.ને આપવામાં આવેલ અલ્લાહ તઆલાના હુકમો અને હિદાયતોને એમના અનુયાયીઓએ ભેગી કરી છે. અને એમાં અત્યાર સુધી અનેક સુધારા વધારા થયા છે. આવી સ્થિતિમાં આ કિતાબો વિશે એના 'આસમાની કિતાબ' હોવાના અકીદો રાખવો ખોટો છે. બલકે મુસલમાને એમ અકીદો રાખવો જરૂરી છે કે આવા (તવરાત, ઇન્જીલ, ઝબૂર) નામોની કિતાબો આગલા અંબિયા અલૈ. ઉપર નાઝિલ થઈ હતી. 
કુરઆન શરીફના નાઝિલ થવાથી આગલી આવી કિતાબોના આદેશો અને શરીઅતો કેન્સલ કરાર દેવામાં આવી છે અને એના સ્થાને કુરઆની આદેશો અને શરીઅત જ અલ્લાહ તઆલાના ખરો હુકમ ગણવામાં આવશે.
કુરઆન શરીફ મુજબ હવે શરીઅતે મુહમ્મદી કયામત સુધી બાકી રહેશે, એ રદબાતલ કે કેન્સલ થશે નહી. કુરઆન શરીફ અલ્લાહ તઆલાનું કલામ છે, માટે એ અલ્લાહ તઆલાની જેમ સદા રહેનારી વસ્તુ છે. કુરઆન અને હદીસથી જન્નતીઓનું જન્નતમાં કુરઆનની તિલાવત કરવાની વાત પણ સાબિત છે. અલબત્ત કયામત પૂર્વે છેલ્લી ઘડીઓમાં જયારે દુનિયામાં કોઈ મોમિન હશે નહી, અને ત્યારે કુરઆન દુનિયામાંથી ઉઠાવી લેવામાં આવશે, એટલે કે કુરઆન શરીફ લેખિત સ્વરૂપે, કે કોઈને કંઠસ્થ - હિફજ હોવાના સ્વરૂપે, અથવા જે કોઈ સ્વરૂપે હશે તે ખતમ થઈ જશે. હદીસ શરીફમાં છે કે એક રાત એવી આવશે કે સવારે કુરઆનના બધા અક્ષારો ખતમ, અને લોકોના દિમાગમાંથી બધું કુરઆન ભુલાઈ જશે અને કયામત કાયમ થશે - શરૂ થશે. (તબરાની, દારમી)
ઉલમા ઉપરોકત હદીસનો મતલબ દર્શાવતાં લખે છે કે આ વેળા દુનિયામાં કોઈ મોમિન હશે નહી, માટે કુરઆન ઉપર કોઈ અમલ કરનારંુ પણ ન હશે, અને અલ્લાહ તઆલાને આ વાત પસંદ ન હશે કે કુરઆન શરીફ આવી રીતે અમલના લાભ વગર બેકાર દુનિયામાં રહે, માટે ઉઠાવી લેવામાં આવશે.
કુરઆન શરીફની હિફાઝતની જવાબદારી અલ્લાહ તઆલાએ લીધી છે, માટે એમાં કોઈ ફેરફાર આજ સુધી થઈ શકયો નથી, અને થશે પણ નહી.
કુરઆન શરીફ અલ્લાહ તઆલાની કિતાબ અને 'કલામ' હોવાનો મતલબ આ છે કે એના શબ્દો પણ અલ્લાહ તઆલાના જ છે અને જે કંઈ એના દ્વારા કહેવામાં આવ્યું છે, એ અર્થ અને વાતો પણ અલ્લાહ તઆલાની છે. એવું નથી કે અલ્લાહ તઆલાની વાતો, આદેશો, માર્ગદર્શન, વગેરે અલ્લાહ તઆલા પાસેથી લઈને પછી હઝરત જિબ્રઈલ અલૈ. એ અથવા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતાના શબ્દોમાં લોકો સમક્ષા રજૂ કરી હોય.
સઘળી આસમાની કિતાબોમાં કુરઆન સૌથી વધારે ફઝીલત ધરાવે છે.
પૂરું કુરઆન 'સૂરએ ફાતિહા'થી લઈને 'સૂરએ વન્નાસ' સુધી સંપુર્ણ પણે રક્ષિાત છે, રહેશે, અને એવો જ અકીદો રાખવો જરૂરી છે. એમાં ફેરફાર થવા કે કોઈ શબ્દ અથવા અક્ષારના ઓછા વધતા હોવાની વાત કુફ્ર છે.
કુરઆન શરીફ ઇસ્લામના સાચા હોવા અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની નબુવ્વતની સૌથી મોટી દલીલ પણ છે. તે એવી રીતે કે કુરઆનના સાચા હોવા અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની નુબુવ્વત બાબત જયારે લોકોએ કોઈ પુરાવો અને દલીલ માંગી તો અલ્લાહ તઆલા તરફથી કુરઆનને ચેલેન્જ સ્વરૂપે રજૂ કરીને કહેવામાં આવ્યું કે, જો આ કુરઆન અલ્લાહ તઆલાનું 'કલામ' ન હોય, અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની 'વાતો' હોય તો તમારામાંથી કોઈ માણસ આવું કલામ બનાવી લાવે. અને પછી કુરઆનમાં જ અલ્લાહ તઆલાએ એમ પણ ફરમાવી દીધું કે એક સુરત શું, એક આયત પણ કોઈનાથી એના જેવી બનાવી શકાશે નહી. માટે કુરઆનના 'કલામે ઇલાહી' અને 'બેનમૂન' હોવાનો અકીદો રાખવો પણ જરૂરી છે.
કુરઆન મજીદની વર્તમાન તરતીબ અને ક્રમ એ આસમાની છે, એટલે કે અલ્લાહ તઆલાએ નક્કી ફરમાવેલ છે. અલ્લાહ તઆલા પાસે લવ્હે મહફૂઝમાં કુરઆન સંપૂર્ણ પણે મહફૂઝ છે. એમાંથી જરૂરત મુજબની આયતો અને આદેશો જે તે સમયે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર ઉતારવામાં આવી. જયારે કોઈ સૂરત કે આયત ઉતરતી તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ હઝરત જિબ્રઇલ અલૈ.ના માર્ગદર્શન મુજબ સહાબાને એ સૂરત અને આયતનું સ્થાન અને ક્રમ બતાવી દેતા હતા. 
ખુલાસો એ કે કુરઆન શરીફ નાઝિલ થતી વેળા આ તરતીબ ન હતી, અલબત્ત એ પહેલાં લવ્હે મહફૂઝની અને વર્તમાનની તરતીબ પહેલેથી જ આ મુજબ હતી.
----------------------

Monday, April 21, 2014

અલ્લાહ, એટલે ...ઇસ્લામી માન્યતા અને અકીદો

અલ્લાહ તઆલા પોતાની ઝાત (વાસ્તવિક રીતે મોજૂદ હોવા) અને સિફાત (વિવિધ પ્રકારના ગુણો અને શકિતઓ) માં 'એક' (બેનમૂન) છે. એટલે કે આ બન્ને બાબતોમાં એના જેવું બીજુું કોઈ નથી. આ તવહીદનો અકીદહ છે. અલ્લાહ તઆલા જેવી ખૂબી અને શકિત કોઇ અન્ય વિશે સ્વીકારવાને શિર્ક કહે છે.
અલ્લાહ તઆલા શરીર, અંગ, અવયવ (હાથ, પગ, આંખ, આંગળી) વગેરે અથવા બીજો કોઈ પણ કાલ્પનિક કે અકાલ્પનિક આકાર ધરાવતા નથી.
આ જ પ્રમાણે શરીરને જરૂરી હોય એવી બાબતો જેમ કે ખાવા, પીવા, ચડવા, ઉતરવા, દોડવા, ચાલવા, જેવા કાર્યોથી પણ પવિત્ર છે. મતલબ કે અલ્લાહ તઆલા માણસો જેવા આ કાર્યો કરવાના મોહતાજ નથી અને આ બધું એની શાન - દરજ્જાના વિરુદ્ઘ છે.
કુરઆન અને હદીસમાં અલ્લાહ તઆલા માટે અમુક અવયવો અથવા લોકો જેવા અમુક કાર્યોનો ઉલ્લેખ છે. એનાથી અલ્લાહ તઆલાની વિવિધ સિફાત (ગુણો અને શકિતઓ) મુરાદ છે. માનવીની જેમ અલ્લાહ તઆલાના હાથ પગ હોવું મુરાદ હરગિઝ નથી.
અલ્લાહ તઆલાનું કલામ સાચું અને વાસ્તવિક છે. એમાં શંકાને પણ કોઈ સ્થાન નથી. અલ્લાહ તઆલાના કલામમાં જૂઠ કે અવાસ્તવિક હોવાની શંકા કે વહેમ કરવો પણ કુફ્ર છે.
અલ્લાહ તઆલાના ફેસલા અટલ હોય છે. હા અલ્લાહ તઆલા પોતે પોતાના ફેસલા બદલવા શકિતમાન છે, પણ બદલતા નથી.
દુનિયામાં જે કંઈ થાય છે એ બધું જ અલ્લાહ તઆલાના ઇલ્મ - જાણમાં છે. દરેક બાબત પહેલેથી જ અલ્લાહ તઆલાની જાણમાં છે અને અલ્લાહ તઆલા એ મુજબ જ દરેક વસ્તુ પેદા કરે છે.
અલ્લાહ તઆલા દરેક પ્રકારની ખૂબીઓ અને શકિતઓના માલિક છે. અલ્લાહ તઆલા સદાથી છે અને સદા માટે છે. એટલે કે એનો કોઈ આરંભ નથી, બલકે પહેલેથી જ છે અને એનો કોઈ અંત પણ નથી એટલે કે સદાને માટે રહેનાર છે. પહેલેથી જ મોજૂદ હોવાને ઉર્દૂમાં 'અઝલી' અને સદાએ રહેવાને ઉર્દૂમાં 'અબદી' કહેવામાં આવે છે.
અલ્લાહ તઆલા દરેક વસ્તુ અને દરેક બાબતે શકિતમાન છે. કુદરત ધરાવનાર (કાદિર) છે. તે આ દુનિયાને પેદા કરવા અને એનો નાશ કરવા ઉપર, બલકે અનેકવાર આમ કરવાની પણ કુદરત ધરાવે છે.
દરેક વસ્તુ અને બાબતની જાણકારી ધરાવે છે. નાની મોટી કોઈ પણ વસ્તુ એના ઇલ્મથી બહાર નથી.
તે સ્વતંત્ર ઇરાદો ધરાવે છે. જે ચાહે તે કરે અને જે ચાહે તે ન કરે. કોઈ બાબતે કરવા, ન કરવાને મજબૂર નથી.
કુરઆનમાં છે કે અલ્લાહ તઆલા દરેક વસ્તુ જુએ અને સાંભળે છે. આ બાબતે અલ્લાહ તઆલા પૂર્ણ શકિત અને ખૂબીના માલિક છે. નાની મોટી અને છૂપી - ખુલ્લી દરકે વસ્તુ એની નજરમાં છે અને મોટેથી કે ધીરેથી બોલવામાં આવતી દરેક વાત એ સાંભળે છે.
કુરઆન અલ્લાહ તઆલાનું કલામ છે. અને અલ્લાહ તઆલા ફરિશ્તાઓ - નબીઓ મારફત એની વાતો લોકો સુધી પહોંચાડે છે. અલબત્ત કલામ - વાણી માટે અલ્લાહ તઆલા શબ્દો, અવાજ, ઉચ્ચાર, જીભ વગેરેના મોહતાજ નથી. આ બધા વગર અલ્લાહ તઆલા કલામ કરે છે.
દરેક વસ્તુને અલ્લાહ તઆલા પેદા કરે છે. આ સઘળી સૃષ્ટિ પણ પહેલાં ન હતી, પછી અલ્લાહ તઆલાએ એને પેદા કરી.
તે જ જવાડનાર, મારનાર, રોઝી આપનાર અને રક્ષાા કરનાર છે.
તેના થકી જ સન્માન - ઇઝઝત છે અને તે ચાહે તેને અપમાનિત - ઝલીલ કરે છે. તોબા કબૂલ કરનાર અને માફ કરનાર છે. ચાહે તે ગુનેગારને સજા આપે છે, એને કોઈ પૂછનાર નથી.
એનું કોઈ કામ હિકમત અને આયોજન વગર નથી હોતું.
સૃષ્ટિ, બહ્માંડ અને બીજું જે કંઈ હોય, ન હોય, એ બધાની વ્યવસ્થાથી અલ્લાહ તઆલા થાકતા કે કંટાળતા નથી. ખાવા-પીવા, સૂવા, ઉંઘવા, થાકવા - હારવા જેવી કોઈ કમઝોરી અને ખામી અલ્લાહ તઆલામાં નથી.
અલ્લાહ તઆલાની કોઈ અવલાદ, પુત્ર, પુત્રી, બીવી કે દાસ - દાસીઓ અને સગાઈ નથી.
સ્થળ - જગ્યા, દિશા - દશા, લંબાઈ - પહોળાઈ, શરીર - શકલ, રંગ - રૂપ, વગેરે બાબતોથી અલ્લાહ તઆલા સંપૂર્ણ રીતે પવિત્ર છે. .....

Friday, April 11, 2014

દીન બાબતે સમાધાન

ભાષાના ટીચર ભણાવવા આવ્યા. ક્રિયાપદ અને કાળનો પાઠ હતો. કહેવા લાગ્યા કે, પ્રથમ આપણે ગઈકાલના પાઠનું પુનરાવર્તન કરી લઈએ.. ચાલો બતાવો :
'હું નાચું છું, તમે નાચો છો, તેણી નાચે છે, આપણે બધા નાચીએ છીએ'
'કાળ'નું આ કયું સ્વરૂપ છે ?
ગઈકાલનો એક ગેરહાજર વિદ્યાર્થી તુરંત બોલી ઉઠયો : સર, આ બેશરમી અને નિર્લજતાનો 'ભયકંર કાળ' છે. વાત ન પૂછો લોકોની બેશરમી અને પાપલીલાઓની...
બસ આવું જ કંઈ આજે છે.
અને આવું જ કંઈ મક્કામાં હતું, અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આવા ભયંકર કાળ સામે બાથ ભીડવાની હિંમત કરી હતી.
બદીઓ અને ગુનાહો છોડવા જે લોકો રાજી થયા, ગુનેગારો અને પાપાચારીઓ એમની પાછળ મંડી પડયા, એમની પાસે સત્તા, સંપત્તિ અને સમર્થન બધું જ હતું. 
આવું જ કંઈ આજે પણ છે.
સુધરેલા બિચારા અમુક તમુક માણસો જયારે નિરાશ થઈ ગયા તો અત્યાચારથી બચવા હબ્શહ - ઇથોપિયા હિજરત કરી ગયા. પછી બીજા લોકોને મદીના હિજરત કરવી પડી. છેલ્લે સ્થિતિ એટલી તંગ થઈ ગઈ કે આ ચળવળના મોભી એટલે કે દાવતે ઇસ્લામના દાઈ પયગંબરે ઇસ્લામ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પણ મક્કા છોડવાનો નિર્ણય કરી લીધો.
પણ એક તસુભાર...
રજમાત્ર, નજીવી, અમસ્થી વાતે પણ સંજોગો સાથે સાંઠગાંઠ ન કરી. બસ એક જ વાત, ઝમાનો બદલી નાંખવો છે, એની રીતભાત અને રસમ બદલી નાખવી છે. ગુનાઓ, અત્યાચારો, નગ્નતા, અશ્લીલતા, પાપાચાર, વ્યાભિચારને સમર્થન કરતા આ માહોલને કાં તો સુધારવો હતો, કાં એને છોડીને બીજે ચાલ્યા જવું જયાં પવિત્રતા, પાત્રતા, નેકી અને સદગુણોના સમાજની રચનાની સ્વતંત્રતા હોય. એ માટે યોગ્ય વાતાવરણ અને સમર્થન હોય.
મક્કાના લોકોએ તો ઓફર પણ કરી કે તમે નમાઝ પઢો, ઝિક્ર, તસ્બીહ પઢો, મુરાકબહ કરો, અને તમારી પાકી, પવિત્રતા, સચ્ચાઈ અને અમાનતદારીને તો અમે પહેલેથી જ માનીએ છીએ. બસ તમારાથી એક જ માંગણી છે, અમારા માબૂદોને, અમારી માન્યતાઓ અને પરંપરાઓની ટીકા ન કરો. એને અનિષ્ટ કે દુષ્ાણ કહીને બદનામ ન કરો. ઉંચા સાદે કુરઆન ન પઢો, લા ઇલાહ ઇલ્લલ્લાહનો પોકાર ન કરો. મતલબ કે તમારો ધર્મ તમારા સુધી સિમિત રાખો.. જો તમે આ પ્રમાણે સંધિ અને સુલેહ કરવા તૈયાર હોવ તો અમે તમારા માટે ધન - દોલતના ઢગલા કરી દઈએ, સુંદર અને ચરિત્રવાન યુવતીઓ સાથે તમારા નિકાહ કરાવી દઈએ. તમને જ અમારા સહુના બિનહરીફ વડા અને આગેવાન માનીશું.
આજના શબ્દોમાં કહીએ તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કહેવામાં આવ્યું કે, હકારાત્મક વાતો કરો. લા ઇલાહ... એટલે કે બીજા માબૂદોનો ઇન્કાર અને ટીકા પર આધારિત નકારાત્મક વાતો ન કરો. આવી નકારાત્મક અને ટીકાત્મક વાતોથી અમને તકલીફ થાય છે, દિલ દુભાય છે. સમાધાન અને સંધિની વર્તમાનમાં પ્રચલિત  નીતિ પ્રમાણે અનુમાન કરીએ તો મક્કાના લોકોનું વલણ ઘણું હકારાત્મક, પ્રોત્સાહિત, સમાધાનકારી હતું, પણ સામે પક્ષો હઠ હતી, જડતા હતી, નકારાત્મક વલણ હતું.
પણ... નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પોતાની સઘળી શાંતિ, સલામતી, સહનશીલતા દાવે લગાડીને પણ આ આ વખતે નમતું જોખવા તૈયાર ન હતા. જાહેરમાં સારી દેખાતી આ એક એવી ઓફર હતી કે એના થકી આખા મક્કા ઉપર, મક્કાના વડીલો, આગેવાનો, યુવાનો, અને સારા - નરસા બધા જ લોકો આપની તાબેદારીમાં આવી જવાના હતા. 
પરંતુ આ બધું સ્વીકાર્ય ન હતું...
કારણ કે બદલામાં હકની દાવત છોડવાની વાત હતી. તવહીદ અને રિસાલત બાબતે સમાધાન કરવાનું હતું. તવહીદ છોડીને શિર્કને સહન કરવાની વાત હતી. રિસાલતની જવાબદારી એટલે કે દાવતે દીન છોડીને બુરાઈઓ ઉપર ખામોશ રહેવાની વાત હતી... 
અને આ બધું મંઝૂર ન હતું.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો જવાબ હતો : તમે આ ધરતીની સઘળી સંપત્તિ, સુવિધાઓ અને સવલતો ઉપરાંત આકાશેથી ચાંદ, તારા અને સુર્ય પણ મારી સેવા માટે લાવી મુકો, છતાં પણ શિર્ક અને કુફ્રની બુરાઈ, એનો ઇન્કાર અને ટીકા હું બંધ ન કરું... એ જ તો મારી ફરજ અને જવાબદારી છે. તવહીદ અને રિસાલતની દાવત હું કેવી રીતે બંધ કરું અને ચુપ થઈ જાઉં, એમાં જ તો મારી અને દરેકની ભલાઈ છુપાયેલી છે. 
આખરે વાતચીત સફળ થઈ નહીં, કોઈ સમાધાન થયું નહી...
અને છેવટે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મક્કા છોડવાનો નિર્ણય કરી લીધો.
લોકોએ ભેગા મળીને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો તો અલ્લાહ તઆલાએ એમની વચ્ચેથી, આંખો સામેથી પોતાના હબીબ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મદીના પહોંચાડવાનો ફેસલો કરી લીધો. રાત્રે બધા ઘરને ઘેલો ઘાલીને બેસેલા હતા ને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એક મુઠી માટી એમના ઉપર ફેંકીની નીકળી જાય છે. અબૂબક્રના ઘરે પહોંચે છે તો આ યારે ગાર પહેલેથી જ ઇન્તેઝારમાં હતા. ઘરેથી નીકળ્યા અને અવળી દિશામાં ગારે ષ્ાોર પહોંચીને ત્રણ દિવસ એમાં રોકાય ગયા. સિદ્દીકી ખાનદાન આ દરમિયાન ખાણા - પીણા અને સલામતીની બધી જવાબદારીઓ નિભાવતું હતું.
પછી મદીના રવાના થયા. કુબા પહોંચીને મસ્જિદની પાયાવિધી કરી અને મદીનામાં પ્રવેશ્યા...
અત્રે હઝરત અબૂ અય્યૂબ (ખાલિદ બિન ઝૈદ) રદિ.ના મકાનમાં પડાવ કર્યો.
રબીઉલ અવ્વલનો મહીનો અને હિજરતનું આ પ્રથમ વરસ હતું..
બરાબર ૧૦ વરસ પછી રબીઉલ અવ્વલના મહીનામાં જ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થાય છે.
આ દરમિયાન ર૭ વાર નાની મોટી લડાઈઓમાં પોતે ભાગ લીધો. પ૬ લડાઈઓમાં વિવિધ સહાબાને અમીર બનાવીને મોકલ્યા...
આજકાલ ઘણા લોકો કહે છે કે નબી હોય તો જ, બાદશાહ કે અમીર હોય તો જ જિહાદ કરી શકાય...
ખુલાસો આ છે કે હક અને સત્ય એટલે કે કુફ્ર અને શિર્ક બાબતે સમાધાન એ મોમિનની શાન નથી. એમાં અડગ રહીને આગળ વધો તો પછી ફતેહ અને કામ્યાબી મોમિનની મંઝિલ છે. ......

Saturday, April 05, 2014

મુસલમાનોની ફિરકાબંદી

મુસલમાનોએ દુનિયાના વિવિધ પ્રદેશો ઉપર સદીઓ સુધી રાજ કર્યું, કોઈ એક પ્રદેશમાં તેઓ પાસેથી હકૂમત છીનવાય જતી તો બીજા પ્રદેશમાં તેઓ એક નવી શકિત તરીકે ઉભરીને હુકૂમત ભોગવતા હતા. અલબત્ત છેલ્લી બે સદીમાં બિ્રટીશ સામ્રાજ્યવાદના શાસન દરમિયાન લગભગ સમગ્ર વિશ્વમાંથી મુસલમાનો પાસેથી સત્તા છીનવાય ગઈ, ઉપરાંત આ સામ્રાજ્યવાદ એની વિશેષ વિચારધારા પણ એના તાબાના પ્રદેશમાં ફેલાવતો રહયો. પરિણામે વિશ્વભરમાં મુસલમાનો રાજકીય અને વૈચારિક બન્ને ક્ષેત્રે પરવશ બની ગયા.
આવા મુસલમાનો જયારે એમનો પાછલો ઇતિહાસ વાંચે ત્યારે વર્તમાન ગુલામી અને પરાધીનતા જોઈને એમનું અકળાઈ જવું સ્વભાવિક છે. અને કોઈ પણ ભવ્ય ઇતિહાસ અને ભૂતકાળ ધરાવતી કોમ એના ભવ્ય વારસાને પાછો મેળવવાની ઇચ્છા રાખે એ પણ સ્વભાવિક છે.
અલબત્ત પોતાના ખોવાયેલ વારસાને મેળવવાના પ્રયત્નો કરતી વેળા સામાજ્યવાદ દ્વારા છીનવી લેવામાં આવેલ શાસન અને સત્તાને જ પોતાની ખોવાયેલ મતા સમજવામાં આવે છે. બાહયશકિતઓ અને આક્રમણકારીઓ દ્વારા અનેક રીતે બરબાદ કરવામાં આવેલ વૈચારિક, શૈક્ષાણિક, સંસ્કારિક વારસાને પોતાની ખોવાયેલ પ્રથમ દરજાની 'દોલત' ગણવામાં નથી આવતી. બસ.. આ જ તે કેન્દ્રબિન્દુ છે, જેના લઈ મુસલમાનો પોતાનો ભુતકાળ પણ પાછો નથી મેળવી શકતા અને જાગૃતિની દરેક ચળવળ એમના માંહે એક નવો ફિરકો ઉભો કરી દે છે.
આ જ બાબતને સરળ શબ્દોમાં એવી રીતે કહી શકાય કે ભુતકાળ પાછો મેળવવા ચલાવવામાં આવતી વધુ પડતી ચળવળોના કેન્દ્રમાં લગભગ સત્તા પ્રાપ્તિ જ મુખ્ય ધ્યેય હોય છે, ઇસ્લામના નામે ઇસ્લામી હુકૂમતને જ લક્ષયમાં રાખીને આખી ચળવળ ચલાવવામાં આવે છે. આમ થવાથી મોટી ખોટ એ સર્જાય છે કે નક્કી કરવામાં આવેલ આ 'ધ્યેય' સામે બીજું બધું ગૌણ સમજવામાં આવે છે.
વિવિધ ચળવળો, એમની ગતિવિધિઓ, નીતિઓ, સિદ્ઘાંતોની ચર્ચા કરવી અત્રે અમારો આશય નથી, અલબત્ત ઇસ્લામના નામે નવા પેદા થતા ફિરકાઓ અને જમાતોના ઇતિહાસથી વાકેફ લોકો ઉપરોકત બાબત સારી રીતે સમજે છે. 
આ લખવામાં આવેલ ઉપરોકત બાબતને સાચી સમજવામાં માટે આવા ચળવળકારીઓ અને એમના આગેવાનોને એમણે દર્શાવેલ ધ્યેયમાં સાચા અને નિખાલસ સમજવા પણ જરૂરી છે.
બાકી બિટ્રીશ સામ્રાજ્યવાદ દ્વારા એના શાસનને ટકાવી રાખવા માટે જે પ્રપંચો આદરવામાં આવ્યા, અને મુસલમાનોને કમઝોર કરવાના આશયે અથવા ફરીથી તેઓ આગળ ન આવી શકે એ હેતુએ જે સાજિશો રચવામાં આવી, ગદ્દારો ઉભા કરવામાં આવ્યા, તકસાધુઓ તેમજ માલ અને સત્તાના લાલસુઓને પ્રોત્સાહન આપીને એમના થકી જે કામ લેવામાં આવ્યું છે એ બધાને સામે રાખીએ તો આ વાસ્તવિકતા પણ સામે આવે છે કે..
મુસલમાનોમાં જાગૃતિ અને અને પુનરોત્થાનના નામે ચાલેલી ઘણી ચળવળો પાછળ શત્રુઓનો હાથ હતો. પીઠબળ, સમર્થન અને રાજકીય - નાણાકીય સહાય આપવા ઉપરાંત ઉપરાંત જે તે સમયમાં પ્રચલિત મીડીયા દ્વારા આવી ચળવળો અને એના આગેવાનોને મુસ્લિમ સમાજના સુધારક, કાંતિકારી, વિદ્વાન વગેરે બતાવીને પ્રમોટ કરવામાં આવતા હતા. આજે પણ આ સિલસિલો જારી છે. અને વિશ્વ પ્રવાહોને સમજતા લોકો એનાથી અજાણ નથી.
વર્તમાન મુસ્લિમ સમાજમાં સુધારણાના કે જાગૃતિના નામે સામે આવેલા ઘણા ફિરકાઓની પૃષ્ટભૂમિ અને નિમિત્ત ઉપરોક્તત બે બાબતોમાંથી કોઈ એક અથવા બન્ને હોવું સમજદારો જાણે જ છે.
આવા ફિરકાઓનો મુળ આશય જે તે સમાજને સંપૂર્ણ રીતે સુધારવાનો હોતો જ નથી, એટલે જ તેઓ સમાજમાં રહીને એમની 'સુધારણા'ની ચળવળ ચલાવવાના બદલે, અને સમાજને નબવી રીત પ્રમાણે કરણી અને કથની દ્વારા પોતાની વાત સમજાવવાને બદલે સમાજની બુરાઈ કરીને, એને ભાંડી - ભાંગીને પોતાનો અલગ ફિરકો રચે છે, અને પછી દુહાઈ દે છે કે અમે ફિરકાબંદીથી સમાજને છોડાવવા માંગીએ છીએ. ફિરકાબંદીથી છોડાવવાના નામે નવા બનેલા ફિરકાઓ ગણવામાં આવે તો સમજ પડે કે કંઈક નવું કરવાના શોખમાં આવા લોકોએ ઇસ્લામને કેટલું નુકસાન પહોંચાડયું છે. ¦ આ એવું જ છે જેમ અમેરિકા કહે છે કે અમે વિશ્વમાંથી આતંકીઓ અને હત્યારાઓને ખતમ કરવા લડી રહયા છીએ, અને આમ કહીને તેઓ જ સહુથી વધુ હત્યા અને આતંક ફેલાવી રહયા છે. .......

Saturday, February 15, 2014

િફકહ, ઇસ્લામનો એક બુનિયાદી સ્થંભ

શરીઅતની પરિભાષામાં 'ફિકહ' કુર્આન અને હદીસ દ્વારા સમજવામાં આવેલ આદેશોને કહેવામાં આવે છે. મુજતહિદ (કુર્આન - હદીસને સહીહ રીતે સમજીને તેના થકી અલ્લાહના આદેશો સમજનાર અને સ્પષ્ટ કરનાર વિદ્વાન ઉલમાએ કિરામ) સામાન્ય માનવીની સહૂલત ખાતર આ મહત્વનું કામ અંજામ આપે છે.
કુર્આન અને હદીસને તેના સહીહ અર્થ - મતલબ અને સ્પષ્ટીકરણ સાથે સમજવું અને ખુદાઈ આદેશોની સહીહ વ્યાખ્યા, હેસિયત નકકી કરવી દરેક માનવીના બસની વાત નથી, એ સ્પષ્ટ છે. માટે કુર્આન - હદીસના  વિદ્વાનો આ માટે તેમનાથી બનતા સઘળા પ્રયત્નો કરીને ખુદાના આદેશોને સમજવાનો પ્રયત્ન કરે છે અને પછી લોકોને સમજાવે છે. ખુદા - રસૂલના આવા આદેશોનું નામ જ ' ફિકહ' છે.
બીજા શબ્દોમાં કહીએ તો, અલ્લાહ તઆલા અને રસૂલે ખુદા દ્વારા બતાવવામાં આવેલ ઇસ્લામી કાનૂનો, કાયદાઓ અને નિયમોનું નામ ફિકહ છે, નમાઝ, રોઝહ, ઝકાત, હજ, વેપાર, વ્યાજ, ભાડા, ભાગીદારી, ખેતીવાડી, ઉધાર, બક્ષિાસ, વસીય્યત, વારસાવહેંચણી, નિકાહ, તલાક, ભરણપોષણ વગેરેના મસ્અલાઓ, નિયમો, તરીકાઓ અને કાયદાઓને જ ફિકહ કહેવામાં આવે છે.
જીવનને લગતી દરેક નાની - મોટી બાબતોનો હુકમ, (સમયાંતરે બદલાતી પરિસ્થિતિ અને સંજોગો અનુસાર પૂરી ચોખવટ અને સ્પષ્ટતા સહિત) કુર્આન હદીસમાં ન હોય એ સ્વભાવિક છે. કુર્આન - હદીસમાં માનવીય જીવન માટે મહત્વના સિદ્ઘાંતો અને બુનિયાદી આદેશો બતાવી દેવામાં આવ્યા છે, પછી એ આધારે માણસે દરેક બાબતને સમજવાની અને કરવાની હોય છે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સમયકાળમાં સહાબા (રદી.) સીધા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને દરેક વાત પૂછી લેતા હતા. ત્યાર બાદ સહાબા (રદી.) સમક્ષા જયારે કોઈ નવી ઘટના ઘટતી અને તેનો હુકમ સમજમાં ન આવતો તો સહાબા (રદી.) ભેગા મળી તે બાબતે ચચર્ા - વિચારણા કરતા અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની તરબિયત હેઠળ તેમણે મેળવેલી કેળવણી અને ઇસ્લામી સમજ પ્રમાણે તેનો ઉકેલ લાવતા.
આ જ કારણે કુર્આન અને હદીસના સમજવા અને તેનો મતલબ - અર્થ, વિવરણ અને હુકમ સમજવામાં પાછળના કોઈ માણસના અભિપ્રાય કરતાં, એ બાબતે સહાબા (રદી.)ના મંતવ્યો અને ફેસલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે, કારણ કે એમણે કુર્આન, હદીસ તેમજ ઇસ્લામના સ્વભાવ - અભિગમ અને દષ્િટકોણની સમજ નબવી માર્ગદર્શન હેઠળ મેળવી છે.
દૈનિક જીવનમાં ઘટતી અનેક બાબતો - પરિસ્િથતિઓ બાબત શરીઅતના હુકમો (જાઇઝ - નાજાઇઝ, હલાલ - હરામ, ફરજ - વાજિબ - મુસ્તહબ વગેરેની ચોખવટ સાથે) પહેલાં વ્યકિતગત રીતે સહાબા (રદી.), તાબેઈન અને ઉમ્મતના વિદ્વાનો દ્વારા લોકોને દશર્ાવવામાં આવતી હતી. સમય જતાં કુર્આન હદીસના નિષ્ણાંત ઉલમાએ કિરામે આવા આદેશોને સંપાદન કરવાનું શરૂ કયુઁ.
અત્યાર સુધીની પરિસ્થિતિ એ હતી કે માણસને કોઈ બાબત હુકમ પૂછવાની જરૂરત જણાતી તો કોઈ જાણકારથી પૂછી લેતો. ઘણા લોકોએ આવા મસ્અલાઓને પુસ્તકાકારે સંગ્રહ કરી લીધા. સાથે જ હવે વિદ્વાનોએ નકકી કયુઁ કે ઘટેલ એક ઘટનાના આધારે એવી અન્ય ઘટનાઓ, બાબતો, પ્રશ્નો અને પરિસ્િથતિઓ બાબત પણ કુર્આન - હદીસનો હુકમ પહેલેથી જ વિચારીને લખી લઈએ, જેથી એ વાતની અત્યારથી જ સ્પષ્ટતા થઈ જાય અને લોકોને સરળતા રહે.
ફિકહના નામે આજે આપણી પાસે શરીઅતના જે હુકમો અને માર્ગદર્શનો છે, તેની બુનિયાદ ઉપર જણાવ્યા મુજબ કુર્આન અને હદીસ જ છે, અલબત્ત એમાં એવા  હુકમો પણ છે, જે તર્ક-કયાસ અને માન્ય ઉલમાએ કિરામ - વિદ્વાનોની સહમતી (ઇજમાઅ)થી નકકી કરવામાં આવ્યા છે, આવા હુકમો નકકી કરતી વખતે પણ કુર્આન અને હદીસનો આધાર જરૂર લેવામાં આવે છે. અમુક લોકો કયાસ - ઇજમાઅ દ્વારા નકકી કરવામાં આવેલ હુકમોને 'મનમાની' અને 'કુર્આન - હદીસ વિરૂદ્ઘ'ના આદેશો કહે છે, એ દુરૂસ્ત નથી, જેમ કે જુગાર અને સટ્ટાની આજે પ્રચલિત રીતો તે સમયે ન હતી, એટલે એનો હરામ હોવાનો હુકમ કુર્આન હદીસમાં ન હોય, આ માટે જુગારની તે સમયની પ્રચલિત રીતોના હરામ હોવાને સામે રાખીને જ આજની પ્રચલિત રીતોમાં પણ તે હુકમ લગાવવામાં આવે છે, આવી જ પરિસ્થિતિ શરાબ- દારૂની પ્રચલિત બ્રાન્ડ અને પ્રકારોના હરામ હોવા બાબત પણ છે. વેપાર અને વ્યાજની નવી નવી સૂરતોના હરામ - હલાલ હોવા બાબત પણ ઉપરોકત નિયમો અનુસાર તર્કનો સહારો લઈને, નબવી ઝમાનાની પ્રચલિત રીતોને આધાર બનાવીને હુકમ લગાડવામાં આવે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે શરીઅત - ઇસ્લામના આદેશોના કુલ મળીને ચાર બુનિયાદી સ્ત્રોત થાય છે,
(૧) કુર્આન.
(ર) હદીસ
(૩) ઈજમાઅ
(૪) કયાસ.
અને બધાને ભેગા કરીને, મુળ સ્ત્રોતને જોઈએ તો કહી શકાય કે બધું જ કુર્આન અને હદીસથી જ નીકળે છે, અને કુર્આન - હદીસ જ શરીઅત - ફિકહનો મુળ સ્ત્રોત છે.
---------------------

Friday, January 17, 2014

ઇલ્મ અને જ્ઞાન વિશે ઇસ્લામની નીતિ

વિશ્વ ઇતિહાસમાં ઇસ્લામ ધર્મની આ વિશેષતા  છે કે, આ ધર્મ ઇલ્મ, જ્ઞાન, અને વિજ્ઞાનનો ઝંડાધારી બનીને આવ્યો. એના થકી વિશ્વમાં જ્ઞાન ક્ષેત્રે સર્વગ્રાહી પરિવર્તન અને ક્રાંતિ આવી. ઇસ્લામી અને ઇતિહાસની નજરે જોઈએ તો અન્ય ધર્મોની જેમ એનો આરંભ કોઈ અંધશ્રદ્ઘા કે અજ્ઞાનતાના આધારે નથી થયો. આજે ઘણા ધર્મો  કે સંપ્રદાયો એવા છે, જેમનું મુળ કોઈ અંધશ્રદ્ઘા કે અજ્ઞાનતામાં છે, અને પાછળથી એમાં સુધારા કરવામાં આવ્યા હોય અને સમયની તાલે ચાલવાને પાત્ર બનાવવામાં આવ્યા હોય. અલબત્ત ઇસ્લામમાં આ બાબત નથી, બલકે વાસ્તવિકતા આ છે કે એનો આરંભ જ જ્ઞાન અને ઇલ્મની બુનિયાદો ઉપર થયો છે.
ઇસ્લામ સિવાય કોઈ બીજો ધર્મ કે સમાજ તે વેળા એવો ન હતો, જે દરેક માનવી અને વ્યકિત માટે જ્ઞાન અને તાલીમને બુનિયાદી જરૂરત કહેતો હોય. તાલીમ - જ્ઞાન અને અન્ય અધિકારો બાબતે સમાજના દરેક વ્યકિતને સમાજ નજરે જોતો હોય. તે સમયના અતિવિકસિત ગણાતા યૂનાન (ગ્રીસ) અને ચીનમાં પણ જ્ઞાન - વિજ્ઞાનને એક વિશેષ સમુદાયનો અધિકાર સમજવામાં આવતો હતો. આ બાબતે સહુથી વધારે વિકસિત અને આધુનિક વિચારો ધરાવતા ગ્રીસના પ્લેટો (અફલાતૂન) દ્વારા THE REPUBLIC નામી એના પુસ્તકમાં રજૂ કરવામાં આવેલ  વિચારો જોઈએ તો એમાં પણ માનવ સમાજના ત્રણ ભાગો પાડીને દરેકને અલગ અલગ કામો સોંપી દેવામાં આવ્યા હતા, અને ફિલોસોફી, (જ્ઞાન - વિજ્ઞાન)ને એક વિષેશ સમુદાયની જાગીર ગણીને એને જ સત્તાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
આ બધાથી વિપરિત ઇસ્લામ ધર્મના આગમન સાથે જ એલાન કરવામાં આવ્યું કે ઇલ્મન પ્રાપ્ત કરવું દરેક મુસલમાન ઉપર ફરજ છે.
ભારતમાં જ્ઞાન - વિદ્યાનો દબદબો હતો, ત્યારે ફક્તત બ્રાહમણો જ એના કાબેલ ગણાતા હતા. બીજા વર્ણનો માણસ કે બીજી જ્ઞાતિનો વ્યકિત જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો તો એને સજા આપવામાં આવતી. ધર્મગ્રંથોના શ્લોકો સાંભળી શકાય એટલા નિકટ આવી જતા તો એની સજામાં શુદ્રોના કાનમાં સીસું પીગળાવીને નાંખવામાં આવતું હતું. ઉતરતી જ્ઞાતિનો હોવાના કારણે એકલવ્યને તીરંદાઝીની તાલીમ ન આપવાની કથા આજે પણ લોકોમાં બોધકથા સ્વરૂપે પ્રચલિત છે.
આવી જ સ્થિતિ યુરોપની હતી. યુરોપ અને મધ્ય પૂર્વમાં વસતા ઈસાઈઓ અને યહૂદીઓ પાસે આસમાની ધર્મની શિક્ષા હતી. પણ ધર્મનો ઈજારો સંકુચિત સ્વભાવના સ્વાર્થી લોકો પાસે હતો, પરિણામે દરેક નવી બાબત, નવા વિચાર અને શિક્ષાણને ધર્મ વિરોધી હોવાનું લેબલ લગાવી દેવામાં આવ્યું. કોઈ એવી વાત, કાર્ય અથવા શોધ સામે આવતી જે એમણે નક્કી કરેલ ધર્મની વ્યાખ્યાના વિરુદ્ઘ હોતી તો આવા માણસને ધર્મથી બગાવત કરવાના આરોપસર જીવતો સળગાવી દેવામાં આવતો હતો. ઇતિહાસકારો લખે છે કે સ્પેનમાં આવી એક કોર્ટ દ્વારા ૧૪૮૧ થી ૧૪૯૮ સુધીના ૧૮ વરસોમાં દસહઝાર બસો બાવીસ માણસોને આધુનિકતાના આરોપ સર જીવતા સળગાવી દેવામાં આવ્યા. આ કમીટી દ્વારા બધા મળીને ૩,૪૦,૦૦૦ હઝાર માણસો ઉપર ધર્મથી બગાવતનો આરોપ લગાવવામાં આવ્યો અને એમાંથી વધુ પડતા લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા.
ધરતી અને ચંદ્ર સુર્યની આસપાસ ફરે છે, એ સહુપ્રથમ કોપરનિકસ દ્વારા સંશોધન કરીને પુરવાર કરવામાં આવ્યું હતું. કોણ જાણે કયા આધારે આ શોધ અને વિચારને ધર્મ વિરોધી ગણીને ઈસાઈ પાદરીઓએ એને મૃત્યુદંડની સજા જાહેર કરી. દૂરબીનના શોધક ગેલેલિયો દ્વારા આ વિચાર અને શોધનું સમર્થન કરવામાં આવ્યું તો એને પણ સજા આપવામાં આવી.
આ તબક્કે આ જાણી લેવું યોગ્ય છે કે ઇસ્લામમાં અનેક ફિરકાઓ અને સમુદાયો છે, ઘણા આજે નામશેષ્ા થઈ ગયા તો ઘણા ફિરકાઓ નવા ઉભા થયા છે, આ બધામાં ફિરકાઓમાં ભારે વિરોધાભાસ અને ટકરાવ છે, એટલો બધો કે ઘણા ફિરકાઓ બીજા ફિરકા અને સંપ્રદાયને ધર્મથી ખારિજ, અધમર્ી, ગેરમુસ્િલમ, ગુમરાહ ગણે છે, અલબત્ત આ બધા વિરોધ પાછળ ધર્મ અને એનાથી સંલગ્ન બાબતો છે. નવી શોધ અને શિક્ષાણ અને આધુનિકતાને આધાર બનાવીને કોઈને ઇસ્લામથી ખારિજ અથવા ગેરમુસ્િલમ કહેવામાં આવ્યો હોય એવું કયાંયે નથી.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર વહી ઉતરી તો સહુપ્રથમ આયતોમાં અલ્લાહ તઆલાના બે ગુણોનું વર્ણન હતું. અલ્લાહ તઆલાના ખાલિક - સર્જનહાર હોવાનું અને ઇલ્મ - જ્ઞાન આપવાનું.
એનાથી સ્પષ્ટ થાય છે કે જ્ઞાન અલ્લાહ તઆલાની સિફત અને ખૂબી છે, અને માણસને અલ્લાહ તઆલાએ આ ખૂબીથી નવાઝયો છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને દુઆ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો કે, હે રબ, મારા ઇલ્મમાં વૃદ્ઘિ ફરમાવો.
આ બધાનો નિચોડ આ છે કે ઇસ્લામ એના અનુયાયીઓને અંધારામાં રાખીને ફક્તત શ્રદ્ઘાના સહારે નથી રાખતો. ઇસ્લામની વાતો, આદેશો અને અદબો જ્ઞાન - વિજ્ઞાન અને તર્ક - બુદ્ઘિ સાથે સુસંગત છે, માટે ઇસ્લામ લોકોને આદેશ આપે છે કે ઇલ્મ મેળવો, આપોઆપ તમને ઇસ્લામ સમજાય છે. ઘણા ધમર્ોમાં એવું હોય છે ઇલ્મ મેળવીને માણસ જાણકાર થાય છે તો એને પોતાનો ધર્મ ખોટો અને નરી અંધશ્રદ્ઘા દેખાય છે, પછી તે કાં તો ધર્મ છોડી દે છે, કાં ધર્મમાંથી આસ્થા ખતમ કરીને નામનો અનુયાયી બનીને રહે છે. ઇસ્લામમાં ઉલટંુ છે, ખુદા ન કરે, કોઈ માણસ જ્ઞાનથી કોરો રહે તો શકય છે કે ધર્મ છોડી દે, પણ જ્ઞાની માણસ કદી ઇસ્લામને છોડશે નહી. આ જ ઇસ્લામની ખૂબી અને જ્ઞાન પરાયણતા છે. માટે જ ઇસ્લામનો આદેશ છે કે ઇલ્મ - જ્ઞાન મેળવો, એના થકી તમે તમારા પરવરદિગારને ઓળખી શકશો.
એક હદીસમાં તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે કે, મને અલ્લાહ તઆલાએ શિક્ષાક બનાવીને મોકલ્યો છે.
મુહદ્દિષ્ાીન અને ઉલમાના મતે ઇલ્મના બે પ્રકાર છે. 
(૧) ફરજિયાત. દીન અને ઇસ્લામના આદેશો ઉપર અમલ કરવા માટે આવશ્યક દીની ઇલ્મ દરેક માટે ફરજિયાત છે. 
(ર) મરજિયાત. દીની વિદ્યાઓમાં વધુ કાબેલ બનવું અને દીની વિદ્યાઓ સિવાય અન્ય વિદ્યાઓ મેળવવી બધા લોકો માટે મરજિયાત છે, અલબત્ત અમુક માણસોએ એમાં કાબેલ બનવું અને વધુ જ્ઞાન મેળવવું જરૂરી છે. જેથી સામાન્ય માણસોને જરૂરત પડે એમની પાસેથી માર્ગદર્શન મેળવી શકે.
----------------------