Friday, June 13, 2014

કુરઆન. સર્જનહારનો સાચો સંદેશ, સૌને માટે..

અરબી ભાષા મુજબ 'કુરઆન'નો અર્થ થાય છે, વારંવાર વંચાતી અને પઠન કરવામાં આવતી વાત. કુરઆનનું આ નામ એટલા માટે છે કે કુરઆનની વાતો એને સમજનારા માટે એટલી આકર્ષક અને અર્થસભર છે કે અન્ય પુસ્તકોથી વિપરીત એને વારંવાર વાંચવા છતાં માણસનો વાંચન શોખ અધૂરો રહે છે, અને કુરઆનના અર્થ અને મર્મ પણ ખૂટતા નથી.
કુરઆનનું બીજું નામ કુરઆનમાં જ દર્શાવ્યા મુજબ કિતાબ છે.
'કિતાબ' એટલે શું ? 
ટુંકમાં આપણે એટલું કહી શકીએ કે એકની વાત બીજા સુધી, બલકે આવતી પેઢીઓ સુધી, એવી રીતે પહોંચાડવી કે કહેનારનો આશય અને હેતુ સંપૂર્ણ રીતે બાકી રહેવાની સાથે વાત અન્યો સુધી પહોંચે, એવા ચુનંદા શબ્દો અને વાક્તયોને ભેગા કરીને એમાં રજૂ કરવામાં આવે અને વાંચનાર એના મતલબ અને મર્મ ઉપરાંત ફક્તત શબ્દો અને વાક્તયોમાં પણ કહેનારનું પ્રતિબિંબ જોઈ શકે, એવા શબ્દોના સંગ્રહનું નામ 'કિતાબ'. આ રીતે જોઈએ તો 'કિતાબ' કહેવાને લાયક 'ઇશવાણી' એટલે કે અલ્લાહ તઆલાની વાતો જ હોય શકે. આ આધારે જ આપણે કહી શકીએ કે વિશ્વામાં પ્રચલિત 'કિતાબ' અને પુસ્તકની પરંપરાનો મુળ સ્ત્રોત આ ખુદાઈ તરીકો જ છે.
કુરઆનમાં દર્શાવ્યા મુજબ જ કુરઆનના અન્ય નામો અને ઉપનામો પણ છે. અને લગભગ બધા જ નામોમાં બોધ, નસીહત, શિખામણ અને શિક્ષાણ - તાલીમનો અર્થ ભારોભાર ભરેલો છે. આ બાબત પૂરવાર કરે છે કે 'કુરઆન' એક અભ્યાસ કરવાને લાયક, વાંચન અને મનન કરવાને પાત્ર, અને અનુસરણ કરવાને યોગ્ય 'કિતાબ' છે.
કુરઆન વિશે બીજી બુનિયાદી વાત આ છે કે, તે ફક્તત મુસલમાનોનું ધર્મપુસ્તક નથી, જેમ કે સમજવામાં આવે છે. કુરઆન સ્વંય અને એના સર્જક અલ્લાહ તઆલા કુરઆનમાં જ કહે છે કે આ 'કિતાબ'નાં સંબોધનો દરેક તે માણસ માટે છે, જે એને સમજવાનો પ્રયત્ન કરે, ચાહે તે મુસલમાન હોય કે ન હોય. એટલે જ કુરઆનમાં અનેક સ્થળોએ ''હે લોકો ''નું સંબોધન છે. ઘણી જગ્યાએ કોઈ વિચારવાની વાત રજૂ કરીને પછી કહેવામાં આવે છે :
આ વાતમાં સમજદારો માટે શિખામણ છે.
તમે સમજતા કેમ નથી ? વગેરે..
કુરઆનની સઘળી વાતો અથવા બુનિયાદી વાતો અને સિદ્ઘાંતોને સ્વીકારીને અને અનુસરીને મુસલમાન કે મોમિન કહેવાતા લોકો માટે આગળના વિશેષ આદેશો અને આદર્શાે  પણ એમાં છે, અને તે વેળા કુરઆનમાં ''હે ઈમાનવાળાઓ ''નું સંબોધન પણ આવ્યું છે. પણ.. મુળભુત રીતે કુરઆનનું સંબોધન દરેક માણસ માટે છે.
ત્રીજી બુનિયાદી બાબત આ છે કે, કુરઆનના પઠન, વાંચન અને અભ્યાસ માટે બે વસ્તુઓ અતિઆવશ્યક છે :
(૧) તર્ક - બુદ્ઘિ અને
(ર) આસ્થા - શ્રદ્ઘા.
કુરઆનમાં જ્યાં જ્યાં કોઈ પાયાની વાત સમજાવવામાં આવી છે, ત્યાં વાતના અંતે તર્ક - બુદ્ઘિને અપીલ કરીને અથવા આસ્થા - શ્રદ્ઘાને જગાડીને વાત સમજવાની તાકીદ કરવામાં આવી છે. સામાન્ય પણે નાસ્તિકતાના બદલે આસ્તિકતા અથવા એકશ્વરવાદ (તવહીદ)ની વાત સમજાવીને તર્ક - બુદ્ઘિને અપીલ કરવામાં આવી છે. અને આસ્તિકતા (ધર્મ)ની આગળની વાતો એટલે કે જન્નત, જહન્નમ, પાપ, પુણ્ય, કર્મ, ફળ, ભાગ્ય, પરલોક વગેરેની વાતો દર્શાવ્યા પછી તર્ક અને બુદ્ઘિની સાથે આસ્થા તેમજ શ્રદ્ઘાને જગાડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો કુરઆનનું સંબોધન બે પ્રકારના લોકો માટે છે.
(૧) કોઈ પણ ધર્મને ન માનનાર એટલે કે નાસ્તિક લોકો. અને
(ર) કુરઆન અને ઇસ્લામ, બલકે કમથી કમ કોઈ પણ આસમાની ધર્મ (ઈસાઈ, યહૂદી વગેરે)ને માનનાર લોકો.
પ્રથમ પંકિતના લોકોને તાર્કિક અને બુદ્ઘિગમ્ય દલીલો દ્વારા અને બીજા પ્રકારના લોકોને માટે તર્ક સાથે આસ્થા મારફતે પણ વાત સમજાવવામાં આવી છે.
ઉપરોક્તત ત્રણ બાબતોનો નિષ્કષ્ર્ા આ છે કે, કુરઆન એક વાંચવા અને સમજવાને પાત્ર 'કિતાબ' છે. એનું સંબોધન દરેક માણસ માટે છે અને ખુદા તઆલાએ પોતાની વાત એમાં તાર્કિક રીતે પણ દર્શાવી છે. આ જ બાબતને ટુંકમાં આમ કહી શકાય કે, '' કુરઆનનું પઠન ધર્મપરિવર્તન માટે નહી, બલકે ધર્મપરિચયના હેતુએ કરવામાં આવે તો એ પણ ઇચ્છનીય છે. ''
કુરઆનના એક સામાન્ય અભ્યાસુ હોવાથી આ બુનિયાદી વાતો હું જાણું અને સમજું છું. અને કુરઆનના અનેક વિવરણકારો (તફસીર કર્તાઓ) આ વાતોને સવિસ્તાર લખતા અને પૂરવાર કરતા આવ્યા છે.
દરેક માટે સંબોધન ધરાવતી, બુદ્ઘિગમ્ય અને તાર્કિક તેમજ આસ્થા અને શ્રદ્ઘાપૂર્ણ વાતો - દલીલો ધરાવતી, સમજવા અને વાંચવા પાત્ર 'કિતાબ'ને અને એની વાતોને અન્યો સુધી પહોંચાડવી દરેક તે માણસની ફરજ છે, જે પોતે કુરઆનથી પરિચિત હોય. વિશેષ કરીને મુસલમાનોની આ પ્રથમ ફરજ છે. કારણ કે પહેલા દિવસથી જ કુરઆન તેમની પાસે છે, અને એમના પૂર્વજો પરંપરાગત રીતે કુરઆનનું અનુસરણ કરવા ઉપરાંત એના સંદેશને અન્યો સુધી યોગ્ય રીતે પહોંચાડવાની પવિત્ર ફરજ બજાવતા આવ્યા છે. પરંતુ આજે સ્િથતિ આ છે કે, પોતાના વિશે કુરઆનના એકમાત્ર અનુયાયી અને રખેવાળ હોવા દાવો કરતા મુસલમાનો, અન્યોને કુરઆનનો પરિચય કરાવતા કે એની વાતો અન્યોને સમજાવતા નજરે પડતા નથી.
મુસલમાનો સિવાયના લોકો સામાન્ય પણે કુરઆનને ફક્તત ઇસ્લામના એક એવા ધર્મપુસ્તક તરીકે જાણે છે, જેમાં ફક્તત મુસલમાનોને જ સંબોધન કરવામાં આવ્યું હોય. જયારે કે વાસ્તવિકતા આ છે કે આખા કુરઆનમાં મુસલમાનોને સીધી રીતે શિખવાડવામાં આવેલ ઇસ્લામી આદેશો કરતાં મુસલમાન ન હોય એવા લોકોને ઇસ્લામની સમજણ માટે દર્શાવવામાં આવેલ નસીહતો, દલીલો, કિસ્સાઓ, અને ઉદાહરણો વધારે છે.
ખરી રીતે જોઈએ તો આ એક અંધકારમય માહોલ ગણાય. કારણ કે પરિચય ન હોવાનું મોટું નુકસાન આ થાય છે કે લોકો માંહે ગેરસમજ પ્રસરે છે. સમાનતા અને એકતાના વિવિધ મુદ્દાઓ ભુલાય જાય છે અને વિવાદ - વિરોધની વાતો એના સ્થાને લોકોમાં પ્રચલિત થઈ જાય છે. વર્તમાન માહોલમાં ભારતમાં હિંદુ - મુસ્લિમ વચ્ચે અને વિશ્વભરમાં અન્ય ધર્મીઓ અને મુસલમાનો વચ્ચે વધી રહેલા અંતર અને અવિશ્વાસનું બુનિયાદી કારણ આ જ છે.
સૃષ્ટિનો સર્જનહાર એક છે.
મૃત્યુ પછી પરલોક - આખિરતમાં પાપ અને પુણ્યનો હિસાબ થશે અને જન્નત - જહન્નમનો ફેસલો થશે.
ભાગ્ય (નસીબ, તકદીર) કર્મનાં ફળ, વગેરે ઘણી માન્યતાઓ, વિશ્વના અનેક ધર્મોમાં સમાન રીતે બુનિયાદી સ્થાન ધરાવે છે.
ઉપરાંત માનવીય સંસ્કારો અને અખ્લાક પણ બધા ધર્મોમાં એક સમાન જેવા હોય છે. આવી બાબતો એકતા અને સમાનતાના મુદ્દાઓ છે. આવી બાબતો વિવિધ ધર્મો અને સમાજો વચ્ચે પરસ્પરના સંબંધોની બુનિયાદ છે અને વિશ્વની સલામતી અને શાંતિનો આધાર પણ એકતા અને સહમતીના આ મુદ્દાઓ જ છે.
-------------
-------------------------------

No comments:

Post a Comment