Friday, May 18, 2007

એમ. એફ. હુસેનના ચિત્રો અને મુસલમાનો

આજકાલ વડોદરાની મ.સ. યુનિવર્સિટીના ફાઇન આર્ટસ વિભાગના કલાકારો દ્વારા હિંદુઓના ધાર્મિક ચિહ્નો, ભગવાન - માતા અને મૂર્તિઓને વિકૃત રીતે ચીતરીને તેને કલામાં ખપાવવના હીન કૃત્‍ય બાબતે હોબાળો મચી રહયો છે, એક ચંદ્રમોહન નામના વિર્ધાથી દ્વારા આ કૃતિઓ રચવામાં આવી હતી, અને પછી વિહીપ, ભાજપ્‍, તેમજ અન્‍ય સંસ્‍થાઓ દ્વારા એનો વિરોધ કરવામાં આવી રહયો છે. સત્‍ય આ બાબતે એ છે કે અભિવ્‍યકિતની સ્‍વતંત્રતાના નામે કે કલાના નામે આવી વિકૃત માનસિકતાને છાવરી ન શકાય, એનું સમર્થન ન કરી શકાય...
ચિત્રો બાબતે આવા જ વિવાદો બલકે વિરોધના શિકાર ચિત્રકાર એમ.એફ. હુસેન પણ છે, અને એમના આવા ચિત્રોને પણ આપણે વખોડવા જ રહયા....
પરંતુ અમુક લોકો આ બાબતને ચિત્રકાર એમ.એફ.હુસેનના વિવાદિત ચિત્રો સાથે જોડી આખી ઘટનાને અત્‍યંત ભૂંડી દષ્ટિએ મુલવવાની કોશિશ કરે છે, એટલે કે એમ.એફ. હુસેનના ચિત્રોને બહાનું બનાવી ઈસ્‍લામ કે મુસલમાનો સાથે આ વિકૃતી જોડી એમના ધા‍ર્મિક ચિહ્નો કે પયગંબર કે અન્‍ય બાબતે આવા ચિત્રો બનાવવાની માંગણી કરે છે, હમણાં જ વડોદરાની ઉપરોકત ઘટના પછી કોઇકે પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમના નગ્‍ન ચિત્ર બનાવાનારને એક લાખ ઇનામ આપવાની જાહેરાત કરી......
જયાં સુધી ઇસ્‍લામ કે મુસલમાનોને લાગે વળગે છે, તો પ્રાણીઓ (ચાહે તે માનવી હોય કે જનાવર ) ના ચિત્રો બનાવવા ઇસ્‍લામમાં પ્રતિબંધિત છે, એ ગુનાહિત કૃત્‍ય છે, એટલે કોઇની પણ ચિત્રકળાને ઈસ્‍લામ કે મુસલમાનોથી જોડીને જોવું ખોટું છે. માટે જ એમ. એફ. હુસેન ના કૃત્‍યો અને ચિત્રોને ઇસ્‍લામ કે મુસલમાનોથી કોઇ સંબંધ નથી એ નક્કી વાત છે. આજના ગુજરાત સમાચાર દૈનિકના તંત્રીલેખમાં વિશુદ્ધ કલાના નામે કેટલે છૂટ લઇ શકાય ? ના મથાળા હેઠળ આ જ બાબતે ચર્ચા છે,
ઉપરોક ચર્ચા વાંચીને અમને અત્‍યંત ખેદ, આઘાત ઉપરાંત અચંબો પણ થયો, કે આવડા મોટા સમાચાર પત્રનો તંત્રી લેખ આવો ઉતરતી કક્ષાનો, અને અતા‍ર્કિક અને દ્રેષભર્યો હોય શકે ! ! !
તંત્રી શ્રીના કહેવા પ્રમાણે હુસેને આવા ચિત્રો ઈસ્‍લામની ઐતિહાસિક ઘટનાઓ સંબંધે કેમ નથી બનાવ્‍યા ? વગેરે....
આમાં કોઇના સહિષ્‍ણુ કે અસહિષ્‍ણુ હોવાની કોઇ બાબત નથી. કોણ કેટલું સહિષ્‍ણુ છે એ રોજ રોજની ઘટનાઓથી સ્‍પષ્‍ટ જ છે.
પયગંબર સાહેબ કે ઇસ્‍લામને વિકૃત રીતે રજૂ કરતા અનેક ચિત્રો-કાર્ટૂનો-લેખો ગુજરાતમાં પણ છાસવારે છપાતા જ રહે છે, પરંતુ મુસલમાનો પાસે એવી સત્તા કે સમય છે જ નહી આવા ઝઘડાઓમાં પડી પોતે જ નુકસાન ઉઠાવે !
પોલીસ કે સરકાર અંતે તો મુસલમાનોનો જ વાંક શોધી એમને દંડશે એ નક્કી છે.
મુળ વાત એ છે કે ઇસ્‍લામમાં તસવીર સમુળગી જ નાજાયેઝ અને અપરાધ છે. એટલે મુસલમાનોના ધાર્મિક ચિહ્નો, પયગંબરો કે અન્‍ય બાબતોની તસવીર પહેલી થી જ નથી, અને ધામિર્ક રીતે વર્જિત હોવાથી સામાન્‍ય મુસલમાનને એનાથી કોઇ દિલચસ્‍પી પણ નથી, એટલે આવી તસવીરોથી એમ. એફ હુસેન કે કોઇને કંઇ મળવાનું નથી એ નકકી છે. આ બાબતને ઇસ્‍લામ ધર્મની પૂર્ણતા અને સલામતીની દલીલ ગણવી જોઇએ કે તસવીર પર પાબંદી હોવાથી આવી વિકૃતિઓ દરવાજો પહેલેથી જ બંધ થઇ ગયો છે, આ બધી બલા શ્રદ્ધા અને સન્‍માનના નામે તસવીર કે મૂરત બનાવવાની પ્રથા ચાલી ત્‍યારે ઉભી થઇને ! ! ! અને ઇશ્વર નિરાકાર છે એમ હિંદુઓ પણ કહે છે.

Saturday, May 12, 2007

લોકોથી પ્રેમ અને મહોબ્‍બત કરો

હઝરત અબૂ હુરૈરહ (રદિ.) ફરમાવે છે કે નબીએ કરીમ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમે ફરમાવ્‍યું ,
તમે જયાં સુધી ઇમાનવાળા (મોમિન) ન બની જાઓ, જન્‍નતમાં પ્રવેશી શકતા નથી, અને જયાં સુધી તમે પરસ્‍પર મહોબ્‍બત ન રાખો તમે ઇમાનવાળા (મોમિન) નથી બની શકતા.
શું હું તમને એક એવી વાત ન બતાવું જેના પર કાર્યબદ્ધ થવાથી તમે પરસ્‍પર મહોબ્‍બત કરનાર અને હિતેચ્‍છુ બની જશો ? તે વાત આ છે કે પરસ્‍પર સલામ કરવાની પ્રથાને લોકો માંહે પ્રચલિત કરો.

હઝરત મઆઝ બિન જબલ (રદિ.) ફરમાવે છે કે,
મેં નબીએ કરીમ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમને સૌથી શ્રેષ્‍ઠ ઇમાન વિશે પૃચ્‍છા કરી ( કે એવા કાર્યો અને સંસ્‍કારો કયા છે જેના પર કાર્યબદ્ધ થવાથી પાકા મોમિન બની શકાય ?) તો નબીએ કરીમ સલ્‍લલ્‍‍લાહુ અલયહિ વ સલ્‍લમે ફરમાવ્‍યું કે
(૧) તમે ફકત અલ્‍લાહ ખાતર મહોબ્‍બત કરો, (જેનાથી પણ કરો ) અને ફકત અલ્‍લાહ ખાતર
અદાવત રાખો (જેનાથી પણ રાખો ).
(ર) તમારી જીભ અલ્‍લાહની યાદ અને સ્‍તૃતિમાં તલ્‍લીન રહે.
(૩) તમે અન્‍યો માટે પણ તે વાત પસંદ કરો જે તમારા માટે પસંદ કરો છો અને જે બાબત તમે તમારા વિશે નથી ઇચ્‍છતા તે અન્‍યો માટે પણ ન ઇચ્‍છો.

Wednesday, May 09, 2007

મુસલમાનોની વસતી વધારાનો હાઉ

આવો જ બીજો હાઉ વસતી વધારા અંગે ઉભો કરવામાં આવે છે, મુસ્લિમોની ચાર પત્નિની અને એમના પાંચના પચ્‍ચીસની વાતને બહુ ચગાછી ચગાવીને કહેવામાં આવે છે, પરંતુ આ પણ જુઠાણું છે, ચોકકસ આંકડા આનાથી સાવ જુદું કહી જાય છે, મુસ્લિમ બહુજનસમાજ જયાં ગરીબીમાં સબડે છે ત્‍યાં ચાર ચાર પત્નિ કરવાની ત્રેવડ કોને છે ? અને આંકડા તો એમ કહી જાય છે કે બહુપત્નિત્‍વનું પ્રમાણ મુસ્લિમોમાં વધારે નહી, બલકે એકાદ આંકડો ઓછું છે, હિંદુઓમાં તે પ .૮૦ ટકા છે, જયારે મુસ્લિમોમાં તે પ . ૭૦ ટકા છે. પ્રજનનદરની ટકાવારી સવર્ણ હિંદુઓ કરતાં મુસ્લિમોમાં એક ટકો વધારે છે, પણ હિંદુ સમાજના દલિતો અને આદિવાસી જેવા ગરીબ નબળા વર્ગોની સરખામણીમાં મુસ્લિમોમાં એકાદ આંકડો ઓછી પણ છે. એટલે કે આમાં ધાર્મિક નહી, પણ આર્થિક શૈક્ષણિક સ્થિતિનું કારણ મુખ્‍ય છે. અને કુલ વસતીનું પ્રમાણ જોઇએ તો ૧૯૭૧ માં હિંદુઓ ૮ર . ૭ર ટકા અને મુસ્લિમો ૧૧ . ર૦ ટકા હતા. તે ૧૯૯૧ માં ૮ર . ૬૪ અને ૧૧ . ૩પ થયા. એટલે કે મુસ્લિમોની વસતી એકદમ વધતી જાય છે વધતી જાય છે અરે જતે દહાડે હિંદુઓ લધુમતિમાં મુકાય જશે એવો ગોકીરો કરી મુકવો તે બિલકુલ વાજબી વાત નથી. કુટુંબનિયોજનની જરૂરિયાત ભારપૂર્વક સમજાવવી એક વાત છે, પરંતુ આવી રીતે એક કોમને કસૂરવાર ઠેરવી દઇને તેના વિશે નફરત ને દુર્ભાવ પેદા કરવાનો શો અર્થ છે ? એક ધરતીના બાશિન્‍દાની ભાવનામાં આનાથી ભારે મોટો અંતરાય ઉભો થાય છે.

( કાન્‍તિ શાહ , હિંદુત્‍વ એક અધ્‍યયન, પૃષ્‍ઠ ૯૪ )