Tuesday, November 22, 2016

Was he a Muslim?

```In the HISTORY of the world, who has KILLED maximum INNOCENT
human beings?

1) "Hitler"
Do you know who he was?

He was a Christian, but media will never call Christians terrorists.

2) "Joseph Stalin called as Uncle Joe".

He has killed 20 million human beings including 14.5 million were starved to death.

Was he a Muslim?

3) "Mao Tse Tsung (China)"

He has killed 14 to 20 million human beings.

Was he a Muslim?

4) "Benito Mussolini (Italy)"

He has killed 400 thousand human beings.

Was he a Muslim?

5) "Ashoka" In Kalinga Battle

He has killed 100 thousand human beings.

Was he a Muslim?

6) Embargo put by George Bush in Iraq,

1/2 million children
has been killed in Iraq alone!!! Imagine these people are never called terrorists by the media.

Was he a Muslim?

Today the majority of the non-muslims are afraid by hearing the words "JIHAD".

Jihad is an Arabic word which comes from root Arabic word "JAHADA" which means "TO STRIVE" or "TO STRUGGLE" against evil and for justice. It does not
mean killing innocents.

The difference is we stand against evil, not with evil".

Is ISLAM really the problem?

1. The First World War, 17 million dead
(caused by non-Muslim).

2. The Second World War, 50-55 million dead (caused by non-Muslim).

3. Nagasaki atomic bombs 200000 dead
(caused by non-Muslim).

4. The War in Vietnam, over 5 million dead (caused by non-Muslim).

5. The War in Bosnia/Kosovo, over 5,00,000 dead (caused by non-Muslim).

6. The War in Iraq (so far) 12,000,000 deaths
(caused by non-Muslim).

7. Afghanistan, Iraq, Palestine, Burma (monks!) etc ongoing..(caused by non-Muslim).

8. In Cambodia 1975-1979, almost 3 million deaths (caused by non-Muslim).

"MUSLIMS ARE NOT TERRORISTS
AND
TERRORISTS ARE NOT MUSLIMS."

AND ABOVE ALL NEITHER OF THE WEAPONS OF MASS DESTRUCTION AS WELL AS ANY ASSAULT WEAPONS ARE INVENTED BY MUSLIMS.
AND ABOVE ALL EVEN THE ARMS GIVEN AND SUPPLIED TO THE  SO CALLED MUSLIM TERRORIST ARE NOT BY ANY  ISLAMIC INSTITUTE.
TALIBAN AS WELL AS ISIS IS ALL CREATION OF WEST.

These double standards must be broadcast.

Tuesday, November 15, 2016

भारत पिछले ६० सालों में

मैं कॉंग्रेसी नहीं हूँ ।
न ही मोदी भक्त हूँ ।
मैं अपने देश से प्यार करता हूँ।

भारत ने पिछले ६० सालों में तरक्की भी बहुत की है और भूतपूर्व प्रधानमंत्रियों ने कई इतिहास रच दिए हैं जिसकी वजह से भारत आज एशिया की दूसरी सब से बड़ी ताकत है।

• जब मोदी  पैदा भी नहीं हुए थे---
तब तक देश पाकिस्तान से एक युद्ध जीत चुका था..

• मोदी जब बोलना भी नहीं सीखे थे,
तब तक भारत दुनिया का सर्व श्रेष्ठ संविधान बना चुका था...

• मोदी जब घुटनों के बल चलना सीख रहे थे,
तब तक भारत एशियाई खेलों की मेजबानी कर चुका था...

• मोदी जब गुल्ली डंडा खेलते थे...
भारत में भाखड़ा और रिहंद जैसे बाँध बन चुके थे...

• मोदी जब स्कूल में किताबें पलट रहे थे
तब देश भामा न्यूक्लियर रिसर्च सेंटर का उद्घाटन कर चुका था..

• मोदी जब लालटेन जलाना सीख रहे थे
देश में तारापुर परमाणु बिज़ली घर शुरू हो चुका था...

• मोदी को कपड़ा पहनना नहीं आया था...
जब देश में कई दर्जन AIIMS, IIT, IIMS और सैकड़ों विश्वविद्यालय खुल चुके थे..

• मोदी जब अपनी नाक पोंछना भी नहीं सीखे थे तब नेहरु ने नवरत्न कम्पनियाँ स्थापित कर दी थी...

• मोदी पाकिस्तान के खिलाफ एक के बदले दस सिर लाने की बात करते हैं आज, लेकिन खुद नवाज शरीफ का जन्मदिन मनाते हैं

जबकि मोदी के प्रधानमंत्री बनने के कईसालों पहले भारतीय सेना ने पाकिस्तानी सैनिकों को लाहौर के अंदर तक घुसकर मारा था और लाहौर पर कब्जा कर लिया था।

• मोदी जब स्कूल में इतिहास पढ़ रहे थे
पंडित नेहरु पुर्तगाल से जीत कर गोवा को भारत में मिला चुके थे...

• मोदी की अक्कल दाढ आने से पहले...
नेहरु जी ने ISRO (Indian Space Research Organization) की शुरुआत कर दी थी...

• मोदी की पूरी दाढ़ी मूँछ उगने से पहले,
भारत में श्वेत क्रांति की शुरुआत हो चुकी थी..

• मोदी  जब हाफ पैन्ट पहन रहे थे..
देश में उद्योगों का जाल बिछ चुका था..

• मोदी जब शाखा में लाठियां भांज रहे थे...
इंदिरा जी पाकिस्तान के दो टुकड़े कर चुकी थी, पाकिस्तान १ लाख सैनिकों और कमांडरो के साथ भारत को सरेंडर कर चुका था।

• मोदी जब अर्थशास्त्र का abc नहीं जानते थे (वैसे अब कौन सा जानते हैं, सीमेंट बोरी 120/-), तब भारत में बैंकों का राष्ट्रीयकरण हो चूका था..

• मोदी जब कानूनी रूप से वयस्क हुए,
तब तक इंदिरा जी ने सिक्किम को देश में जोड़ लिया था....

• मोदी जब अपनी पत्नी को छोड़ कर घर से भागे थे तब इंदिरा जी ने पहला परमाणु विस्फोट कर लिया था ...

• जब मोदी अपनी माँ को बिना बताये घर से निकल लिए थे
तब तक देश अनाज के बारे में आत्म निर्भर हो गया था.

• मोदी को जब सायकल चला रहे थे ...
भारत हवाई जहाज और हेलीकाप्टर बनाने लगा था...

• मोदी को जब बोलना नहीं आता था
राजीव गाँधी ने रोज एक टीवी टावर का उद्घाटन करके देश के घर घर में टीवी पहुंचा दिया था।

• मोदी जब संघ कार्यालय में झाड़ू लगाते थे,
तब देश में सुपर कम्प्यूटर, टेलीविजन और सुचना क्रांति ( Information Technology) पूरे भारत में स्थापित हो चुका था..

• मोदी जब गुजरात में केशुभाई पटेल और शंकर सिंह वाघेला के ख़िलाफ साज़िशें रच रहे थे,
तब देश में आर्थिक उदारीकरण मनमोहन सिंह जी ला चुके थे..

• जब मोदी प्रधान मंत्री पद की शपथ ले रहे थे
तब तक भारत सर्वाधिक विदेशी मुद्रा के कोष वाले प्रथम १० राष्ट्रों में शामिल हो चुका था

• इनके अलावा..
चन्द्र यान,
मंगल मिशन ,
GSLV,
मेट्रो,
मोनो रेल,
अंतर्राष्ट्रीय हवाई अड्डे,
न्यूक्लियर पनडुब्बी,
ढ़ेरों मिसाइल,पृथ्वी, अग्नि, नाग
दर्जनों परमाणु सयंत्र,
चेतक हेलीकाप्टर, मिग
तेजस, ड्रोन, अर्जुन टैंक, धनुष तोप,
मिसाइल युक्त विमान,
आई एन एस विक्रांत
विमान वाहक पोत......

ये सब उपलब्धियां देश ने मोदी  के प्रधानमंत्री बनने के पहले हासिल कर ली थी.

अपनी आँखें खोलो..
जानकारी से मुँह मत मोड़िये।
किसी भी नेता को अपना भगवान मत बनाइये।

Thursday, October 27, 2016

મુસ્લિમ પર્સનલ લો અને સમાન સિવિલ કોડ

મુસ્લિમ પર્સનલ લો અને સમાન સિવિલ કોડ
       આપણે સહુ જાણીએ છીએ કે સદીઓ સુધી ભારત ઉપર મુસલમાન બાદશાહોનું શાસન રહયું છે. આ બાદશાહો પોતે મુસલમાન હોવા છતાં પ્રજાલક્ષી બાબતોમાં સાચા અર્થમાં સેકયુલર હતા, એટલે એમણે ભારતના દરેક ધર્મના લોકોને એમના ધર્મ પ્રમાણે અનુરસણ અને આચરણની છુટ આપી હતી. મુસ્લિમ શાસકો પછી અંગ્રેજોનું શાસન આવ્યું. ર૦૦ વરસના અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં જે પરિવર્તનો આવ્યા, અને અંગ્રેજોએ જે પ્રમાણે ભારતને આથિર્ક, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે બરબાદ કયુઁ, એના મુકાબલામાં મુસલમાન બાદશાહોના ૭૦૦ વરસના શાસનને મૂકીને જોવામાં આવે તો સમજમાં આવી જશે કે ભારતીય પ્રજા માટે મુસલમાન બાદશાહો મુસ્લિમ હોવા છતાં કેટલા ઉદાર હતા.
      અંગ્રેજોએ સત્તા ઉપર કબજો કર્યો તો સુશાસનના નામે ધીરે ધીરે પોતાના કાયદાઓ થોપવા માંડયા. પણ આ બધું એકદમ શકય ન હતું, એટલે શાસન અને સરકારના કાયદાઓ (CRIMINAL CODE) છોડીને સામાજિક વહેવારોના કાયદાઓમાં મુસલમાનો તેમજ હિંદુઓ વગેરેને બાકાત રાખ્યા. એટલે કે કૌટુંબિક અને સામાજિક વહેવારોને લગતા મુસ્લિમ કાયદાઓ (CIVIL CODE) બહાલ રાખ્યા અને કોટુંબિક બાબતોને લગતા મુસલમાનોના કેસોના નિકાલ માટે અંગ્રેજો તરફથી કાઝી નિયુકત કરવામાં આવ્યા. હિંદુઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી. અલબત્ત અંગ્રેજો તરફથી ધીરે ધીરે કાઝી અને એના તાબા હેઠળ આવતી બાબતોને સિમિત કરવાનું ષડયંત્ર ચાલતું રહયું. બીÒ તરફ મુસલમાનો પણ કમથી કમ પોતાના સામાજિક, કૌટુંબિક અને ધાર્મિક ઓળખને લગતી બાબતોને સાચવી રાખવા અને કાયદા - કાનૂનમાં એનું સ્થાન બનાવી રાખવા પ્રયત્નો કરતા રહેતા હતા. છેલ્લે ૧૯૩૭ ઈ. માં શરીઅત એકટ પાસ કરવામાં આવ્યો. જે અનુસાર વારસા – વહેંચણી,  નિકાહ,  તલાક,  ખુલઅ, મહેર, અમાનત, અવકાફ, બખ્શીશ, વસીય્યત, કોઈને દત્તક લેવા... જેવી બાબતોમાં મુસલમાનોના કેસો ઇસ્લામી શરીઅત મુજબ જ હલ કરવાનો કાયદો બનાવવામાં આવ્યો.
ભારતના આઝાદ થયા પછી (CRIMINAL CODE) તો બધા જ ભારતીયો માટે સમાન રાખવામાં આવ્યો. એમાં મુસલમાનો ઉપર પણ આ કાયદો સમાન રીતે લાગુ પડે છે. અલબત્ત કૌટુંબિક બાબતોમાં એ જ શરીઅત એકટ લગભગ બંધારણમાં દ્વારા ભારતીય મુસલમાનો માટે બહાલ રાખવા આવ્યો. અલબત્ત એક બાબત રહી ગઈ. અવી કોઈ કલમ કે કાયદો ઉમેરવામાં ન આવ્યો કે ઉપરોકત બાબતોને લગતો બે મુસલમાન પક્ષોનો કેસ આવે તો જજ સાહેબે મુસ્લિમ પર્સનલ લો મુજબ જ ફેસલો આપવાનો રહેશે. એટલે આ જ સુધી કોર્ટ કાર્યવાહીમાં જજ સાહેબો એમની મરÒ મુજબ મુસલમાનોની કૌટુંબિક બાબતોને લગતો કેસ હોય તો પણ અને ભારતીય કાયદાઓમાં એને લગતા મુસ્લિમ લોને સ્થાન હોવા છતાં સામાન્ય નિયમો મુજબ કાર્યવાહી ચલાવે છે અને ફેસલા કરે છે.
        અફસોસ સાથે કહેવું પડે છે કે અમને યાદ નથી કે આઝાદી પછીથી આજ સુધી આ બાબતે કોઈ મુસ્લિમ સંસ્થા અથવા વ્યકિતએ માંગણી કરી હોય કે જજ સાહેબોને બાધ્ય કરવા માટે કોઈ ઠરાવ પાસ કરવામાં આવે. સ્પષ્ટ છે કે આવા કોઈ કાયદા કે બંધન વગર બંધારણ દ્વારા મુસ્લિમ પર્સનલ લોને જે સ્થાન આપવામાં આવ્યું છે, એનો કોઈ ફાયદો થવાનો નથી. જયારે જયારે સમાન સિવિલ કોડનો હાઉ ઉભો કરવામાં આવે છે ત્યારે આપણે એને બચાવવાના નામે લાખો ઉધમ પછાડા કરીએ છીએ, પણ કરવાનું આ મહત્વનું કામ આપણે કરતા નથી. અલ્લાહ તઆલા મુસ્લિમ નેતાગીરીને સાચી સમજ આપે.
      આઝાદી પછી જયારે બંધારણની રચના અને સંપાદન થઈ રહયું હતું ત્યારે બંધારણના શરૂમાં બંધારણના રચિયતાઓએ અમુક માર્ગદર્શન સિદ્ઘાંતો પણ લખ્યા છે. જેમાં શિક્ષણ, રોજગાર, સલામતી, ધાર્મિક સ્વતંત્રતા, વગેરેના બુનિયાદી અધિકારો લોકોને આપવા માટે સરકારોને અનુરોધ કરવામાં આવ્યો છે. શિક્ષણ, રોજગાર, સ્વાસ્થય સેવાઓ, દારૂબંધી જેવી ઘણી બાબતો સઘળા નાગરિકો સુધી પહોંચતી ન હતી, અને એકદમ બધાને આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી સરકારો માટે શકય ન હતી એટલે કહેવામાં આવ્યું કે સરકારો આ માટે પ્રયાસો કરશે. આ બધામાં એક બાબત સમાન કાયદાની એટલે કોમન સિવિલ કોડ માટે પ્રયાસ કરવાનું પણ સરકારોને સુચવવામાં આવ્યું. માર્ગદર્શન સિદ્ઘાંતની આ કલમ જયારે બંધારણ સભામાં ચર્ચામાં આવી તો બંધારણ સભામાં દેશ અને મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરતા શ્રી મુહમ્મદ ઇસ્માઈલ, શ્રી નઝીરુદ્દીન અહમદ, શ્રી મહેબૂબ અલી, શ્રી બી. પોકર બહાદુર વગેરે એના ઉપર વાંધો ઉઠાવ્યો, એટલા માટે કે આ સમાન સિવિલ કોડની કલમ ૪૪, ધાર્મિક સ્વતંત્રતાની કલમ સાથે ટકરાય છે. એટલે કાં તો એમાં સંશોધન કરવામાં આવે અથવા ખતમ કરવામાં આવે. અલબત્ત ડો. ભીમરાવ આંબેડકરે આશ્વાસન આપ્યું કે કોઈના ઉપર સમાન સિવિલ કોડ થોપવામાં આવશે નહી, જે લોકો સ્વેચ્છાએ એને અનુસરશે એમને જ લાગુ પડશે. ઘણી બધી ચર્ચાઓ અને આશ્વાસનોના અંતે આ કલમ સ્વીકારી લેવામાં આવી. પણ .. બંધારણના માર્ગદર્શન સિદ્ઘાંતોની અન્ય કલમો કરતાં આજે આ કલમ ઉપર જ બધું ધ્યાન આપીને મુસલમાનોને રંજાડવાના પ્રયત્નો કરવામાં આવે છે.
     બીજી મહત્વની બાબત આ છે કે બંધારણમાં અુમક બાબતોને બુનિયાદી અધિકારો તરીકે પણ ગણાવવામાં આવ્યા છે. એટલે કે કોઈ પણ સ્થિતિમાં આ બુનિયાદી અધિકારો ભારતમાં વસતા નાગરિકને પ્રાપ્ત રહેશે. અને આ બુનિયાદી અધિકારોને ખતમ કરતો હોય અથવા સિમિત કરતો હોય એવો કોઈ પણ કાયદો અમલપાત્ર ન રહેશે. આ બુનિયાદી અધિકારોમાં ધાર્મિક સ્વતંત્રતા અને ધર્મ ઉપર અમલ કરવાની અને એનો પ્રસાર કરવાની આઝાદી પણ શામેલ છે. એટલે ખરી રીતે જોઈએ તો માર્ગદર્શન સિદ્ઘાંતોની આ બાબત બુનિયાદી અધિકારોની કલમ સાથે સીધી રીતે ટકરાય છે.
     અમારી માંગણી છે કે માર્ગદર્શન સિદ્ઘાંતોને એના સ્થાને રાખવામાં આવે, એમાં સમાનતા, શિક્ષણ, રોજગાર, સ્વાસ્થય સેવાઓ, વગેરે જે બાબતો સમાન રીતે દરેક નાગરિકને લાગુ પડે છે, એને લાગુ કરવામાં જ સાચો યુનિફોર્મ અને સમાનતા છે. સમાન સિવિલ કોડના નામે સરકાર અને જયુડીશરી પોતે જ અમુક તમુક કાયદાઓ અને સિદ્ઘાંતોમાં વાડાબંધી અને ભેદભાવ કરતી હોય તો એને સામાન્ય લોકો માટે કોઈ સમાન કાયદાની વકાલત કરવાનો શો અધિકાર ?

Thursday, June 09, 2016

ઇસ્લામ વિશે પ્રારંભિક જાણકારી

ઇસ્લામ વિશે પ્રારંભિક જાણકારી અને અમુક વિષયો બાબતે ઇસ્લામી દષ્ટિકોણ

I recommend you this application

https://play.google.com/store/apps/details?id=islam.guj

Understanding Islam and the way that Muslims think and see the world

This Application is designed to take people on the first step to understand Islam and the way that Muslims think and see the world. It grows out an extensive experience of teaching the course is based on. The arrangement of material builds a framework to understand Islam on its own terms rather than through an externally applied structure. Islam it self is linked to the essential guidance of God to all mankind from the beginning of creation. This is then traced through a series of steps such as a world-view, prophecy, revelation, history, belief and practice. The structure of a whole life based on Islam is explored together with Islam's approach to other faiths and Muslims in contemporary Britain and Europe.

Sunday, April 17, 2016

નવી પેઢીને ધર્મનું જ્ઞાન આપો.

મવ. અ.માજિદ દરિયાબાદ (મૃ.૧૯૬૭) અનેક ઉર્દૂ - અંગ્રેજી પુસ્તકોના લેખક છે. ઉર્દૂ અને અંગ્રેજીમાં કુરઆનની તફસીર પણ લખી છે. એમની પોતાની એક 'આપવીતી' એટલે કે આત્મકથા પણ છે. એમાં તેઓ એક સ્થળે લખે છે કે, મારો જન્મ એક ધાર્મિક કુટુંબમાં થયો હતો અને કેળવણી પણ દીની માહોલમાં જ મને આપવામાં આવી હતી. વાલિદહ અને મોટી બહેન પહેલેથી જ તહજ્જુદ ગુઝાર હતાં. વાલિદ સાહેબ પણ નમાઝ - રોઝાના પાબંદ અને ઘણા જ દીનદાર હતા. દીનદારી ઉપરાંત દીની ઇલ્મ અને જાણકારી પણ ધરાવતા હતા. આ માહોલમાં મેટ્રિક પાસ કરતાં સુધીમાં ઇસ્લામ વિશે ઘણું બધું વાંચન એમણે કરી લીધું હતું. પછી શું થયું એ પણ એમણે લખ્યું છે :
કોલેજ જવાનું શરૂ થયું તો વાંચનનો શોખ એમને વિવિધ લાયબ્રેરીઓમાં લઈ ગયો. અને ફિરંગી ફિલોસોફરોના પુસ્તકોના વાંચતા વાંચતા તેઓ નાસ્તિક બનવા લાગ્યા. અને છેવટે તેઓ કટ્ટર નાસ્તિક બની ગયા. લગભગ ૧૦ વરસ આમ નાસ્તિક બનીને રહયા. પછી અન્ય ધર્મો અને પુસ્તકોનો અભ્યાસ કરતાં કરતાં અલ્લામહ શિબ્લી રહ.ની સીરતુન્નબીના વાચન થકી, ધીરે ધીરે ઇસ્લામ તરફ પાછા આવવા લાગ્યા. અને છેવટે એટલા પાકા મુસલમાન બની ગયા કે નાસ્તિકતાથી તોબા કરીને હકીમુલ ઉમ્મત મવલાના અશરફ અલી થાનવી રહ.ના મુરીદ બની ગયા અને મરતાં સુધી એવી રીતે ઇસ્લામની સેવામાં પ્રવૃત રહયા કે આજે મહાન ઉલમાએ કિરામમાં એમની ગણના કરવામાં આવે છે. આ આખી લાંબી અને દિલચસ્પ દાસ્તાન એમણે એમની આત્મકથામાં લખી છે. જે 'આપબીતી'ના નામે છપાય ચુકી છે.
નાસ્તિકોની કઈ વાતો અને દલીલોથી તેઓ પ્રભાવિત થયા હતા, એની ચર્ચા હમણા બાજુ પર મુકી દઈએ, પણ કયા અસબાબ અને સંજોગોના કારણે નાસ્તિકતાના રસ્તે તેઓ પડી ગયા એનું વર્ણન મવલાના જ શબ્દોમાં જોઈએ, એનાથી આપણને અંદાઝો આવશે કે વધુ ભણેલા અને ઉચ્ચ શિક્ષાણ મેળવેલા મુસલમાન યુવાનો શા માટે ઇસ્લામથી દૂર થઈ જાય છે. ઘણા નાસ્તિક બની જાય છે તો ઘણા મને કમને ઇસ્લામમાં પડયા રહયા હોય એમ વર્તે છે. મવલાના રહ. ફરમાવે છે કે, ''ધાર્મિક વાંચન અને જાણકારી એ સમયે કંઈ કમ ન હતી. પરંતુ ફિરંગી નાસ્તિકતાના પૂર સામે એ વાંચન અને જાણકારીનું ભાથું ઓછું હતું.''
અહિંયા મવલાના દરિયાબાદીની દાસ્તાન અટકાવીને આપણે વર્તમાન મુસ્લિમ સમાજ અને વિશેષ કરીને શિક્ષિાત યુવાનો વિશે વિચારીએ તો સમજમાં આવી શકે છે તેઓ શા માટે દીનથી દૂર થઈ જાય છે. આજે સામાન્ય પણે મુસલમાન ઘરોમાં ઇસ્લામી આદર્શો, ફિલોસોફી, ખૂબીઓ અને કુરઆન હદીસની જાણકારીની કોઈ વ્યવસ્થા નથી.  બાળકોને બાળપણથી જ દુન્યવી શિક્ષાણ પાછળ ગાંડા કરી દેવામાં આવે છે. એમને ફુરસદ જ નથી આપવામાં આવતી કે તેઓ કુરઆન હદીસનો અભ્યાસ કરી શકે કે વાંચન કરી શકે. આ બાળકો જયારે પરિપકવ બને છે અને વધુ જાણકારી કે વાંચનનો શોખ થાય છે તો એવા પુસ્તકો વાંચવાનું શરૂ કરે છે જેમાં ઠાંસી ઠાંસને ધર્મ વિરુદ્ઘ ઝેર ઓકવામાં આવ્યું હોય છે. વાંચનાર યુવાનને વાસ્તવિકતાનું ભાન હોતું નથી. એકતરફી વાંચન જ ચાલ્યા કરે છે જે એના માનસ અને દિલને લગાતાર પ્રભાવિત કરીને ધર્મથી દૂર કરવાનું કામ કરે છે. અને માણસ ધીરે ધીરે તર્ક અને અક્કલના રસ્તે ચાલવાના ભમ્રમાં રાચે છે, પછી ત્યાંથી નાસ્તિક બને છે અને છેવટે ધર્મનો જ વિરોધી બની જાય છે. 
આપણી આસપાસ આવા અનેક શિક્ષિત લોકો વસે છે, અને જયારે પણ એમને મોકો મળે છે ત્યારે ફિલોસોફર બનીને ઇસ્લામ કે મુસલમાનોની ખામીઓ વર્ણવવા મંડી પડે છે. અનેકાનેક વિદ્યાઓના જાણકાર હોવાનો દાવો કરે છે પણ એમને કલિમએ શહાદતનો અર્થ અને મતલબ પણ ખબર નથી હતો.
ચિંતાની બીજી બાબત આ છે કે, મુસલમાનો સામાન્ય પણે એમના ભુતકાળથી બેખબર છે. ૧૦૦ - ર૦૦ વરસ પહેલાં કે ભુતકાળના પાછલી સદીઓમાં તેઓ કયારે આગળ હતા, કયારે પાછળ પડી ગયા હતા ? કયારે વિજેતા હતા અને કયારે પરાજિત થયા હતા, અને હાર - જીત અને આગળ પાછળ થવાના કયા કારણો હતા એ બધાની લગીરેય જાણકારી નથી રાખતા. એમ નથી કે આ બાબતે કંઈ સાહિત્ય અને માહિતી ઉપલબ્ધ નથી. પણ એના વાંચનનો શોખ નથી, રૂચિ નથી. કારણે કે પહેલેથી જ ધર્મ વિરોધી અભ્યાસ, વાંચન અને વિચારો થકી માણસમાં ધામર્િક સાહિત્ય અને ઇતિહાસ બાબત અરૂચિ પેદા થઈ ગઈ હોય છે.
ચિંતાની ત્રીજી બાબત આ છે કે, સમાન્ય મુસલમાનોને ઘણી જ સિફતપૂર્વક ઉલમાએ કિરામ, મુસલમાન વિદ્વાનો, બુઝુર્ગો, દીન અને ઇસ્લામના ખાદિમોથી દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. કયાંક કોઈ બહાનું બનાવીને ઉલમાને બેવકૂફ અથવા સમયના પ્રવાહોથી અજાણ કહેવામાં આવે છે. કયાંક અન્ય  દીનદારો અને દીનની મહેનત કરનારા મુખ્લિસ લોકોને જૂનવાણી, કટ્ટરવાદી અથવા રૂઢિચુસ્ત કહીને સામાન્ય પ્રવાહોથી અળગા હોવાનું ઠસાવવામાં આવે છે. આ જ કારણે આપણે જોઈએ છીએ કે ઘણા ખરા નમાઝી અને દીનદાર દેખાતા લોકો સમય આવ્યે દીનની દાવત અને ઉલમાએ દર્શાવેલ શરીઅત ઉપર અમલ પણ કરતા નથી. તેઓ દેખાવ પૂરતી દીનદારી જાળવી રાખે છે. બસ.
ચોથી વિટંબણા આ છે કે, મસ્જિદના ઇમામો સામાન્યપણે ઘણી જ ઓછી કાબેલિયત વાળા હોય છે. ઘણાને તો નમાઝના ફરજો અને સુન્નતોનું પણ ભાન નથી હોતું. માટે આવશ્યક છે મસ્જિદના ઇમામો ઇસ્લામી તાલીમ, ઇસ્લામી ઇતિહાસ, ઇસ્લામી વિદ્યાઓ વિશે એમનું વાંચન અને જ્ઞાન વધારે. જેથી લોકોને યોગ્ય માર્ગદર્શન આપી શકાય. તબ્લીગી જમાતના સાથીઓ આજે દીનની મોટી સેવા બજાવે છે. નવયુવાનો અને શિક્ષિાત મુસલમાનો સારી સંખ્યામાં એમની સાથે જોડાયેલ હોય છે. આવા સાથીઓ અને જિમ્મેદારો પણ ઇસ્લામી ઇતિહાસ અને ઇસ્લામી ફિલોસોફી, કુરઆન અને હદીસનું વધારે ઇલ્મ - જ્ઞાન મેળવવા ઉપર ધ્યાન આપે તો ઉમ્મતની વધુ સારી રીતે કેળવણી કરી શકાય છે.
આજના સંજોગોમાં મુસલમાનોની આવતી પેઢીના દીન અને ઈમાનની હિફાજતની મોટી જવાબદારી આપણા ઉપર આવી પડી છે. સંજોગોને વશ થઈને દુન્યવી શિક્ષાણ પાછળ એટલું બધું ધ્યાન આપવામાં આવે છે કે બાળકનું ઇસ્લામી ઘડતર બાજુ પર રહી જાય છે. એક બે પેઢીઓ પછી આવા ઘરોમાંથી દીનનું નામ પણ નીકળી જાય છે. એના અનેક ઉદાહરણો આપણી સામે અને આસપાસ છે. માટે બાળકોના દીન અને ઈમાનની ફિકર કરવાની સામુહિક જવાબદારી ઉમ્મતના દરેક વ્યકિત ઉપર છે અને વાલીઓ ઉપર તો એ શરીઅતની એક નક્કી જવાબદારી છે. જેમ કયામતના દિવસે નમાઝ રોઝાની પૂછપરછ થશે એ જ પ્રમાણે અવલાદની ઇસ્લામી કેળવણી વિશે પણ પૂછપરછ થશે.


Monday, April 11, 2016

યુરોપમાં ફેલાય રહેલ ઇસ્લામોફોબિયા

ઘણા માણસોને અમુક તમુક વસ્તુઓનો ડર સતાવતો હોય છે. આ ડર હદથી વધી જાય અને અવાસ્તવિક હોય તો એ 'ફોબિયા' બની જાય છે. ફોબિયા એક પ્રકારની માનસિક બીમારી છે. યુરોપ અને અમેરિકાવાસીઓ લાંબા સમયથી આવી જ એક માનસિક બીમારી એટલે કે 'ઇસ્લામોફોબિયા'માં સપડાયેલા છે. યુરોપમાં ઇસ્લામોફોબિયાનો મતલબ એવો થાય છે કે યુરોપવાસીઓને છેલ્લી હદ સુધીનો ઇસ્લામનો ખતરનાક ડર સતાવી રહયો છે. 
કોઈ અતિશકિતશાળી વસ્તુનો જ ખોફ અને ડર માણસને સતાવે એ સ્પષ્ટ છે. જેમ કે ઘણા માણસોને જિન્નાત કે ભૂતનો ડર સતાવતો હોય છે. માણસ ભૂતને પોતાના કરતાં વધારે શકિતશાળી સમજતો હોય છે એટલે જ એનો ડર એને સતાવતો હોય છે. આવું જ કંઈ ઇસ્લામ અને યુરોપ - અમેરિકા બાબતે પણ છે. યુરોપના લોકો ઇસ્લામને અત્યંત શકિતશાળી, આકર્ષક અને મેઘાવી ધર્મ સમજે છે. એટલે જ સદાએ ઇસ્લામના પ્રસાર વિશે ભયભીત રહે છે અને વિવિધ રીતે પોતાનો આ ડર પ્રગટ કરે છે અને ડરનો માર્યો માણસ બચાવના ઉપાય કરે એમ તેઓ ઇસ્લામને રોકવાના ઉપાયો પણ કરે છે. આવા જ ઇસ્લામોફોબિયાના કારણે આજકાલ જર્મનીની એક સંસ્થા (Pegida) પેગીડા નામે જર્મની, ફીનલેન્ડ, પોલેન્ડ, સ્લોવાકિયા, સ્વીટઝરલેન્ડ, ચેક, ઇસ્ટોનિયા વગેરે ૧૪ દેશોમાં ઇસ્લામ વિરોધી દેખાવો કરી રહી છે. એમના કહેવા મુજબ યુરોપના ઇસ્લામીકરણનો તેઓ વિરોધ કરી રહયા છે. યુરોપની બીજી અનેક ઇસ્લામ વિરોધી ચળવળોનો એમને સહકાર પણ છે.
આ એક નક્કર વાસ્તવિકતા છે કે ઇસ્લામથી પ્રભાવી થઈને, ઇસ્લામનો અભ્યાસ કરીને એના સિદ્ઘાંતો અને નિતિ નિયમોને ન્યાયી અને યોગ્ય માનીને ઇસ્લામ સ્વીકાર કરનારાઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. એનાથી ચિંતિત થઈને યુરોપવાસીઓ ઘણા સમયથી ઇસ્લામનો વિરોધ કરવા ઉપરાંત વિવિધ રીતે ઇસ્લામને ટીકાનું નિશાન બનાવી રહયા છે. અલબત્ત એમાં તેઓ કદી સફળ નથી થયા અને ઉલટાનું ઇસ્લામ વધારે સ્વીકાર્ય બની રહયો છે. ઇસ્લામનો જેટલો વિરોધ કરવામાં આવે છે એનો એટલો જ લાભ ઇસ્લામનો મળી રહયો છે. ઇસ્લામ વિરોધી પ્રોપેગન્ડાના કારણે ઇસ્લામી નિતિ નિયમો અને જીવન પ્રણાલી બાબતે ચર્ચાઓ થાય છે, પરિણામે લોકો ઇસ્લામનો અભ્યાસ કરે છે અને પછી વાસ્તવિકતાથી પરિચિત થઈને ઇસ્લામ સ્વીકારે છે. ૯ - ૧૧ ની ઘટના પછી પણ આમ જ થયું હતું.  પશ્ચિમના લોકોએ આક્રમક રીતે ઇસ્લામ વિરોધ પ્રચાર કર્યો, જેનું પરિણામ એ આવ્યું કે આખા વિશ્વમાં ઇસ્લામ વિશે ચર્ચાઓ થવા લાગી અને અમેરિકા - યુરોપમાં તો ઇસ્લામની જાણકારી મેળવવી લોકોનો મુખ્ય શોખ બની ગયો. ઇતિહાસમાં પહેલીવાર ઘણી મોટી માત્રામાં કુરઆન અને ઇસ્લામી કિતાબો યુરોપના બજારોમાં વેચાયી. યુનિવર્સિર્ટીઓમાં ઇસ્લામ વિશે પી.એચ.ડી. કરનારાઓની લાઇન લાગી ગઈ. અનેક શૈક્ષાણિક સંસ્થાઓમાં ઇસ્લામિક સ્ટડીઝ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં. અભ્યાસ અને સંશોધન પછી વિવિધ ક્ષોત્રોમાં કાબેલ ગણાતા અનેક વિદ્વાનોએ ઇસ્લામ સ્વીકાર કર્યો. આજે પણ સ્થિતિ એ છે કે ઇસ્લામ વિરોધી પ્રોપેગન્ડાના કારણે જ ઇસ્લામ અને મુહમ્મદ શબ્દ લોકો દ્વારા સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે.
ઇસ્લામ એના પ્રથમ દિવસથી માનવતાને સન્માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. યુરોપ જ નહી, વિશ્વના દરેક પ્રદેશોમાં જ ઇસ્લામ આગવું આકર્ષણ ધરાવે છે. પરંતુ યુરોપના ઇસ્લામ દુશ્મનો દ્વારા ઇસ્લામ વિરોધી પ્રચારના કારણે યુરોપમાં ઇસ્લામ માટે વધારે યોગ્ય અને હકારાત્મક વાતાવરણ સર્જાય રહયું છે.
Office for National Statistics Non- ministerial government department U.K. ની રિપોર્ટ મુજબ બિ્રટનમાં મુસલમાનોની વસતી ૩૦ લાખથી વધારે છે. અને આવતા દસ વરસમાં બિ્રટનના અમુક વિસ્તારોમાં મુસ્લિમ બહુમતિવાળા બની જશે. ગત માસે પ્રકાશિત થયેલ એક રિપોર્ટ મુજબ આવતા વીસ વરસોમાં ઇસ્લામ યુરોપનો સૌથી મોટો ધર્મ હશે અને મસ્જિદોની સંખ્યા ચર્ચ કરતાં વધારે હશે. કુલ મળીને યુરોપમાં પર મીલીયન મુસલમાનો રહે છે અને અતિઝડપથી આ સંખ્યા વધી રહી છે. આ સંખ્યા ૧૦૪ મીલીયન સુધી પહોંચી શકે છે.
યુરોપમાં મુસલમાનોની વધતી સંખ્યાથી ડરીને યુરોપવાસીઓએ મુસલમાનો વિરુદ્ઘ સાંસ્કૃતિક યુદ્ઘ છેડી રાખ્યું છે. મુસલમાનો વિરુદ્ઘ નફરત ફેલાવવાની કોઈ તક તેઓ હાથમાંથી જવા દેવા માંગતા નથી. કદી કુરઆન વિરુદ્ઘ ચળવળ ચલાવવામાં આવે છેે. કદી મસ્જિદો ઉપર પાબંદી લગાવવાની માંગણી કરવામાં આવે છે. દાઢી અને પરદા વિશે કાયદા બનાવવામાં આવે છેે. અઝાન બંધ કરવાની માંગણી કરવામાં આવે છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવનાર એક ઉમેદવાર તો અમેરિકામાં મુસલમાનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી રહયો છે. આમ છતાં ઇસ્લામના ફેલાવામાં કોઈ અવરોધ નથી આવ્યો. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના જન્મ મુબારક પહેલાં યમનના હાકેમ અબરહાએ કાબા બરબાદ કરવા માટે હાથીઓનું લશ્કર લઈને ચઢાઈ કરી હતી. અને અલ્લાહ તઆલાએ નાનકડા પક્ષાીઓ વડે એના ઘરનું રક્ષાણ કયુઁ હતું. આજે પણ શત્રુઓના અનેક પ્રયાસો છતાં ઇસ્લામ ફેલાય રહયો છે એ અલ્લાહ તઆલાનો જ એક ચમત્કાર છે.

Thursday, February 25, 2016

સ્ત્રી અને પુરૂષ, ઇસ્લામની નજરે


સ્ત્રી અને પુરૂષ, ઇસ્લામની નજરે
ઇસ્લામિક ફિકહ (ઇસ્લામિક લો)ના વિષય ઉપર લખવામાં આવેલ કોઈ સંપૂર્ણ પુસ્તક ઉપર એક નજર કરવામાં આવે તો તેમાં કમથી કમ નીચે દર્શાવવામાં આવેલ દરેક મથાળાના અલગ- અલગ પ્રકરણો હશે, ઈમાન, પાકી - સ્વચ્છતા, નમાઝ, રોઝા, ઝકાત, સદકહ, હજ, નિકાહ, તલાક, બાળકોને દૂધ પિવડાવવું, પત્નિ, બાળકો અને નિકટના સગાંઓનું ભરણ પોષણ, કસમ અને મન્નત, વકફ-ધર્માદાદાન, ભાગીદારી, વકાલત- એજન્ટનું કામ, વેપાર, કારોબાર, ભાડેથી લેન-દેન, બખ્શિશ, પડેલી-ખોવાયેલી મળેલ વસ્તુઓ, શત્રુ સાથે લડાઈ-જિહાદ, ખેતી કરવી, કરાવવી, શિકાર કરવો, ઝબહ કરવું, કુરબાની, વસીય્યત, વારસા વહેંચણી અને જાઈઝ, નાજાઈઝ અન્ય કામો જેમકે લિબાસ, પરદો, જાઈઝ નાજાઈઝ ખાણું-પીણું, દોસ્તો સગાઓ સહધર્મી  કે વિધર્મી  સાથે સંબંધો, ઈલ્મ - જ્ઞાનપ્રાપ્તિ, હુન્નરો શીખવું વગેરે.
આ બધા ઉપરાંત સત્તા કે સત્તાધીશો માટેના આદર્શો, આદેશો, નિર્દેશ અને માર્ગદર્શનો પણ સ્પષ્ટ પણે દર્શાવવામાં આવ્યા હોય છે, જેમ કે ગરીબોના ભરણ પોષણની જવાબદારી, સરકારી પૈસા કયાં વાપરવા, શિક્ષણની વ્યવસ્થા કરવી....
ઉપરોકત દરેક વિષયનું અલગ પ્રકરણ, અને દરેક હેઠળ પેટા પ્રકરણો.. એમ ઇસ્લામી કાનૂનનો વિસ્તાર જોઈએ તો માનવીના જીવનનો એક અંશ કે એક પળ એવી નહિ મળે, જે બાબત ઇસ્લામે કોઈ માર્ગદર્શન ન આપ્યું હોય અથવા કહો કે એમાં માનવીને છૂટ હોય કે તેની ઇચ્છા પ્રમાણે કરે.
ઉદાહરણ રૂપે વેપારને લગતા કાયદાઓ જોઈએ તો વેપાર કેવા માણસો કરી શકે ?
કેવી વસ્તુનો વેપાર કરી શકે ?
કેવી રીતે કરવામાં આવે ?
રોકડેથી/ ઉધાર કે વાયદાથી, વેપાર કરવા માટે શું શરતો છે ?
પૈસાથી વસ્તુ ખરીદવી,
વસ્તુથી વસ્તુ ખરીદવી, 
પૈસાથી પૈસા ખરીદવા વગેરે
પૂર્ણ થયેલ સોદો રદ બાતલ કયારે-કોણ કરી શકે ? 
વગેરે અનેક બાબતોનું સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન ઇસ્લામમાં આપવામાં આવ્યું છે. 
નમાઝનું ઉદાહરણ લઈએ તો નમાઝના પ્રકારો; ફર્જ, વાજિબ, સુન્નત, નફલ તેમજ જનાઝાની નમાઝ, જુમ્આની નમાઝ, ઈદની નમાઝ, રોજની પાંચ ટાઈમની નમાઝ, વરસાદ માંગવાની નમાઝ...
એ જ પ્રમાણે નમાઝ એકલાં પઢવી, ભેગા મળીને પઢવી, ઈમામ કોણ બની શકે ? નમાઝ કયારે પઢાય, કયારે નહિં, કયાં પઢાય, કયાં નહીં, કપડાં-શરીર કેવાં હોવા જોઈએ ? મોઢું કઈ તરફ કરવું ? નમાઝના દરેક કાયદો, કયામ, રૂકૂઅ, સજદહ, કાઈદહ, કવમહ, જલ્સહ, વગેરે કેવી રીતે કરવાં દરેક કાર્યમાં શું પઢવું, શું નહીં, કેટલું પઢવું, વગેરે દરેક બાબતો પરત્વે પૂરતંુ માર્ગદર્શન આપવામાં આવ્યું હોય  છે. 
એક બીજી વિશેષતા આ છે કે ઇસ્લામી જીવન માળખાની દરેક બાબત એક એક બીજાથી સંકલિત પરસ્પર સહયોગી અને પૂરક હોય છે. માટે કોઈ પણ એક બાબતને બીજાથી નોખી કરીને જોઈ શકાય નહીં, અહિંયા ફોજદારી કે દીવાની કે અન્ય કોઈ અદાલત અને કાયદા કાનૂનનો વિભાગ અલગ નથી હોતો. બધાં જ એક બીજાથી સંકલિત હોય છે. આ રીતે જોઈએ તો ઇસ્લામી માળખાની સર્વગ્રાહિતા અને ઇસ્લામી કાનૂનની ઉપયોગિતા અને વિસ્તાર ઓર વધી જાય છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ...
નમાઝ એક ઇબાદત છે. સામાન્ય પણે લોકો એને ફકત વ્યકિતગત કાર્યસમજે છે, ઇસ્લામી સમાજ રચનામાં એના સાચા મહત્વને સમજતા નથી. પાંચ સમયની નમાઝ ઇસ્લામી સમાજરચનામાં કેટલો ભાગ ભજવે છે એ માટે સઘળી બાબતો અત્રે દર્શાવવી શકય નથી, છતાં આટલું જાણીએ કે પાંચ સમયની નમાઝ દ્ઘારા દિવસભરનું એવું સમયપત્રક બનાવી દેવામાં આવ્યું, જે કદી બદલાય નહી. સવારે ફજર પઢી કામે લાગો અને રાત્રે ઇશા બાદ તુરંત સુઈ જાઓ, વાતોની મહેફિલ ન લગાવો એવો આદેશ પણ આપવામાં આવ્યો. પાંચ સમયે ભેગા મળવાથી એક બીજાના ખબર અંતર મેળવી શકાય, વગરે અનેક ફાયદાઓ છે. એક બીજી બાબત જ અત્રે ખાસ દર્શાવવા માંગુ છું તે આ છે કે નમાઝ (અને રોઝા પણ) ગરીબોની સહાય સાથે પણ જોડવામાં આવ્યા છે. અમુક પરિસ્થિતિઓમાં નમાઝ પઢી ન શકાય અથવા રોઝા રાખી ન શકાય તો બદલામાં ગરીબોને ફિદયો આપવાનો આદેશ છે. જો ઝકાત, ફિત્રા, સદકહ, કુરબાની, બખ્શિશ, વગેરે સાથે નમાઝ રોઝા અને અન્ય ઇબાદતોના બદલે (વિશેષ પરિસ્થિતિમાં) ફિદયો આપવાના આદેશને જોઈએ તો સમજી શકાય કે ઇસ્લામ કેવી રીતે સદ્ઘર મુસ્લિમ સમાજ રચવા માંગે છે, જેમાં કોઈ ગરીબ ન હોય, કે ગરીબોની પરિસ્થિતિથી બેખબર ન હોય.
અન્ય એક ઉદાહરણ લઈએ :
એક વર્તમાનપત્રમાં થોડા દિવસ પૂર્વે એક લેખકે તેમની કોલમમાં સ્ત્રીઓને વારસાઈ હક આપવા બદલ ઇસ્લામની પ્રસંશા કરી, પરંતુ સાથે જ પુરૂષને બમણો ભાગ આપવા બદલ ટીકા પણ કરી, તેમના શબ્દોમાં 
''ઇસ્લામિક કાનૂનમાં બીજા ધર્મોથી ઘણો વહેલો સ્ત્રીને વારસા હક્ક મળેલો છે, એ બાબત બિરદાવવા લાયક છે, સ્ત્રીની મિલકત ઉપર શાદી પછી પણ ઓરતનો જ સંપૂર્ણ અધિકાર છે, ફાઈન, પણ ભાગ પાડતી વખતે પુરૂષનો હાથ ઉપર રહે છે, પુરૂષનો હિસ્સો બે સ્ત્રીઓના હિસ્સા બરાબર ગણાય છે. પુરૂષની આર્થિક જવાબદારીઓ વધુ હોય વાળી દલીલ આપણા સમાજમાં ચાલે નહીં, આંખ કાન બંદ કરીને ચલાવવી જ હોય તો વાત અલગ છે.''
એટલે કે તેઓ સ્ત્રીના વારસા અધિકારને આખી ઇસ્લામી જીવન વ્યવસ્થાથી છૂટો પાડીને જુએ છે, સાચી રીત એ છે કે તેમની સમજમાં આવેલ આ એક ખુબી પર શ્રદ્ઘા રાખી તેઓ વધુ આગળ વધે, અને અન્ય બાબતોને પણ આ જ પ્રમાણે હકારાત્મક રીતે વિચારે, સામાજિક આર્થિક અને અન્ય જવાબદારીઓ બાબત ઇસ્લામ એક સુવ્યવસ્થિત માળખું રચવા માંગે છે અને એ આધારે જ જે તે વ્યકિત કે બાબતનું સ્થાન નક્કી થાય છે.
ઇસ્લામી માળખામાં સ્ત્રીનું સ્થાન અને તેની જવાબદારી સેવા કે કુશળતા જે કહો તે દેખાડવાનું સ્થાન 'ઘર' છે. અર્થાત સ્ત્રીના પતિ, પુત્રો, પિતા, માતા વગેરેથી સલગ્ન ઘરેલું બાબતો સ્ત્રીએ સંભાળવાની છે. જવાબદારીઓનું સ્થાન ઘર હોવાનો અર્થ એ નથી કે તેને ઘરમાં કેદ કરી દેવામાં આવી છે, અલબત્ત એ માટે તેણીએ વધુ સમય ઘરમાં ફાળવવો જરૂરી બને અને તે માટે એને ઘરમાં રહેવાનું કહેવામાં આવે તો શું ખોટું છે ? કોઈ દેશનો ગૃહપ્રધાન જો વિદેશ પ્રધાન કરતાં પણ વધારે વિદેશ પ્રવાસ કરતો હોય તો તેને એનાથી રોકવો જ રહ્રાો. આ ઇસ્લામની નિતી છે અને એ આધારે જયારે સ્ત્રીના વધુ પડતા ખર્ચાઓ પુરૂષે પૂરા કરવાના છે તો પુરૂષને બમણો હિસ્સો આપવામાં આવે તો શું ખોટું છે ?
આપણે વાત કરી રહ્રાા હતા ઇસ્લામે દર્શાવેલ જીવનના સર્વગ્રાહી માળખાની.
જો કોઈ માણસ માર્ગદર્શનના આ સર્વગ્રાહી માળખામાંથી કોઈ એક જ બાબતનો અભ્યાસ કરે, એના લાભ-નુકસાનને મુલવવા ચાહે તો તે સીધી રીત નથી.
વિદેશી કંપનીઓની અમૂક લકઝુરીયસ પ્રોડકટસ ઉપર સરકાર દ્વારા આકરો ટેકસ લગાડવામાં આવે છે. સરકારનો આશય હોય છે કે આપણા જેવા ગરીબ કે વિકાશશીલ દેશોને આવી વસ્તુઓ પરવડે નહીં, અથવા એવો આશય હોય કે અહીંયા બનતી એવી વસ્તુઓનું માર્કેટ ખરાબ ન થાય, અથવા એવો આશય હોય કે આપણી સમાજ રચના અને જીવન પદ્ઘતિ જોતાં હજુ આ વસ્તુ વધારે પડતી છે.
હવે જો કોઈ માણસ આ ટેકસને અને આયાતના કડક નિયમોને જ જુએ તો નિ:શંક એને આ નિયમો અન્યાયી લાગે, એક તરફી માલૂમ પડે, પરંતુ જો તેને એ આખા ભારત દેશ અને ભારતીય સમાજ, ભારતીય ગૃહઉદ્યોગના પરિપેક્ષયમાં જુએ તો સમજી શકાય કે આ નિયમો યોગ્ય છે. આમ છતાં જો કોઈ ભારતને એમ કહે કે તમારે તમારી સમાજ રચના કે ઉદ્યોગની ફિકર છોડી અમારી વાત માની લેવી જોઈએ અને અમારી પ્રોડકટસને લાયસન્સ આપી દેવું જોઈએ. ટેકસ ઓછો કરી નાંખવો જોઈએ, વગેરે... તો સરકાર એને કહી શકે કે અમારા દેશમાં, અમને લગતી બાબતોમાં આ અમારો સ્વતંત્ર નિર્ણય છે.
કંઈક આવું જ થઈ રહ્યું છે આજે ઇસ્લામી સિદ્ઘાંતોની બાબતમાં. 
ઇન્ટરનેશનલ અને નેશનલ કે લોકલ પ્રચાર-પ્રસાર માધ્યમોમાં ગોઠવાયેલા એવા લોકો જે ઇસ્લામી પ્રણાલીમાં શ્રદ્ઘા નથી ધરાવતા, તેઓ નાની મોટી ઘટનાઓને આડ બનાવી ઇસ્લામ વિશે ઘસાતું લખવા કે બોલવાની કોઈ તક હાથથી જવા દેતા નથી. જયારે પણ કોઈ નાની અમથી ઘટના ઘટે છે, તુરંત એના અનુસંધાનમાં પ્રચાર - પ્રસાર માધ્યમો (મીડીયા)નું આવું જ વલણ અપનાવે છે.
વિશેષ કરી સ્ત્રી અને તલાક સંબંધી બાબતે ખાસ હોબાળો મચાવવામાં આવે છે.
થોડા સમય પહેલાં ન્યુયોર્કના એક ચર્ચમાં એક સ્ત્રીએ નમાઝની આગેવાની લઈને સ્ત્રી- પુરૂષોને  જુમઅહની નમાઝ પઢાવી, ઇસ્લામી સિદ્ઘાંત પ્રમાણે આ બાબત જાઈઝ કે નાજાઈઝ એ મુસલમાનોનો જ વિષય હતો, છતાં આ બાબતને નારી સ્વતંત્રતા માટે આવશ્યક અને તેના વિરોધ કરવાને નારી પ્રત્યે અન્યાય તરીકે જોવામાં આવ્યો, ધાર્મિક રીતે કોઈ કામ જાઈઝ કે નાજાઈઝ હોય એમાં નારી સ્વતંત્રતા કે નારીને ગુલામ બનાવવાની વાત કયાંથી આવી  ?
ભારતના લોકો કેમ કરી આ બાબતે વાંધો ઉઠાવે છે તે બિલ્કુલ સમજમાં આવનારી વાત નથી. આજે પણ ઘણા મંદિરોના દરવાજે સુચના લખેલી હોય છે કે 'બહેનો - સ્ત્રીઓએ મંદિરમાં આવવું નહી'. મંદિરોના પંડિતો અને પૂજારી તરીકે કોઈ સ્ત્રીની કલ્પના કરી શકાય છે ? 
આ તો સ્ત્રીઓ બાબતનો ભેદભાવ છે, ભારતના સવર્ણો તરફથી આખી માનવ જાતિ તરફે સુગ રાખવામાં આવે છે. સ્ત્રીઓ અને પુરૂષો બન્ને પ્રત્યે..
થોડા સમય પહેલાં સમાચાર હતા કે દાતણ તોડવાના બદલામાં એક દલિત યુવકને મારવામાં આવ્યો, ઉપરાંત સમગ્ર દલિતોનો બોયકોટ કરવામાં આવ્યો. 
હરિયાણાના એક ગામમાં દલિતોના પ૦ ઘરો સળગાવી દેવામાં આવ્યા અને તે પણ ૪૮ કલાક પહેલાં અલ્ટીમેટમ આપીને. પોલીસને અલ્ટીમેટમની ખબર હતી, પણ તેણે નકકી સમય પહેલાં આવીને દલિતોને કહયું કે ગામ ખાલી કરી દો, કંઈ પણ બની શકે છે અને જે બનવાનું હતું તે બન્યું અને પોલીસ જોતી રહી.
ઇસ્લામ ધર્મમાં સ્ત્રીને ઈમામ બનવાની ઇજાઝત ન હોવાને દલીલ બનાવી પુરવાર કરવામાં આવે છે કે ઇસ્લામમાં સ્ત્રીને પૂરતા અધિકાર નથી આપવામાં આવ્યા ¦ શું સ્ત્રી સ્વતંત્રતા માટે ફકત નમાઝની ઈમામત જ માપદંડ છે ?
સ્ત્રી પુરૂષ સંબંધી બીજા અનેક આદેશો અને આદર્શો છે, જેના આધારે ઇસ્લામમાં સ્ત્રીના વાસ્તવિક સ્થાન અને મહત્વને સમજી શકાય છે. અલબત્ત આ બધું સમજવા ખાતર પહેલાં કોઈ પણ માણસે નિષ્પક્ષા અને તટસ્થ બનવું આવશ્યક છે.
નિષ્પક્ષા હોવા કે તટસ્થ હોવાનો અર્થ અત્રે એ નથી કે તમે હિંદુ, મુસ્લિમ, ઈસાઈ, યહૂદી કે અન્ય ધાર્મિર્ક વિચારોથી સ્વતંત્ર થઈ વિચારો, બલકે નિષ્પક્ષા હોવાનો મતલબ એ છે કે સ્ત્રી અને તેના સંબંધિત કાર્યો, અને ઇસ્લામી આદેશો વગેરેને સ્વતંત્ર રીતે જોવામાં આવે, સ્ત્રી પણ એક માનવી છે. પુરૂષ પણ એક માનવી છે અને બન્નેવ વિવિધ રીતે એક બીજાથી નોખા છે, માટે બન્ને એક બીજાથી સ્વતંત્ર અને વિશિષ્ટ છે, માટે સ્ત્રી સંબંધી આદેશોને પુરૂષની તુલનામાં જોવા કરતાં સ્વતંત્ર રીતે જોવામાં આવે, કુદરતે કંઈક વિશેષતાઓ સ્ત્રીને આપી છે, કંઈક પુરૂષને. એ જ પ્રમાણે બન્નેવમાં એક બીજાથી ભિન્ન કંઈક કમઝોરીઓ પણ છે.
ઉદાહરણ તરીકે,
ઇસ્લામે પુરૂષને આદેશ આપ્યો છે કે પત્નિના ભરણ પોષણ, ખાવા પીવા, રહેવા સહેવા વગેરેનો પુરો ખર્ચ, સ્ત્રી અને પુરૂષ બન્નેવના આર્થિક મોભો સામે રાખી નિભાવવામાં આવે, પુરૂષ જો આ આદેશ સંબંધી એમ વિચારે કે આ મારા તરફે અન્યાય છે, એટલા માટે કે સ્ત્રી પણ મારા જેમ માણસ છે અને સ્વતંત્ર છે, તો પછી હું શા માટે એનો બોજ ઉઠાવું ? દરેક પોતાનો ખર્ચો ઉઠાવે તો પુરૂષનું આમ વિચારવું ખોટુું છે. એ જ પ્રમાણે ખાવા પીવા પહેરવા રહેવાના ખર્ચાઅો પતિના ઝિમ્મે નાંખી સ્ત્રીને બાળકોની દેખભાળ, પતિના ઘરની સંભાળ અને જરૂરત ન હોવા છતાં ફકત વધુ માલ કમાવાની લાલચે બહાર નહી નીકળવાની શીખને સ્ત્રી એમ સમજે કે એ મારા તરફે અન્યાય છે અને મને ઘરમાં કેદ કરવા સમાન છે, કારણ કે પુરૂષની જેમ જ મને પણ કમાવાની છૂટ હોવી જોઈએ, તો સ્ત્રીનું એ વિચારવું ખોટું છે, અત્રે બંનેનું વિચારવું એટલા માટે ખોટું છે કે બન્નેવ પોતાની સ્થિતિને બીજાને જોઈ મુલવે છે.
સ્ત્રી પુરૂષને બહાર હરતો ફરતો કમાતો જોઈ પોતે પણ હરવા ફરવા કમાવાની માંગ કરે, એ ખોટું અનુકરણ અને વાદ કહેવાય, હા જો સાચે જ સ્ત્રીને તેના ગુજરાન માટે કમાવાની આવશ્યકતા હોય અને કોઈ તેનું ભરણ પોષણ કરનારૂ ન હોય, તો સ્ત્રીને કમાવાનો અધિકાર છે. એ જ પ્રમાણે પુરૂષને કોઈ એવી સ્ત્રીનો ભાર વઢેરવાનું કહેવામાં આવતું હોય, જેનાથી એનો કોઈ સંબંધ નથી અને જે પુરૂષની કોઈ સેવા ચાકરી નથી કરતી તો તેનું વિચારવું યોગ્ય છે. નહીં તો એનું વિચારવું ખોટું છે.


Post your comments below    

Saturday, January 30, 2016

લાલચ વગરની ઇબાદત



લાલચ વગરની ઇબાદત
લખનઉના બજારમાં એક ગરીબ દરજીની દુકાન હતી. 
દરજીની આદત હતી કે દરેક મુસલમાનના જનાઝહ વેળા દુકાન બંધ કરીને નમાઝ માટે જતો હતો. લોકોએ એને કહયું કે આમ કરવાથી તારા ધંધાને નુકસાન નથી થતું ? એણે કહયું કે, ઉલમાના મોંઢે સાંભળ્યું છે કે બીજાઓની જનાઝહની નમાઝ પઢશું તો આપણા જનાઝહમાં મોટી ભીડ અલ્લાહ તઆલા ભેગી કરશે. પણ હું તો ગરીબ છું. મને કોણ ઓળખે છે ? અને કોણ મારા જનાઝહમાં આવશે ? બસ એટલી ઉમ્મીદ છે કે આ નમાઝોની બરકતથી જ મારી મગફિરત થઈ જાય.
અલ્લાહનું કરવું કે ૧૯૦રમાં હઝ. મવ. અ. હય લખનવી રહ.નો ઇન્તેકાલ થયો. મહાન આલિમ અને વિદ્વાન હતા. રેડિયો ઉપર એમની વફાતના સમાચાર અને જનાઝહની નમાઝના સમયનું એલાન થયું. લાખો લોકો દૂર દૂરથી જનાઝહની નમાઝ માટે આવ્યા. અને હજુ આવવાનું ચાલુ જ હતું. નમાઝ થઈ થઈ છતાં ઘણા લોકો રહી ગયા.
એમની જનાઝહની નમાજ પૂરી થઈ કે તુરંત એક બીજા જનાઝો આવ્યો અને એલાન થયું કે એક ગરીબ મુસલમાનનો જનાઝો છે. એની નમાઝ પણ પઢવા બધા ઉભા રહે. હઝારો બુઝુર્ગો, ઉલમા અને અલ્લાહવાળાઓ અને લાખો લોકો બધા જ આ જનાઝહમાં શરીક થયા. અને જે લોકો પહેલા જનાઝહમાં શરીક થઈ શકયા ન હતા એ બધા પણ આ જનાઝહમાં શરીક થયા. એમ આ જનાઝાની નમાઝમાં મવ. અ. હય રહ. કરતાં પણ વધારે લોકો શરીક થયા.
આ જનાઝો પેલા ગરીબ દરજીનો હતો.
સાચે જ ઇખ્લાસ અને નિખાલસતા મોટી દોલત છે. આ ગરીબના ઇખ્લાસમાં કોઈ શંકા જ નથી. જનાઝહમાં શરીક થવાની ફઝીલત સાંભળ્યા પછી પણ એની નિય્યતમાં એવું ન હતું કે મારા જનાઝહમાં લોકો ભેગા થાય એટલું હું જનાઝહમાં જાઉં છું. બસ એક મગફિરતની આશા હતી.
કોઈ પણ પ્રકારની લાલચ વગરની ઇબાદત તે આનું નામ.

આતંકવાદ, ઇસ્લામ, વિશ્વસત્તાઅો અને મીડીયા

પાછલા દિવસોમાં ફ્રાંન્સમાં આઈ.એસ.આઈ.એસ. દ્વારા કરવામાં આવેલ હુમલા પછી વિશ્વભરમાં એકદમ એવો માહોલ બની ગયો હતો જેમ ટવીન ટાવર એટેક પછી થયું હતું. અલબત્ત અમુક દિવસો વિત્યા પછી સ્થિતિ બદલાય રહી છે. આ હુમલો સાચે જ આઈ.એસ.આઈ.એસ. દ્વારા કરવામાં આવ્યો હતો, કે પછી કયાંક બીજી કોઈ શકયતા પણ રહેલી છે ? એ કદી સામે નહી આવે. આજે તો ફકત એક જ વાત છે. અને તે આ કે આ આઈ. એસ.આઈ.એસ.નું જ કામ છે. 
વિશ્વભરમાં એકદમ એવો હાઉ ઉભો થયો હતો જાણે આખા વિશ્વ અને સમગ્ર માનવ બિરાદરી ઉપર અસ્તિત્વનો ખતરો આવી પડયો હોય. આ જ ફ્રાંન્સ વિશ્વભરમાં અનેક સ્થળોએ માનવખુવારી થાય છે ત્યારે ચુપ રહે છે. ચાહે મુસલમાનોની હોય કે અન્યોની હોય. અમેરિકા અને ફ્રાંન્સ સહિત આખું યુરોપ વિશ્વમાં પોતાની નેતાગીરી માટે હુમલાઓ કરે છે, હત્યાઓ કરે છે, પોતે જાહેર કરે છે કે અમે ફલાણા ફલાણા ત્રાસવાદી સંગઠન સાથે યુદ્ઘ સ્થિતિમાં છે, પોતે જ શરૂઆત કરે છે, પછી જવાબ આવે છે તો છંછેડાય છે. એમને કહો કે પોતાના કર્મોના ફળ માટે માટે કોઈ બીજા દેશ કે ધર્મને બદનામ કરવાની કોઈ જરૂરત નથી.
વિશ્વને આખાને જાણે અમુક તમુક ઘટનાઓ ઉપર જ પોતાની લાગણીઓ વ્યકત કરવા માટેનું કહેવામાં આવતું હોય એમ અચાનક અમુક નાનકડી ઘટનાઓ ઉપર પણ મોટી ચર્ચાઓ અને ભયાનક વાતાવરણ ખડું કરવામાં આવે છે અને બીજી ઘટનાઓને એકદમ બ્લેકઆઉટ કરી દેવામાં આવે છે. આવા ટાણે મીડીયાથી પ્રભાવિત થઈને અનેક માણસોની વિચારવાની દિશા બદલાય જાય છે કે બદલવાની કોશિશ કરવામાં આવે છે. ભારતીય મીડીયાને ઇસ્લામ કે મુસ્લિમ વિરોધી કોઈ બાબતને ચગાવીને રજૂ કરવામાં વિશેષ મજા પડે છે. પાછલા દિવસોમાં આરબ દેશ કતર દ્વારા એક અરબ ડોલર.... એક અરબ ડોલર...નો દંડ ભારતીય સરકાર તરફે જતો કરવામાં આવ્યો. અરબો - ખરબો ડોલર લઈને કોઈ દેશ ભારતને યુદ્ઘ સામગ્રી આપે છે અથવા કોઈ ટેકનોલોજી આપે છે તો મીડીયા એની સાથે ભારતની દોસ્તીના ગીતો ગાય છે, પણ આ એક આરબ મુસ્લિમ દેશ હતો એટલે....
મીડીયાના આવા પ્રભાવ હેઠળ આવીને ઘણા સામાન્ય મુસલમાનો બચાવની પોઝીશનમાં આવી જાય છે. તેઓ સમજે છે કે કયાંક આપણે અથવા આપણા ધરમમાં જ કોઈ એવી ખામી છે જેના કારણે ધરમનું નામ લઈને લોકો આવું કૃત્ય કરે છે અને આપણો ધરમ બદનામ થાય છે. આવા લોકોને ધરમનું નામ લેવાથી રોકવા જોઈએ... પણ વાસ્તવમાં એવી કોઈ જરૂરત નથી હોતી. અગર કોઈ ધરમનું નામ લે છે તો અમેરિકા અને યુરોપ જે સ્વતંત્રતાનું નામ લે છે તે પણ એક પ્રકારનો ધરમ જ છે ને. એનું નામ લઈને જ તેઓ વિશ્વભરમાં લોકોને મારે છે ને. એક ધરમનો કાયદો બીજાને ગોશ્ત ખાવા ઉપર ફાંસી સજા આપવાની માંગ કરે છે.  કોઈ કાયદો ચોરી કરનારના હાથ કાપવા કે વ્યાભિચારીને મારી નાખવાની સજા કરે છે... બીજો કાયદો લોકોને બુરકો પહેરવા ઉપર હજારો કે લાખો રૂપિયાનો દંડ કરે છે. વિશ્વની સૌથી વધુ ભયંકર ત્રાસદાયક જેલોના નિયમો એક પ્રકારનો આધુનિક ત્રાસવાદી ધરમ જ છે ને. ? આધુનિક દેશો કાયદા કે કાનૂન નામે જે ધરમને અનુસરી રહયા છે એ કેટલો ન્યાયી છે ? પછી શીદને કોઈ ધર્મને બદનામ કરો છો ? એક દેશનો કાયદો દારૂ ઉપર પાબંદી લગાવે છે, બીજા દેશમાં છૂટ છે, છતાં કોઈ દેશ જૂનવાણી કે કટ્ટર નથી. તો ફકત ઇસ્લામના નામે અમુક કાયદાઓનું નામ લઈને શીદને કોઈને બદનામ કરવામાં આવે છે ? જુગાર અને સટ્ટાની અનેક સ્કીમો કેટલાયે દેશોમાં માન્ય અને સ્વીકાર્ય છે, અને ઘણા દેશોમાં ગુનો છે. એમાં કોઈને કશું ખોટું દેખાતું નથી. પણ ઇસ્લામે વ્યાજને હરામ કહયું એટલે એ બધાને ખુંચે છે. આવું જ કંઈ કહેવાતા આંતકવાદ અને ત્રાસવાદ બાબતે છે.
રશિયા યુક્રેનમાં કરે તે, અમેરિકા અશ્વેતો સાથે કરે તે, સવર્ણો દલિતો સાથે કરે તે, મ્યાનમારના બોદ્ઘો રોહિંગ્યા મુસલમાનો સાથે કરે તે, તમિલો અને સિંહલો એકબીજા સાથે કરે તે...બધી નાનકડી ઘટનાઓ...અને પેરિસમાં માથાફરેલ વ્યકિત જે કરે તે આખા વિશ્વને હચમચાવી મુકનારી ઘટના કહેવાય. દેશ અને સત્તાના નામે શાસકો ગમે તે કરે તે ન્યાય અને કોઈ સંગઠન જે કરે તે આતંકવાદ ¦ અમેરિકા એના શત્રુ કોરિયા સાથે વાટાઘાટ કરી શકે છે.. જરૂરત પડે તો અલકાયદા કે દાએશ સાથે પણ કેદીઓ છોડાવવા વાટાઘાટો કરે છે, તો પછી શાંતિ માટે કેમ વાટાઘાટો કરવામાં નથી આવતી, એને ખતમ કરવું જ છેલ્લો ઉપાય છે ? એને એક અલગ પ્રદેશ-દેશ તરીકે સ્વીકારીને મુખ્યધારામાં ન લાવી શકાય ? કદાચ એવું તો નથી કે બધાનું હિત એમાં છે જ કે વિશ્વ સળગતું રહે... શાસકોની નેતાગીરી અને એમના સ્પોન્સર કોર્પોરેટ ગૃહોનો હથિયારોનો વેપાર પણ ચાલતો રહે . અમે એટલું જ કહીશું કે આવી નાનકડી ઘટનાઓને મોટી બતાવીને હાઉ ઉભો કરવો ખોટો છે અને કોઈ કરે તો આપણે એના પ્રભાવમાં આવવું જોઈએ નહી. .

એજયુકેશન, ઇકોનોમી, ટેકનોલોજી વગેરેમાં મુસલમાનો કેટલા આગળ હોવા જોઈએ.

એજયુકેશન, ઇકોનોમી, ટેકનોલોજી વગેરેમાં મુસલમાનો કેટલા આગળ હોવા જોઈએ.

સવાલ : શું વર્તમાન ઉમ્મતે મુસ્િલમહ માટે આ જરૂરી નથી કે તેઓ હથિયાર અને વોર - વેપન ટેકનોલોજીમાં યહૂદીઓ જેટલા જ પાવરફૂલ હોય. શું મુસલમાનો પાસે પણ એવા હથિયાર હોવા જરૂરી નથી, જેવા એમના વિરોધી કોમ કે સત્તા પાસે હોય ?
જવાબ :  કુરઆનના આદેશ પ્રમાણે જે વસ્તુઓ જરૂરી છે તે આ છે : શત્રુના મુકાબલા માટે પોતાની શકિત મુજબની તૈયારી કરવામાં આવે. કોઈની બરાબરી કે કોઈનાથી ચઢિયાતા હોવું જરૂરી નથી. આપણી સૈન્ય શકિત શત્રુથી ચઢિયાતી હોય એ જરૂરી નથી. એના સમોવડી હોય એ પણ જરૂરી નથી. પણ આપણી શકિત મુજબની તૈયારી જરૂર હોવી જોઈએ અને એ હથિયારો અને શકિત વડે શત્રુ સાથે લડવું અને જિહાદ કરવો જરૂરી છે.
જરૂરત પડયે કોઈનો મુકાબલો કરવો પડે તો મુસલમાનોએ કેટલી તૈયારી કરવી, એ વિશે કુરઆનમાં સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે : 'તમે તૈયારી કરો, જેટલી પણ તમે કરી શકો.'' 
કુરઆનમાં અન્ય એક સ્થળે ભૌતિક રીતે એટલે કે સંશાધનો, શસ્ત્રો, સૈન્યની સંખ્યા વગેરે બાબતોમાં મુસલમાનોએ કેટલા અંશે સમર્થ હોવું જરૂરી છે, એનું માર્ગદર્શન પણ છે. અલ્લાહ તઆલા ફરમાવે છે : 
અગર તમારામાં અડગ રહેનાર વીસ માણસો હશે તો તેઓ બસો ઉપર વિજયી રહેશે અને જો તમારામાં સો (આવા) હશે તો હજાર કાફિરો પર વિજયી બનશે, કારણ કે તે એવા લોકો છે, જે (દીનને) કંઈ સમજતા નથી. (૬પ) હવે અલ્લાહે તમારાથી બોજો હલકો કરી દીધો અને તેણે જાણી લીધું કે તમારામાં કંઈક નબળાઈ છે તો (હવે) જો તમારામાં અડગ રહેનાર સો માણસો હશે તો તેઓ બસોને જીતી લેશે અને જો તમારામાં હજાર હશે તો બે હજાર પર અલ્લાહના હુકમથી જીત મેળવશે અને અલ્લાહ (ની મદદ) અડગ રહેનારાઓની સાથે જ છે. (૬૬) (સૂરએ અન્ફાલ)
આ આયતમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ભૌતિક રીતે મુસલમાનો અડધો અડધ પછાત હોય, ઓછા હોય, કમઝોર હોય તો પણ તેઓ એમના પ્રતિસ્પર્ધી કરતાં આગળ નીકળી શકે છે, એમના ઉપર પ્રભાવી થઈ શકે છે. અલબત્ત એના માટે જરૂરી શરતો આયતમાં આગળ જણાવી છે : પાકું ઈમાન અને અડગતા. લડાઇ જેવી બાબતે આ માપદંડ હોય તો અન્ય બાબતોમાં પણ આ માપદંડ હોય એ વધારે સ્પષ્ટ છે.  કુરઆનમાં અનેક આયતોમાં જયાં મુસલમાનોને દુનિયામાં જીત અને પ્રભાવનો વાયદો કરવામાં આવ્યો છે, એ બધી જ આયતોમાં અસલ શર્ત ઈમાન પાકું હોવાની છે. ભૌતિક રીતે મુસલમાનો ચડિયાતા હશે તો જ જીતી શકશે એવું કુરઆનમાં કયાંયે નથી. મતલબ આ થયો કે મુકાબલા અને સ્પર્ધા માટે આપણી અસલ તાકત આપણું ઈમાન છે. એના લઈને તો લડાઈ છે, સ્પર્ધા છે, હરીફાઈ છે. વિરોધ અને ઝઘડાઓ છે. આપણે જો મુસલમાન રહેવા ન માંગીએ, ઇસ્લામ છોડી દઈએ તો પછી આપણા સાથે કોને દુશ્મની છે ? કોઈ પણ આપણો વિરોધી નથી. આપણો વિરોધ અગર કોઈ કરે છે તો ઇસ્લામના કારણે જ કરે છે. પછી આ બેવકૂફી ન કહેવાય કે ઇસ્લામના નામ ઉપર આપણે એનો મુકાબલો કરવા માટે ઇસ્લામને પણ છોડી દઈએ. એના કરતાં સરળ રીત આ છે કે મુકાબલા વગર જ ઇસ્લામને છોડી દઈએ, પછી લડાઈ અને સ્પર્ધાની જરૂરત જ નહી રહે.
એટલે કે આ દુનિયામાં આગળ આવવાના બે રસ્તા આપણી સામે છે. (૧) ભૌતિક રીતે થોડા પાછળ હોઈએ પણ ઇમાન અને અડગતામાં પાકા હોઈએ..(ર) ભૌતિક રીતે સમોવડિયા અથવા ચડિયાતા થઈને સ્પર્ધા - મુકાબલો કરીએ, ભલે ઇસ્લામના અનુસરણમાં આપણે પાછળ હોઈએ.
આપણા માટે કયો રસ્તો સરળ છે એ આપણે સમજી શકીએ છીએ.
અમારા ઉપરોકત લખાણનો મતલબ એ નથી કે રોઝા, નમાઝ, વગેરે ઇસ્લામી ઇબાદતો લઈને બેસી રહીએ અને જે તે ઝમાનામાં પ્રચલિત નીતિઓથી અજાણ રહીને એની સામે ઇસ્લાની નીતિઓના પ્રભાવી અને અસરકારક હોવાની તબ્લીગ ન કરીએ, દુશ્મનનો મુકાબલો પણ કરવામાં ન આવે. આપણે ઇસ્લામની નીતિઓની તબ્લીગ પણ કરવાની છે, એમાં આવતા વિરોધ અને અવરોધો પણ સહેવાના છે અને જરૂરત પડે તો સ્પર્ધા, હરિફાઈ, મુકાબલો, લડાઈ અને યુદ્ઘ પણ કરવાનું છે. પણ મુળ વાત આ યાદ રાખવાની છે કે આપણી અસલ પૂંજી અને અને ખરી શકિત શું છે ? 
અકબર ઇલાહાબાદીએ આ જ વાત શે'રમાં કહી છે :
તુમ શોખ સે કોલેજ મેં પળ્હો, પાર્ક મેં ફૂલો.
જાઇઝ હે ગુબ્બારોમાં ઉડો. ચર્ખ પે જૂલો
પર એક સખુન બંદએ આજિઝ કા રહે યાદ
અલ્લાહ ઓર અપની હકીકત કો ન ભૂલો.
યાદ રાખો...
૧) આપણી મુળ સમસ્યા ભૌતિકતા, આધુનિકતા, આથર્િક સદ્ઘરતા કે રાજકીય સત્તા સાથે લઈને ભવિષ્ય સુધી જવાની નથી, બલકે આપણા ધર્મને આવતી કાલ સુધી અને ભવિષ્ય સુધી અસલ અને મુળ સ્વરૂપે, વાસ્તવિક અમલી સ્વરૂપમાં લઈ જવો આપણી અસલ ફરજ છે. હદીસ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સહાબાને સંબોધીને ફરમાવે છે કે મારી વાતો અન્યો સુધી પહોંચાડો. એવું થઈ શકે છે જેના સુધી પહોંચાડવામાં આવી હોય, એ મુળ સાંભળનાર કરતાં વધારે સમજદાર હોય અને એને સમજીને ઘણું બધું કામ લઈ શકે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની આ વાત આજના સંદર્ભમાં પણ પૂરી રીતે ઉપયોગી છે. આપણે કોઈ પણ રીતે છાતીએ ચાંપીને દીન સાચવી રાખવાનો છે. આવતી પેઢીને આપવા માટે. માટે થોડું ઘણું ભૌતિક - દુન્યવી નુકસાન વેઠીને પણ દીન જાળવી રાખવો આપણી ફરજ છે.
ર) વર્તમાન આધુનિક શિક્ષાણની બધી જ શાખાઓમાં અને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે આગળ આવવું અને સદ્ઘર રહેવું ઘણું જરૂરી છે. એના માટે મોટી મોટી કુરબાનીઓ આપવી પડે તો એ આપવી જોઈએ, પણ ઇસ્લામ અને ઇસ્લામના આદેશોની કુરબાની હરગિઝ નહી.

સમાજ સુધારણાની નબવી ચળવળ અને વર્તમાન મુસ્લિમ સમાજની સમીક્ષા

સમાજ સુધારણાની નબવી ચળવળ અને
વર્તમાન મુસ્લિમ સમાજની સમીક્ષા

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે આપણી મુહબ્બત અને અકીદત તેમજ નુબુવ્વત અને રિસાલત ઉપર આપણા ઈમાનનો તકાઝો છે કે ઈમાન અને મુહબ્બત વ્યકત કરે એવા ઘણા બધા કામો કરવાની સાથે આપણે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના મિશન અને નુબુવ્વતના ધ્યેયો - મકસદોને પણ ધ્યાને રાખીએ.
ન્યાય અને નૈતિકતા, ઈમાન અને ઇસ્લામ, સંસ્કાર અને સમાનતા વગેરે ભલાઈના કયા આદર્શોનું માનવીય સમાજમાં સિંચન કરવાનો ધ્યેય હતો ? અને બુરાઈ - બદીના કયા કાર્યો અને એના સ્ત્રોતોને બંધ કરવાનો આશય નુબુવ્વત અને રિસાલતના કેન્દ્ર સ્થાને હતો ? ફકત ર૩ વરસના ટુંકા ગાળામાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ભરપૂર મહેનત કરીને માનવીય સમાજમાં એવું શું પરિવર્તન લાવી દીધું કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને મહાન ક્રાંતિક્રારી પયગંબર કહેવામાં આવ્યા ? ઇતિહાસકારો સર્વસમંત છે કે આટલા ટુંકા સમયમાં આવી ક્રાંતિ અને પરિવર્તન શકય નથી. હજ્જતુલ વદાઅના છેલ્લા સંબોધનમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું હતું : જહાલતકાળની બધા નિયમો અને રિવાજો મારા પગો તળે કચડી નાખવામાં આવ્યા છે. એટલે કે જાહિલી સમાજના રિવાજો અને પરંપરાઓ ખતમ કરીને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એક નવા સમાજની રચના કરી હતી.
ટુંકમાં આપણે જોઈએ કે જહાલતકાળના કયા કયા રિવાજો કે કાયદાઓ અથવા પરંપરાઓને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે માનવીય સમાજ માટે નુકસાનકારક ઠેરવીને ખતમ કયર્ા હતા ? અને વિચારીએ કે કયાંક આ બાબતો ફરીથી માનવીય સમાજમાં ન આવી ગઈ હોય ?
- કુફ્ર - શિર્ક અને મુર્તિપૂજા અરબસ્તાનમાંથી સંપૂર્ણ નષ્ટ કરી દીધી.
- નગ્નતા એટલે વ્યાપક હતી કે સ્ત્રી અને પુરુષો નગ્ન થઈને કાબાનો તવાફ કરતાં હતાં. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એને રોકવા હેતુ નગ્ન તવાફની પ્રથાને બંધ કરવા ઉપરાંત સામાજિક અને વ્યકિતગત જીવનમાં દરેક માટે સતર અને પરદાના નિયમો લાગુ કર્યા. એટલે કે સ્ત્રી અને પુરુષ ઉપર મોટા ભાગનું શરીર છુપાવવું ફરજ - આવશ્યક ઠેરવવામાં આવ્યું.
- જુગાર અને સટ્ટો સામાન્ય હતાં, હરમ શરીફમાં અને અુમક ઇબાદતોના ભાગ સ્વરૂપે પણ જુગાર રમવામાં આવતું હતું. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ પ્રથાને સદંતર ખતમ કરી દીધી.
- વ્યાજનું લેન - દેન સામાન્ય બાબત હતી. વેપાર અને કરજ, બન્નેમાં વ્યાજ સામાન્ય બાબત હતી. પણ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે વ્યાજને હરામ ઠેરવીને વ્યાજુ લેન - દેનને અલ્લાહ અને એના રસૂલ સાથે યુદ્ઘ કરવા સમાન ગુનો ઠેરવી દીધો.
- શરાબ - દારૂનું સેવન ગર્વની બાબત હતી. અને એનું સેવન લોકોની જરૂરત અને સ્વભાવ બની ગયો હતો. છતાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એને સંપૂર્ણ રીતે હરામ ઠેરવ્યું અને સમાજને આ બદીથી પાક કરી દીધો.
- ભાષા, પ્રદેશ, કોમ અને વંશ વગેરે આધારિત ગર્વ કરવો અને ભેદભાવનું વર્તન સામાજિક વ્યવસ્થાનો જ એક ભાગ હતો. આ આધારે એકબીજા ઉપર ઉચ્ચતા અને પ્રાથમિકતા જતાવવામાં આવતી હતી. એકબીજા ઉપર હાવી થવા અને પ્રભાવી થવાના પ્રયત્નો કરવામાં આવતા હતા. જનાબ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ બધી વસ્તુઓને જાહિલી ભેદભાવ અને વર્ણવ્યવસ્થા ગણાવીને જાહેરાત કરી કે સન્માન અને શરાફતનો આધાર ફકત તકવા અને ઇમાન જ રહેશે.
હ્ર બેટીનો જન્મ બોજ સમજવામાં આવતો હતો. માણસ એના થકી પોતાને હલકો અને અપમાનિત સમજતો હતો. બાપ ચાહતો તો બેટીને જીવતી રાખતો નહીતર એને જીવતી દફન કરી દેતો. હઝારો છોકરીઓ આવી રીતે દાટી દેવામાં આવી હતી.પરંતુ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે બેટીને જીવવાનો અધિકાર આપ્યો એટલું જ નહી, બેટીને અલ્લાહ તઆલાની રહમતનો સબબ ઠેરવીને બેટીને મોટું સન્માન પણ આપ્યું.
- નાચ - ગાન પણ સામાન્ય બાબત હતી. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે નુબુવ્વતના મકસદમાં આ બાબત વર્ણવી કે મને નાચ  ગાનના સાધનો તોડવા - નષ્ટ કરવા મોકલવામાં આવ્યો છે.
- હલાલ - હરામનો કોઈ ફર્ક ન હતો. લોકોએ પોતપોતાના નિયમો બનાવી રાખ્યા હતા. બીજાનો માલ હઝમ કરી જવા માટે અનેક પ્રકારના બહાના શોધી લેતા હતા. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે રોઝી, વેપાર, કમાણી અને ખાવા પીવા બાબતે હરામ હરામના નિયમો નક્કી કર્યા અને ફરમાવ્યું કે હરામ રીતે બીજાનો માલ હડપ કરી જનાર માણસને જહન્નમાં બાળવામાં આવશે.
- યતીમ બાળકો અને સ્ત્રીઓ, સમાજમાં અપમાનિત હોવા ઉપરાંત અત્યાચારના શિકાર હતાં. એમના અધિકારો અને હકોની કોઈ કલ્પના પણ  ન હતી. મોટાઓ અને વડીલો એમના ઉપર દરેક પ્રકારનો ઝુલમ કરતા હતા. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ બન્ને સમુહોને સામાજિક અન્યાય અને અત્યાચારથી બચાવ્યા અને એમના વિશેષ હકો નક્કી કર્યા.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ થકી સમાજમાં સ્થાપિત કરવામાં આવેલ સર્વગ્રાહી સુધારણા અને પરિવર્તનનો આ અછડતો ચિતાર  છે. આ જ તે ક્રાંતિકારી બાબતો છે જેના કારણે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ઇતિહાસના સૌથી સફળ ક્રાંતિકારી અને સમાજસુધારક સમજવામાં આવે છે.
અલબત્ત અફસોસની વાત આ છે કે ઉપર દર્શાવવામાં આવેલ ઘણી બધી ખરાબીઓ અને બદીઓ આજે માનવીય સમાજમાં ફરી પાછી પ્રસરી રહી છે. અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ઉમ્મતી હોવાથી આપણી જવાબદારી બને છે કે સમાજમાંથી એ ખરાબીઓ ખતમ કરવા માટે મહેનત કરીને સમાજમાં ઇસ્લામના આદર્શ સિદ્ઘાંતો ફરીથી જીવંત કરીએ.
(ઉર્દૂ ઉપરથી અનુવાદ.)

વાણી - વિચાર - વર્તનની ઇસ્લામી આઝાદી

વાણી - વિચાર - વર્તનની  ઇસ્લામી આઝાદી
માનવીય ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ અને અર્થસભર ગણાતા વાકયોમાં એક અનોખી વાત હઝરત ઉમર રદિ.એ કહી છે. 
'માનવીને એની 'મા'એ સ્વતંત્ર જણ્યો હતો, પણ તમે એને ગુલામ બનાવવાનું કયાંથી શીખી લીધું ?'
૧૪૦૦ વરસ પહેલાં કહેવામાં આવેલ આ વાકય ઇસ્લામી આદર્શ અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની કેળવણીનો સાચો અર્થ અને મર્મ આપણને સમજાવી દે છે. અરબસ્તાનના ઉજ્જડ રણમાં વસતા કબીલાઓ અને એમની સંસ્કૃતિમાં વળી માનવીય ઉચ્ચતાના આવા આદશર્ોનું જ્ઞાન કયાંથી આવી ગયું ? એક માણસનું બીજા ઉપર રાજ કરવું, આસપાસના બીજા સઘળા સ્ત્રી - પુરુષ્ાોને પોતાના દાસ - દાસીઓ સમજવાં જયાં સામાન્ય વાત હતી ત્યાં ઉમર ઇબ્ને ખત્તાબ રદિ. માણસની સ્વતંત્રતાની તરફેણ કરતાં આટલા ઉચ્ચ સિદ્ઘાંત કયાંથી શીખી લાવ્યા હશે ? હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ફકત ર૩ વરસની મહેનતનું આ ફળ હતું.
કોઈ પ્રવાસી કે મુસાફર ઇસ્વી સન ૬૧૦ ની આસપાસ અરબસ્તાનની સફરે આવે, જયારે હજુ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને નુબુવ્વત મળી ન હતી, અને ઇસ્લામની તાલીમ લોકો સામે આવી ન હતી. અને મક્કા - મદીનામાં રહીને ત્યાંના જીવન, સંસ્કારો અને સંસ્કૃતિનું એક ચિત્ર પોતાના મનમાં લઈને પાછો જાય તો એ ચિત્ર કેવું હશે ? એનું વર્ણન કરવાની જરૂરત નથી. યુદ્ઘ, અદાવત, નફરત અને વાદ - વિવાદ અને વાડાબંધીની એ સંસ્કૃતિને બધા જ જાણે છે. એમની પાસે ન જ્ઞાન હતું ન વિદ્યા કે કળા. સંપત્તિ અને સમૃદ્ઘિ પણ નહી. અંદરો અંદર લડવા સિવાય કદાચ બીજી કોઈ કળા એમને આવડતી ન હતી.
આ જ પ્રવાસી ર૩ વરસ પછી પાછો મક્કા  મદીના આવે તો એની શી હાલત થાય ? બે દશકા પહેલાં જે લોકો માનવતાની છેલ્લી પાયરીએ હતા તેઓ આજે માનવતાના ઉચ્ચ શિખરે કેવી રીતે પહોંચી ગયા, જે પરિવર્તન એને જોવા મળે એ નરી આંખોએ દીઠા પછી પણ એના માનવામાં ન આવે. આ કંઈ વીસમી સદીની ટેકનોલોજી દ્વારા કરવામાં આવેલ ઇન્ફ્રાસ્ટ્રકચર કે રીયલ એસ્ટેટની પ્રગતિ ન હતી. આ તો માનવીય સમાજ, સમજ અને સંસ્કારમાં આવેલ ધરમુળ પરિવર્તન હતું. 
હઝારો લાખો મજૂરો વડે કોઈ શહેરમાં કે વેરાન સ્થળે પણ, મોટી આલીશાન ઇમારતો, પ્લાઝા, લાંબા અને મજબૂત પુલો, મનમોહક અને સુંદર બાગો અને બીજી ઘણી આશ્ચર્યજનક સુવિધાઓ ઉભી કરી શકાય છે. આ બધું ર૩ વરસમાં અથવા એનાથી પણ ઘણા ઓછા સમયમાં કરી શકાય છે. અલબત્ત એક એવા સમાજની રચના કરી દેવી, જેમાં અભિમાન, અહંકાર ન હોય, નફરત અને અદાવત ન હોય, વાડાબંધી અને વાદ વિવાદ ન હોય, કેમેય કરીને શકય નથી.
જુઓ તો ખરા, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની તાલીમ થકી લોકોમાં કેવું પરિવર્તન આવી ગયું હતું ? 
હઝરત ઉમર રદિ. જેવા કુરેશના અતિ ઉચ્ચ મોભાવાળા વ્યકિત હઝરત બિલાલ જેવા, કુટુંબ કબીલા વગરના હબશી વંશના એક આઝાદ થયેલ ગુલામને 'સય્િયદના બિલાલ' (અમારા સરદાર બિલાલ) કહીને બોલાવે છે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એક સ્થળેથી પસાર થાય છે, એક માલિક એના ગુલામ સાથે કડકાઈ કરી રહયો હતો, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એમને ફરમાવ્યું કે, યાદ રાખજો ¦ તમને આજે આ ગુલામ ઉપર જેટલો કાબૂ અને અધિકાર છે એનાથી કઈ ગણો વધારે કાબૂ કયામતના દિવસે અલ્લાહ તઆલાને તમારા ઉપર હશે. ફકત આટલી ટકોર સાંભળીને તે માલિક થરથર કાંપવા લાગે છે.
ઇસ્લામ પૂર્વેના જહાલતકાળમાં કોઈ વિચારી પણ ન શકે કે એક હબશી કાળો ગુલામ કાબા શરીફની છત ઉપર ચડીને લોકોને અલ્લાહના ઘરમાં આવવાની અથવા ઇબાદત કરવાની પ્રેરણા - દાવત આપી શકે છે.
બીજાનું જાનવર પહેલાં પાણી પી લે એના ઉપર વરસો સુધી લડી પડનારા આરબો સઘળી સંપત્તિમાં એક અજાણ્યાને ભાઈ માનીને ભાગીદાર બનાવવા તૈયાર થઈ ગયા. અકબર ઇલાહાબાદી આ વિગત કંઈ આવી રીતે વર્ણવે છે. 
ખુદ ન થે જો રાહ પર ઓરોં કે હાદી બન ગએ
કયા નજર થી જિસને મુરદોં કો મસીહા કર દિયા.
મવલાના અલ્તાફ હુસૈન હાલી કહે છે : 
વો બિજલી કા કડકા થા સોતે હાદી - અરબ કી જમીન જિસને સારી હિલા દી
નયી એક લગન દિલમેં સબ કે જગા દી-એક આવાઝ મેં સોતી બસ્તી જગા દી
ઝમાને કે બિગડે હુઓં કો બનાયા - બહોત દિન કે સોતે હુઓં કો જગાયા
ખુલે થે ન જો રાઝ અબ તક જહાં પર-વો દિખલા દિયે એક પરદા ઉઠા કર
કોઈ કલ્પના કરી શકે છે પોતાની સગી અવલાદને મારીને ગર્વ અનુભવનાર લોકો અલ્લાહ સામે જવા અને હિસાબ - કિતાબથી એવા ડરવા લાગશે કે તેઓ સઘળી સજા દુનિયામાં જ મળી જાય એવી ઇચ્છા કરશે. કોઈ એવું કહેશે કે કાશ ¦ હું ઘાસનું એક તણખલું હોત કે મારે અલ્લાહ પાસે કોઈ હિસાબ ન આપવો પડે. 
કોઈને ખબર ન હતી કે ફલાણાએ ઝીના (વ્યાભિચાર) કર્યો છે, છતાં પસ્તાવાનો બોજ લઈને એ પોતે જ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે આવીને એકરાર કરતાં કહે છે : 
- માઇઝ બરબાદ થઈ ગયો.
અલ્લાહ પાસે માફી માંગો, તે મોટો માફ કરનાર છે.
- ફરીવાર એ જ અરજ કે માઇઝ બરબાદ થઈ ગયો.
એ જ જવાબ કે અલ્લાહ પાસે માફી માંગો, તે મોટો માફ કરનાર છે.
- ના, હું મારા ગુનાની સજા અહીયા જ ભોગવી લેવા માંગું છું.
ત્યારે એમના ઉપર સજાનો અમલ કરવામાં આવે છે. અને પછી અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે : માઇઝે એવી તોબા કરી છે કે આખા મદીના ઉપર વહેંચી દેવામાં આવે તો પણ કાફી થઈ પડે.
અજ્ઞાનીઓ - જાહિલોનો સરદાર લડાઈમાં માયર્ો જાય છે તો મારનારને કહે છે મારું માથું થોડું નીચેથી ગરદન સાથે કાપજે, જેથી અન્ય માથાઓ સાથે મુકવામાં આવે તો વધારે ઊંચું દેખાય. બે છોકરાઓના હાથે ઝખ્મી થઈને મરતી વેળા પણ એનું અભિમાન નીકળ્યું ન હતું.
આવા લોકો માંહે અમુક વરસોની મહેનત પછી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એલાન કરે છે : તમારામાંથી કોઈ ગોરાને કાળા ઉપર અને કાળાને ગોરા ઉપર... આરબને અજમી (ગેર આરબ) ઉપર અને અજમીને આરબ ઉપર કોઈ ઉચ્ચતા કે મહાનતા આપવામાં નથી આપવી. શ્રેષ્ઠતા અને મહાનતાની બુનિયાદ હવે પછી અલ્લાહના આદેશોનું પાલન અને અલ્લાહનો ખોફ રહેશે.
અને હવે લોકો એટલા બદલાય જાય છે કે પાડોશીની નારાજગીથી પણ ડરે છે કે કયાંક એના કારણે અલ્લાહ તઆલા નારાજ ન થઈ જાય, યતીમો, અશકતો અને ગરીબોના હક બાબતે પણ તકેદારી રાખતા થઈ જાય છે. સમાજમાં ટુંક સમયમાં એટલું બધું પરિવર્તન થઈ જાય છે. અને પછી હઝ. ઉમર રદિ. કહે છે કે, 'માનવીને એની 'મા'એ સ્વતંત્ર જણ્યો હતો પણ તમે એને ગુલામ કેમ બનાવવા માંડયા ? 
હવે આપણે બધા વિચારીએ ¦
નિતિ, વિચાર અને આચરણની દષ્ટિએ ૧૪૦૦ વરસ પહેલાં રચવામાં આવેલ સમાજ વધારે સ્વતંત્ર હતો કે આજનો બસો - ત્રણસો વરસ પહેલાં લોકશાહી કે સેકયુલરિઝમ કે કથિત કાયદાના શાસન દ્વારા રચવામાં આવેલ વર્તમાન આધુનિક સમાજ ? 
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ દ્વારા તૈયાર કરવામાં આવેલ અને કેળવણી પામેલ પવિત્ર સમુહને થોડી વાર માટે એક પક્ષા સમજવામાં આવે તો કહી શકાય કે આ પક્ષાના સઘળા સભ્યો ફકત અલ્લાહ અને એના રસૂલના આદેશોના પાબંદ હતા. એમના ગળામાં ફકત અલ્લાહ અને રસૂલની ગુલામીનો ગાળિયો હતો. એના સિવાય કોઈ પાબંદી એમના ઉપર ન હતી. 
વર્તમાન લોકશાહીમાં પોતાને સમાનતા, સ્વતંત્રતા અને લોકાધિકારના રક્ષાક કહેતા પક્ષો, યુનિયનો, એસોસીએશન વગેરેને આપણે જોઈએ છીએ તો હેરાન રહી જઈએ છીએ. લોકશાહની જણેતા અને રક્ષાક કહેવાતા પશ્ચિમના દેશોમાં પણ જે સમુહ પાર્ટીને  ફંડીગ કરે એની જ પોલીસી પાર્લામેન્ટમાં ચાલે છે. જે સંસ્થાના બોર્ડ ઓફ ગર્વનર દ્વારા જેટલા પ્રમાણમાં નાણાકીય સપોર્ટ કરવામાં આવ્યું હોય એ મુજબ એના મંતવ્યને પ્રાથમિકતા આપવામાં આવે છે. આપણા ભારત - પાકિસ્તાન - બાંગ્લાદેશની લોકશાહીની તો વાત જ નિરાળી છે, પાર્ટીના સભ્યો અને નેતાઓ દિવસ રાતમાં પોતાના નેતા અને પ્રમુખ - પ્રેસિડન્ટનું નામ અલ્લાહ તઆલાના નામ કરતાં વધારે વાર બોલે છે. નેતા અને પ્રમુખ ચાહે ગમે તે કરે, જે અત્યાચાર કરે, હત્યા કરે કે કરાવે, નાઇન્સાફી કરે, ભષ્ટાચાર આચરે, કોઈને જાહેરમાં ભાંડે કે અપમાનિત કરે, તે નેતા જ રહે છે. એની સામે કોઈએ હરફ ઉચ્ચારવો પણ ગુનો બની જાય.
બધા સારી પેઠે જાણતા હોય છે આ વઝીર, ફલાણો પ્રધાન અને પેલો મંત્રી ચોર છે, ઝાલિમ છે, રિશ્વતખોર છે, પણ લગાતાર જૂઠ બોલીને એનો બચાવ કરવો પાર્ટીના દરેક કાર્યકર માટે જરૂરી છે. આવી પાર્ટી કે પક્ષામાં શામેલ થઈને થોડો અનુભવ કોઈ કરે તો એને સરળતાથી સમજમાં આવી જશે કે માનવી દ્વારા માનવીને ગુલામ બનાવી રાખવા માટે કેવું ભયંકર તંત્ર રચવામાં આવ્યું છે. અહીયા કોઈ નેતામાં હિમ્મત નથી કે લોકો સામે કહે કે હું કોઈ ખોટું કામ કરું તો મારો હાથ પકડીને મને રોકી દેજો અને કોઈ પક્ષાના કોઈ મોટા હોદ્દેદાર પાસે પણ એટલી નૈતિક હિમ્મત નથી હોતી કે કોઈ નીચેના કાર્યકરને ખોટા કાર્ય બાબત ટોકી શકે.. ¦ 
માણસને અલ્લાહ તઆલાએ આઝાદ બનાવ્યો છે. ફકત પોતાની ગુલામી કરવાનું કહયું છે, પણ પોતાના અદના સ્વાર્થ થકી તે પોતાની સ્વતંત્રતા વેચી દે છે. શું કદી કોઈ કુતરાને તમે બીજા કુતરાની ગુલામી કરતો જોયો છે ?  .....