Saturday, January 30, 2016

વાણી - વિચાર - વર્તનની ઇસ્લામી આઝાદી

વાણી - વિચાર - વર્તનની  ઇસ્લામી આઝાદી
માનવીય ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ અને અર્થસભર ગણાતા વાકયોમાં એક અનોખી વાત હઝરત ઉમર રદિ.એ કહી છે. 
'માનવીને એની 'મા'એ સ્વતંત્ર જણ્યો હતો, પણ તમે એને ગુલામ બનાવવાનું કયાંથી શીખી લીધું ?'
૧૪૦૦ વરસ પહેલાં કહેવામાં આવેલ આ વાકય ઇસ્લામી આદર્શ અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની કેળવણીનો સાચો અર્થ અને મર્મ આપણને સમજાવી દે છે. અરબસ્તાનના ઉજ્જડ રણમાં વસતા કબીલાઓ અને એમની સંસ્કૃતિમાં વળી માનવીય ઉચ્ચતાના આવા આદશર્ોનું જ્ઞાન કયાંથી આવી ગયું ? એક માણસનું બીજા ઉપર રાજ કરવું, આસપાસના બીજા સઘળા સ્ત્રી - પુરુષ્ાોને પોતાના દાસ - દાસીઓ સમજવાં જયાં સામાન્ય વાત હતી ત્યાં ઉમર ઇબ્ને ખત્તાબ રદિ. માણસની સ્વતંત્રતાની તરફેણ કરતાં આટલા ઉચ્ચ સિદ્ઘાંત કયાંથી શીખી લાવ્યા હશે ? હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ફકત ર૩ વરસની મહેનતનું આ ફળ હતું.
કોઈ પ્રવાસી કે મુસાફર ઇસ્વી સન ૬૧૦ ની આસપાસ અરબસ્તાનની સફરે આવે, જયારે હજુ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને નુબુવ્વત મળી ન હતી, અને ઇસ્લામની તાલીમ લોકો સામે આવી ન હતી. અને મક્કા - મદીનામાં રહીને ત્યાંના જીવન, સંસ્કારો અને સંસ્કૃતિનું એક ચિત્ર પોતાના મનમાં લઈને પાછો જાય તો એ ચિત્ર કેવું હશે ? એનું વર્ણન કરવાની જરૂરત નથી. યુદ્ઘ, અદાવત, નફરત અને વાદ - વિવાદ અને વાડાબંધીની એ સંસ્કૃતિને બધા જ જાણે છે. એમની પાસે ન જ્ઞાન હતું ન વિદ્યા કે કળા. સંપત્તિ અને સમૃદ્ઘિ પણ નહી. અંદરો અંદર લડવા સિવાય કદાચ બીજી કોઈ કળા એમને આવડતી ન હતી.
આ જ પ્રવાસી ર૩ વરસ પછી પાછો મક્કા  મદીના આવે તો એની શી હાલત થાય ? બે દશકા પહેલાં જે લોકો માનવતાની છેલ્લી પાયરીએ હતા તેઓ આજે માનવતાના ઉચ્ચ શિખરે કેવી રીતે પહોંચી ગયા, જે પરિવર્તન એને જોવા મળે એ નરી આંખોએ દીઠા પછી પણ એના માનવામાં ન આવે. આ કંઈ વીસમી સદીની ટેકનોલોજી દ્વારા કરવામાં આવેલ ઇન્ફ્રાસ્ટ્રકચર કે રીયલ એસ્ટેટની પ્રગતિ ન હતી. આ તો માનવીય સમાજ, સમજ અને સંસ્કારમાં આવેલ ધરમુળ પરિવર્તન હતું. 
હઝારો લાખો મજૂરો વડે કોઈ શહેરમાં કે વેરાન સ્થળે પણ, મોટી આલીશાન ઇમારતો, પ્લાઝા, લાંબા અને મજબૂત પુલો, મનમોહક અને સુંદર બાગો અને બીજી ઘણી આશ્ચર્યજનક સુવિધાઓ ઉભી કરી શકાય છે. આ બધું ર૩ વરસમાં અથવા એનાથી પણ ઘણા ઓછા સમયમાં કરી શકાય છે. અલબત્ત એક એવા સમાજની રચના કરી દેવી, જેમાં અભિમાન, અહંકાર ન હોય, નફરત અને અદાવત ન હોય, વાડાબંધી અને વાદ વિવાદ ન હોય, કેમેય કરીને શકય નથી.
જુઓ તો ખરા, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની તાલીમ થકી લોકોમાં કેવું પરિવર્તન આવી ગયું હતું ? 
હઝરત ઉમર રદિ. જેવા કુરેશના અતિ ઉચ્ચ મોભાવાળા વ્યકિત હઝરત બિલાલ જેવા, કુટુંબ કબીલા વગરના હબશી વંશના એક આઝાદ થયેલ ગુલામને 'સય્િયદના બિલાલ' (અમારા સરદાર બિલાલ) કહીને બોલાવે છે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એક સ્થળેથી પસાર થાય છે, એક માલિક એના ગુલામ સાથે કડકાઈ કરી રહયો હતો, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એમને ફરમાવ્યું કે, યાદ રાખજો ¦ તમને આજે આ ગુલામ ઉપર જેટલો કાબૂ અને અધિકાર છે એનાથી કઈ ગણો વધારે કાબૂ કયામતના દિવસે અલ્લાહ તઆલાને તમારા ઉપર હશે. ફકત આટલી ટકોર સાંભળીને તે માલિક થરથર કાંપવા લાગે છે.
ઇસ્લામ પૂર્વેના જહાલતકાળમાં કોઈ વિચારી પણ ન શકે કે એક હબશી કાળો ગુલામ કાબા શરીફની છત ઉપર ચડીને લોકોને અલ્લાહના ઘરમાં આવવાની અથવા ઇબાદત કરવાની પ્રેરણા - દાવત આપી શકે છે.
બીજાનું જાનવર પહેલાં પાણી પી લે એના ઉપર વરસો સુધી લડી પડનારા આરબો સઘળી સંપત્તિમાં એક અજાણ્યાને ભાઈ માનીને ભાગીદાર બનાવવા તૈયાર થઈ ગયા. અકબર ઇલાહાબાદી આ વિગત કંઈ આવી રીતે વર્ણવે છે. 
ખુદ ન થે જો રાહ પર ઓરોં કે હાદી બન ગએ
કયા નજર થી જિસને મુરદોં કો મસીહા કર દિયા.
મવલાના અલ્તાફ હુસૈન હાલી કહે છે : 
વો બિજલી કા કડકા થા સોતે હાદી - અરબ કી જમીન જિસને સારી હિલા દી
નયી એક લગન દિલમેં સબ કે જગા દી-એક આવાઝ મેં સોતી બસ્તી જગા દી
ઝમાને કે બિગડે હુઓં કો બનાયા - બહોત દિન કે સોતે હુઓં કો જગાયા
ખુલે થે ન જો રાઝ અબ તક જહાં પર-વો દિખલા દિયે એક પરદા ઉઠા કર
કોઈ કલ્પના કરી શકે છે પોતાની સગી અવલાદને મારીને ગર્વ અનુભવનાર લોકો અલ્લાહ સામે જવા અને હિસાબ - કિતાબથી એવા ડરવા લાગશે કે તેઓ સઘળી સજા દુનિયામાં જ મળી જાય એવી ઇચ્છા કરશે. કોઈ એવું કહેશે કે કાશ ¦ હું ઘાસનું એક તણખલું હોત કે મારે અલ્લાહ પાસે કોઈ હિસાબ ન આપવો પડે. 
કોઈને ખબર ન હતી કે ફલાણાએ ઝીના (વ્યાભિચાર) કર્યો છે, છતાં પસ્તાવાનો બોજ લઈને એ પોતે જ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે આવીને એકરાર કરતાં કહે છે : 
- માઇઝ બરબાદ થઈ ગયો.
અલ્લાહ પાસે માફી માંગો, તે મોટો માફ કરનાર છે.
- ફરીવાર એ જ અરજ કે માઇઝ બરબાદ થઈ ગયો.
એ જ જવાબ કે અલ્લાહ પાસે માફી માંગો, તે મોટો માફ કરનાર છે.
- ના, હું મારા ગુનાની સજા અહીયા જ ભોગવી લેવા માંગું છું.
ત્યારે એમના ઉપર સજાનો અમલ કરવામાં આવે છે. અને પછી અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે : માઇઝે એવી તોબા કરી છે કે આખા મદીના ઉપર વહેંચી દેવામાં આવે તો પણ કાફી થઈ પડે.
અજ્ઞાનીઓ - જાહિલોનો સરદાર લડાઈમાં માયર્ો જાય છે તો મારનારને કહે છે મારું માથું થોડું નીચેથી ગરદન સાથે કાપજે, જેથી અન્ય માથાઓ સાથે મુકવામાં આવે તો વધારે ઊંચું દેખાય. બે છોકરાઓના હાથે ઝખ્મી થઈને મરતી વેળા પણ એનું અભિમાન નીકળ્યું ન હતું.
આવા લોકો માંહે અમુક વરસોની મહેનત પછી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એલાન કરે છે : તમારામાંથી કોઈ ગોરાને કાળા ઉપર અને કાળાને ગોરા ઉપર... આરબને અજમી (ગેર આરબ) ઉપર અને અજમીને આરબ ઉપર કોઈ ઉચ્ચતા કે મહાનતા આપવામાં નથી આપવી. શ્રેષ્ઠતા અને મહાનતાની બુનિયાદ હવે પછી અલ્લાહના આદેશોનું પાલન અને અલ્લાહનો ખોફ રહેશે.
અને હવે લોકો એટલા બદલાય જાય છે કે પાડોશીની નારાજગીથી પણ ડરે છે કે કયાંક એના કારણે અલ્લાહ તઆલા નારાજ ન થઈ જાય, યતીમો, અશકતો અને ગરીબોના હક બાબતે પણ તકેદારી રાખતા થઈ જાય છે. સમાજમાં ટુંક સમયમાં એટલું બધું પરિવર્તન થઈ જાય છે. અને પછી હઝ. ઉમર રદિ. કહે છે કે, 'માનવીને એની 'મા'એ સ્વતંત્ર જણ્યો હતો પણ તમે એને ગુલામ કેમ બનાવવા માંડયા ? 
હવે આપણે બધા વિચારીએ ¦
નિતિ, વિચાર અને આચરણની દષ્ટિએ ૧૪૦૦ વરસ પહેલાં રચવામાં આવેલ સમાજ વધારે સ્વતંત્ર હતો કે આજનો બસો - ત્રણસો વરસ પહેલાં લોકશાહી કે સેકયુલરિઝમ કે કથિત કાયદાના શાસન દ્વારા રચવામાં આવેલ વર્તમાન આધુનિક સમાજ ? 
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ દ્વારા તૈયાર કરવામાં આવેલ અને કેળવણી પામેલ પવિત્ર સમુહને થોડી વાર માટે એક પક્ષા સમજવામાં આવે તો કહી શકાય કે આ પક્ષાના સઘળા સભ્યો ફકત અલ્લાહ અને એના રસૂલના આદેશોના પાબંદ હતા. એમના ગળામાં ફકત અલ્લાહ અને રસૂલની ગુલામીનો ગાળિયો હતો. એના સિવાય કોઈ પાબંદી એમના ઉપર ન હતી. 
વર્તમાન લોકશાહીમાં પોતાને સમાનતા, સ્વતંત્રતા અને લોકાધિકારના રક્ષાક કહેતા પક્ષો, યુનિયનો, એસોસીએશન વગેરેને આપણે જોઈએ છીએ તો હેરાન રહી જઈએ છીએ. લોકશાહની જણેતા અને રક્ષાક કહેવાતા પશ્ચિમના દેશોમાં પણ જે સમુહ પાર્ટીને  ફંડીગ કરે એની જ પોલીસી પાર્લામેન્ટમાં ચાલે છે. જે સંસ્થાના બોર્ડ ઓફ ગર્વનર દ્વારા જેટલા પ્રમાણમાં નાણાકીય સપોર્ટ કરવામાં આવ્યું હોય એ મુજબ એના મંતવ્યને પ્રાથમિકતા આપવામાં આવે છે. આપણા ભારત - પાકિસ્તાન - બાંગ્લાદેશની લોકશાહીની તો વાત જ નિરાળી છે, પાર્ટીના સભ્યો અને નેતાઓ દિવસ રાતમાં પોતાના નેતા અને પ્રમુખ - પ્રેસિડન્ટનું નામ અલ્લાહ તઆલાના નામ કરતાં વધારે વાર બોલે છે. નેતા અને પ્રમુખ ચાહે ગમે તે કરે, જે અત્યાચાર કરે, હત્યા કરે કે કરાવે, નાઇન્સાફી કરે, ભષ્ટાચાર આચરે, કોઈને જાહેરમાં ભાંડે કે અપમાનિત કરે, તે નેતા જ રહે છે. એની સામે કોઈએ હરફ ઉચ્ચારવો પણ ગુનો બની જાય.
બધા સારી પેઠે જાણતા હોય છે આ વઝીર, ફલાણો પ્રધાન અને પેલો મંત્રી ચોર છે, ઝાલિમ છે, રિશ્વતખોર છે, પણ લગાતાર જૂઠ બોલીને એનો બચાવ કરવો પાર્ટીના દરેક કાર્યકર માટે જરૂરી છે. આવી પાર્ટી કે પક્ષામાં શામેલ થઈને થોડો અનુભવ કોઈ કરે તો એને સરળતાથી સમજમાં આવી જશે કે માનવી દ્વારા માનવીને ગુલામ બનાવી રાખવા માટે કેવું ભયંકર તંત્ર રચવામાં આવ્યું છે. અહીયા કોઈ નેતામાં હિમ્મત નથી કે લોકો સામે કહે કે હું કોઈ ખોટું કામ કરું તો મારો હાથ પકડીને મને રોકી દેજો અને કોઈ પક્ષાના કોઈ મોટા હોદ્દેદાર પાસે પણ એટલી નૈતિક હિમ્મત નથી હોતી કે કોઈ નીચેના કાર્યકરને ખોટા કાર્ય બાબત ટોકી શકે.. ¦ 
માણસને અલ્લાહ તઆલાએ આઝાદ બનાવ્યો છે. ફકત પોતાની ગુલામી કરવાનું કહયું છે, પણ પોતાના અદના સ્વાર્થ થકી તે પોતાની સ્વતંત્રતા વેચી દે છે. શું કદી કોઈ કુતરાને તમે બીજા કુતરાની ગુલામી કરતો જોયો છે ?  .....

No comments:

Post a Comment