Monday, June 18, 2007

સદગુણોનો રોકડો નફો

એક માણસ પયગંબર હઝરત મુહંમદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમની સેવામાં હાજર થયો અને કહેવા લાગ્‍યો કે હે અલ્‍લાહના રસૂલ ! સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ, મારામાં ચાર કુટેવો છે,
(૧) પાપાચાર,
(ર) ચોરી
(૩) નશાનું સેવન
(૪) અસત્‍યોચ્‍ચાર-જુઠ બોલવું
તમારી નસીહતને અનુસરીને હું કોઇ એક છોડી શકું છું, બાકી કટેવો માટે હું લાચાર છું,
પયગંબર સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમે એને કહ્યું કે તમે જુઠ બોલવાની છોડી દયો.
તે માણસે વચન આપ્‍યું કે હવેથી હું કદાપિ જુઠ બોલીશ નહી,
રાત પડી તો તેને દારૂ પીવા અને પાપાચાર (આજના પરિભાષામાં કહીએ તો સેક્સ માણવાનો ) શોખ થયો,પણ સાથે જ તેને વિચાર આવ્‍યો કે સવારે જો પયગંબર સાહેબે મને રાત વિશે પૃચ્‍છા ફરમાવી તો હું શું જવાબ આપીશ ? સત્‍ય બોલીશ તો દારૂ પીવા અને બળાત્‍કારની સજા મળશે, અને જુઠ બોલીશ તો વચનભંગ થશે, આમ સત્‍યના બંધને તે માણસ આ બન્‍નેવ મહાપાપોથી બચી ગયો.
મોડી રાત્રે અંધકાર જોઇને એને ચોરી કરવાનું મન થઇ આવ્‍યું, પણ સાથે જ વિચાર આવ્‍યો કે સવારે જો પયગંબર સાહેબ મને પૂછશે તો હું જવાબ આપીશ ? સાચું બોલીશ તો ચોરીની સજામાં હાથ કાપવામાં આવશે, અને જુઠ બોલીશ તો વચનભંગ થશે ! આમ સત્‍યના બંધનથી તે ચોરીના મહાપાપ્‍થી બચી ગયો.
જે કુટેવો છોડવી તે અશક્ય સમજતો હતો, તે ચારેવ મહાપાપોથી આટલી સરળતાથી બચી જવા પર સવાર પડ્યે તે ઘણો જ પ્રસન્‍ન હતો, દોડતો દોડતો પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ પાસે આવ્‍યો અને આભાર વ્‍યકત કરી કહેવા લાગ્‍યો કે હે અલ્‍લાહના રસૂલ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ, જુઠ ન બોલવાના વચનથી હું ચારેવ મહાપાપોથી બધી ગયો.