Friday, April 21, 2006

તૌહીદની મયકદા --- એકેશ્વરવાદનું મદિરાલય

કેનેડામાં વસતા જનાબ મોહમ્‍મદઅલી ભૈડુવફા ‘ સાહેબે એક નઝમ (કવિતા) સુવાસ માટે મોકલાવી છે, પોતાના મનની વાત રજૂ કરતા તેઓ ઇસ્‍લામ અને મુસલમાનનોની પડતીથી ચિંતિત છે, પણ આશા અમર છે, તેમણે આશા અને ઉમ્‍મીદની વાત કરી છે, પડતીનુ તો નામ પણ નથી લીધું. હિમ્‍મત અને હોસલાનો સંદેશ સમી આ કવિતા અમે સુવાસ દ્વારા અન્‍યો સુધી પહોંચાડીને એની સુવાસ પ્રસરાવવાનો પ્રયત્‍ન કરીને મુહમ્‍મદ અલી ભાઇનો આભાર વ્‍યકત કરીએ છીએ.
તૌહીદની આ મયકદા છલકાયને રહેશે.
કુરઆનઆ આદેશ પણ ફેલાયને રહેશે.
કુફ્ર્ના વાદળ સહુ વિખળાયને રહેશે.
આ ધરાપર ન્યાય પણ તોળાયને રહેશે.
હો જીવન મુસ્લીમનુ જો ખુદ્દાર ખલીલ સમ
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
બસ ખુદાનુ નામ લઈ આગળ વધી જાઓ.
ને નબીનુ કામ લઈ આગળ વધી જાઓ.
કામયાબી આવશે ચુમતી ક્દમ તારા ;
ઈમાનનો આ જામ લઈ આગળ વધી જાઓ.
નફરત તણી દીવાલ પણ ભેદાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
સીદ્દીકી શાનથી ચલો,ઊમરની આનથી ચાલો;
સદાએ હક બુલં કરવા દિલોને જાનથી ચાલો;
ખુદાથી માગીને લઈલો ગની ની માતબર દોલત;
મરી ફીટવાને મઝહબ પર અલીની શાનથી ચાલો.
ખુદાઈ પ્રેમના ઝરણા બધે રેલાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
અમારી કૌમની કશ્તી લગાવી પાર છોડીશું;
કરીશું સર શિખર સર્વે ન એકે દ્વાર છોડીશું.
અમે છીએં જવાં મુસ્લીમ બુલંદ હોંસલાબાજો;
ખુંદી વળશું બધા દરિયા નકો મઝધાર છોડીશું.
ઈન્સાનિયતની ખુશ્બુ પણ મ્હેકાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
વિશ્વ પણ સમજી જ્શે માર હજુરનો જમાલ;
વિશ્વમા પેદ કદી થઈ નથી જેની મિસાલ;
કુદરતે અર્પયા હતા કંઈ કેટલાયે મૌઅજિઝહ
અંગુલિના એક ઈશારામા કપાયો'તો હિલાલ.
કથનો નબીના "વફા"ચર્ચાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
મોહમ્મદઅલી ભૈડુ"વફા"

No comments:

Post a Comment