Monday, April 17, 2006

ગુનેગારને વહેલી અને ન્‍યાયી સજા મળવી જોઇએ.


કોઇ પણ સમાજ, દેશ અને ધર્મમાં સમાજની રક્ષા અને વ્‍યક્તિના જાનમાલ તથા આબરૂના રક્ષણ માટે કાયદા ઘડવામાં આવેલા હોય છે અને એ કાયદા તોડનાર માટે સખત સજાઓ નક્કી કરવામાં આવી છે. સમાજમાં શાંતિની સ્‍થાપના માટે તે બેહદ જરૂરી છે. કારણ કે માનવીને દુરાચાર અને ગુનાહથી કયાં તો અલ્‍લાહનો ડર અવા સરકાર તરફથી સજાનો ભય જ રોકી શકે છે.
આ જ આધારે ઇસ્‍લામમાં પણ વિવિધ ગુનાઓની વિવિધ સજાઓ નક્કી કરવામાં આવી છે. ઘણા લોકો ઇસ્‍લામી સજાને આકરી અને અત્‍યાચારી સમજે છે. પણ તેનું કારણ અધૂરી જાણકારી છે. શરીરના કોઇ ભાગમાં સડો લાગે ત્‍યારે તેને કાપી નાંખવું શરીરના બીજા ભાગને બચાવવા માટે હિતકારી છે. એ જ રીતે સમાજમાં વધતી જતી ગુનાખોરીને ડામવા માટે નક્કી કરવામાં આવેલી ઇસ્‍લામી સજાઓ અતિ યોગ્‍ય અને જરૂરી છે. તેનાથી સમાજને લાભ જ પહોંચે છે.
આપણા દેશની જ વાત કરીએ તો આપણે જોઇ શકીએ છીએ કે કાયદા અને ન્‍યાયની હાલત કેટલી ચિંતાજનક છે. ગુનેગારો ઉભરાય રહયા છે. પણ કોઇના પેટનું પાણી હાલતું નથી. ન્‍યાયના નામે નાટક જ ખેલાય છે. લોકોને સાચો ન્‍યાય મેળવતા નાકે દમ આવી જાય છે. કોર્ટમાં કેસોના ઢગલા ખડકાયા છે. વર્ષોના વર્ષો સુધી કોઇને ન્‍યાય મળતો નથી. કાયદાઓ તો ઘડાતા રહે છે, પણ તેનો અમલ કરાવી શકવા શાસન લાચાર છે. ફકત વકીલોને જ મજા છે. ગુંડાતી માંડી રાજકરણીઓ સુધીના બધા જ મજા કરે છે. જો ગુનેગારોને તાત્‍કાલિક સજા મળે તો જ સાચો ન્‍યાય મળ્યો ગણાય. આજનો ન્‍યાય તો એવો છે કે સાચો ગુનેગાર છૂટી જાય છે અને ‍ બિચારો ‍નીર્દોષ પીટાય મરે છે.કેમ કે કાયદાનો અમલ કરનારા ગંભીર નથી હોતા. ઇસ્‍લામી સજાઓ વિશે પશ્ચિમી દેશો માનવ અધિકારોના નામે ખૂબ બુમા બુમ કરે છે, પણ બોસ્નિયા , અફઘાનિસ્‍તાન ઇરાક જેવા દેશોમાં હજારો બેગુનાહો પર અત્‍યાચારો ગુજારવામાં આવ્‍યા ત્‍યારે માનવહકની વાતો કરનારા ભુગર્ભમાં ઉતરી જતા દેખાયા. ઇસ્‍લામે ગુનાહોના પ્રકાર મુજબ સજાના કાયદા બનાવ્‍યા છે. વ્‍યભિચાર, ખૂન , ચોરી વગેર દરેકની અલગ અલગ સજાઓ છે. ઇસ્‍લામે ગવાહ - સાક્ષીના પ્રમાણિક કયાન પર ન્‍યાય તોળવાનું સુચવ્‍યું છે. જેથી ગણતરીના સમયમાં ન્‍યાય મળી જાય છે. સાક્ષી માટે કડક નિયમો છે. ખોટી સાક્ષી સજાને પાત્ર છે. હવે કાયદા અને ન્‍યાયશાસ્‍ત્રના ખેરખાં વિચારે કે દુનિયાના દેશોમાં ચાલતી સજાઓ માનવ જાતિને શાંતિ સલામતી આપે છે કે ઇસ્‍લામી સમાજની કુરાની સજાઓ . તાત્‍કાલિક ન્‍યાય અને ગુનાહની સજાનો ડર જ શાંતિ સ્‍થાપી શકે છે. મોટા મોટા ન્‍યાયાલયોના બદલે ખુલ્‍લા મેદાનોમાં થતા ફેસલા જ વધુ અસરકારક બની શકે છે.

1 comment:

  1. Anonymous9:45 AM

    Its not that i am commenting here for some special purpose, nor do i want to discourage your splendid effort, but i have terrible trouble reconciling entirely different versions of same story. For example, when you talk about Islam and Law, i cant help remembering infamous Hudood laws in Pakistan. That law requires 4 male witnesses in order to convict a rape. Eight woman will also do because 1 man=2 woman. I am also familiar with saudi laws. These kind of laws have no place in civilized world, no matter how much you try to defend them...

    ReplyDelete