Monday, May 01, 2006

પાંચ + પાચ + પાંચ + પાંચ = ર૦ બાબતો

અઝદ કબીલાનું એક પ્રતિનિધિ મંડળ પયગંબર હઝરત મુહંમદ સાહેબની સેવામાં પધાર્યું.જેમાં કુલ સાત માણસો હતા. એમનો પહેરવેશ અને ચાલ ઢાલ પયગંબર સાહેબને યોગ્‍ય જણાંયાં .
પયગંબર સાહબ - તમે કોણ છો ?
કબીલા વાળાઓ - અમે મોમિન છીએ.
પયગંબર સાહેબ - તમારા મોમિન હોવાનો મતલબ શું છે ?
કબીલા વાળાઓ – અમે પંદર વાતોને અનુસરીએ છીએ, એમાંથી પાંચ વાતોની ( દિલથી માનવા) માન્‍યતા રાખવાનો અને બીજા પાંચ કામો કરવાનો આદેશ અમને તમારા જ માણસોએ આપ્‍યો છે. અન્‍ય પાંચ વાતો અમે પૂર્વેથી જ અનુસરતા આવીએ છીએ.
દિલથી માનવા અને માન્‍યતા રાખવાની પાંચ વાતો આ છે,
૧ , અલ્‍લાહ ઉપર , ર, ફરિશ્‍તાઓ ઉપર , ૩ , અલ્‍લાહની કિતાબો ઉપર , ૪, અલ્‍લાહના રસૂલો ઉપર , ૫, અને મર્યા પછી આખિરત (પરલોકમાં ) ફરી જીવંત થવા ઉપર ઈમાન રાખવું, ( એટલે આ બધાના હોવા કે થવા ઉપર શ્રધ્‍ધા રાખવી.)

જે પાંચ કામો કરવાનો અમને આદેશ છે તે આ છે, ૧, લા ઇલાહ ઇલ્‍લલ્‍લાહ કહેવું, ( એટલે કે ફક્ત એક અલ્‍લાહ હોવાનો એકરાર કરવો). ર, પાંચ સમયની નમાઝ પઢવી. ૩, ઝકાત આપવી, ૪, રમઝાન માસના રોઝા ( ઉપવાસ) રાખવા, ૫, શકિત શાળી સમૃદ્ધ માણસે હજજ કરવી.
બાકીની પાંચ વાતો જેને અમે પૂર્વેથી જ અનુસરતા આવીએ છીએ તે આ છે ,
૧ , રાહતમાં શુક્ર કરવો , ર, મુસીબત ટાણે સબ્ર કરવો. ૩, અલ્‍લાહના ફેસલા પર ખુશ રહેવું ૪ , કસોટી વેળા સત્‍યને વળગી રહેવું, ૫ , શત્રુને હસવાની તક ન આપવી.
પયગંબર સાહેબે તેમની આ વાતો સાંભળી ફરમાવ્‍યું કે જેણે તમને આ વાતો શીખવાડી તે વિદ્વાન અને જ્ઞાની હતા. હવે બીજી પાંચ વાતો વધુ યાદ કરી પૂરી વીસ કરી લો.
૧ , જે વસ્‍તુ ખાવાની ન હોય એને ભેગી ન કરો.
ર ૪ જે મકાનમાં રહેવાનું ન હોય એને બનાવશો નહી.
૩ , જે વાતો કાલે છૂટી જવાની છે, એમાં હરિફાઇ ન કરો.
૪ , અલ્‍લાહથી ડરો , એની પાસે પાછા જવાનું છે.
૫ , આખિરતમાં કામ આવે એવી વસ્‍તુઓનો શોખ રાખો ,ત્‍યાં હંમેશા રહેવાનું છે.

7 comments:

  1. Anonymous1:29 AM

    Very nice work.
    We have one Gujarati website http://www.kavilok.com.
    I have created few links to your website and have also copied this 5+5... to share with a wider audiance. If you have any objection, please let me know and I will remove it.
    If it is okay, I would love to receive a paragraph which I want to add to the top of that page about you on my website so people know you better.

    Keep up the good work.

    Jayesh

    Khuda haafijh.

    ReplyDelete
  2. Anonymous1:11 PM

    very nice article..

    ReplyDelete
  3. અસ્સલામાલૈકુમ..સુવાસ ટીમ તથા કવિલોક ને.
    5+5+5+5 બાબતો માં ઘણું કહી દીધું.મહંમદ પયગમ્બર(સ.અ.વ)ની આવી ઘણી વાતો થી સુવાસ ટીમ તેની "સુવાસ"ચારે બાજુ ફેલાવશે એવી ખુદાએ તઆલા પાસે દુઆ છે.આમીન.

    ReplyDelete
  4. vah bahu sarasa

    aap nu kam bahu gamyu
    kara samye aape aa mukyu chhe.....


    tethi aabhar

    ReplyDelete
  5. subhan allah
    manviyta ne sachavama aa vis babto tamam dharm na loko mate ek utam exmp.bani rahese...
    Aamin...
    from-MOSIN SHIKH

    ReplyDelete
  6. Anonymous10:14 AM

    SUBHAN ALLAH

    ReplyDelete