Thursday, May 18, 2006

પહલે ઓરત જનતી થી, અબ સારા આલમ જનતા હે,

પહલે ઓરત જનતી થી,
અબ સારા આલમ જનતા હે,
પહેલે ઘી સે સબ્‍જી બનતી થી,
અબ સબ્‍જી સે ઘી બનતા હે,


અમને આ બે શે‘ર અચાનક ત્‍યારે યાદ આવી ગયા, જયારે રીડગુજરાતી પર નીચેના શે‘ર વાંચવા મળ્યા.

ક્યાંથી હોય – અજ્ઞાત

વસ્ત્રો થઈ ગયા ટુંકા, લાજ ક્યાંથી હોય ?
અનાજ થઈ ગયા હાઈબ્રીડ, સ્વાદ ક્યાંથી હોય ?
નેતા થયા ખુરશીના, દેશ દાઝ ક્યાંથી હોય ?
ફૂલો થયા પ્લાસ્ટીકનાં, સુગંધ ક્યાંથી હોય ?
ચહેરા થયા મેકઅપનાં, રૂપ ક્યાંથી હોય ?
શિક્ષકો થયા ટ્યુશનીયાં, વિદ્યા ક્યાંથી હોય ?
ભોજન થયા ડાલડાનાં, તાકાત ક્યાંથી હોય ?
પ્રોગ્રામ થયા કેબલનાં, સંસ્કાર ક્યાંથી હોય ?
માણસ થઈ ગયો પૈસાનો, દયા ક્યાંથી હોય ?
ભક્તો થયા સ્વાર્થના, ભગવાન ક્યાંથી હોય ?
રીડગુજરાતી પરથી....

સાથે જ પ્રસ્‍તૃત છે, મુહંમદ ભાઇ ભૈડુએ મોકલાવેલ એક નઝમ ( કવિતા )

ગમ લઈ ફરુછુઁ.

તૌહીદી છુઁ તૌહીદનો પરચમ લઈ ફરુઁછુઁ.
ઈમાનની દઅવત હુઁ હરદમ લઈ ફરુઁછુઁ.
આકાએ દોજહાન સદા મીરે કારવાઁ,
આ ઉમ્મતે મરહુમનો હુઁ ગમ લઈ ફરુઁછુઁ.
જ્યારે નિહાળુઁ બેઅમલી બેખોફનો આલમ
દિલને સળગતુ આંખને હુઁ નમ લઈ ફરુઁછુઁ.
જાન,માલ,દિલ, સમય જે કઁઈ બધું છે લૈ,
લાઈલાહા-ઈલ્લલાહ નો દમ લઈ ફરુઁછુઁ
મારા તમામ પાપને બખ્શીદો યા ખુદા,
હુઁ’વફા” મુજ આકેબતનો ગમ લઈ ફરુઁછુઁ

મોહમ્મ્દઅલી ભૈડુ”વફા”
ટોરંટો,કેનેડા 14મે,2006.

શબ્‍દવિહાર,

તૌહીદી - એકેશ્વરવાદી.
આકાએ દોજહાન - બે જહાન (વિશ્વ)ના સરદાર એટલે આ લોક અને પરલોબના સરદાર ( પયગંબર સાહેબ
માટે વપરાતી ઉપમા)
આકેબત - આખેરત , મરવા પછી ફરી જીવંત થઇ અલ્‍લાહ સમક્ષ હિસાબ કિતાબ આપવાની ઘડી.

No comments:

Post a Comment