Monday, May 22, 2006

ઉતાવળ બુરી બલા છે.


નબીએ કરીમ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમનું કથન છે,
ગંભીરતા (શાંતિ – શાલીનતા) અલ્‍લાહ તઆલા તરફથી છે, અને ઉતાવળ શયતાનથી સંબંધિત છે. (તિરમિઝી શરીફ)
ઉતાવળે આંબા ન પાકે,
ઉતાવળા તે સૌ બાવળા, ધીરા સૌ ગંભીર,
ધીરજના ફળ મીઠાં વગેરે કહેવતોનો આ જ મતલબ છે.
પૂરતી સાવચેતી, સોચવિચાર અને ગંભીરતાથી ધ્‍યાન દઇ કરવામાં આવતું કાર્ય સારી રીતે પૂરું થાય છે, તેમાં અલ્‍લાહની મદદ શામેલ થાય છે, એથી ઉલટું ઉતાવળે કરવામાં આવતા કામમાં કચાશ રહી જાય છે, કયાંક કાચું કપાય જાય છે, મનને શાંતિ અને બદનને આરામ પણ નથી મળતો,
માટે દરેક કામ શાંતિથી કરવું જોઇએ.
પરંતુ યાદ રાખવું જોઇએ કે શાંતિ ,ધીરજ, અને ગંભીરતાનો મતલબ સુસ્‍તી અને આળસ નથી, માટે કામ ન કરવા માટે ઉતાવળને બહાનું ન બનાવવું જોઇએ, આજનું કામ આજે જ કરવું જોઇએ, આવતી કાલ ઉપર ન છોડવું જોઇએ, આને ઉતાવળ ન કહેવાય.
ખુલાસો એ કે કામ માટે જેટલો સમય અને ધ્‍યાનની જરૂરત હોય તે આધારે કામ કરવું જોઇએ, એક હદીસમાં પયગંબર સાહેબ (સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમનું કથન છે કે શાંતિ અને ગંભીરતાથી રહો, અને ઉતાવળ ન કરો.
જરૂરત વગર દોડવું , સામાન્‍ય હાલતમાં પણ ચાલાવામાં બીજાથી આગળ વધવાની કોશિશ કરવી, જરૂરત વગરની ઉતાવળ કહેવાય.
શકય એટલું ધીરે બોલવું, ધીરે ચાલવું, કોઇને ધક્કો ન મારવો, કયાંક જવું હોય તો સમયથી થોડા વહેલાં નીકળી જવું, જેથી ગભરાવાનો મોકો ન આવે, આ બધું હદીસમાં તાકીદ કરવામાં આવેલ ગંભીરતા અને શાંતિમાં શામેલ છે.

3 comments:

  1. Anonymous11:42 AM

    Very Nice site keep it up we need our gujrati all over the world
    Jiten
    box 1968
    moshi
    tanzania
    east africa

    ReplyDelete
  2. જીતેન ભાઇ થેન્‍કસ,
    આપના પ્રતિભાવ અમને હિમ્‍મત આપે છે.
    વાંચતા રહેશો.

    ReplyDelete
  3. Anonymous8:57 AM

    Asslamualykum W.w, Allah Ta-ala tamne khub barkat aape. gujarati o ne din e Eslam ni jankaari maate ek saras sharuaat kari che,
    mare pan aarite gujrati maa lakhi ne moklavu che. to aane kai reete lakhay te janaavsho

    ReplyDelete