Saturday, September 28, 2013

વ્યાજ મહાન ગુનો અને માનવસમાજનું દુષણ

વ્યાજ
મહાન ગુનો
અને
માનવસમાજનું દુષણ


વ્યાજની લેવડ-દેવડ કુર્આન અને હદીસના સ્પષ્ટ આદેશોની રૂએ હરામ અને સખ્ત ગુનાહિત કૃત્ય છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનો ઇરશાદ છે કે જાણી બુઝીને વ્યાજનો એક દિરહમ ખાવું છત્રીસવાર ઝિના કરવાથી વધારે ભયાનક છે. (મિશ્કાત પેજ-ર૪૬)
અન્ય એક ઇરશાદમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે વ્યાજ લેનાર, વ્યાજ આપનાર અને વ્યાજનું લખાણ કરનાર અને વ્યાજના મામલામાં સાક્ષાી રહેનારાઓ ઉપર લઅનત ફરમાવી છે અને ફરમાવ્યું કે આ બધા જ લોકો વ્યાજના ગુનાહમાં બરાબરના શરીક છે. (મિશ્કાત પેજ-ર૪૪) માટે કોઈ પણ એવું કામ જે વ્યાજની લેવડ-દેવડમાં સહાયરૂપ બનતું હોય શરઈરૂએ ના-જાઈઝ અને ગુનાહિત છે.
કુર્આને પાકમાં સ્પષ્ટ અને સાફ-સાફ શબ્દોમાં વ્યાજનું હરામ હોવું બયાન કરવામાં આવ્યું છે. ઇરશાદે ખુદાવંદી છે حرم الربا(સૂરએ બકરહ ર૭પ) અર્થાત : અલ્લાહ તઆલાએ વ્યાજને હરામ ઠેરવ્યું છે. વ્યાજના હરામ હોવાનો હુકમ કુર્આનમાં નાઝિલ થયા પછી પહેલાંની વ્યાજની લેણી રકમની વસૂલીથી પણ મનાઈ ફરમાવવામાં આવી, બલકે તેને ઈમાનની શર્ત રૂપે ઠેરવવામાં આવી. સુરએ બકરહ આયત ર૭૮,માં ઈરશાદે ખુદાવંદી છે કે, વ્યાજની બાકી લેણી રકમ પણ છોડી આપો અગર તમે ઈમાનવાળા છો.
અને આમ ન કરનારાઓ માટે યુદ્ઘનું એલાન છે. સૂરએ બકરહ ર૭૮,ર૭૯,માં ઈરશાદે ખુદાવંદી છે : અગર તમે એવું નિહ કર્યું તો અલ્લાહ અને તેના રસુલ તરફથી લડાઈનું એલાન છે.
હઝરત અબૂ હુરૈરહ (રદિ.) રિવાયત ફરમાવે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે વ્યાજના સિત્તેર દરજજાઓ છે, જેમાં સૌથી ઓછો અને હલકો દરજજો પોતાની માં સાથે બદકારી કરવા સમાન છે. [મિશ્કાત -ર૪૬]
એ સિવાય બીજી ઘણી હદીસોમાં વ્યાજનું હરામ હોવું તેની ખરાબીઓ વર્ણવવામાં આવી છે.
હઝરાતે સહાબા (રદિ.)ને સંબોધન કરી વ્યાજના હરામ હોવાનો હુકમ આપવામાં આવ્યો હતો ત્યારે આર્થિક પરિસ્થિતિ ઘણી બદતર અને દુખદાયક હતી, તેઓ કાફિરોના કરજોમાં ડુબેલા હતા, કાફિરો તેઓનું લોહી પી રહયા હતા. તેઓ ભૂખને લઈ પેટ ઉપર પથ્થર બાંધતા હતા. લગાતાર ભૂખા રહેવાને લઈ બેહોશ થઈને પડી જતા હતા, બબ્બે - ત્રણ - ત્રણ મહિના સુધી ઘરમાં ચૂલો સળગતો ન હતો. શરીર ઢાંકવા માટે પુરૂં કપડું પણ ન હતું. નિકાહમાં મહેરરૂપે આપવા માટે લોઢાની અંગૂઠી પણ ન હતી. બાળકોને ભૂખ્યા રડતા જોઈને ત્રણ ચાર દાણા ખજૂર મેળવવા માટે યહુદીઓની મજૂરી કરવી પડતી હતી. ખૂદ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એમની પવિત્ર પુનિત પત્નીઓના ભરણ-પોષ્ાણ માટે જેહાદમાં કામ આવતું પોતાનું બખ્તર યહુદી પાસે ગીરો રાખવું પડયું અને એ જ હાલતમાં આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનો વિસાલ થયો. આ હાલત હોવા છતાં તેઓને કાફિરોના માલ અને દૌલત પ્રતિ આંખ ઉઠાવીને જોવાથી પણ મનાઈ ફરમાવવામાં આવી અને કહેવામાં આવ્યું.
આપ આંખ ઉઠાવીને પણ તે વસ્તુઓ પ્રતિ ન જુઓ જેનાથી અમે આ (દુન્યાદારો) ના વિવિધ જન સમુહોને તેઓની આજમાઈશ માટે વાપરવા માટે આપી છે. આ બધુ માત્ર દુન્યવી જીંદગીની રોનક છે.
વર્તમાન યુગની કરૂણાતિકા જ આ બની ગઈ છે, માણસ ફક્તત પૈસે ટકે આગળ આવવાને જ પોતાનું મુળ ધ્યેય સમજે છે. એ માટે જે કંઈ પણ કરવું પડે. અખ્લાક, સંસ્કાર, તાલીમ, દીનદારી વગેરે બાબતો સંપૂર્ણ રીતે લોકોના ધ્યેયમાંથી બાકાત થઈ રહી છે. લોકો બધી જ ખૂબીઓ અને સંસ્કારો એકતરફ મૂકીને માલ પાછળ દોડી રહયા છે, અને આ દોડમાં વ્યાજને પણ હરામ સમજવાનું છોડી રહયા છે, અથવા એના વગર ન ચાલે એમ માનીને હલાલની સાથે હરામને પણ ભેળવી રહયા છે.
કાશ ¦ માણસને આ દુનિયાની ઝિંદગીના ટુંકી હોવાનો અને આખિરતની ઝિંદગી લાંબી અને સાચી હોવાનો એહસાસ થઈ જાય. ......

No comments:

Post a Comment