Saturday, September 28, 2013

જૂઠી હદીસ....

જૂઠી હદીસ....
.મુખ્તાર ષકફીએ એક મુહદ્દિષને કહયું કે, મારા માટે કોઈ એવી બનાવટી હદીસ બનાવી કાઢો કે હું ખલીફા બની જઉં. બદલામાં તમને દસ હઝાર દિરહમ, તાજ, સવારી અને ખાદિમો આપીશ.
મુહદ્દિષે કહ્યું કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના નામે તો કોઈ જૂઠી હદીસ બનાવવાની મારી હિંમ્મત નથી, પણ તમારી પરવાનગી હોય તો કોઈ સહાબીના નામે બનાવટી વાત ચલાવી દઉં. વળતર થોડું ઓછું આપજો. મુખ્તારે કહયું કે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વાત બનાવીને કહે તો વધારે સારું...
તો મુહદ્દિષે જવાબ આપ્યો કે, તો પછી અઝાબ પણ એવો જ મોટો ચાખવો પડશે.
---------------------------
.કુરઆન શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ખુશખબરી આપવામાં આવી છે કે,
عسی أن یبعثک ربک مقاما محمودا
અર્થાત  : અલ્લાહ તઆલા તમને મકામે મહમૂદ (એક ઉચ્ચ મકામ) અર્પણ ફરમાવશે.
કોઈ જૂઠા વઅઝ કરનારે લોકોને ખુશ કરવા વઅઝમાં કહી દીધું કે, એનો મતલબ આ છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અલ્લાહ તઆલા સાથે અર્શ ઉપર સ્થાન આપવામાં આવશે. લોકોને આ વાત ઘણી સારી લાગી. ઇમામ મુહમ્મદ બિન જરીર તબરી રહ.ને આ વાતની ખબર પડી તો તેઓ ઘણા નારાજ થયા. આ ખોટી વાતનો ઘણો વિરોધ કર્યો અને પોતાના ઘરના દરવાઝા પર લખાણ લખ્યું કે, અલ્લાહ તઆલાની ઝાત પાક - પવિત્ર છે, એને કોઈ દોસ્ત - સાથીની જરૂરત નથી. એના અર્શ ઉપર કોઈ બીજું બેસનાર નથી.
લોકોમાં આ લખાણ ચર્ચાનો વિષય બની ગયું. અને આમ લખવાને ખોટું સમજીને ઇમામ તબરીનો વિરોધ કરવા લાગ્યા. અને ઇમામ તબરી રહ.ના ઘર ઉપર એટલા પથ્થરો ફેંકયા કે એમનો દરવાઝો ઢંકાય ગયો.

No comments:

Post a Comment