Saturday, September 28, 2013

ગાયની કુરબાની અને જીવદયા

કુરબાની વિશે હિન્દુ લોકો, વિશેષ કરીને વર્તમાનમાં જીવદયાની વાત કરતા અમુક લોકો એક વિશેષ પ્રકારના અસમંજસમાં ફસાયેલા છે.
કારણ કે, જીવદયા, એક ભૂલભરેલી પરિભાષા છે. માનવજીવનમાં એનું અમલીકરણ અશક્ય છે. સૃષ્ટિની દરેક વસ્તુમાં જે તે વસ્તુ મુજબ જીવ હોવાનું વૈજ્ઞાનિક અને ધાર્મિક, બન્ને રીતે પૂરવાર થયેલ વસ્તુ છે. આ આધારે સબજી ખાવી, ઘાસ કાપવું, જમીન ખોદવી પણ જીવહત્યામાં શામેલ છે. જાનવરનું દૂધ પીવું પણ એમાં શામેલ છે અને વ્યાજ ખાયને ગરીબોની પસીનાની કમાણી ખેંચી લેવી પણ એમાં શામેલ છે. જીવદયામાં માનનારા આ બધું જ કરે છે.
હિન્દુઓમાં 'જીવદયા' ફક્તત જૈનોની ધાર્મિક માન્યતા છે. અન્યો તો આ બાબતે ફકત મુસ્લિમો પ્રત્યેના વેરભાવના કારણે એમાં જોડાયા છે. થોડા દિવસ પહેલાં શિવસેના - મુંબઈના એક નેતાએ મુંબઈમાં કહયું હતું કે મુંબઈમાંથી ગુજરાતીઓને કાઢવા પડશે, નહીંતર એમની વધતી વસતીના કારણે મુંબઈ શહેરના શાકાહારી બની જવાનો ભય છે.
જૈન સંપ્રદાય પોતે, અને એમના સાધુ - સાધ્વીઓ અને તપસ્વીઓ આ સિદ્ઘાંત ઉપર અમલ નથી કરતા, અને એક યા બીજા પ્રકારે જીવહત્યાને સ્વીકારે છે. ઉદાહરણ તરીકે... જૈનોમાં 'સંથારો' કરવાને બહુ મોટું સ્થાન અને પુણ્યનું કામ સમજવામાં આવે છે. કોઈ તપસ્વીને એવું લાગે કે હવે જીવનના છેલ્લા દિવસો છે, તો અન્ન, જળ વગેરે બધું જ તજીને મરણપથારી કરવાને 'સંથારો' કહેવામાં આવે છે. આમ માણસ અતિક્રુર બનીને પોતાને જ મારી નાખે છે. આમ કરવું સ્પષ્ટ રૂપે જીવદયા વિરુદ્ઘ છે. માનવીએ પોતાના પ્રતિ આટલા ક્રુર બનવાનો કોઈ આધાર નથી. છતાં એને એક સામન્ય બાબત સમજીને જૈનોએ સ્વીકારી છે.
હા, એક ચર્ચા રહી જાય છે : ગાય વિશે...
હિંદુઓ ગાયને પવિત્ર માનીને પૂજે છે અને ગાયની કુરબાની કરવાને પોતાની પૂજય ગાયનું અપમાન સમજે છે. અલબત્ત ગાયની કુરબાની, કે કોઈ બીજા જાનવરની કુરબાની મુસલમાન એના અપમાન કે તૃચ્છ હોવાના લીધે નથી કરતો. બલકે એના પવિત્ર હોવાના કારણે જ કુરબાની કરે છે. હિન્દુઓ આ બાબતે પોરસાયને કહી શકે છે ગાયની પવિત્રતાના કારણે જ મુસલમાનો પણ એને અલ્લાહના દરબારમાં કુરબાનીના લાયક અને પાત્ર સમજે છે. સાદી રીતે એમ પણ કહી શકાય કે કુરબાનીને હત્યાના બદલે બલિદાનના રૂપમાં જોવું જ ખરી દષ્ટિ છે. અને બલિદાનને કોઈ હત્યા કે અપમાનના અર્થમાં નથી સમજતું....
------------------

No comments:

Post a Comment