Monday, April 01, 2013

ઈતિહાસ અભ્યાસ, શિક્ષાણ અને બોધગ્રહણની મહત્વતા

ઈતિહાસ
અભ્યાસ, શિક્ષાણ અને બોધગ્રહણની મહત્વતા
સંકલન : મુફતી ફરીદ અહમદ કાવી.

ઇતિહાસ, પ્રજા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડતો આયનો છે, ભૂતકાળને સામે કરે છે, વર્તમાનની સમીક્ષા કરે છે અને પછી તેમાંથી ભવિષ્યનો પથ દર્શાવે છે, માટે જ તે પ્રતિ ધ્યાન આપીને, તેનું રક્ષાણ કરીને નવી આવનાર પેઢી સુધી વાસ્તવિક રૂપમાં એને પહોંચાડવાની મહત્વતા ઘણી વધી જાય છે. આમ કરવાથી ઇતિહાસ પ્રજાના વર્તમાન અને ભવિષ્ય માટે બોધ અને માર્ગદર્શનનું કામ આપી શકે છે. ઇતિહાસ સાક્ષી છે કે જે પ્રજાનો પોતાનો ઇતિહાસ નથી, તેનું અસ્તિત્વ પણ નથી ટકતું.. ઇતિહાસ વડે જ પ્રજા ટકે છે અને જીવે છે. તેના ભુલવા - બગાડવાથી જ પ્રજાનું અસ્િતત્વ નષ્ટ થાય છે.

પ્રજાના જીવન અને પ્રગતિમાં ઇતિહાસનો રોલ સમજીને જ ઇસ્લામના શત્રુઓએ ઇસ્લામના ઇતિહાસને વિકૃત કરવા, ખંડિત કરવા, તેની ભવ્યતાને ભૂલાવવા ખાતર ભરપૂર પ્રયત્નો કર્યા છે, ઘણી વાસ્તવિકતાઓ વિપરીત કરી દેવામાં આવી, ઘટનાઓ ઘટાવી નાંખવામાં આવી, અને શત્રુઓ એક એવો ઇતિહાસ બનાવવામાં પ્રવૃત છે, જે એમના આશયોને અનુરૂપ અને એમના ધ્યેય પાર પાડવામાં સહાય રૂપ હોય.
પ્રજાના જીવનમાં વિશેષ કરી મુસલમાનો માટે  તેમના ભવ્ય ઇતિહાસની જે મહત્વતા છે, અત્રે અમે તેના અમૂક કારણો દર્શાવીએ છીએ.
(૧) વર્તમાનમાં સાથે રહેતી પ્રજાઓ-વ્યકિતઓને ઓળખવામાં ઇતિહાસ વિશેષ સહાયકારક નીવડે છે, ખાસ કરી એવા ટાણે જયારે પ્રજાઓ- જ્ઞાતિઓ, સમાજ કે વ્યકિતઓના વચ્ચે ભિન્નતા ન રહેવાના કારણે એકનું અસ્તિત્વ બીજામાં ભળી જાય છે.
(ર) ભરોસા પાત્ર સાચો ઇતિહાસ વાસ્તવિકતાઓ, ઘટનાઓની સચ્ચાઈ અને પ્રમાણિકતા જાણવા માટે મહત્વનું સાધન છે, જેમકે યહૂદીઓ દ્વારા એક પુસ્તકમાં દશર્ાવવામાં આવ્યું છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ખૈબર વાસીઓ પરથી જિઝયહ માફ કરી દીધો હતો, ઉપરાંત આ બાબત ઉપર હઝરત મુઆવિયહ અને હઝરત સઅદ રદિ.ની સાક્ષાી અને સમર્થન પણ વર્ણવવામાં આવ્યું છે, પરંતુ તપાસ -તહકીક કરતાં સ્પષ્ટ થાય છે કે હઝરત સઅદ (રદિ.)તો ખૈબરની ઘટનાના બે વરસ પૂર્વે બનૂ કુરયઝહની લડાઈના દિવસે અવસાન પામી ચૂકયા હતા. અને હઝરત મુઆવિયહ (રદિ.)એ ખૈબરની જીત પછી બે વરસે મક્કાની જીત પછી ઇસ્લામ સ્વીકાર કર્યો હતો, આમ સ્પષ્ટ થાય છે કે વાસ્તવિકતા શું છે ?
(૩) ઇતિહાસ દ્વારા બે વિરોધાભાસી તથ્યો કે સમાચારોની સચ્ચાઈ અને હકીકત જાણી શકાય છે, કોઈ માણસ વિશે કે ઘટના વિશે પહેલાં વર્ણવવામાં આવેલ ખબર કરતાં પાછળથી વર્ણવવામાં આવેલ સમાચાર વધુ ભરોસા પાત્ર હોય છે.
(૪) વિવિધ ઘટનાઓ, કિસ્સાઓ, પ્રસંગો અને તેના સંલગ્ન અન્ય ઘણી બાબતો ઇતિહાસ દ્વારા જ આપણને જાણવા મળે છે.
(પ) ઇસ્લામી ઇતિહાસ, ઇસ્લામના પ્રચાર-પ્રસાર અને સ્થાપનની એક જીવતી જાગતી તસ્વીર છે, જે દ્વારા આપણે તેના ઝળહળિત પાસાંઓને જોઈ અનુભવીએ છીએ, અને તેને અનુસરી શકીએ છીએ, નકારાત્મક નુકસાન કારક પાસાંઓ જોઈ સમજી તેનાથી બચી શકાય છે.
(૬) અલ્લાહ તઆલા ફરમાવે છે : તમ કહી દો કે જમીનમાં હરો- ફરો અને જુઓ, અલ્લાહને જુઠલાવનારાઓનો કેવો અંજામ થયો? (અન્આમ :૧૧)
એટલે કે ઇતિહાસ દ્વારા આપણને બોધ-નસીહત મળે છે. પડતી અને ચડતીના ચિહનો- પરિબળો, દલીલો જાણી શકાય છે.
(૭)ઇતિહાસ દ્વારા અલ્લાહની કાર્ય પ્રણાલી સમજીને આપણે આપણા ભવિષ્યને પણ સમજી-જાણી શકીએ છીએ.
(૮) ઇતિહાસ દ્વારા જ પ્રજાઓ અને વ્યકિતઓમાં આકાક્ષાાઓ ઊંચી થાય છે, ચેતનાનો સંચાર થાય છે, કંઈક કરી છૂટવા, વિશ્વને કંઈક પ્રદાન કરવા અને ઉપયોગી થવા માટેનો શોખ અને ભાવના તીવ્ર બને છે.
(૯) ઇતિહાસના પૃષ્ઠોમાં ઉજળા અક્ષારોએ જેમનું  વર્ણન છે, વરસોના વહાણા પછી પણ જેમને વિશ્વ ભૂલી શકતુ નથી, એવા વિશ્વના મહાન નેતાઓ, ચિંતકો, સુધારકો, શાસકોની ઓળખાણ ઇતિહાસ દ્વારા જ મળી શકે છે.
(૧૦) ઇતિહાસની સૌથી અગત્યની લાભદાયિકતા એ છે કે તેનાથી પુર્વ પ્રજાઓ-વ્યકિતઓની ભૂલો જાણી શકાય છે, ઈતિહાસના રક્ષિાત ભયસ્થાનોને જાણી તેનાથી બચી શકાય છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની હદીસ છે કે ''મો'મિન એક (સાપના) દરથી બે વાર કરડાતો નથી.''(બુખારી, મુસ્લિમ)
અલ્લાહ તઆલાથી દુઆ કરીએ કે આપણને ઈતિહાસથી બોધ મેળવવાની પ્રેરણા આપે.

1 comment: