Sunday, November 19, 2006

વિચારોના વૃદાવનમાં

ગુણવંતશાહના આજના લેખની છેલ્‍લી લીટીઓ છે આ પ્રમાણે છે,
‘‘ધાર્મિક સુધારા માટે મહંત-મુલ્‍લા-પાદરી પર આધાર રાખવામાં શાણપણ નથી, એ તો બ્‍લડ સુગર ઘટાડવા માટે કંદોઇની દુકાને જવા બરાબર છે.‘‘
રવિપૂર્તિ, દિવ્‍યભાસ્‍કર દૈનિક, તા. ૧૯ નવેમ્‍બર, ર૦૦૬.

તો પછી શિક્ષણમાં સુધારા માટે શિક્ષકો-પ્રોફેસરો-વિદ્વાનો અને શિક્ષિ‍તો પાસે જવામાં શાણપણ નથી, એ તો ............
રાજવ્‍યવસ્‍થામાં સુધારા માટે શાસકો-અધિકારીઓ-સમાજસેવકો પાસે જવામાં શાણપણ નથી, એ તો......
ધર્મમાં સુધારા માટે અધર્મીઓ પાસે જવું,
શિક્ષણમાં સુધારા માટે જહાલો પાસે જવું,
વ્‍યવસ્‍થાતંત્રમાં સુધારા માટે વનવાસીઓ પાસે જવું ..

ગુણવંતશાહ આ કયાંનું ગણિત ભણાવી રહયા છે ?

7 comments:

  1. Anonymous8:36 PM

    ગુણવંત શાહ જે કહે છે તેમાં તથ્ય એટલા માટે છે કે, આ બધા તેમનો ધર્મ ચૂકી ગયા છે અને સાવ નવા વિચારોની જરૂર છે.
    એવા નેતાઓની જરૂર છે જે, લોકોને પોતાના વાડામાં ઘેટાની જેમ ભેગા કરવાનો ધંધો ન કરે, પણ માનવ જાતને મહા માંનવ બનાવવાના પૂણ્ય કાર્યમાં મચ્યા રહે.
    આપણને મુલ્લા, મહંત કે પાદરીની કોઇ જ જરૂર નથી. ગાંધીજી, રવિશંકર મહારાજ, રૂસવા કે મધર ટેરેસાની જરૂર છે.
    તમે કઇ રીતે પૂજા કે બંદગી કરો છો તે બહુ જ ગૌણ છે. તમે આત્મામાંથી પ્રગટતી અંતરની વાણીને સાંભળવા તૈયાર થાઓ તે જરૂરી છે.
    જે વ્યક્તિ આપણને આ માટે જરૂરી પ્રેરણા આપે તે સાચો નેતા.
    વાંચો
    http://antarnivani.wordpress.com/

    ReplyDelete
  2. Anonymous3:50 PM

    लाम जैसे गेसु है घनश्याम के
    काफ़िर है जो बन्दे नहि इस-लाम के

    લામ એટલે ઘુઘરી

    ReplyDelete
  3. Anonymous8:57 AM

    સુ રેશ જાની ભાઈ ને જણાવવાનુ કે મુલ્લા,મહંત કે પાદરી બધા જ એવા નથી હોતા જેવુ તમે વિચારો છો,અમુક ને લીધે તમે બધા ઉપર આક્ષએપ કરવાનો તમને કોઈ હ્ક નથી. અને બીજુ એ કે જે તમે ગાંધીજી, રવિશંકર મહારાજ, રૂસવા કે મધર ટેરેસાની વાત કરો છો તેવા નુ ઘડતર પણ આવા જ મુલ્લા,મહંત કે પાદરી ના સહવાસ થી જ થયુ છે
    arifmultani@yahoo.com

    ReplyDelete
  4. Anonymous10:46 PM

    સુરેશભાઇ
    ગુણવંત શાહ રાજકારનનો પવન જોઇ લખનારો માણસ છે. એક નમ્બરનો ડબલ ઢોલકી.
    ખોટા રેશનલની બડાઈઓ મારવાનો શું અર્થ? તમેય ઉંઝા જોડણીનો ઠેકો લઇ ફરો જ છો ને. તમને એમ જે છે એનાથી ગુજરાત સુધરી જશે. અંતરવાણીના નામે મોટી મોટી વાતો કરવી બહુ સહેલી છે. એક, બે ઉદાહણોથી બધા ધર્મિક લોકોને ઉતારી પાડવા બરાબર નથી.

    ReplyDelete
  5. Anonymous4:44 PM

    arre mara vahala gujratio....BHAIO...me ek vakya kaik vanchelu chhe ane dil-dimaag ma utarva jevu vakya chhe....darek na dimag ma kadach na utre pan ek vaar vichar to karjo aa vakya upar.....HAJRO VARSO PEHLA MANAVI E DHARM BANAVYO....PAN HAJARO VARSO PACHHI PAN E DHARM NA MOTA MOTA PUSTAKO MANAV NE SACHA ARTH MA MANVI NA BANAVI SHAKYA....KEM???????? koi pan dharm no mukhya sandesh PREM che ane koi pan dharma sampurna PREM prasaravi nathi shakyo...kem??? nai utre aa dhramandh loko ne vaat dimaag ma...dharmik ganit na dakhlao no jawab PREM che pan hajaro varso pacchi pan manvi haju dakhla ma ghuchvaya kare chhe ane ane ek bija sathe ladya kare chhe ane kahe chhe ke " maaro dakhlo sacho chhe, taaro khoto" pan sacha jawab(PREM) sudhi koi pohachi nathi shakyu....are mara premal ane mitha mitha bhaio tame aam zagadva ma rahi jaso to sacho jawab nai male......hu bau gnani to nathi pan mane je samaj ma aavyu te lakhyu che...khotu sachu maaf karjo....jai hind...sarvatra PREM pragate evi subhecchha....

    imran shaikh

    ReplyDelete
  6. Anonymous5:41 PM

    DREK MANV NO *DHRM* JUDO JUDO HOYCHE , TE VATJ KOTI CHE . HINDU,MUSLIM,SHIK,ESHAE, NAM JUDA JUDA CHE, KHREKHRTO *SHBKAMALIKAK* TE VAT SHACHICHE,MANV DIVS RAT JENAPR MNN LGAVECHE TEJ ,TENA MATA DHRM BNIJAYCHE, SHVTI MOTAMAMOTO MANV DHRM,---RAJBHA_ZALA@ZAPAK.COM 17-9-2007

    ReplyDelete
  7. As per my knowledge following is the correct version
    लाम से गेसु मेरे घनश्याम के,
    काफ़िर है जो बंदे नही इस-लाम के
    Vivekanand was invited to a मुशायरा and he was to do पाद-पूर्ति of a line given that's when he broke the word इस्लाम in to two इस-लाम

    લામ એટલે ઘુઘરી નહી. ઉર્દુ ભાષામાં અલીફ, બે, પે, તે ની જેમ 'લામ' એક મૂળાક્ષર છે અને તેનો આકાર આવો છે
    ل. ગાફ અને મીમ ની વચ્ચેનો આ અક્ષર કૃષ્ણ ભગવાનના ઝુલ્ફાની જેમ વાંકો એટલે કે ઘૂંઘરાળો છે. એટલે સ્વામિ વિવેકાનંદે તરતજ પાદ પૂર્તિ કરી ને એમ કહ્યું કે काफ़िर है जो बंदे नही इस-लाम के

    ReplyDelete