Monday, November 10, 2008

જેહાદની નવી વ્યાખ્યા બનાવો : મુસ્લિમ બૌધ્ધિકો

જેહાદની નવી વ્યાખ્યા બનાવો : મુસ્લિમ બૌધ્ધિકો

ભારતમાં મુસ્લિમ બૌધ્ધિકોની સૌથી મોટી સંસ્થા જમિયત ઉલેમા-એ-હિંદે આતંકવાદ સાથે ખરાબ રીતે વપરાતા શબ્દ જેહાદની નવેસરથી વ્યાખ્યા કરવાની જરૂરીયાત છે તેમ જણાવ્યુ હતુ.

જ્યારે આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિ શંકરે મુસ્લિમ અને આતંકવાદને અલગ પાડવા પર ભાર મૂક્યો હતો.

જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા આતંકવાદને વખોડી કાઢવા આયોજીત એક સંમેલનમાં બોલતા ધ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રીએ જણાવ્યુ હતુ કે મુસ્લિમો અને આતંકવાદને અલગ રાખવા જોઈએ. જો આપણા જ પરિવારનો કોઈ સભ્ય આતંકવાદમાં સામેલ હોય તો તેને અલગ પાડી દેવો જોઈએ અને તેને હાંકી કાઢવો જોઈએ.

જેહાદ શાંતિ સ્થાપવા અને માનવીના પ્રાથમિક અધિકારોની જાળવણી માટે જ છે. આતંકવાદ ગુન્હો છે અને કુરાન તથા ઈસ્લામિક મૂલ્યોમાં તે સૌથી મોટો ગુન્હો છે.

આતંકવાદ સતામણી, ભય અને એક બીજાને મારી નાખવાનુ અને સમાજમાં કાયદા અને કાનૂનને ભંગ કરવાનુ તથા સમાજિક અને રાજકિય નિયમોનો ભંગ કરવાનુ કામ કરે છે. તેથી જેહાદની નવેસરથી વ્યાખ્યા કરવાની જરૂર છે.

જમિયતે આના ઉકેલ માટે 21 મુદ્દાઓની ચર્ચા કરી હતી. જેમાં મુસ્લિમોના શિક્ષણને પણ સામેલ કરવામાં આવ્યુ હતુ. મુસ્લિમ બૌધ્ધિકોએ સૂચવ્યુ હતુ કે મુસ્લિમોએ સ્કૂલો અને કોલેજો ખોલવી જોઈએ જેમાં આધુનિક શિક્ષણ સાથે ખાસ પ્રકારના ધાર્મિક શિક્ષણની વ્યવસ્થા હોવી જોઈએ

1 comment:

  1. Anonymous8:59 AM

    thank brother
    good work
    123456 eklavyagupta12@gmail.com ab

    ReplyDelete