Sunday, March 24, 2013

દુનિયાનું જીવન -- આખિરતની ખેતી


દુનિયાનું જીવન -- આખિરતની ખેતી

    મૃત્યુ એ માનવઅસ્ત્તિવનો છેલ્લો પડાવ નથી, બલકે મોત પછી અલ્લાહ તઆલાના દરબારમાં હાજર થવાનું છે. મુસલમાનો માટે આ અકીદો રાખવો અને એને એક અફર સત્ય તરીકે સ્વીકારવું જરૂરી છે.
દુનિયામાં માણસ ઉપર આવતી મુસીબતો અને રાહતો, ખુશી અને ગમ, ભલાઈ અને બુરાઈ, બધું એક પ્રકારે પરીક્ષાા માટે છે. આ બધા પછી એ પરીક્ષાાના પરિણામ માટે દરેકે અલ્લાહના દરબારમાં જવાનું છે.
આ દુનિયામાં માનવજીવનના આરંભે જ હઝરત આદમ અલૈ.ને કહી દેવામાં આવ્યું હતું કે,
ولکم فی الارض مستقر و متاع إلی حینۘ
તમારા માટે ધરતી ઉપર એક નિયત સમય સુધીનું રોકાણ અને રોઝી નક્કી કરી દેવામાં આવ્યાં છે.
આ સાથે જ એ પણ કહેવામાં આવ્યું કે, દુનિયાના આ રોકાણ દરમિયાન જે લોકો અલ્લાહ તઆલાના માર્ગદર્શનને અનુસરશે અને એના હુકમો માનશે, એમને પાછળથી પસ્તાવાનો વારો આવશે નહી.
સ્પષ્ટ છે કે અલ્લાહ તઆલાનું માર્ગદર્શન એના નબીઓ અને રસૂલો મારફત જ માણસને જાણવા મળશે, એટલે મતલબ આ થયો કે માણસ અલ્લાહના રસૂલો અને નબીઓની વાતો માને, એમના આદેશો માને તો એની આખિરત સુધરી જશે.
લોકો વચ્ચે રસૂલ હયાત હોય તો એ રસૂલ લોકોને માર્ગદર્શન આપશે એ સ્પષ્ટ છે, અલબત્ત રસૂલની વફાત પછી રસૂલના દર્શાવેલ આદેશો અને રસૂલનું આદર્શ જીવન માનવી માટે હિદાયત અને માર્ગદર્શનનો સ્ત્રોત ગણાશે. અલ્લાહ તઆલાએ કુરઆનમાં પણ આ બાબત સ્પષ્ટ ફરમાવી છે.
ખુલાસો આ કે દુનિયાનું જીવન એક પ્રકારની પરીક્ષા છે, માણસ માટે ભવિષ્યની તૈયારી કરવાનો મોકો છે. આ મોકાને ભૂલી - ચૂકીને માણસ જો દુનિયાના ખેલ - કૂદમાં મશ્ગૂલ થઈ જાય તો એનાથી મોટી બીજી કોઈ ગફલત નથી.
અલ્લાહ તઆલા કુરઆનમાં ચાર વાર દુનિયાની જિંદગીને ખેલ - કૂદ હોવાનંુ સ્પષ્ટ રીતે દર્શાર્વીને એનાથી બચવાની તાકીદ ફરમાવી છે.
આજે સ્થિતિ આ છે કે ક્રિકેટ કે ફૂટબોલ જેવા એક નાનકડા ખેલ પાછળ આખો દેશ એવો ગાંડો થઈ જાય છે કે જાણે આ રમતની હારજીતમાં જ દેશની રોઝી - રોટી અને શાંતિ સલામતીની ગેરંટી હોય.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ઝમાનામાં ઘણા કાફિરો માનતા હતા કે જીવન, એ ફકત આ દુનિયાનું જ જીવન છે, એને મરજી મુજબ જીવીને માણસે રહેવાનું હોય. આખિરતની ફિકર તે વળી શી વસ્તુ છે ? જેના કારણે આ જીવનની મોજ છોડી દેવામાં આવે ?
આજે આંકડાકીય સ્િથતિ તો આ છે કે વિશ્વની મોટા ભાગની વસ્તી કોઈને કોઈ ધર્મમાં માને છે, અને એ આધારે આખિરત, પરલોક, જન્નત જહન્નમ વગેરેને કોઈને કોઈ સ્વરૂપે પણ સ્વીકારે છે, પણ વહેવારમાં આખું વિશ્વ જાણે આ બધાને ભૂલીને બસ દુનિયાના જીવનને જ સર્વસ્વ સમજે છે. કોઈ પણ રીતે આ જીવનને સુખમય બનાવવાની પેરવી કરે છે. એ માટે ખરું - ખોટું, જે કરવું પડે તે. નેકી અને બુરાઈનું માપદંડ દુનિયાનો લાભ અને નફો થઈ ગયંુ છે. એના આધારે જ કોઈ કામ સારું કે ખરાબ કહેવાય છે.
કુરઆનમાં સૂરએ હદીદમાં અલ્લાહ તઆલાએ દુનિયાના જીવનને સમજાવવા ખાતર પાંચ અલગ અલગ પ્રકારના દરજાઓ પાડીને સમજણ આપી છે. અલ્લાહ તઆલા ફરમાવે છે : યાદ રાખો, દુનિયાનું જીવન ખેલ, તમાશો, દેખાવડો, ગર્વ - ઘમંડ અને માલ - અવલાદમાં એકબીજાથી આગળ નીકળવાના પ્રયાસોનંુ નામ છે.
કુરઆનમાં બીજા સ્થળે  દુનિયાના જીવનને એક ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે.
જેમ કે વરસાદ વરસવાથી ખેતી ઉગે છે, ખેતરની હરિયાળી ખેડૂતને ઘણી સારી લાગે છે. પછી એ પાકીને પીળી પડી જાય છે, અને છેલ્લે એ ખેતી કપાયને ઘાસ - ફૂસ બની જાય છે.
ખેતરના પાકની જેમ માણસનું જીવન પણ અનેક તબક્કામાંથી પસાર થાય છે. છેલ્લો જેમ ખેતરનો પાક એના ખેડૂતને એની મહેનત મુજબનું ફળ આપે છે, એ જ પ્રમાણે જીવન પણ એના અંતે માણસને એની મહેનતોનું ફળ આપે છે.  .......

No comments:

Post a Comment