Friday, April 12, 2013

ટાઇમ પાસ

         પાનના ગલ્લા, ચાયની લારી, સર્કલ ઉપરની હોટલો, ગલીઓ અને મહોલ્લાના નાકે, આજકાલ જોવામાં આવે છે કે, યુવાનો, બાળકો, અને વડીલો - વૃદ્ઘો દરેક અલગ અલગ ગ્રુપમાં ગપ્પાબાઝી, મસ્તી મજાક કે 'ટાઈમપાસ'માં વ્યસ્ત છે. ફિલ્મોની ચર્ચા, ક્રિકેટ - ફૂટબોલ મેચની ચર્ચા, રાજકરણ અને રાજકીય નેતાઓની ચર્ચા આ મજલિસોનો મુખ્ય વિષય હોય છે. રસ્તે જતા આવતા લોકો ઉપર નજર રાખવી કે કરવી પણ એમની ફરજમાં શામેલ હોય છે. સ્ત્રીઓ અને છોકરીઓ આવે જાય તો પણ નજર નીચી કરવાની નહી, આમ બદનજરી અને આંખોનો ગુનો થતો જ હોય છે. દિલની વાત ખબર નથી....
એમની પાસે જઈને પૂછીએ તો દરેક પોતાની ઓળખ કોઈ 'ઇસ્લામી નામ' દ્વારા આપે છે. 
       તો પછી આ મુસલમાનો મફતના ગુનાહો લુટવા અહિંયા કેમ ભેગા થયા છે ?
        એમને કોઈ રોકનારું જ નથી ? 
એમને કોઈ કેવી રીતે રોકે કે ટોકે ?
કોઈ પરાયો કે હિંદુ કંઈ કહે તો એનું આવી જ બને.
અને આ યુવાનોના વાલીઓને એમના જિગરના ટુકડાઓની આ  બરબાદી ઉપર કંઈક ચિંતા હોત તો પછી પૂછવાનું જ શું હતું ? 
         મુસલમાનોએ આવા દિવસો ન જોવા પડત.
સમજદારો જાણે છે કે જેટલી વધારે બેકારી હોય, સમાજ એટલો જ ખોખલો હોય છે. થોડા સમયની બેકારી હઝારો બુરાઈ પેદા થવાનો સબબ બને છે. માણસ પ્રવૃત રહે તો અનેક બુરાઈયોથી બચી જાય છે. બીજી કોમને આપણે જોઈએ છીએ કે તેઓ એમના બાળકોને શરૂથી જ તાલીમ સાથે વધારના સમયમાં પોતાના કારોબારમાં લગાવી રાખે છે. આપણે આસપાસ જોઈએ છીએ કે કડિયા કામ કરતા માછીમારનો છોકરો સ્કૂલની રજાના દિવસે એના બાપ સાથે કામ પર આવે છે, અને સાંજે ર૦૦-૩૦૦ રૂા. કમાય લે છે.
એનાથી વિપરીત મુસલમાનોમાં એમ પણ શિક્ષાણ (દીની - દુન્યવી) ઓછું છે, અને કયાંક આ બાબતે થોડી જાગૃતિ છે, તો એની સાથે બેકાર ટાઈમ પાસ અને બુરી સોબતના દુષણો પેસી ગયા છે.
સમાજના વડીલોએ આ બાબત સમજીને એને રોકવાની કોશિશ કરવાની છે. યુવાનો અને બાળકોના વાલીઓ એમને રાતે ઘરે વહેલા આવીને સૂઈ જવાની તાકીદ કરે એ આવશ્યક છે.
વડીલો અને વૃદ્ઘો પોતે આવી મજલિસબાજીથી દૂર રહીને અન્યોને પણ એમ કરવાથી રોકે એ જરૂરી છે.
આજકાલ છોકરો થોડો મોટો થાય કે એને મોબાઈલ આપી દેવામાં આવે છે, આ મોબાઈલથી ફેસબુક, ટવીટર, યુટયુબ વગેરે દ્વારા એ કેટલાયે નાજાઇઝ અને દુનિયા આખિરત ખરાબ કરનારા કામો કરે છે. એવી દોસ્તીઓ બાંધે છે જેના શિક્ષાણ અને સંસ્કારને ખરાબ કરી દે છે. તે આખો દિવસ બેસીને ફેસબુક અને ટવીટર જ ફંફોસ્યા કરે છે.
મોબાઈલ ઇન્ટરનેટ દ્વારા ફેસબુક ઉપરાંત અત્યંત અશ્લીલ સામગ્રી પણ યુવાનો જુએ છે.
આ જ સ્થિતિ યુવાનો સાથે યુવતીઓની પણ છે. જંબુસર, ભરૂચ, સુરત, વડોદરા વગેરે શહેરોમાં આજુબાજુના ગામડેથી ભણવાના નામે આવતી છોકરીઓ મોબાઈલ લઈને આવે છે, અને એના થકી ફેસબુક ચેટીંગ કરીને દોસ્તી કરે છે. ભરૂચ - જંબુસરમાં તો આસપાસના ગામડાઓની છોકરીઓને મોબાઈલની અનેક દુકાનોમાં બેસીને હિંદુ - મુસ્લિમ યુવાનો સાથે ગપ્પા મારતાં બધા નજરે જુએ છે. અમુક મર્યાદાઅો   ન હોત તો કદાચ આવી છોકરીઓના ફોટા અને વીડીયો એમના ઘરે પણ પહોંચતા હોત.
આ બધું કેટલું ખતરનાક છે, એનો અંદાઝો કરવાની જરૂરત છે, વાલીઓ આ બાબતે વિચારવાનો થોડો સમય કાઢે તો એની ભયંકરતાનો અંદાઝો આવે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને બાળકોની અખ્લાકી તરબિયતનો કેટલો એહસાસ હતો, એનો અંદાઝો આ એક હુકમથી આવી શકે છે. મિશ્કાત શરીફમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસ વર્ણવવામાં આવી છે કે, બાળક જયારે મોટું થઈ જાય તો એનો બિસ્તર અલગ કરી દયો. અને એક સરખી ઉમરના બાળકોને (ભાઈ - બહેનોને) સાથે ન સુવા દો. અને જયારે તેઓ જવાન થઈ જાય તો એમની શાદી કરાવી દો.
કયાંક વાચ્યું હતું :
વકત બરબાદ કરને વાલોં કો,
વકત બરબાદ કરકે છોડે ગા.
join whtasapp, send your name and city name : 9427822481

Saturday, April 06, 2013

સામજિક ન્યાય અને સમાનતા -- સરકારી બજેટનો ઉપયોગ સમાજના ઉત્કર્ષ માટે

સામજિક ન્યાય અને સમાનતા
સરકારી બજેટ (બયતુલ માલ)નો ઉપયોગ સમાજના ઉત્કર્ષ માટે
  -- મવ. ઝાહિદુર્રાશિદી સા. દા.બ.

કોઈ સત્તાના તાબા હેઠળ આવતા લોકોનાં પ્રાણ અને સંપત્તિની રક્ષા, શાંતિ અને સલામતીની ગેરંટી, ન્યાય અને અધિકારોની રક્ષા, એ સત્તા અને સરકારની જવાબદારી સમજવામાં આવે છે. આ સિવાય રોજગારની ગેરંટી, ગરીબો અને નિરાધારોના ગુજરાનની વ્યવસ્થા સરકારી જવાબદારીઓમાં આજે પણ પ્રથમ દરજાની 'ફરજ' સમજવામાં આવતી નથી. દરેકને 'સમાન તક' આપવાનો કાયદો ભારતમાં તો હજુ પણ વિચારાધીન છે.
યુરોપના અમુક દેશો આ બાબતે નિશંક પ્રસંશનીય કાયદાઓ અને વ્યવસ્થા ધરાવે છે. આ જ પ્રમાણે 'ગલ્ફ'ના સઉદીયા, બહરૈન, જેવા અમુક રાજાશાહી દેશો પણ દેશના દરેક નાગરિકોને મીનીમમ વાર્ષિક રોજગાર ભથ્થું આપવા ઉપરાંત રોટી, કપડાં, મકાન માટે માતબર સબસીડી આપે છે.
અલબત્ત વિશ્વના દરેક દેશોમાં આવી વ્યવસ્થા નથી અને સરકારો નાગરિકો માટે રોટી - કપડા - મકાનની વ્યવસ્થાને પણ શાંતિ - સલામતી અને ન્યાયની જેમ પોતાની પ્રાથમિક ફરજોમાંથી નથી સમજતી એ સ્પષ્ટ છે.
ઇસ્લામિક રાજવ્યવસ્થા 'ખિલાફત' અન્ય બાબતો ઉપરાંત આ બાબતે પણ વર્તમાન રાજ વ્યવસ્થાથી નોખી છે. એટલે કે ઇસ્લામી સત્તા એના તાબા હેઠળના દરેક વ્યકિતને એની જીવન જરૂરીયાત ઉપલબ્ધ કરાવવાને જરૂરી સમજે છે. સમાજના નિરાધાર અને નિસહાય લોકોના ભરણપોષ્ાણની પણ જવાબદાર છે. 'વેલેફેર સ્ટેટ' વાસ્તવમાં આ બધી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું જ નામ છે. અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જ સૌ પ્રથમ એની બુનિયાદ નાખી હતી.
બુખારી શરીફમાં રિવાયતમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે કે, જે માણસ માલ છોડીને મર્યો તો એનો માલ એના વારસદારોમાં વહેંચવામાં આવશે. અને જે કોઈ કરજનો બોજ અને નિરાધાર અવલાદ છોડીને મર્યો તો એના માટે મારાથી સંપર્ક કરવામાં આવે, એની જવાબદારી મારા શિરે રહેશે.
આ જવાબદારીઓ પૂરી કરવા માટે જ 'બયતુલ માલ'ની રચના સામે આવી. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ઝમાનામાં તો કોઈ માણસને જે કંઈ પણ જરૂરત હોતી તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સમક્ષા આવીને રજૂઆત કરતો અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ બયતુલ માલના ફંડમાંથી એની જરૂરત પૂરી કરી દેતા. આવા અનેક કિસ્સાઓ હદીસ શરીફમાં છે.
હઝરત અબૂ મૂસા અશ્અરી રદિ. ફરમાવે છે કે અમારા ખાનદાનને એક સફર માટે અમુક ઊંટોની જરૂરત હતી. કબીલા તરફથી પ્રતિનિધિ બનીને હું આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં આવ્યો અને સવારી માટે ઊંટોની માંગણી કરી. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે આ સમયે ઊંટોની વ્યવસ્થા ન હતી, માટે આપી શકયા નહીં. અલબત્ત થોડા સમય પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે કયાંકથી ઊંટોની વ્યવસ્થા થઈ ગઈ તો મને પાછો બોલાવીને બે જોડ ઊંટોની અર્પણ ફરમાવી.
આવી જ એક બીજી ઘટના નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના હળવા મજાકના અનુસંધાનમાં પણ વર્ણવવામાં આવે છે કે, એક માણસે આવીને અરજ કરી કે મને સફર માટે ઊંટની જરૂરત છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એને ફરમાવ્યું કે થોભો, હું તમને ઊંટણીનું એક બચ્ચું આપું છું. પેલો માણસ વિચારમાં પડી ગયો કે ઊંટણીનું બચ્ચું મારા શા કામ આવશે ? એની મુંજવણ જોઈને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે, અલ્લાહના બંદા, હું તને જે ઊંટ પણ આપીશ તે કોઈ ઊંટણીનું બચ્ચંુ જ હશે ને.
આમ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં લોકો એમની જરૂરતો રજૂ ફરમાવતા અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ બયતુલ માલ દ્વારા પૂરી ફરમાવતા.
આ 'સેવાકાર્ય'ને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હાકેમોના એહસાન ગણવાને બદલે સરકારની જવાબદારી સ્વરૂપે વર્ણન ફરમાવ્યું છે. હદીસ શરીફમાં આ બાબતે જે શબ્દો વર્ણવવામાં આવ્યા છે   من ترک کلا و ضیاعا فإلی و علی  એનો આ જ મતલબ છે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ઝમાનામાં બયતુલ માલની વ્યવસ્થા મુજબ ગનીમતમાં આવતા માલનો પાંચમો ભાગ બયતુલમાં જમા થતો. આ પાંચમાં ભાગનો પાંચમો ભાગ, એટલે કે પચ્ચીસમો ભાગ, અથવા ચાર ટકા, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માટે ઘરેલુ ખર્ચ માટે અલગ કરવામાં આવતો હતો. આ ચાર ટકામાંથી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બીવીઓ (રદિ.) વગેરેની જરૂરતો પૂરી કરવામાં આવતી. અને જો એમાંથી કંઈ બચી જતું તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એ પાછું બયતુલમાલમાં જમા ફરમાવી દેતા.
આમ લોકોને એમની જરૂરતો એમના તકાઝા મુજબ ઉપલબ્ધ કરાવવાની પરંપરા સૌપ્રથમ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જ સ્થાપી છે. આ વ્યવસ્થા ખુલફાએ રાશિદીનના સમયકાળમાં આયોજનબદ્ઘ રીતે અંજામ આપવામાં આવતી હતી.
મદીના શરીફમાં શરૂ થયેલ બયતુલ માલની આ પ્રથાને લગભગ એક સો વરસ વીતી ગયા પછી, હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ.ના ખિલાફતકાળમાં એક વાર ઇરાકના ગર્વનર અબ્દુલ હમીદે એમને પત્ર લખ્યો કે આ પ્રદેશમાં ઝકાત, ઉશ્ર વગેરે વસૂલ કયર્ા પછી, વષ્ર્ા ભરનો ખર્ચ અને બજેટ પૂરું કયર્ા પછી અમુક રકમ બચી ગઈ છે. એના વિશે શું કરવામાં આવે, એ લખી જણાવો.
હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ.એ લખી જણાવ્યું કે સવર્ે કરાવીને તમારા પ્રદેશમાં જે લોકો કરજદાર હોય અને કરજ ચૂકવવાની શકિત ન રાખતા હોય તો એમનું કરજ આ રકમમાંથી ચૂકવી દેવામાં આવે. ગર્વનરે જવાબ લખ્યો કે આ કામ તો હું કરી ચૂકયો છું.
હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ.એ જવાબ લખ્યો કે જે બાલિગ છોકરા - છોકરીઓના નિકાહ ખર્ચના કારણે નથી થયા એમના નિકાહ કરાવી દયો. ગર્વનરે જવાબ આપ્યો કે આ કામ પણ હું કરી ચૂકયો છું.
અમીરુલ મુઅમિનીન રહ.એ ત્રીજો જવાબ લખ્યો કે જે લોકોએ હજુ સુધી એમની બીવીઓની મહેર અદા નથી કરી, અને અદા કરવાની શકિત નથી ધરાવતા તો આ રકમમાંથી અદા કરી દયો. ગર્વનરે જવાબ આપ્યો કે આ કામ પણ હું કરી ચૂકયો છું.
એટલે ચોથા પત્રમાં હઝ. ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ.એ લખી જણાવ્યું કે જમીનોનું સર્વે કરાવીને ખરાબાની જમીનોમાં ખેતી માટે સરળ હપ્તેથી કરજ આપવામાં આવે.
મજાની વાત આ છે કે એકવાર એક મજલિસમાં મેં આ ઘટના વર્ણવી તો એક યુવાને મને સવાલ કર્યો કે મોલ્વી સાહેબ ¦ આ એક પ્રદેશ (રાજય)નું બજેટ હતું  કે 'પેસેફિક મહાસાગર' ? એક રાજયના બજેટમાં આટલો બધો પૈસો કયાંથી આવ્યો ?
મેં જવાબ આપ્યો કે ભાઈ, હઝ. ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ.ની એક ઘટના સાંભળી લ્યો, બધું તમને સમજમાં આવી જશે.
'કિતાબુલ અમ્વાલ'ની રિવાયત મુજબ, એક દિવસ હઝ. ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ. સાંજે ઘરે પરત આવ્યા તો બીવીથી પૂછયું કે તમારી પાસે એક દિરહમ હોય તો મને આપો, મારે જરૂરત છે. બીવીએ પૂછયું કે શી જરૂરત છે ? એમણે દર્શાવ્યું કે ઘરે આવતી વેળા એક લારી પર દ્રાક્ષા વેચાતી જોઈ, આજે ખાવાની ઇચ્છા છે, પણ ગજવામાં પૈસા નથી. બીવીએ કહયું કે તમારી પાસે ન હોય તો મારી પાસે કયાંથી હોય ?
બીવી ત્યાર પછી, સ્ત્રીઓના સ્વભાવ પ્રમાણે બોલવા લાગી કે, તમે કેવા અમીરુલ મુઅમિનીન છો કે પોતાના માટે બજારમાંથી એક દિરહમના અંગૂર પણ મંગાવી નથી શકતા ?આજની પરિભાષ્ાામાં કહીએ તો તમારી પાસે એટલી સરકારી ગ્રાન્ટ કે રાહતફંડ પણ નથી કે એક દિરહમની દ્રાક્ષા ખરીદી શકો ?
હઝ. ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ.એ એને સંબોધીને ફરમાવ્યું કે અલ્લાહની બંદી ¦ જે દિરહમની તમે વાત કરો છો એ દિરહમ નથી, આગનો અંગારો છે.
માટે ભાઈ ¦ જે દેશનો વડો સરકારી ખઝાનાના દિરહમને આગનો અંગારો સમજતો હોય તો એના બજેટમાં પૈસા પૈસા જ હશે.
                                                                  ડેઈલી ઇસ્લામ, ૩૧ જાન્યુ. -૧૩
                                                                સાર સંકલન : ફરીદ અહમદ.

Monday, April 01, 2013

ઈતિહાસ અભ્યાસ, શિક્ષાણ અને બોધગ્રહણની મહત્વતા

ઈતિહાસ
અભ્યાસ, શિક્ષાણ અને બોધગ્રહણની મહત્વતા
સંકલન : મુફતી ફરીદ અહમદ કાવી.

ઇતિહાસ, પ્રજા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડતો આયનો છે, ભૂતકાળને સામે કરે છે, વર્તમાનની સમીક્ષા કરે છે અને પછી તેમાંથી ભવિષ્યનો પથ દર્શાવે છે, માટે જ તે પ્રતિ ધ્યાન આપીને, તેનું રક્ષાણ કરીને નવી આવનાર પેઢી સુધી વાસ્તવિક રૂપમાં એને પહોંચાડવાની મહત્વતા ઘણી વધી જાય છે. આમ કરવાથી ઇતિહાસ પ્રજાના વર્તમાન અને ભવિષ્ય માટે બોધ અને માર્ગદર્શનનું કામ આપી શકે છે. ઇતિહાસ સાક્ષી છે કે જે પ્રજાનો પોતાનો ઇતિહાસ નથી, તેનું અસ્તિત્વ પણ નથી ટકતું.. ઇતિહાસ વડે જ પ્રજા ટકે છે અને જીવે છે. તેના ભુલવા - બગાડવાથી જ પ્રજાનું અસ્િતત્વ નષ્ટ થાય છે.

પ્રજાના જીવન અને પ્રગતિમાં ઇતિહાસનો રોલ સમજીને જ ઇસ્લામના શત્રુઓએ ઇસ્લામના ઇતિહાસને વિકૃત કરવા, ખંડિત કરવા, તેની ભવ્યતાને ભૂલાવવા ખાતર ભરપૂર પ્રયત્નો કર્યા છે, ઘણી વાસ્તવિકતાઓ વિપરીત કરી દેવામાં આવી, ઘટનાઓ ઘટાવી નાંખવામાં આવી, અને શત્રુઓ એક એવો ઇતિહાસ બનાવવામાં પ્રવૃત છે, જે એમના આશયોને અનુરૂપ અને એમના ધ્યેય પાર પાડવામાં સહાય રૂપ હોય.
પ્રજાના જીવનમાં વિશેષ કરી મુસલમાનો માટે  તેમના ભવ્ય ઇતિહાસની જે મહત્વતા છે, અત્રે અમે તેના અમૂક કારણો દર્શાવીએ છીએ.
(૧) વર્તમાનમાં સાથે રહેતી પ્રજાઓ-વ્યકિતઓને ઓળખવામાં ઇતિહાસ વિશેષ સહાયકારક નીવડે છે, ખાસ કરી એવા ટાણે જયારે પ્રજાઓ- જ્ઞાતિઓ, સમાજ કે વ્યકિતઓના વચ્ચે ભિન્નતા ન રહેવાના કારણે એકનું અસ્તિત્વ બીજામાં ભળી જાય છે.
(ર) ભરોસા પાત્ર સાચો ઇતિહાસ વાસ્તવિકતાઓ, ઘટનાઓની સચ્ચાઈ અને પ્રમાણિકતા જાણવા માટે મહત્વનું સાધન છે, જેમકે યહૂદીઓ દ્વારા એક પુસ્તકમાં દશર્ાવવામાં આવ્યું છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ખૈબર વાસીઓ પરથી જિઝયહ માફ કરી દીધો હતો, ઉપરાંત આ બાબત ઉપર હઝરત મુઆવિયહ અને હઝરત સઅદ રદિ.ની સાક્ષાી અને સમર્થન પણ વર્ણવવામાં આવ્યું છે, પરંતુ તપાસ -તહકીક કરતાં સ્પષ્ટ થાય છે કે હઝરત સઅદ (રદિ.)તો ખૈબરની ઘટનાના બે વરસ પૂર્વે બનૂ કુરયઝહની લડાઈના દિવસે અવસાન પામી ચૂકયા હતા. અને હઝરત મુઆવિયહ (રદિ.)એ ખૈબરની જીત પછી બે વરસે મક્કાની જીત પછી ઇસ્લામ સ્વીકાર કર્યો હતો, આમ સ્પષ્ટ થાય છે કે વાસ્તવિકતા શું છે ?
(૩) ઇતિહાસ દ્વારા બે વિરોધાભાસી તથ્યો કે સમાચારોની સચ્ચાઈ અને હકીકત જાણી શકાય છે, કોઈ માણસ વિશે કે ઘટના વિશે પહેલાં વર્ણવવામાં આવેલ ખબર કરતાં પાછળથી વર્ણવવામાં આવેલ સમાચાર વધુ ભરોસા પાત્ર હોય છે.
(૪) વિવિધ ઘટનાઓ, કિસ્સાઓ, પ્રસંગો અને તેના સંલગ્ન અન્ય ઘણી બાબતો ઇતિહાસ દ્વારા જ આપણને જાણવા મળે છે.
(પ) ઇસ્લામી ઇતિહાસ, ઇસ્લામના પ્રચાર-પ્રસાર અને સ્થાપનની એક જીવતી જાગતી તસ્વીર છે, જે દ્વારા આપણે તેના ઝળહળિત પાસાંઓને જોઈ અનુભવીએ છીએ, અને તેને અનુસરી શકીએ છીએ, નકારાત્મક નુકસાન કારક પાસાંઓ જોઈ સમજી તેનાથી બચી શકાય છે.
(૬) અલ્લાહ તઆલા ફરમાવે છે : તમ કહી દો કે જમીનમાં હરો- ફરો અને જુઓ, અલ્લાહને જુઠલાવનારાઓનો કેવો અંજામ થયો? (અન્આમ :૧૧)
એટલે કે ઇતિહાસ દ્વારા આપણને બોધ-નસીહત મળે છે. પડતી અને ચડતીના ચિહનો- પરિબળો, દલીલો જાણી શકાય છે.
(૭)ઇતિહાસ દ્વારા અલ્લાહની કાર્ય પ્રણાલી સમજીને આપણે આપણા ભવિષ્યને પણ સમજી-જાણી શકીએ છીએ.
(૮) ઇતિહાસ દ્વારા જ પ્રજાઓ અને વ્યકિતઓમાં આકાક્ષાાઓ ઊંચી થાય છે, ચેતનાનો સંચાર થાય છે, કંઈક કરી છૂટવા, વિશ્વને કંઈક પ્રદાન કરવા અને ઉપયોગી થવા માટેનો શોખ અને ભાવના તીવ્ર બને છે.
(૯) ઇતિહાસના પૃષ્ઠોમાં ઉજળા અક્ષારોએ જેમનું  વર્ણન છે, વરસોના વહાણા પછી પણ જેમને વિશ્વ ભૂલી શકતુ નથી, એવા વિશ્વના મહાન નેતાઓ, ચિંતકો, સુધારકો, શાસકોની ઓળખાણ ઇતિહાસ દ્વારા જ મળી શકે છે.
(૧૦) ઇતિહાસની સૌથી અગત્યની લાભદાયિકતા એ છે કે તેનાથી પુર્વ પ્રજાઓ-વ્યકિતઓની ભૂલો જાણી શકાય છે, ઈતિહાસના રક્ષિાત ભયસ્થાનોને જાણી તેનાથી બચી શકાય છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની હદીસ છે કે ''મો'મિન એક (સાપના) દરથી બે વાર કરડાતો નથી.''(બુખારી, મુસ્લિમ)
અલ્લાહ તઆલાથી દુઆ કરીએ કે આપણને ઈતિહાસથી બોધ મેળવવાની પ્રેરણા આપે.