Sunday, March 24, 2013

દુનિયાનું જીવન -- આખિરતની ખેતી


દુનિયાનું જીવન -- આખિરતની ખેતી

    મૃત્યુ એ માનવઅસ્ત્તિવનો છેલ્લો પડાવ નથી, બલકે મોત પછી અલ્લાહ તઆલાના દરબારમાં હાજર થવાનું છે. મુસલમાનો માટે આ અકીદો રાખવો અને એને એક અફર સત્ય તરીકે સ્વીકારવું જરૂરી છે.
દુનિયામાં માણસ ઉપર આવતી મુસીબતો અને રાહતો, ખુશી અને ગમ, ભલાઈ અને બુરાઈ, બધું એક પ્રકારે પરીક્ષાા માટે છે. આ બધા પછી એ પરીક્ષાાના પરિણામ માટે દરેકે અલ્લાહના દરબારમાં જવાનું છે.
આ દુનિયામાં માનવજીવનના આરંભે જ હઝરત આદમ અલૈ.ને કહી દેવામાં આવ્યું હતું કે,
ولکم فی الارض مستقر و متاع إلی حینۘ
તમારા માટે ધરતી ઉપર એક નિયત સમય સુધીનું રોકાણ અને રોઝી નક્કી કરી દેવામાં આવ્યાં છે.
આ સાથે જ એ પણ કહેવામાં આવ્યું કે, દુનિયાના આ રોકાણ દરમિયાન જે લોકો અલ્લાહ તઆલાના માર્ગદર્શનને અનુસરશે અને એના હુકમો માનશે, એમને પાછળથી પસ્તાવાનો વારો આવશે નહી.
સ્પષ્ટ છે કે અલ્લાહ તઆલાનું માર્ગદર્શન એના નબીઓ અને રસૂલો મારફત જ માણસને જાણવા મળશે, એટલે મતલબ આ થયો કે માણસ અલ્લાહના રસૂલો અને નબીઓની વાતો માને, એમના આદેશો માને તો એની આખિરત સુધરી જશે.
લોકો વચ્ચે રસૂલ હયાત હોય તો એ રસૂલ લોકોને માર્ગદર્શન આપશે એ સ્પષ્ટ છે, અલબત્ત રસૂલની વફાત પછી રસૂલના દર્શાવેલ આદેશો અને રસૂલનું આદર્શ જીવન માનવી માટે હિદાયત અને માર્ગદર્શનનો સ્ત્રોત ગણાશે. અલ્લાહ તઆલાએ કુરઆનમાં પણ આ બાબત સ્પષ્ટ ફરમાવી છે.
ખુલાસો આ કે દુનિયાનું જીવન એક પ્રકારની પરીક્ષા છે, માણસ માટે ભવિષ્યની તૈયારી કરવાનો મોકો છે. આ મોકાને ભૂલી - ચૂકીને માણસ જો દુનિયાના ખેલ - કૂદમાં મશ્ગૂલ થઈ જાય તો એનાથી મોટી બીજી કોઈ ગફલત નથી.
અલ્લાહ તઆલા કુરઆનમાં ચાર વાર દુનિયાની જિંદગીને ખેલ - કૂદ હોવાનંુ સ્પષ્ટ રીતે દર્શાર્વીને એનાથી બચવાની તાકીદ ફરમાવી છે.
આજે સ્થિતિ આ છે કે ક્રિકેટ કે ફૂટબોલ જેવા એક નાનકડા ખેલ પાછળ આખો દેશ એવો ગાંડો થઈ જાય છે કે જાણે આ રમતની હારજીતમાં જ દેશની રોઝી - રોટી અને શાંતિ સલામતીની ગેરંટી હોય.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ઝમાનામાં ઘણા કાફિરો માનતા હતા કે જીવન, એ ફકત આ દુનિયાનું જ જીવન છે, એને મરજી મુજબ જીવીને માણસે રહેવાનું હોય. આખિરતની ફિકર તે વળી શી વસ્તુ છે ? જેના કારણે આ જીવનની મોજ છોડી દેવામાં આવે ?
આજે આંકડાકીય સ્િથતિ તો આ છે કે વિશ્વની મોટા ભાગની વસ્તી કોઈને કોઈ ધર્મમાં માને છે, અને એ આધારે આખિરત, પરલોક, જન્નત જહન્નમ વગેરેને કોઈને કોઈ સ્વરૂપે પણ સ્વીકારે છે, પણ વહેવારમાં આખું વિશ્વ જાણે આ બધાને ભૂલીને બસ દુનિયાના જીવનને જ સર્વસ્વ સમજે છે. કોઈ પણ રીતે આ જીવનને સુખમય બનાવવાની પેરવી કરે છે. એ માટે ખરું - ખોટું, જે કરવું પડે તે. નેકી અને બુરાઈનું માપદંડ દુનિયાનો લાભ અને નફો થઈ ગયંુ છે. એના આધારે જ કોઈ કામ સારું કે ખરાબ કહેવાય છે.
કુરઆનમાં સૂરએ હદીદમાં અલ્લાહ તઆલાએ દુનિયાના જીવનને સમજાવવા ખાતર પાંચ અલગ અલગ પ્રકારના દરજાઓ પાડીને સમજણ આપી છે. અલ્લાહ તઆલા ફરમાવે છે : યાદ રાખો, દુનિયાનું જીવન ખેલ, તમાશો, દેખાવડો, ગર્વ - ઘમંડ અને માલ - અવલાદમાં એકબીજાથી આગળ નીકળવાના પ્રયાસોનંુ નામ છે.
કુરઆનમાં બીજા સ્થળે  દુનિયાના જીવનને એક ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે.
જેમ કે વરસાદ વરસવાથી ખેતી ઉગે છે, ખેતરની હરિયાળી ખેડૂતને ઘણી સારી લાગે છે. પછી એ પાકીને પીળી પડી જાય છે, અને છેલ્લે એ ખેતી કપાયને ઘાસ - ફૂસ બની જાય છે.
ખેતરના પાકની જેમ માણસનું જીવન પણ અનેક તબક્કામાંથી પસાર થાય છે. છેલ્લો જેમ ખેતરનો પાક એના ખેડૂતને એની મહેનત મુજબનું ફળ આપે છે, એ જ પ્રમાણે જીવન પણ એના અંતે માણસને એની મહેનતોનું ફળ આપે છે.  .......

Saturday, March 09, 2013

મોઅજિઝહ અને સાયન્સ



આ સૃષ્ટિમાં માનવીને અસ્તિત્વ આપ્યા પછી સર્જનહારે એને સન્માર્ગના માર્ગદર્શન માટે વિવિધ કાળે અનેક નબીઓને પથદર્શક બનાવીને મોકલ્યા, આ નબીઓને પુરાવા ખાતર અને અન્ય હેતુઓ માટે પરવરદિગારે અનેક ચમત્કારો (મોઅજિઝા) આપ્યા હતા. આ ચમત્કારો - મોઅજિઝાઓ શું છે ? એની હકીકત અને વાસ્તવિકતા બાબતે ઇસ્લામી દષ્ટિએ કુર્આન હદીસ અને સીરતની કિતાબોમાં સવિસ્તાર ચર્ચા કરવામાં આવી છે.
આ બધાનો ખુલાસો એટલો તો ખરો જ કે આ ચમત્કારો (મોઅજિઝહ) એવી બાબત છે જેને કરવા ઉપર માણસ અશક્તત હોય છે, પરંતુ અલ્લાહ તઆલા એ અશકય કાર્યને દુનિયાના નિયમોથી ઉપરવટ, પોતાની અપાર શકિત વડે, નબીના હાથે પ્રગટ કરે છે, જેથી લોકો એમને નબી માનીને એમનું અનુસરણ કરે.
આજે વિજ્ઞાનની પ્રગતિથી નવાઈ પ્રમાડે એવા કાર્યો સામે આવી રહયા છે, પહેલાંના સમયમાં અશક્તય - અસંભવ લાગતા કા્ચો આજે સામાન્ય થઈ ગયાં છે, વરસોનો સમય લેતાં કાર્યો આજે દિવસોમાં કે કલાકોમાં થઈ જાય છે.
પહેલાંના સમયમાં નબીઓના હાથે પ્રગટ થયેલ કોઈ મોઅઝિજહ (ચમત્કાર) એવો હોય જે આજના વિજ્ઞાનના સંર્દભમાં સંભવ અને શકય લાગતો હોય તો ઘણા લોકો એ ચમત્કારને સીધા જ વિજ્ઞાન અને સાયન્સ સાથે જોડીને જુએ છે, અને એવી રીતે રજૂ કરે છે કે, જાણે એ ચમત્કાર અલ્લાહના નબીએ સાયન્સના એ નિયમ પ્રમાણે જ દેખાડયો હશે, અથવા અલ્લાહ તઆલાએ એને પ્રગટ કરવામાં સાયન્સના આ જ નિયમને અનુસર્યો હશે. જયારે કે આમ વિચારવું સદંતર ખોટું, ભૂલ ભરેલું અને ધાર્મિક દષ્ટિએ જોઈએ તો ગુનાહિત કહી શકાય.
આધુનિક સાધનો કે સાયન્સના નિયમો પ્રમાણે આવા ચમત્કારો જેવું કોઈ કાર્ય થતું હોય દા.ત. વિમાન દ્વારા હવામાં ઉડવું, ટી.વી. દ્વારા દૂરના દશ્યો દેખાવાં, તો જેમ આ બધાને મોઅજિઝહ - ચમત્કાર ન કહી શકાય, એ જ પ્રમાણે કોઈ પણ મોઅજિઝહને સાયન્સની કોઈ શોધ કે વિજ્ઞાનના કોઈ નિયમનું પરિણામ કહેવું ખોટું છે. કારણ કે વિજ્ઞાનના નિયમો કે સાયન્સની આધુનિક શોધો દ્વારા ઇશ્વરીય ચમત્કારોનું શકય હોવું પુરવાર કરવા અથવા એના સમર્થન રજૂ કરવાનો મતલબ એવો થશે કે આજે આધુનિક શોધો દ્વારા એવા કાર્યો સામે આવે તો એને પણ ચમત્કાર ગણવામાં આવે, આ વાસ્તવિક પણ નથી અને આમ કરવામાં મોઅજિઝહનું મહત્વ પણ ઘટી જાય છે.
મોઅજિઝહની વિજ્ઞાન સાથે સરખામણીની ચેષ્ટામાં માણસ ઘણી વાર થાપ પણ ખાય જાય છે, જેમ કે ઘણા લોકો મેઅરાજ (રસૂલે ખુદાના સ્ર્વગારોહણ)ને આઈન્સ્ટાઈના સાક્ષોપ વાદ (Special Theory of relative)થી પૂરવાર કરવાની ચેષ્ટા કરે છે. આ નિયમ પ્રમાણે અવકાશમાં પ્રકાશગતિએ પ્રવાસ કરતા માનવી અને ધરતી ઉપર વસતા માનવીના સમયમાં તફાવત દર્શાવવામાં આવે છે, દા.ત. તરીકે બે જોડિયા ભાઈઓમાંથી એક અવકાશમાં પ્રકાશની ગતિએ પ્રવાસ કરીને પાછો આવે તો ધરતી ઉપર રહેતો ભાઈ ઉમરમાં ઘણો મોટો થઈ ગયો હશે, અને અવકાશયાત્રી ભાઈ એનાથી નાનો હશે.
આ નિયમ અને એના ઉદાહરણથી વિપરીત મેઅરાજની ઘટનામાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની આસમાનની સફરમાં અલ્લાહથી મુલાકાત, વાતચીત, જન્નત - જહન્નમ, અને અન્ય સ્થળોની મુલાકાતમાં કેટલો સમય વીત્યો એ ખુદા જ જાણે છે, પણ ધરતી ઉપર કોઈ લાંબો સમય પસાર થયો ન હતો અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ કરતાં ધરતીના લોકોની ઉમરમાં કોઈ વધારો નોંધાયો ન હતો. મેઅરાજની સફરની લાંબી વિગત હોવાં છતાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને ધરતીના લોકો, દરેકની ઉમર અને સમય સરખો જ પસાર થયો હતો, અને તે પણ ઘણો જ ઓછો, એમ આ ઘટનાથી માલૂમ પડે છે.
અત્રે એક બીજી વાત પણ ધ્યાને રાખવા જેવી છે,
ધર્મ ગ્રંથોમાં આવેલ ઘણી વાતો એવી હોય છે, જે સૃષ્ટિના એટલે કે કુદરતના નિયમો આધારિત હોય છે, પણ એ નિયમો કે ઘટનાઓ વચ્ચે કારણ - પરિબળ - પરિણામોનો સંબંધ આપણને દેખાતો નથી. જેમ કે સૃષ્ટિના સંચાલનને લગતી, ઋતુઓ, દિવસ, રાત, વરસાદ, ગરમી, શરદી વગેરે કુદરતની નવાઈ પમાડતી અનેક બાબતોને કુર્આનમાં અલ્લાહની શકિત અને નેઅમતના પુરાવા રૂપે વર્ણવવામાં છે અને એમાં વિચાર, મનન, મંથન કરવાની પણ તાકીદ કરવામાં આવી છે, એટલે આવી બાબતોને સમજવા માટે વિજ્ઞાનનો સહારો લેવો, અને એ નિમયોને સમÒને આ બાબતોને સમજવી ખોટું નથી, એનાથી ખુદાની કુદરતની બારીકાઈ અને મહાનતા સામે આવે છે, માણસને એનાથી ખુદા તઆલાની મહાનતાનો એહસાસ થાય છે. આમ કુદરત અને ફિતરતને સમજવા માટે સાયન્સ  - વિજ્ઞાનથી મદદ લેવામાં કોઈ વાંધો નથી. અલબત્ત અલ્લાહ તઆલાએ એને જ આધાર અને સહારો બનાવ્યો હશે એવું ઈમાન રાખવું ન જોઈએ.
પરંતુ... મોઅજિઝહને તો સાયન્સ - વિજ્ઞાનથી સમજવાની ચેષ્ટા કરવી સદંતર ખોટી કહી શકાય, કારણ કે પછી એ મોઅજિઝહ ન રહેશે, બલકે સાયન્સના નિયમને આધીન દરેક માટે શકય બાબત બની જશે, અને પછી આજના વૈજ્ઞાનિકો સહુથી મોટા નબીઓ ગણાશે.
આ લેખનો મકસદ ધર્મ અને વિજ્ઞાનને એકબીજાના વિરોધી દશર્ાવવું નથી, પરંતુ દરેક ધાર્મિક બાબતને વૈજ્ઞાનિક તથ્ય ગણવા અને સમજવામાં થતી ભૂલ અને નુકસાન સ્પષ્ટ કરવો છે.