Sunday, September 09, 2007

ઈજિપ્‍તના રાજાઓ

અગાઉની પોસ્‍ટમાં ગુજરાત સમાચારની કોલમ નેટવર્કના જુઠાણા વિશે વાત લખી હતી,
અમે નીચે એક લિંક આપીએ છીએ જેમાં ઈજિપ્‍તના રાજાઓની યાદી સત્તાકાળ સહિત દર્શાવવામાં આવી છે. એમાં કોઇ રાજા નેટવર્કમાં જણાવવા પ્રમાણે નામ ઠામ ધરાવતો નથી.
આશા છે વાંચકો સત્‍યથી વાકેફ થશે
અને યોગ્‍ય પ્રતિભાવ આપશે.
http://www.touregypt.net/kings.htm

Thursday, September 06, 2007

ગુજરાત સમાચાર- નેટવર્ક નું જુઠાણું . . .

ગુજરાત સમાચારની નેટવર્ક કોલમ એના લેખકની ધારદાર કલમને કાણે જાણીતી છે, હમણા જ એમાં ક્ષત્રિયોની ગાથા ગાવામાં આવી હતી, તા. ૪ સપ્‍ટેમ્‍બરના રોજ લેખાંક બીજો છપાયો છે, પણ માણસ બડાઇ હાંકવામાં સત્‍યનો ખુરદો બોલાવી દે છે, કલમ લપસી જાય છે, જુઠ અને સત્‍યનો ભેદ ઉડી જાય છે,
અમે લેખને અત્રે બોકસમાં આપ્‍યો છે, એના છેલ્‍લા બે ફકરામાં પાયા વગરની બે બુનિયાદ વાતો લખવામાંઆવી છે,




તેમના કહેવા પ્રમાણે ઈજિપ્‍તમાં વિ.સ. ૬ર૮ થી ૬૮૩ સુધી યદુવંશી રાજા દેવેન્‍દ્રનું રાજ હતું,
આ સમયે નબી મુહંમદ જુલમથી ઈસ્‍લામનો ફેલાવો કરતા હતા,
દેવેન્‍દ્રના મોટા પુત્ર અસપતે નબી અહમદ સાથે સંધિ કરી
નબીએ બહેન ફરીદાબાનુના લગન અસપત સાથે કરાવ્‍યા.
એટલે અસપતે ઈસ્‍લામ અંગીકાર કર્યો.
દેવેન્‍દ્રના બીજા ત્રણ પુત્રો વેરાવળ આવી ગયા.
અત્રે ઇજિપ્‍તના ઇતિહાસની ચર્ચા ન કરીએ કે કયારે ત્‍યાં કોણ રાજ કરતું હતું , સમય મળ્યે એ શોધીશું
પણ ફકત રાજા દેવેન્‍દ્રના રાજની સંવંત જોઇએ,
૬ર૮ થી ૬૮૩ ,
ત્‍યાર પછી અસપત આવ્‍યો.
અને મુહંમદ પયગંબર સાહેબનું અવસાન થયું છે વિ.સં ૬૮૪ લગભગ.
હવે સવાલ એ છે કે અવસાન પછી નબી સાહેબ તેમની બહેનના લગન અસપત સાથે કેવી રીતે કરાવ્‍યા ?
ઈતિહાસમાં આજ સુધી કોઇએ આ વાત કહી નથી, અને કહેવાય પણ કેવી રીતે ?
મુહંમદ પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમને કોઇ ભાઇ કે બહેન હતાં જ નહીં
અને ‘ ફરીદા ‘ નામ સ્‍ત્રીનું તે સમયના અરબસ્‍તાનનના ઇ‍તિહાસમાં છે જ નહી, આ નામ તે સમયે પ્રચલિત હતું જ નહી,
અનેક જુઠાણા ભરી આ વાત સામે અમે વિરોધ નોંધાવી અનુરોધ કરીએ છીએ કે આવા જુઠાણા પછા લેવામાં આવે. અને તંત્રી શ્રી એ આવા લેખોને ચકાસીને છાપવા જોઇએ.

શું હિંદુત્‍વનો ભવ્‍ય ઈતિહાસ જુઠાણા પર આધારિત છે ?

શું હિંદુત્‍વને ભવ્‍ય ચીતરવા માટે મુસલમાનો કે ઇસ્‍લામને ભુંડો ચીતરવો આવશ્‍યક છે ?

શીદને આ જુઠાણાનો પાપ માથે લેવામાં આવે છે ?