Tuesday, August 21, 2007

પ્રાણીઓની બલિ

માંસાહાર અને પશુબલિના નામે વારેઘડીએ મુસલમાનો પર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. માનવી માટે શું યોગ્‍ય અને શું અયોગ્‍ય, એ ચર્ચા અત્રે કરવી નથી, ફકત એક સમાચાર પુરાવા રૂપે અત્રે મૂકીએ છીએ.



ધર્મ ઔર હમ...http://divyabhaskar.co.in/ તા. ર૧ ઓગસ્‍ટ, ર૦૦૭




ગુવાહાટીના કામખ્યા મંદિરમાં ચાલી રહેલા ત્રીદિવસીય તહેવાર દેવધાની માટે એક ભકત પોતાના ખભા પર બલી ચડાવાયેલી બકરીઓ લઇને જઇ રહ્યો છે. દેવધાની તહેવારમાં માતાજીના ભકતો બકરી કબૂતર જેવા પશુ-પક્ષીઓની બલી ચઢાવે છે અને થોડા શ્રઘ્ધાળુઓ તો કબૂતરનું લોહી પીવે પણ છે.

Wednesday, August 15, 2007

આઝાદી


Wednesday, August 08, 2007

ગુજરાતી ભાષામાં કુરઆનના ૮૦૦ શબ્‍દો

બરોડાના જનાબ મોહમંદ યાસીન એ શેખ. દ્વારા એક પુસ્તિકા બહાર પાડવામાં આવી છે, નામ છે ( ગુજરાતી ભાષામાં એકરૂપ થયેલા અરબી શબ્‍દો, કુરઆન શરીફના આધારે ) સંપાદક યાસીન ભાઇએ એમાં લગભગ ૮૦૦ એવા શબ્‍દો આપ્‍યા છે, જે અરબીના છે, એટલું જ નહી, બલકે પવિત્ર કુરઆન શરીફમાં પણ ઉપયોગાયા છે, અને ગુજરાતીમાં પણ વપરાય છે.
એમ તો ગુજરાતીમાં વપરાતા શબ્‍દો એનાથી પણ ઘણા વધારે છે, પણ યાસીન ભાઇએ ફકત અરબીના હોવા સાથે કુરઆનમાં વપરાયા હોય એવા શબ્‍દો જ આ પુસ્તિકામાં ભેગા કર્યા છે. પુસ્તિકાની આ બીજી આવૃતિ છે, અને એના આરંભે જે નિવેદન છે, એને અત્રે પ્રસ્‍તૃત કરીએ છીએ,
ફ‍રી કોઇ વાર યોગ્‍ય સમયે એ શબ્‍દોને પણ સુવાસ પર પ્રગટ કરીશું, ઇન્‍શાઅલ્‍લાહ


આજની ગુજરાતી ભાષા વિશે એટલું તો સ્‍‍વીકારવું વ રહ્યું કે તેમાં એનેક ભાષાઓના સારા સારા શબ્‍દો ખુલ્‍લા દિલે સમાવી લેવામાં આવ્‍યા છે,

યે હી તો ઇસકી ખૂબસૂરતી કા રાઝ હે

આઝાદી પૂર્વે ભારતમાં લગભગ ૧પ૦ વરસ અંગ્રેજોનું શાસન રહ્યું, જે દરમ્‍યાન અંગ્રેજી ભાષાના પ્રભુત્‍વને કારણે ગુજરાતી ભાષામાં સેંકડો અંગ્રેજી શબ્‍દો હવે કદાચ કાયમનું સ્‍થાન જમાવી ચૂકયા છે, દા.ત. પ્રોફેસર, ડોકટર, નર્સ, કંપાઉન્‍ડર, હોસ્પ્‍િાટલ, સ્‍ટેશન, પ્‍લેટફોર્મ, ટ્રેન, ટીકીટ, બસ, મોટર, કંડકટર, ટેક્ષી, પોસ્‍ટઓફિસ, મનીઓર્ડર, પોસ્‍ટકાર્ડ, પાસપોર્ટ, લાયસન્‍સ, એરોડ્રામ, પેન, પેન્સિલ, પેપર, નોટબુક, રબર, ઇન્‍સ્‍પેકટર, પોલીસ, સ્‍કૂલ, યુનિફોર્મ, મેચ, બોલ, બેટ, અમ્‍પાયર, વન ડે, સિનેમા, ટાઉનહોલ, શર્ટ, પેન્‍ટ, સુટ, ડાઇનીંગ ટેબલ, પાર્ટી, રેડીયો, ટી.વી, કેલ્‍કયુલેટર, કોમ્‍પ્‍યુટર, ટેલીફોન, ફેકસ. વગેરે.

અંગ્રેજો પહેલાં ગુજરાતમાં ઇ.સ. ૧ર૯૭ થી લગભગ ૬૦૦ વરસ મુસ્લિમ શાસન રહ્યું, જે દરમ્‍યાન ફારસી ભાષા દરબારી એટલે કે રાજભાષા રહી, તે પહેલાં ઇ.સ. ૭૧૬ માં પારસી લોકો ગુજરાતને કિનારે આવીને વસ્‍યા, જેમની માતૃભાષા ફારસી હતી, આ બધા કારણે ગુજરાતી ભાષામાં અનેક ફારસી શબ્‍દો પણ સ્‍વીકૃતી પામી ચૂકયા છે, દા.ત. આબોહવા, ગરમ, નરમ, રૂમાલ, રૂબરૂ, ખૂબસૂરત, બેવફા, બેખબર, બેમિસાલ, બેવકૂફ, બદી, બાગ-બગીચા, ઝમીનદાર, ઇમાનદાર, ફોજદાર, હવાલદાર, બારીક, બીમાર, હરકત, દરકાર, દરવાઝા, ગુમાન, દુશ્‍મન, અફસોસ, આફત, ફરીયાદ, ફાનસ, પુરશિસ, અંદાઝ, હાલત, ઇનામ, જવાબ, સફેદ, શહેર, વિ. વિ. આવી જ રીતે તે ,પહેલાં ગુજરાતી ભાષા પર અરબી ભાષાનો પણ ઘેરો પ્રભાવ પડેલો જણાય છે.
વડોદરા યુનિવર્સિટીના વિદ્વાન પ્રોફસર મર્હૂમ ડો. એમ.અે. કુરેશી સાહેબે એમના સંશોધનપૂર્ણ પુસ્‍તક Muslim Education and Learning in Gujarat માં જણાવ્‍યું છે કે ઇસ્‍વીસનના પ્રારંભના સૈકાઓમાં મુખ્‍યતવે આરબ લોકોએ જ ભારત અને યુરોપના દેશો સાથે દરિયાઇ સંબંધો જાળવી રાખ્‍યા હતા, અને સૂકો મેવો ગરમ મસાલા, કિંમતી પથ્‍થરો અને હાથી દાંત, વિગેરનો મોટો વેપાર સ્‍થાપ્‍યો હતો,
ઇસ્‍લામ ધર્મના ઉદય પહેલાં પણ અારબ નાવિકો ગુજરાતના કિનારાઓ પર લંગર નાખતા, ખંભાત એ જમાનામાં ભારતનું સૌથી મોટું બંદર અને પ્રવેશદ્વાર ગણાતું, અને ઘોઘા, ગંધાર, ભરૂચ, ભાડભૂત, સંજાણ, થાણા, દીવ, વિગેરે પણ અગત્‍યના નાના મોટા બંદરો હતા.
ઇ.સ. ૬૧૦માં અરબસ્‍તાનમાં ઇસ્‍લામના ઉદય થયા બાદ પણ મુસ્લિમ આરબોએ તેમના બિનમુસ્લિમ પૂર્વજો માફક ભારત સાથે વેપારી સંબંધો ચાલુ જ રાખ્‍યા, જેથી બન્‍ને દેશના લોકો એક બીજાની સંસ્‍કૃતી અને સંસ્‍કારથી ખૂબ પરિચિત થયા, એટલું જ નહી, પરંતુ ઘણા અગત્‍યના બંદરો જેવા કે ખંભાત, ભરૂચ, સજાણ, ચેમ્‍બૂર, અને મલ્‍બારના દરિયા કિનારે અને ગુજરાતના પાટણ, અમદાવાદ, વડોદરા જેવા અન્‍ય શહેરોમાં આરબોએ કાયમી વસવાટ કરવા પોતાની વસાહતો (Colonies ) ઉભી કરી હતી, આરબોની માતૃભાષા અરબી હતી, જેની આ લાંબા સહવાસને કારણે ગુજરાતના લોકો પર ખૂબ અસર પડી.
ત્‍યાર બાદ સૂફી સંતોના આગમન તેમજ મુસ્લિમ શાસન સાથે કુરઆન શરીફને પઢનારા સમજનારા અને સમજાવનારાના વધતા જતા વ્‍યાપને લીધે અરબીભાષાનો ગુજરાતી ભાષા પર ઘેરો પ્રભાવ પડયો.
આ સંદર્ભમાં એક સત્‍ય હકીકત સદા ધ્‍યાનમાં રાખવા જેવી છે કે કુરઆન મજીદ આજથી લગભગ ૧૪૦૦ વરસ પહેલાં નાઝિલ થયેલું આકાશી પુસ્‍તક છે, જેમાં આજ સુધી એક ટપકાં જેટલો પણ ફેરફાર થયો નથી, આ પુસ્તિકામાં આવરી લેવાયેલ તમામ શબ્‍દો તેથી ૧૪૦૦ વરસ પહેલાંના તો છે જ.
આ પુસ્તિકા માટે કુરઆન શરીફના માત્ર તે જ શબ્‍દો પસંદ કર્યા છે, જે લગભગ તેમના મૂળ સ્‍વરૂપે અથવા સાધારણ ફેરફાર સાથે ગુજરાતી ભાષામાં વપરાય છે, થોડાક શબ્‍દો નજર બહાર રહી ગયા હોવાની શકયતા છે.