Tuesday, July 10, 2007

પાકિસ્‍તાનની લાલ મસ્જિદ અને મદરેસો

પાકિસ્‍તાનની લાલ મસ્જિદ અને તેનાથી સંલગ્‍ન મદરેસો આજકાલ ચર્ચામાં છે, અમે પણ સમાચારો પર છ માસથી નજર રાખી રહ્યા છીએ,
‍વૈશ્વિક મીડીયા આ બાબતને કટ્ટર ઇસ્‍લામ અને મદરેસાઓના કટ્ટરપંથી વલણ અથવા ત્રાસવાદના અડ્ડા હોવાનો પુરાવા રૂપે જુવે છે, તે સ્‍પષ્‍ટ છે, પણ સમાચારો ઉપર ઊંડી અને લાંબી નજર રાખનારાઓ સામે પરિસ્થિ‍તિ સ્‍પષ્‍ટ છે.
યાદ રાખજો કે આ મદરેસો અને લાલ મસ્જિદ પાકિસ્‍તાનના કેપીટલ ઇસ્‍લામાબાદમાં છે.
જરા આરંભથી જોઇએ તો લગભગ છ માસ પહેલાંથી આ મદરેસાએ તેની ગતિવિધિઓ આરંભી હતી, મદરેસાના વિધાર્થીઓએ પોલીસ કે સેના કે અમુક પાશ્ચાતશિક્ષણ સ્‍કૂલોના ટીચરોને બંદી બનાવ્‍યા શરૂ કર્યા, મદરેસાની વિધાર્થીનીઓ દ્વારા એક લાયબ્રેરી પર કબ્‍જો કરવામાં આવ્‍યો, કુટણખાનુ ચલાવતી એક મહિલાને બાન પકડવામાં આવી, વગેરે..
સરકારે કોઇ પગલાં ન લીધાં, કહો કે આમ જાણી બુજીને થવા દીધું, વાત આગળ ચાલી અને મદરેસાવાળાઓએ જાહેર રીતે સરકાર અને તંત્રને ધમકીઓ અને ચેતવણી આપવાની શરૂ કરી, અમે ઇસ્‍લામી સત્તા સ્‍થાપીશુ, આ ગેર ઇસ્‍લામી અમેરિકા વિરોધી સરકારને ઉઠલાવી દેશું ! ! ! વગેરે....
આ દરરિમયાન પાકિસ્‍તાનના સઘળા મદરેસાઓના સંયુકત પ્‍લેટફોર્મ રૂપે કામ કરતી છ યુનિયનોએ એ સંયકુત રીતે દ્વારા આ મદરેસાના સંચાલકોથી મુલાકાત કરી એમને સમજાવ્યા કે તમારી આ રીત બરાબર નથી, ઇસ્‍લામની ‍હિમાયત અને સરકારના વિરોધની આ રીત આત્‍મઘાતી છે, પરંતુ આ સંચાલકો માન્‍યા નહી, તેમને તેમની વાત રજૂ કરવાની તક આપવામાં આવી, આ સંચાલકોના ઉસ્‍તાદો અને ગુરૂઓ સ્‍વંય તેમને સમજાવ્‍યા, તેમની એક એક વાત અને દલીલનો જવાબ આપી તેમની પ્રણાલીને ખોટી બતાવી છતાં તેઓ માન્‍યા નહી, બલકે ઉલટાનું આ યુનિયન અને તેમને સમજાવનારા દરેક ઉલેમા અને મોલવીઓને ભાંડયા, આખા પાકિસ્‍તાનના મદરેસાઓને પત્રો લખ્‍યા કે તમે સરકાર વિરુદ્ધ લડવા ઇસ્‍લામાબાદ અમારી પાસે આવી જાઓ વગેરે... અંતે તેઓએ પોતે જ આ યુનિયનથી અલગ થવાનું એલાન કર્યું, ઉલેમાઓ અને ‘વિફાક‘ના યુનિયન દ્વારા લાયબ્રેરીનો કબ્‍જો છોડવાનું કહેવામાં આવ્‍યું, તેમના મહત્‍વનો પ્રશ્નો એટલે કે કરાચી અને દેશની અન્‍ય મસ્જિદો તોડવાના સરકારી ‍આદેશને પાછો લેવડાવવામાં આવ્‍યો, ઉલેમાઓ આધારિત એક કમીટી ધાર્મિક બાબતોના મંત્રાલય દ્વારા ગઠન કરવામાં આવી, વગેરે.. પણ તેઓ માન્‍યા નહિ, અને તેમના અતાર્કિક મંતવ્‍ય પર અડી રહ્યા..
અંતે આ યુનિયન દ્વારા મદરેસાને જ તેમની સંસ્‍થાથી છુટો કરી દીધો, એટલે કે પાકિસ્‍તાનના સઘળા મદરેસાઓ અને તેના સંચાલકોએ લાલ મસ્જિદ, મદરેસા અને તેના સંચાલકોનો વિરોધ કર્યો,
બીજા શબ્‍દોમાં કહીએ તો એમણે મદરેસાની આ રીતને બિનઇસ્‍લામી ગણાવી.
જુઓ આ માટે યુનિયનનું નિવેદન (ઉર્દૂમાં)
http://www.deeneislam.com/ur/main.php?CID=92
(મદરેસાઓનું આ યુનિયન પાકિસ્‍તાન ખાતે અત્‍યંત મજબૂત ગણાય છે, આ યુનિયનના મદરેસાઓ સરકારથી સ્‍વતંત્ર છે, સરકારી પગાર કે સહાય લેતા નથી, લોકોના ફંડફાળા પર ચાલે છે, તેના દ્વારા આખા પાકિસ્‍તાનમાં સરકારની જેમ મદરેસાઓની બોર્ડ આધારિત પરીક્ષા લેવાય છે, પરિણામો દૈનિક પેપરોમાં પ્રકાશિત કરાય છે, અને પરિણામો આધારિત મદરેસામાં વિધાર્થીઓ તાલીમ લેવા આવે છે, તો એ જ આધારે લોકોનો ફંડફાળો તેમને મળે છે, તેના વિવિધ શૈક્ષણિક અને વ્‍યવસ્‍થાકીય નિયમો છે, તેના આધારે જ કોઇ પણ મદરેસાને તેનું પ્રમાણપત્ર મળે છે અને યુનિયનમાં શામેલ કરવામાં આવે છે.)
લાલ મસ્જિદ અને તેનાથી સંલગ્‍ન મદરેસાના સંચાલકોએ એમની કાર્યવાહી ચાલુ રાખી, ઉશ્‍કેરણીજનક પ્રવચનો, સરકારવિરુદ્ધ પ્રવૃતિઓ છતાં એમને કંઇ કરવામાં –કહેવામાં આવ્‍યું નહી, જયારે તેઓ લાઠીઓથી પ્રદર્શન કરતા હતા ત્‍યારે એમને કંઇ કહેવામા આવ્‍યું નહી,
આજના બી.બી.સીના એક રેડિયો પ્રોગામમાં એક પત્રકારે સાચું જ કહયું કે
‘‘ એક મસ્જિદમાં પાંચ સમયે નમાઝ થાય છે, દરેક માણસને ત્‍યાં આવવા જવાની ખુલી છુટ છે, ફોન થાય છે, સંપર્કો કરવામાં આવે છે, મસ્જિદ અને તેનાથી સંલગ્‍ન મદરેસામાં સરકાર વિરોધી ઉશ્‍કેરણીજનક ભાષણો થાય છે, અને ઈન્‍ટલીજન્‍સ એજન્‍સીઓ સુચના મેળવવામાં કે પરિસ્થિતિનો તાગ મેળવવામાં નિષ્‍ફળ જાય એ લોકોના મનમાં શંકા ઉપજાવનારી બાબત છે. ‘‘
આ જ ઇનટરવ્‍યુમાં જયારે પ્રશ્ન પૂછવામાં આવ્‍યો કે,
‘‘ હવે લોકો તેમની અવલાદને મદરેસાઓમાં મોકલતા પહેલાં વિચાર કરશે ‘‘
તો એક પત્રકારનો જવાબ હતો,
‘‘એક ‍મંતવ્‍ય તો આ જ છે, પણ બીજી રીતે જોઇએ તો સ્‍પષ્‍ટ થાય છે કે આખા પાકિસ્‍તાનના દરેક મદરેસાએ લાલ મસ્જિદની ચળવળની તરફેણ ન કરતાં ઉલટાનો વિરોધ કર્યો, જે બતાવે છે કે મદરેસાઓ વિશે એમ કહેવું કે મદરેસાઓ થકી ધર્મ અને સત્‍તા ભેગી કરી સરકાર પર કે દેશ પર કબ્‍જો મેળવવાના પ્રયત્‍ન કરવામાં આવે છે તે ખોટું છે, ‘‘

હવે અમારી વાત .....
છેલ્‍લા બે વરસથી લગભગ જનરલ પરવેઝ મુશર્રફની પરિસ્થિ‍તિ પાકિસ્‍તાનમાં અને મુશર્રફના સત્તાસમર્થક અમેરિકાની નજરમાં કમઝોર પડી રહી છે, સત્તાનું લોહી ચાખી ગયેલા આ વરૂને આવી પરિસ્થિતિમાં એવું કંઇક કરી બતાવવું જરૂરી હતું કે અમેરિકાને ભાન થાય કે મારા જાતભાઇયોને મારવા તમને હજુ મારી જરૂરત છે, એટલે મુશરર્ફ સાહેબ કોઇ બહાનાની શોધમાં હતા, પાકિસ્‍તાન અને અફઘાનિસ્‍તાનની સરહદે કબાઇલીયો અને વિદેશી જેહાદીઓ વિરુદ્ધ ઓપરેશન અને અન્‍ય બાબતો આ સિલસિલાની કડી છે, એમરિકાએ જયાં લાલ આંખ બતાવી છે, એ કાશ્‍મીર બાબતે તેઓ અને તેમની આઇ.એસ.આઇ ધીરે ધીરે શાંત પડી રહ્યા છે, એવા સમાચાર આપણે વાંચીએ જ છીએ, પણ આ તો તેમના અસ્તિત્‍વની લડાઇ છે ને ! એટલે અમારા મતે પાકિસ્‍તાની સરકાર દ્વારા જાણી જોઇને આ મદરેસા અને તેના સંચાલકોને ખુલી છુટ આપવામાં આવી કે જે ચાહે તે કરે, પાટનગરમાં કોઇ જગ્‍યાએ એક માસ સુધી મુકાબલો કરી શકાય એટલા નાના – મોટા હથિયારોનો જથ્‍થો ભેગો કરવામાં આવે એ કંઇ ભેગો કરનારની કમાલ નથી, બલકે સરકારી તંત્ર અને જાસુસી એજન્‍સીઓનું પીઠબળ કહેવાય.. જયારે મુશર્રફ સાહેબને જશ મળે એટલી તૈયારી થઇ ગઇ તો હવે સરકારી એકશન લેવાનો નિર્ણય કરવામાં આવ્‍યો અને પછીની ઘટનાઓ છેલ્‍લા બે ત્રણ ચાર દિવસથી સમાચારોમાં છે......

Monday, July 09, 2007

બીમારની ઇયાદત કરવા (ખબર અંતર પૂછવા) જાય ત્‍યારે પઢવાની દુઆ
જયારે કોઇ બીમારની ઇયાદત કરવા જાય ત્‍યારે પ્રથમ ત્રણવાર દુરૂદ શરીફ પઢે, ત્‍યાર પછી નીચેની દુઆ સાત વાર પઢે, અને દુઆ પછી ત્રણવાર દુરૂદ શરીફ પઢે અને બીમારના પૂરા બદન પર દમ કરવામાં આવે.
أَذْهِبْ البَاسَ رَبَّ النَّاسِ، واشفِ أنتَ الشَّافي
لا شفاءَ إلاّ شفاؤكَ شفاءً لا يُغادِرُ سقمَاً
અઝહિબિ લ બઅસ, રબ્‍બન્‍નાસિ. વશ્‍ફિ અન્‍ત શ્‍શાફી,
લા શિફાઅ ઇલ્‍લા શિફાઉક, શિફાઅન લા યુગાદિરુ સક્મા.

Friday, July 06, 2007

કાયદો અને કુર્આન

કુર્આન શરીફ ઇસ્‍લામ અને ઇસ્‍લામી શરીઅતનું મૂળ અને પાયો છે, ઇસ્‍લામી આદેશો અને અને નિષેધોના આધારો અને દલીલોમાં તેનું સ્‍થાન પ્રથમ છે, એટલે ઇસ્‍લામી કાયદાઓમાં કુર્આને દર્શાવેલ નિયમ, આદેશ કે નિષેધના ઉલ્‍લંઘન કેમેય માફ નથી, અને કુર્આનનું સ્‍થાન અટલ, અફર, અચલ એટલે કે ફેરફારપાત્ર ન હોવાથી એના આદેશોની પણ એ જ હેસિયત છે. જેમ કે દારૂ પીવા વિષે કુર્આનમાં સાફ શબ્‍દોમાં નિષેધાત્‍મક આદેશ ઉપરાંત તેની ખરાબીઓનું વર્ણન છે, માટે મઘપાન સદાને માટે હરામ છે. કોઇનું ખૂન કરવા, જુગાર સટ્ટો, જુગાર ખેલવા અને પાંસા ફેકી પૈસાની શરત મારવા કે શુભ – અશુભના શુકન લેવા વિશે પણ સ્‍પષ્‍ટ મનાઇ કુર્આનમાં છે. કોઇનો માલ ખોટી રીતે હડપ કરવા, વ્‍યાજ ખાવા વિષે પણ કુર્આનમાં મનાઇ છે.
આ જ પ્રમાણે અનેક સદકાર્યો, ઇબાદતો, ફરજોના અમલ કરવાનો સ્‍પષ્‍ટ આદેશ કુર્આનમાં છે, જે સદાને માટે કરવા જ રહ્યા, કદી એને નકારી ન શકાય, જેમ કે નમાઝ પઢવી, રોઝા રાખવા, એક નક્કી માત્રામાં માલ હોય તો ચાલીસમો ભાગ ઝકાત રૂપે ગરીબોને આપવો, સગાઓ ને હકદારોને અને પાડોશીઓને એમનો હક આપવો, યતીમો, નિરાધારો અને માંગનારાઓને મદદ આપવી, બાળકો અને પત્નિ સાથે સદવર્તન કરવું અને તેમનું ભરણ પોષણ કરવું, વગેરે કુર્આનના સ્‍પષ્‍ટ આદેશો છે.
પવિત્ર, પાક ઇશ્વરીય આદેશોનો આ ગ્રંથ અલ્‍લાહ તઆલાએ લોકોને સીધી રીતે નથી આપ્‍યો, કે લ્‍યો વાંચો, સમજો અને સમજીને અમલ કરો, બલકે પ્રથમ એક માનવ સંસ્‍કારોથી સંપૂર્ણ, સદાચારી, સજ્જન અને નિર્મળ માણસને અલ્‍લાહના નબી તરીકે સ્‍થાપવામાં આવે છે, લોકો સમક્ષ એને અલ્‍લાહના નબી, પયગંબર અને અલ્‍લાહના આદેશો, કુર્આનના સાચા અર્થ અને આદેશોના અમલીકરણનો નમૂનો હોવાનું લોકોને મનાવવામાં આવે છે. પછી આ નબી-રસૂલ અલ્‍લાહના કે કુર્આનના આદેશો અલ્‍લાહના હુકમ અનુસાર લોકોને સંભળાવે છે, સમજાવે છે, અને નમૂનો પૂરો પાડે છે, આમ થવાથી લોકોને એ પણ સમજમાં આવે છે કે અલ્‍લાહના આદેશો પર અમલ કરવો માનવીઓ માટે શકય છે.
વર્તમાન સમયની બલિહારી આ છે કે કાનૂન બનાવનાર મંડળો, પાર્લામેન્‍ટો, ગૃહો, બેન્‍ચો, અને અન્‍ય બધા.... કાનૂન બનાવી પોતે તેનો અમલી નમૂનો રજૂ નથી કરી શકતા, માટે લોકોના મનમાં એ કાનૂનનું મહત્‍વ બેસતું નથી, તેઓ જુએ છે કે કાનૂન બનાવાના સ્‍વંય એના ઉપર અમલ નથી કરતો એનો મતલબ એ છે કે આ કાયદો કંઇ અમારા ભલા માટે નહી, બલકે કાયદો બનાવનારે એના સ્‍વાર્થ માટે જ બનાવ્‍યો છે.