Friday, April 14, 2006

વિજ્ઞાન અને ધર્મ (ઇસ્‍લામ)

માનવીનો સંબંધ એના આંખ નાક કાન વગેરે સાથે શું છે ?
આ બધાં એના અવયવો અને અંગો છે.
આ તો શરીરના અંગો થયા. આ જ પ્રમાણે માનવીય જીવનના અન્‍ય ઘણા પાસાંઓ અને અંગો છે , શાદી વિવાહ , શિક્ષણ , વેપાર , વગેરે બાબતો માનવીય જીવનના અંગો કહેવાય. અને એને લગતી બાબતોની જાણકારી માનવીને હોવી આવશ્‍યક છે. આ જ પ્રમાણે વિજ્ઞાન સાયન્‍સ ટેકનોલોજી પણ માનવજીવનનાં અંગો છે , અને માનવી તેનાથી અળગો ન રહી શકે.
જો કોઇ સમાજ કે વ્‍યક્તિ આવી બાબતોથી અળગો રહે , એનાથી સુગ રાખે કે આવી બાબતો પરત્‍વે એની પાસે પુરતું ગાઇડન્‍સ ન હોય તો આપણે કહી શકીએ કે આધુનિક વિશ્વમાં એનું સ્‍થાન પાછળ છે.
ઇસ્‍લામ એક સંપૂર્ણ જીવન વ્‍યવસ્‍થા હોવાના કારણે તે પણ માનવજીવનના તમામ વિભાગો સાથે સમાંતર અને અતૂટ સંબંધ ધરાવે છે.
વિજ્ઞાન એ માનવજીવનનું અત્‍યંત મહત્‍વપૂર્ણ અંગ છે. માટે વિજ્ઞાન બાબતે ઇસ્‍લામનો અભિગમ નકારાતમક ન હોય એ નક્કી છે. અમારા આ કથનને પૂરવાર કરવા અમે અમૂક બાબતો નીચે જણાવવીએ છીએ.
કુર્આનમાં અનેક સ્‍થળોએ અલ્‍લાહ તઆલાએ માનવીને સંબોધન કરીને અલ્‍લાહના સર્જનોમાં ચિંતન-મનન કરવાનો આદેશ આ૫યો છે. એક જગાએ અલ્‍લાહ તઆલા કહે છે ,
શું તમે ઊંટને ની જોતા, તેને કેવું પેદા કરવામાં આવ્‍યું છે ?
આકાશને નથી જોતા , તેને કેવી ઊંચું બનાવવામાં આવ્‍યું છે ?
જમીનને નથી જોતા , કેવી પાથરવામાં આવી છે ?
એક જગાએ કુર્આનમાં છે ,
અમે લોઢું – લોખંડ પેદા કર્યું છે, જે ઘણું કઠણ છે અને એમાં તમારા માટે ઘણા લાભો છે.
કુર્આનમાં છે કે અલ્‍લાહ તઆલાએ એક નબીને લોખંડ વડે બખ્‍તર બનાવવાની કારીગરી શીખવાડી હતી.
હઝરત નૂહ નબી બાબતે કુર્આનમાં છે કે અમે એમને અમારા આદેશ પ્રમાણે નાવડી બનાવતા શીખવાડયું.
કુર્આનમાં સ્‍પષ્‍ટ ઉલ્‍લેખ છે કે ધરતી પર પહાડોનું અસ્તિત્‍વ ધરતીને હાલક ડોલક થવાથી બચાવે છે. ધરતી કંપ વિશેના કારણો દર્શાવતી આજની થિયરી પણ આ બાબતને સમર્થન કરે છે.
નમાઝ ઇસ્‍લામની મહત્‍વની ઇબાદત છે, નમાઝમાં કિબ્‍લા તરફ મોઢું કરવું જરૂરી છે. કિબ્‍લો મકકા શરીફમાં છે. આ દુનિયાના કોઇ પણ ખુણામાં વસતા મુસલમાને દિશાઓનું જ્ઞાન મેળવવું જરૂરી છે , એ સ્‍પષ્‍ટ છે.
નમાઝ એક દિવસ રાતમાં પાંચવાર પઢવાની છે , આ માટે પાંચ સમય નક્કી છે. સવારે પરોઢ થયા પછી સુર્ય ઉગતાં પહેલાં ફજરની નમાઝ , બપોરે સૂરજ બિલ્‍કુલ માથા પર આવીને પશ્ચિમ તરફ ઢળી જાય ત્‍યારે ઝોહરની નમાજ, ત્‍યાર પછી વસ્‍તુનો પડછાયો વસ્‍તુના કદની એક ગણો કે બે ગણો થાય ત્‍યારે અસરની નમાઝ. સુર્યાસ્‍ત થાય ત્‍યારે મગરિબની નમાઝ અને તે પણ ચોમેર અંધારૂં પથરાય જાય તે પહેલાં , ચોમેર અંધારૂં પથરાય જાય એટલે ઇશાની નમાઝ.
આમ નમાઝ એક એવી ઇબાદત છે કે એ માટે ભુમિતી, ભુગોળ અને ખગોળનું જ્ઞાન જરૂરી છે. મુસલમાનોએ આ બાબતને અત્‍યંત આધુનિક શોધો સાથે સાંકળી લીધી છે, અને દરેક દેશમાં અને દરેક શહેરોમાં ત્‍યાનાં નક્કી અક્ષાંસ રેખાંશ પ્રમાણે સુર્યાસ્‍ત અને સુર્યોદયનો સમય ઉપરાંત અમે ઉપર જણાવ્‍યું તેમ આખા દિવસના સુર્યના ભ્રમણનો હિસાબ કરી નમાઝોનો સમય નકકી કરવામાં આવે છે. ઉપરાંત કિબ્‍લાની દિશા નક્કી કરવા માટે વિશેષ હોકાયંત્રો બનાવવામાં આવે છે.
માલદાર મુસલમાન માટે ઝકાત રૂપે માલનો ચાલીસમો અને ખેત પેદાશનો દસમો કે વીસમો ભાગ આપવો જરૂરી છે. મુસલમાનના અવસાન થયે એના વારસદારોને શરીઅતે દર્શાવ્‍યા પ્રમાણે ભાગો આપવા જરૂરી છે, જેમાં કોઇને છઠ્ઠો ભાગ , કોઇને આઠમો ભાગ, કોઇને ચોથો ભાગ, કોઇને ત્રીજો ભાગ , કોઇને એક કરતાં બમણો. અને જો આવા વારસદારો એકથી વધારે હોય , અને વિવિધ પ્રકારનો ત્રીજો , ચોથો , છઠ્ઠો વગેરે હક રાખતા હોય તો પછી એ બધા વચ્‍ચે ‍એમના નક્કી ભાગો પ્રમાણે વહેંચણી કરવા માટે ખાસ્‍સા પ્રમાણમાં ગણિતની જાણકારી આવશ્‍યક છે.
આ બાબતે મુળ વાસ્‍તવિકતા એ છે કે કાળની થપાટોએ દુનિયાના નકશા પરથી મુસ્લિમ આધિપત્‍યના સમાપનની સાથે જ મુસ્લિમ વિશ્વ પાછળ પડવા માંડ્યું , રશિયામાં જ્યારે સામ્‍યવાદની ક્રાંતિ આવી તો તેનો અસર માર મુસલમાનનોને પડયો, આજે સ્‍વતંત્ર થયલા ડઝનેક મુસ્લિમ દેશો તે વખતે તેમના જહોજલાલી ભોગવી પતન તરફ જઇ રહ્યા હતા, આવા સમયે મુસલમાનોમાં જ કોઇ નવી ક્રાંતિકારી ચળવળ ઉભી થાય એના બદલે રશિયાની સામ્‍યવાદી વિચારધારાએ એનો અજગર ભરડો લઇ ત્‍યાંથી ઇસ્‍લામી અસ્તિત્‍વના અવશેષો સુદ્ધાં નષ્‍ટ કરવાના પ્રયત્‍નો કર્યા. સાચા શબ્‍દોમાં કહીએ તો દાંતરડા અને હથોડાનો મુળ માર એમને જ વાગ્‍યો છે.
અને આજે વિશ્વમાં જેમનો ડંકો વાગ રહ્યો છે, એવા અમેરિકાની શાસન ધુરા એવા લોકો પાસે છે, જેમની સત્‍તાના સુત્રોને સદા યુદ્ધોના ભણકારાથી જ સલામત રહ્યા છે. તેઓ આજે અકારણે પણ મુસલમાનોને બદનામ કરવાનો કોઇ પ્રયત્‍ન છોડતા નથી.
નહિતર આ વાસ્‍તવિકતા કોની સામે નથી કે પોતાના પડતી કાળ દરમિયાન ઈસાઈઓ , યહૂદીઓ અને હિન્‍દુઓ અને અન્‍ય તમામ કોમો આ કાળની આવી માર ખાય ચૂકી છે,
કાળનું ચક્ર આમ જ ફરે છે, અને એ સમય દૂર નથી કે મુસલમાનો પણ તેમના આજની શેક્ષણિક પછાતપણામાંથી બહાર આવશે, અબલત્ત અમે પ્રાથના કરીએ છીએ કે હવે પછી દુનિયામાં બધા જ સમાન રહે, મુસલમાનોની પ્રગતિ કોઇની પડતીના ભોગે ન હોય. જેમ કે આજે ઘણા બધા તેમની પ્રગતિ અન્‍યોની પડતીમાં જ જૂએ છે.

No comments:

Post a Comment